Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૯૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્થાવર જીવો -
| पुढवी आउ जीवा य, तहेव य वणस्सई । ૭૦
इच्चेए थावरा तिविहा, तेसिं भेए सुणेह मे ॥ શબ્દાર્થ -પુજવી = પૃથ્વીકાય ગાળવા = અષ્કાયના જીવો વસ્ત્ર = વનસ્પતિકાય હ = આ પ્રકારે સિવિલ = ત્રણ પ્રકારના થાવરા = સ્થાવર છે ને = મારી પાસેથી ક્ષ = તેના બે = ભેદોને સુદ = સાંભળો. ભાવાર્થ – પૃથ્વીરૂપ જીવ, જળરૂપ જીવ અને વનસ્પતિરૂપ જીવ. આ રીતે સ્થાવરના ત્રણ ભેદ છે, તે જીવોનું વર્ણન મારી પાસેથી સાંભળો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સ્થાવર જીવોના ભેદોનું કથન છે. સ્થાવર જીવોના ત્રણ ભેદ છે– પૃથ્વી, પાણી અને વનસ્પતિ. આ જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય હોય છે, તેમજ તે જીવોમાં સ્વયં ગતિ થતી નથી; તેથી તેને સ્થાવર કહે છે. અન્યત્ર સ્થાવરના અગ્નિ અને વાયુ સહિત પાંચ ભેદ કહ્યા છે. અગ્નિ અને વાયુના જીવોને સ્થાવરનામ કર્મનો ઉદય છે. તે જીવો એકેન્દ્રિય છે પરંતુ તેમાં ગતિક્રિયા થાય છે. જેમ કે અગ્નિની જ્યોત સ્વાભાવિક રીતે ઉપરની તરફ જાય છે અને વાયુ પણ વહે છે તેથી તેની અહીં સ્થાવર જીવોમાં ગણના કરી નથી. પૃથ્વીકાય:@ કુવા પુવી નવા ય, સુહુમાં વાયર તહીં .
पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ શબ્દાર્થ – સુહુમા = સૂક્ષ્મ શાયરી = બાદર પણ = આ પ્રકારે તેઓ પwત્ત = પર્યાપ્તા અપmત્તા = અપર્યાપ્તા પુણો = પુનઃ વળી કુહા = બે પ્રકારના છે. ભાવાર્થ - પૃથ્વીકાયના જીવોના બે ભેદ છે– સૂક્ષ્મ અને બાદર. આ બંનેના બે-બે ભેદ છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. की बायरा जे उ पज्जत्ता, दुविहा ते वियाहिया ।
सण्हा खरा य बोधव्वा, सण्हा सत्तविहा तहिं ॥ શદાર્થ:- ને = જે થયા = બાદર પૃથ્વીકાયના જીવો પmત્તા = પર્યાપ્તા જીવ છે તે = તેઓ કુવિદ = બે પ્રકારના વિવાદિયા = કહ્યા છે અઠ્ઠા = કોમળ હ = કઠોર તહં = તેમાં સા = કોમળ પૃથ્વીના સત્તવિ = સાત પ્રકાર નોધબ્બા = જાણવા જોઈએ. ભાવાર્થ:- જે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવો છે, તેના બે પ્રકાર છે- કોમળ અને કઠોર. તેમાં કોમળ પૃથ્વીના સાત ભેદ છે.