Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તપોમાર્ગ ગતિ
૨૪૧ |
૨૮
આસનો સાધકને અપ્રમત્ત બનાવે છે. વાળ = ખુરશી વિના ખુરશી ઉપર બેસીએ તેવી રીતે બેસવાને વીરાસન કહે છે. સામાન્ય વ્યક્તિ માટે આ આસન અશક્ય છે, પરંતુ દઢ મનોબળી અને અભ્યાસી સાધકોને તેવા આસન પણ સહજ થઈ જાય છે. સુવિધા, ૩L :- સુખાકારી, કષ્ટપ્રદ. પ્રસ્તુત ગાથામાં પ્રયુક્ત કષ્ટપ્રદ અને સુખાકારી, આ બંને વિરોધાર્થક શબ્દો છે. તેમાં કષ્ટપ્રદ શબ્દ શરીરની અપેક્ષાએ છે. કારણ કે બાહ્ય દષ્ટિથી તે આસનાદિની સાધના પ્રત્યક્ષ કષ્ટપ્રદ દેખાય છે. સુખાકારી શબ્દ આત્માની અપેક્ષાએ છે કારણ કે તે કઠિન સાધનાઓથી દેદ ટુકશ્ય મદીનના સિદ્ધાંતે કર્મોની નિર્જરારૂપ મહાન ફળ પ્રાપ્ત થાય છે, આત્મા કર્મમુક્ત બને છે, અનાદિ કાલીન દુઃખ પરંપરાનો નાશ થાય છે. તેથી આંતરદષ્ટિએ કાયક્લેશ તપની સાધનાઓ સુખાકારી, સુખવર્ધક છે. (૬) બાહતપઃ પ્રતિસલીનતા તપ - । एगंत मणावाए, इत्थीपसुविवज्जिए ।
सयणासण सेवणया, विवित्तसयणासणं ॥ શબ્દાર્થ – તે = એકાંત સવાર = જન સામાન્યના આવાગમન રહિત લ્યપરિવઝિ = સ્ત્રી, પશુ અને નપુંસકથી વર્જિત, સ્ત્રી આદિના નિવાસ રહિત સ્થાનમાં સવાલસેવા = શયન, આસન કરવું વિવિયાણ = વિવિક્ત શયનાસન પ્રતિસલીનતા તપ છે. ભાવાર્થ:- જન સામાન્યના આવાગમન રહિત, સ્ત્રી, પશુ, નપુંસકના નિવાસ રહિત એકાંત સ્થાનમાં શિયન, આસન ગ્રહણ કરવું, રહેવું, તે વિવિક્ત શયનાસનરૂપ પ્રતિસંલીનતા તપ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં પ્રતિસલીનતા તપનું કથન છે.
દ્રવ્ય અને ભાવથી આત્માને નિયંત્રિત રાખવો, તે પ્રતિસલીનતા તપ છે. તેના ચાર પ્રકાર છે(૧) ઇન્દ્રિય પ્રતિસલીનતા- ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, પાંચે ય ઇન્દ્રિયોને તેના વિષયો તરફ આકર્ષિત થવા ન દેવી પરંતુ તેને પોતાના વશમાં રાખવી, તે ઇન્દ્રિય પ્રતિસલીનતા છે. (૨) કષાય પ્રતિસલીનતાપ્રસંગે ઉપસ્થિત થતાં ક્રોધ આદિ ન કરવા, તેના ઉદયને જ્ઞાન અને વૈરાગ્યના બોધપૂર્વક નિષ્ફળ કરી દેવો, તે કષાય પ્રતિસલીનતા છે. (૩) યોગ પ્રતિસલીનતા-મન-વચન-કાયાના યોગોની અનાવશ્યક પ્રવૃત્તિઓને ઘટાડવી, તે યોગ પ્રતિસલીનતા છે. (૪) વિવિક્તશયનાસનતા :- શયન એટલે રહેવાનું સ્થાન, ઉપાશ્રય. વિવિક્ત એટલે સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત સ્થાન. આવા સ્થાનમાં વસવાટ કરવો તે વિવિક્તશયનાસન પ્રતિસંલીનતા તપ છે.
- જનસંપર્કથી મનોરંજન, પરિચય વૃદ્ધિ, પરસ્પર વાર્તા આદિ મનોજ્ઞ વૃત્તિનું પોષણ થાય છે. તેથી તેનો ત્યાગ કરી આત્મ સ્વભાવમાં રમણ કરવા માટે ભિક્ષુ શૂન્ય સ્થાનોનું સેવન કરે છે. તે સ્થાનમાં અનેક પ્રવૃત્તિઓથી સહજ નિવૃત્તિ થઈ જાય અને વિપુલ નિર્જરાની ઉપલબ્ધિ થાય છે. શૂન્યગૃહ, ગિરિગુફા, વૃક્ષમૂલ, વિશ્રામગૃહ, દેવકુલ, કૂટગૃહ અથવા અકૃત્રિમ શિલાગૃહ વગેરે વિવિક્ત શય્યાના પ્રકાર છે. આ તપથી ચિત્તની એકાગ્રતા, આત્મશાંતિ, ધ્યાન સિદ્ધિ અને નિર્જરા વગેરે લાભ થાય છે.