Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૩ ]
સંવેગ:| ३ संवेगेणं भंते ! जीवे किं जणयइ ?
. संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ, अणुत्तराए धम्मसद्धाए संवेगहव्वमागच्छइ, अणंताणबंधी कोह-माण-माया-लोभे खवेइ, णवं च कम्म ण बंधइ, तप्पच्चइयं च मिच्छत्त-विसोहिं काऊण दसणाराहए भवइ, दसणविसोहिए य णं विसुद्धाए अत्थेगइए जीवे तेणेव भवग्गहणेणं सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वायइ सव्वदुक्खाणमंत करेइ, विसोहिए य णं विसुद्धाए तच्चं पुणो भवग्गहणं णाइक्कमइ । શબ્દાર્થ – બત! હે ભગવન્! સંવેd = સંવેગ(મોક્ષની અભિલાષા)થી નાવે = જીવને કિં = શું ખાય = લાભ થાય છે? અપુર = અનુત્તર, ઉત્કૃષ્ટ ધનસદ્ધ = ધર્મશ્રદ્ધા નાયડુ = ઉત્પન્ન થાય છે ગપુરા = અનુત્તર, સર્વોત્કૃષ્ટ બન્નદ્ધા ધર્મશ્રદ્ધાથી વં શીધ્ર જ સંવેજ = સંવેગ, ઉત્કૃષ્ટ મોક્ષાભિલાષા આચ્છ = ઉત્પન્ન થાય છે સતાપુર્વ વોહમા-માયા-તોએ = અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો હવે = ક્ષય થાય છે પાવ = નવા — = કર્મોનો = બંધ થતો નથી તપ્રવયં કર્મબંધનાનિમિત્તકારણમછત્તવિવાહિં મિથ્યાત્વની વિદ્ધિ વls= કરીને હારાણા = સમ્યકત્વના આરાધક, ક્ષાયિક સમ્યકત્વના આરાધક અવ= થઈ જાય છે સવિલોહિપ પ = દર્શનની, સમ્યકત્વની વિશુદ્ધિથી વિસ્તાર = વિશુદ્ધ બનેલો ગલ્યાફા = કોઈ એક જીવે = જીવ તેવ = તે જ બેવફા = ભવમાંસા = સિદ્ધ થાય છે ગુફા = બુદ્ધ થાય છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે મુશ્વ = કર્મોથી મુક્ત થાય છે પરિબ્રિાયઃ પરિનિર્વાણ, પરમશાંતિ પ્રાપ્ત કરે છે સબ્બતુલ્લામાં વરેફ = બધા દુઃખોનો અંત કરે છે વિહિપ ય ન વિષ્કા = સમ્યત્વની વિદ્ધિથી તવં= ત્રીજો પુણો= ફરીથી ભવન = ભવગ્રહણનું ખાવમ = અતિક્રમણ કરતા નથી અર્થાત્ ત્રીજા ભવમાં અવશ્ય મોક્ષ મેળવી લે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંવેગથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સંવેગથી જીવને અનુત્તર ધર્મશ્રદ્ધા થાય છે. અનુત્તર ધર્મશ્રદ્ધાથી શીઘ્ર સંવેગ પ્રાપ્ત થાય છે. તે જીવ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે છે અને નવા કર્મો બાંધતો નથી. કર્મબંધના નિમિત્તકારણ મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને જીવ સમ્યગદર્શનનો આરાધક થઈ જાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઈને કોઈ જીવ તે જ ભવમાં સિદ્ધ થાય છે, જ્ઞાન પામે છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે, સિદ્ધાલયમાં સ્થિત થાય છે. દર્શન વિદ્ધિથી વિશુદ્ધ થયેલા કોઈ જીવને કર્મો શેષ રહી જાય તો તે અવશ્ય ત્રીજા ભવે સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ પામી સિદ્ધાલયમાં સ્થિત થાય છે. તે જીવને ત્રણ ભવથી વધારે ભવ કરવા પડતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમ્યક્ પરાક્રમના પ્રથમ બોલ સંવેગનું નિરૂપણ છે.
મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન સંવેગ છે. સંવેગભાવની પ્રાપ્તિ પછી જ સાધનાનો પ્રારંભ થાય છે. સવેગ - સંવેગ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થો થાય છે– (૧) સમ્યગુ વેગ. મોક્ષ પ્રાપ્તિ માટેનો વેગ–તે દિશાનો તીવ્રતમ પુરુષાર્થ સંવેગ કહેવાય છે. (૨) સંવેજો મુવFબના: | મોક્ષાભિલાષા, મોક્ષ