Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૨૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
का पारियकाउस्सगो, वंदित्ताण तओ गुरुं ।
देवसियं तु अइयारं, आलोएज्ज जहक्कम ॥ શઘર્થ-પરિયડસકાયોત્સર્ગ પૂર્ણ કરી ગરમ યથાક્રમથી મનોરણ = આલોચના કરે. ભાવાર્થ - કાયોત્સર્ગ પૂર્ણ કરીને પછી ગુરુને વંદન કરીને, દિવસના અતિચારોની અનુક્રમે આલોચના કરે. કર પડિમિg fસંતો, વંદિત્તા તો મુન્દ્રા
काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥ શબ્દાર્થ - પડofમા = પ્રતિક્રમણ કરીને ઉપાસનો = શલ્યરહિત થઈને તો = પછી. ભાવાર્થ - પ્રતિક્રમણ કરીને, નિઃશલ્ય થઈને, ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કર પારિયાનો, વિરાળ તો ગુરું !
थुइमंगलं च काऊणं, कालं संपडिलेहए ॥ શબ્દાર્થ - થ i = સિદ્ધ ભગવાનના નામોત્થર્ણ રૂપ સ્તુતિ મંગલ વાઝ = કરીને વાન્ન = સ્વાધ્યાયના કાલનું સંડો = સમ્યગૂ રીતે પ્રતિલેખન કરે. ભાવાર્થ- મુનિ કાયોત્સર્ગ પૂર્ણ કરી ગુરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ(સિદ્ધ સ્તવન) કરીને સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરે અર્થાત્ સ્વાધ્યાય કરે. વિવેચન:
પ્રસ્તુત ગાથામાં દેવસી પ્રતિક્રમણનો ક્રમ નિર્દિષ્ટ કર્યો છે. તેમાં દિવસ સંબંધી અર્થાતુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં લાગેલા અતિચાર દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. દેવસિય અારં:- પ્રથમ આવશ્યકના કાયોત્સર્ગમાં મુનિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી અતિચારોનું ચિંતન કરે. દિવસ દરમ્યાન સંપૂર્ણ દિનચર્યામાં રત્નત્રયની આરાધનામાં થયેલી અલનાઓનું, અતિચારોનું સ્મૃતિ અનુસાર અવલોકન કરે; જે દોષ લાગ્યા હોય તેની ચિંતવના કરે; તેમાં જ્ઞાનના ૧૪ અને દર્શનના પાંચ અતિચાર છે.
ચારિત્રના પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા પ્રતિલેખન આદિ અન્ય જે-જે કર્તવ્યોનું પાલન કર્યું હોય તેમાં જે-જે દોષોનું સેવન થયું હોય, પોતાની વૃત્તિ બહિર્મુખી થઈ હોય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી કોઈ પણ વિષયમાં રાગ કે દ્વેષના ભાવો થયા હોય, તો તેની અંતઃકરણપૂર્વક ચિંતવના કરીને કાયોત્સર્ગ પૂર્ણ કરે. પારિય વારસો :- કાયોત્સર્ગ પાળીને બીજા આવશ્યક રૂપે પ્રગટપણે લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરે. ત્યાર પછી ત્રીજા આવશ્યક રૂપે ઉત્કૃષ્ટ ગુરુ વંદન કરે, જેમાં ઉત્કૃષ્ટ વંદનાના પાઠથી બહાથે આદિ બાર આવર્તન વગેરે સમવાયાંગ સૂત્ર કથિત પચીસ ગુણ યુક્ત ગુરુ વંદન કરે. આ ઉત્કૃષ્ટ ગુરુ વંદનના પાઠમાં ગુરુની આશાતનાઓની ક્ષમાયાચના સાથે પૂર્ણ વિનય ભાવ પ્રગટ કરે છે. આ પ્રકારે ગુરુ વંદન કર્યા પછી ચોથા આવશ્યક રૂપે, કાયોત્સર્ગમાં ચિંતન કરેલા જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિચારોની