Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
મહાસમુદ્રની વચ્ચે આવેલો દ્વીપ પ્રાણીઓને પાણીથી રક્ષણ આપવા માટે આધાર રૂપ હોય છે, તે દ્વીપ ભૂમિ રૂપ સ્થાન છે, તેથી પ્રાણીઓ ત્યાં જઈને આશ્રય પામી શકે છે, ત્યાં આશ્રય પામ્યા પછી જલપ્રવાહ, જલજંતુઓથી નિશ્ચિત અને નિર્ભય બની સંચરણ-વિચરણ કરી શકે છે. તે જ રીતે સંસાર સમુદ્રની વચ્ચે રહેલો ધર્મરૂપી દ્વીપ જીવોને જન્મ-મરણથી રક્ષણ આપે છે. તે સ્થાનમાં પ્રત્યેક જીવો આશ્રય પામી શકે છે અને ત્યાં આશ્રય પામ્યા પછી જીવો જન્મ-મરણ રૂપ જલ પ્રવાહથી કે વિષય-કષાયરૂપ જલજંતુઓથી સંપૂર્ણ રીતે નિર્ભય બની ધર્મદ્વીપમાં સંચરણ કરે છે. તેથી તે શરણ, પ્રતિષ્ઠાન અને ગતિરૂપ છે. શકસ્તવ-નમોત્થણં સૂત્રમાં અરિહંત પરમાત્મા માટે વિવો સરળ-
પાઠ્ઠા વિશેષણનો પ્રયોગ થયો છે. અહીં અરિહંત પ્રરૂપિત ધર્મ માટે આ વિશેષણોનો પ્રયોગ થયો છે, તે સાર્થક જ છે. (૧૦) સછિદ્ર-નિછિદ્ર નૌકા -
अण्णवंसि महोहंसि, णावा विपरिधावइ ।।
जंसि गोयम आरूढो, कहं पारं गमिस्ससि ॥ શબ્દાર્થ – મહસિ = મહાઓઘ અર્થાતુ મહાપ્રવાહવાળા અvgવલિ = અર્ણવ-સમુદ્રમાં નવા = એક નાવ વિપરિધાન વિપરીત દિશામાં દોડી રહી છે ગતિ = તેના ઉપર આaો = આરૂઢ થયેલા આપ ૬ = કેવી રીતે પાર = પાર ક્ષતિ = જશો, થશો ? ભાવાર્થ :- હે ગૌતમ ! મહાપ્રવાહવાળા સમુદ્રમાં નૌકા વિપરીત દિશામાં જઈ રહી છે. તેના ઉપર આરૂઢ થયેલા આપ કેવી રીતે સમુદ્રને પાર કરશો? । जा उ अस्साविणी णावा, ण सा पारस्स गामिणी ।
जा णिरस्साविणी णावा, सा उ पारस्स गामिणी ॥ શબ્દાર્થ - Mવા = નૌકા અવિળી = આશ્રવવાળી, છિદ્રોવાળી સT = તે ૩= કોઈદિવસ પારસ
મિળt = પાર લઈ જનારી ન = નથી થતી fપરસ્તાવિળ = નિરાશ્રવી, છિદ્ર વગરની. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) જે નૌકા છિદ્રવાળી-કાણાવાળી હોય છે તે સમુદ્રમાં પાર પહોંચાડી શકતી નથી પરંતુ જે નૌકા છિદ્ર રહિત હોય છે, તે પાર પહોંચાડે છે. न णावा य इइ का वुत्ता, केसी गोयममब्बवी ।
સિમેવ યુવત તુ, ગોયમો ડ્રામ09વી | ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ નૌકા કોને કહો છો? આ પ્રમાણે પૂછતાં કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. किन सरीरमाहु णावत्ति, जीवो वुच्चइ णाविओ ।
1 संसारो अण्णवो वुत्तो, जं तरति महेसिणो ॥ શબ્દાર્થ -રારં= શરીરને ખાવા = નાવ આદુ = કહી છે નવો = જીવ ગાવો = નાવિક વુદ્ = કહેવાય છે સારો સંસાર અDUવો= અર્ણવ, સમુદ્ર પુરો = કહેવાય છે મસિનો= મહર્ષિઓ ન = જેને તાંતિ = પાર કરે છે.