Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પર
શીલલક્ષણ
- * - * * - * - * * * * * *
[૪૬૬] મહાનિશીથ સૂત્રના ઉક્ત બંને અધ્યયનોની વિધિ પૂર્વક સર્વે શ્રમણશ્રમણીને વાચના આપવી. [હવે અધ્યયન-૩]
અધ્યયન ૩
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
―
[૪૬૭] આ ત્રીજું અધ્યયન સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાને ચારેને સંભળાય તેવું છે. કારણ કે અતિ મહાન અને અતિ શ્રેષ્ઠ આજ્ઞાથી દ્વા કરવા યોગ્ય સૂત્રો અને અર્થો છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ.
[૪૬૮, ૪૬૯] જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે સારી રીતે યોગ ર્કા વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ ર્યા વગરનાને ભણાવે, તે ઉન્માદગાંડપણ પામે, અથવા લાંબા કાળના રોગ-આતંક્વા દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય, અને મરણ સમયે આરાધના ન પામે.
[૪૭૦ થી ૪૭૩] પહેલાં અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે, બીજામાં આવા પ્રકારે વિધિ વ્હેવો, બાકીના અધ્યયનો અવિધિ સમજવા. બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ, તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉદ્દેશા, ત્રીજાની જેમ ચોથા અધ્યયનમાં જાણવું, પાંચમામાં છ આયંબિલ, છઠ્ઠામાં બે, સાતમામાં ત્રણ, આઠમામાં દશ આયંબિલ, એમ સતત આયંબિલ તપ સંલગ્ન આઉત્તવાયણા સહિત આહાર-પાણી ગ્રહણ કરીને આ મહાનિશીથ નામક શ્રેષ્ઠ શ્રુતસ્કંધને વહન-ધારણ કરવું જોઈએ.
[૪૪] ગંભીરતાવાળા, મહાબુદ્ધિશાળી તપો ગુણ યુક્ત સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય, કાલગ્રહણ વિધિ કરેલ હોય તેવા એ વાચનાચાર્ય પાસે વાંચના ગ્રહણ કરવી જોઈએ.
[૪૭૫, ૪૭૬] હંમેશાં ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે રે ત્યારે આ વંચાવવું, ભણાવવું, નહિંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાન ગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્વ છે. મહાનિધિ, અવિધિથી ગ્રહણ કરવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગાવાનો પ્રસંગ ઉત્પન્ન થાય.
[૪૭૭, ૪૭૮] અથવા તો શ્રેયકારી કાર્યો ઘણાં વિઘ્નવાળા હોય છે, શ્રેયમાં પણ શ્રેય આ શ્રુતસ્કંધ છે, માટે તે નિર્વિઘ્ને ગ્રહણ કરવું જોઈએ, જે ધન્ય, પુન્યવંત હોય
તે જ આને વાંચી શકે.
Jain Education International
[૪૭૯] ભગવન ! તે કુશીલાદિનું લક્ષણ કેવું હોય ? કે જેને બરાબર જાણીને તેનો સર્વથા ત્યાગ કરી શકાય.
[૪૭૯ થી ૪૮૧] ગૌતમ ! સામાન્યથી તેમનું લક્ષણ આ રીતે સમજવું. સમજીનેજાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો. કુશીલના ૨૦૦ પ્રકાર જાણવા. ઓસન્ બે પ્રકારે ડ્યા. જ્ઞાનાદિના પાસત્થા બાવીશ પ્રકારે અને શબલ ચારિત્રી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પહેલા કુશીલને હું છું જેના સંસર્ગથી મુનિ ક્ષણવારમાં ભ્રષ્ટ થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org