Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રમાદસ્થાન
| 301 फासाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खण सण्णिओगे । ८०
वए विओगे य कह सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ ભાવાર્થ – સ્પર્શના અનુરાગથી અને તેની મૂર્છાથી, તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? અર્થાત્ દુઃખ જ થાય છે અને તેને સ્પર્શના ઉપભોગ- કાળમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
फासे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुढेिं ।
अतुट्ठि दोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ – સ્પર્શના વિષયમાં અતૃપ્ત અને તેના પરિગ્રહણમાં અત્યંત આસક્ત પુરુષ ક્યારે ય સંતુષ્ટ થતો નથી. અસંતોષના દોષથી દુઃખી થાય છે અને લોભથી વ્યાકુળ બનીને બીજાના પદાર્થની ચોરી કરે છે.
तहाभिभूयस्स अदत्तहारिणो, फासे अतित्तस्स परिग्गहे य । ८२
मायामुसं वड्डइ लोभदोसा, तत्था वि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ – તૃષ્ણાથી ઘેરાયેલો, ચોરી કરનાર, સ્પર્શના પરિગ્રહમાં અતૃપ્ત પુરુષ માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, તો પણ તે દુઃખથી વિમુક્ત થતો નથી. । मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते ।
एवं अदत्ताणि समाययंतो, फासे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ - (સ્પર્શ સંબંધી) અસત્ય ભાષણ કરતાં પહેલાં, અસત્ય ભાષણ પછી અને અસત્ય ભાષણ સમયે પણ તે દુઃખી થાય છે. તેનો અંત દુઃખ રૂપ હોય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને પણ સ્પર્શના વિષયમાં અતૃપ્ત પુરુષ દુઃખી અને અસહાય થઈ જાય છે. ८४|
फासाणुरत्तस्स णरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
तत्थोवभोगे वि किलेसदुक्ख, णिव्वत्तइ जस्स कएण दुक्ख ॥ ભાવાર્થ - આ રીતે (મનોજ્ઞ) સ્પર્શમાં અનુરક્ત પુરુષને ક્યારે ય કિંચિત્ માત્ર, સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? તે સ્પર્શજનક પદાર્થોને મેળવવામાં અને તેના ઉપભોગમાં ક્લેશ અને દુઃખ પામે છે.
एमेव फासम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ ।
पदुट्ठचित्तो य चिणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ – આ જ રીતે જે અમનોજ્ઞ સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર વિવિધ દુઃખની પરંપરાને પ્રાપ્ત થાય છે. શ્વેષ યુક્ત ચિત્તથી તે જે કર્મોનો સંચય કરે છે, તે કર્મ પરિણામે તેના માટે દુઃખરૂપ થાય છે.
। फासे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण । प ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणीपलासं ॥ ભાવાર્થ:- સ્પર્શના વિષયમાં વિરક્ત પુરુષ શોક રહિત હોય છે. જેમ જળમાં રહેવા છતાં કમળપત્ર જળથી
पो
८५
८६