Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રમાદસ્થાન
[ ૨૭૭ ]
શબ્દાર્થઃ- સવ્વલ = સંપૂર્ણ ગણસ = જ્ઞાનના પાસા = પ્રકાશથી મMાન મોદસ અજ્ઞાન અને મોહના વિવજ્ઞાપ = ત્યાગથી રસ = રાગ અને વોલસ = ષના સંહા= ક્ષયથી પોત તોજ = એકાંત સુખાકારી મોજાં = મોક્ષની મુવે = પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ- સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહને દૂર કરવાથી, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાંત સુખરૂપ મોક્ષ પામે છે.
तस्सेसमग्गो गुरु विद्ध सेवा, विवज्जणा बालजणस्स दूरा ।
सज्झाय एगंत णिसेवणा य, सुत्तत्थसंचिंतणया धिई य ॥ શબ્દાર્થ - અવસેવા = ગુરુ મહારાજ અને વૃદ્ધ મુનિઓની સેવા કરવી વાનગણ = બાળ જનો, અજ્ઞાનીઓના સંગને દૂર = દૂરથી જ વિવાખા = ત્યાગી દેવો સાથ-પતfસેવા = એકાંતમાં રહી સ્વાધ્યાય કરવો ત્ય-સતિયા = સૂત્ર અને અર્થનું ચિંતન કરવુંf= વૈર્યપૂર્વક સંયમનું પાલન કરવું, પક્ષ = આ તસ = મોક્ષનો મો = માર્ગ છે. ભાવાર્થ - ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી; અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, એકાંતમાં રહીને સ્વાધ્યાય કરવો; ધીરજપૂવર્ક સૂત્રનું અને અર્થનું ચિંતન કરવું, તે એકાન્ત સુખરૂપ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં કર્મમુક્તિ અને દુઃખમુક્તિના ઉપાયો પ્રદર્શિત કર્યા છે. નાનસ સવ્વસ પITE:- પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી. આત્મા જ્ઞાનના પ્રકાશમાં જગતના સર્વ ભાવોને-તત્ત્વોને યથાર્થરૂપે જાણે છે. સંસારના વિભિન્ન પદાર્થોમાં હેય, ઉપાદેયતાનો વિવેક પણ જ્ઞાનથી જ થાય છે. સાધક જ્ઞાનના પ્રકાશમાં તત્ત્વોને જાણીને જ ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરે અને આરાધના કરવા યોગ્ય બોલની આરાધના કરે છે; તેથી સાધના ક્ષેત્રમાં જ્ઞાનની પ્રધાનતા સ્પષ્ટ છે. અUMાજ નોહરૂ વિવMITE:- આત્માની સાથે રહેલા અજ્ઞાન અને મોહભાવોને દૂર કરવાથી. આ શબ્દપ્રયોગ દ્વારા સમ્યગુદર્શનનું સૂચન છે. અજ્ઞાન એટલે મિથ્યા માન્યતા અને મોહ એટલે અનંતાનુબંધી કષાય; આ બંનેના વિવર્જનથી(ત્યાગથી) સમ્યગુદર્શન પ્રગટ થાય છે.જિનમાર્ગ પર શ્રદ્ધારૂપ સમ્યગુદર્શનના માધ્યમે સાધક પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે. રાલ્સ હોસસ ૧ સંપળ - રાગ અને દ્વેષના પરિણામોને સમાપ્ત કરવાથી. આ પદો દ્વારા અહીં સમ્યક્ ચારિત્રનું સૂચન છે. રાગ અને દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. પાંત સોજાં સમુદ્ર મોજાં - એકાંતસુખ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે. ઉપરોક્ત ત્રણ કાર્યોની પૂર્ણતા થતાં સાધક પરમ વિશુદ્ધિ અને એકાંત સુખ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષ, દુઃખના અભાવ
સ્વરૂપ છે પરંતુ ત્યાં અનંત સ્વાભાવિક સુખનો સદ્ભાવ શાશ્વત રહે છે. તક મળો વિત્તેવા :- ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી. જે સન્માર્ગનું દર્શન કરાવે તેને “ગુરુ” અને દીર્ઘ ચારિત્રપર્યાયવાળા સંતોને “વૃદ્ધ' કહે છે. તેમના સાંનિધ્યમાં રહીને, તેમની સેવા અને પર્યાપાસના કરવાથી સાધકને જ્ઞાનનો અપૂર્વ લાભ થાય, શ્રદ્ધા દઢ બને અને ચારિત્રમાં પરિપક્વતા આવે છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે ત્રણે ગુણોની વૃદ્ધિ થાય છે. તે ઉપરાંત ગુરુજનોના સાંનિધ્યથી