Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કેશી-ગૌતમીય
[
]
૮e
૮
શબ્દાર્થ – પUT = પ્રજ્ઞા, બુદ્ધિ સાદુ = ઘણી ઉત્તમ છે સંલ = સંશયોને ઉછળો = દૂર કર્યા છે
વાતીત સંશયાતીત, સંશયથી રહિતસવગુત્તમ હોદ = હે સર્વ સૂત્ર મહોદધિ!હે સર્વશાસ્ત્રોના જ્ઞાતા ! તે = આપને ન = નમસ્કાર કરું છું. ભાવાર્થ – હે ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે. આપે મારા આ સંશયોને દૂર કર્યા છે. હે સંશયાતીત: હે સર્વશ્રુત-મહોદધિ ! આપને હું નમસ્કાર કરું છું. | વં તુ સંપ છvછે, જેની પોર|
રમે . अभिवंदित्ता सिरसा, गोयमं तु महायसं ॥८६॥ શબ્દાર્થ–પર્વ= આ પ્રકારે સંપ = સંશયછvળ = દૂર થતાં શોર પરમે- ઘોર પરાક્રમી મહાવરે = મહાયશસ્વી સિરસા = શિર નમાવીને ખવવા = વંદણા કરીને(હાથ જોડીને અને શિર નમાવીને). ભાવાર્થ - આ પ્રકારે સંશયનું નિવારણ થવાથી ઘોર પરાક્રમી કેશીકુમાર શ્રમણે મહાયશસ્વી ગૌતમ સ્વામીને શિર નમાવીને અભિવંદના કરીને......
पंचमहव्वयधम्म, पडिवज्जइ भावओ।
पुरिमस्स पच्छिमम्मि मग्गे, तत्थ सुहावहे ॥ શબ્દાર્થ - તત્ત્વ = ત્યાં હિંદુક વનમાં હંમેશ્વયમ્ન = પાંચ મહાવ્રતરૂપ ધર્મનો માવો = ભાવપૂર્વક વિશ્વ = સ્વીકાર કર્યો સુહાવરે = તે સુખકારી મળી = માર્ગમાં વિચરણ કરવા લાગ્યા પુરિમા = પૂર્વતીર્થંકરના શાસનનો(ત્યાગ કરીને) પશ્વિમમક પછીના તીર્થકરના શાસનમાં(પ્રવેશ કરીને). ભાવાર્થ :- પૂર્વના અર્થાતુ ત્રેવીસમા તીર્થંકરના શાસનનો ત્યાગ કરીને, પછીના અર્થાત ચોવીસમાં તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરીને, પાંચ મહાવ્રત રૂપ ધર્મનો ભાવપૂર્વક સ્વીકાર કરીને, તે સુખાકારી માર્ગમાં વિચરણ કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સર્વ પ્રશ્નોના સમાધાન થયા પછી બંને સંતોના શિષ્ય પરિવારને પ્રાપ્ત થયેલા સમન્વયરૂપ સુફળનું સુંદર નિરૂપણ છે. કેશીકુમાર શ્રમણે અત્યંત નમ્રભાવે શિષ્ય પરિવારની જિજ્ઞાસાને સંતોષવા જ જ્ઞાનચર્ચાનો પ્રારંભ કર્યો હતો. તેથી કોઈ પણ પ્રકારના દુરાગ્રહ વિના ગૌતમસ્વામી દ્વારા થયેલા સમાધાનનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો.
સામાન્ય રીતે એક તીર્થકર તીર્થની સ્થાપના કરે, ત્યારે પૂર્વ તીર્થકરના સાધુઓ નવા તીર્થકરના શાસનમાં પ્રવેશ કરીને તીર્થકરનું સાંનિધ્ય સ્વીકારી લે છે. પરંતુ પ્રભુ પાર્શ્વનાથ અને પ્રભુ મહાવીરના શાસનમાં વતની, વેશની વગેરે અનેક પ્રકારની ભિન્નતા હતી, બંને પરિવારના શિષ્યોના અંતરમાં આ ભિન્નતાનો સમન્વય થાય, તે અત્યંત જરૂરી હતું. તેથી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીનો સંવાદ થયો. તે જ્ઞાનસંવાદના અંતે સ્વયં પર્યાયજ્યેષ્ઠ હોવા છતાં કેશીકુમાર શ્રમણે શાસનપરંપરાને અનુસરીને ભગવાન મહાવીરના શાસનમાં પ્રવેશ કર્યો. ગૌતમ સ્વામીને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરીને પંચમહાવ્રતનો સ્વીકાર કરી તેમનું સાંનિધ્ય સ્વીકાર્યું.