Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શાસન પરંપરાને સુવ્યવસ્થિતરૂપે ટકાવી રાખવામાં કેશીકુમાર શ્રમણના અહત્યાગનું આ મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. સંસાતીત, સબ્બકુત્તમોતી – પ્રસ્તુત ગાથામાં ગૌતમસ્વામીને સંશયાતીત અને સર્વ સૂત્ર મહોદધિ કહ્યા છે. જેમનું શ્રુતજ્ઞાન એવું નિર્મળ અને સ્પષ્ટ હોય કે તેને કોઈપણ પ્રકારના સંશય-શંકા રહે નહીં, તે સંશયાતીત કહેવાય છે. સર્વ શાસ્ત્રોના સંપૂર્ણ જ્ઞાતા, ચારજ્ઞાન અને ચૌદપૂર્વના ધારક, શ્રુતકેવળી, સૂત્રના મહાન ઉદધિ મહોદધિ કહેવાય છે. પવનદબયથH - કેશીકુમાર શ્રમણે પંચમહાવ્રતનો સ્વીકાર કર્યો. જ્યારે તીર્થકરો તીર્થની સ્થાપના કરે, ત્યારે પૂર્વના તીર્થકરના છદ્મસ્થ સાધુઓ નવા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે, ત્યાર પછી જ તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ પ્રકારનો વ્યવહાર હોય છે. તે નિયમાનુસાર ભગવાન મહાવીરે તીર્થ સ્થાપના કરી ત્યાર પછી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના કેશીકુમાર શ્રમણે ભગવાન મહાવીરના શાસનમાં પ્રવેશ કરવા માટે ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને પંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. પૂરિશ્ન પછિનશ્મિ :- પૂર્વના ત્રેવીસમા તીર્થંકરના શાસનમાંથી પશ્ચિમ-અંતિમ તીર્થકર દ્વારા પ્રવર્તિત શાસનમાં પ્રવેશ કર્યો. પૂર્વગૃહીત ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને અંતિમ તીર્થંકરનો પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો. ઉપસંહારઃ સમાગમની ફલશ્રુતિઃ
વલીભોયનો વુિં, તન્મ આસિ સનીને .
सुय-सील-समुक्कसो, महत्थत्थ-विणिच्छओ ॥ શદાર્થ:- તગ્નિ = તે નિંદક ઉદ્યાનમાં લીયન = કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીનો જે fપવં= નિત્યસમાને - સમાગમ લિ = થયો સુયતીત કુવો = શ્રુત-શીલ સમુત્કર્ષ, શ્રુત અને ચારિત્રની વૃદ્ધિ કરનાર મહિન્દુત્વવિnિછો = મહાન અર્થનો અર્થાત્ મહાન બાબતોનો નિર્ણય થયો. ભાવાર્થ :- હિંદુક ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીનો જે નિરંતર સમાગમ-સંવાદ થયો તેનાથી શ્રુત તથા શીલ ધર્મનો ઉત્કર્ષ થયો અને મહાન પ્રયોજનભૂત વિષયોનો નિર્ણય થયો. | તેલિયા રિસ સળા, સમજ મુવક્રિયા ..
સથયા તે પલીયડુ, મયે વસોયને ત્તિ વેમ || શબ્દાર્થ -ળા = સર્વ દેવ, અસુર અને માનવોથી યુક્ત પરિક્ષા = સભા તરિયા = સંતોષ પામી સમri = સન્માર્ગમાં સવાયા = પ્રવૃત્ત થયા તે = તે બધા થયા = સ્તુતિ કરવા લાગ્યા અથવું = ભગવાન જોયને = કેશી-ગૌતમ પલીયડુ = સદા પ્રસન્ન રહો, જયવંત વર્તો. ભાવાર્થ - (આ પ્રકારે) દેવ, અસુર, મનુષ્યોની પરિપૂર્ણ પરિષદ ધર્મચર્ચાથી સંતોષ પામી તથા સન્માર્ગમાં પ્રવૃત્ત થઈ. તેમણે ભગવાન કેશી અને ગૌતમની સ્તુતિ કરી કે તે બન્ને સંતો(અમારા પર) પ્રસન્ન રહો. વિવેચન :
કેશીકમાર શ્રમણ અને ગૌતમસ્વામી જેવા મહાન સંતો વચ્ચે થયેલો આ સંવાદ બંને સંતોના