Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તત્ત્વ નિભસિયં - યથાર્થ અને જિનેશ્વર ભાષિત. વિભિન્ન દાર્શનિકોએ મોક્ષમાર્ગની પ્રરૂપણા ભિન્ન-ભિન્ન રીતે કરી છે. તે સર્વમાં પ્રસ્તુત પ્રરૂપણા પૂર્ણ સત્ય અને શુદ્ધ છે તેની વિશિષ્ટતા પ્રદર્શિત કરવા સૂત્રકારે તવં અને વિભાલિયું, તે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય કે આ ચતુર્વિધ મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગી જિનેશ્વરોએ બતાવેલો હોવાથી સંપૂર્ણપણે યથાર્થ છે. બાળ સખા :- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તે ચાર મોક્ષમાર્ગના અંગ છે. તેમ છતાં તેમાં જ્ઞાન અને દર્શન એ મુક્તાત્માના મુખ્ય લક્ષણ એટલે ગુણ છે. આ રીતે જ્ઞાનાદિ ચાર મોક્ષના સાધન છે અને જ્ઞાન દર્શનએ બે આત્મ(સિદ્ધાત્માના) ગુણોની ઉપલબ્ધિ એ મોક્ષમાર્ગ છે. સર્વ કર્મના ક્ષય રૂપ મોક્ષ જ્ઞાન-દર્શન સ્વરૂપ જ છે. સંપૂર્ણ શુદ્ધ થયેલા મુક્ત જીવોમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે, કારણ કે તે બંને આત્માના ગુણો છે. ચારિત્ર અને તપ શરીર સાપેક્ષ છે તેથી મુક્ત જીવોમાં ચારિત્ર અને તપ નથી. આ રીતે જ્ઞાન-દર્શનની વિશેષતા સૂચિત કરવા અને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવા સૂત્રકારે સિદ્ધગતિ માટે નાગવંતળનાં વિશેષણનો પ્રયોગ કર્યો છે. સમ્યગુજ્ઞાનાદિનું સ્વરૂપ – નય અને પ્રમાણથી થતો જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ સમ્યગુજ્ઞાન છે. જે ગુણ અથવા શક્તિના વિકાસથી તત્ત્વની પ્રતીતિ થાય, જેમાં હેય, બ્રેય અને ઉપાદેયના યથાર્થ વિવેકની અભિરુચિ હોય તે સમ્યગ્દર્શન છે. સમ્યગુજ્ઞાનપૂર્વક કષાયોથી અને સાવધ યોગોથી નિવૃત્તિ તથા સમભાવોમાં સ્થિતિ તે સમ્યકુચારિત્ર છે. ઇચ્છાઓનો નિરોધ અને કર્મોને ભસ્મીભૂત કરનાર નિર્જરાના બાર અનુષ્ઠાનો તે સમ્યક્ તપ છે. સમ્યગ જ્ઞાન અને તેના પ્રકાર:। तत्थ पंचविहं णाणं, सुयं आभिणिबोहियं ।
ओहिणाणं तु तइयं, मणणाणं च केवलं ॥ શાર્થ-તત્વ તેમાં, મોક્ષમાર્ગમાં વિલં- પાંચ પ્રકારનું Trળવોદિ-અભિનિબોધિક, મતિજ્ઞાન અર્થ = શ્રુતજ્ઞાન તથં ત્રીજું પરિણા= અવધિજ્ઞાન મળણા = મન:પર્યવજ્ઞાન જેવા = કેવળજ્ઞાન ભાવાર્થ-મોક્ષમાર્ગના ઉપરોક્ત ચાર સાધનમાંથી જ્ઞાનના પાંચ પ્રકાર છે– શ્રુતજ્ઞાન, અભિનિબોધિકજ્ઞાન(મતિજ્ઞાન), ત્રીજું અવધિજ્ઞાન તેમજ મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. [,L B પંવિદ ના, ધ્યાન ૨ ગુણાબ ય
पज्जवाणं च सव्वेसिं, णाणं णाणीहिं देसियं ॥ શબ્દાર્થ - ચં = આ ઉપરોક્ત પંવિ૬ = પાંચ પ્રકારનું TM = જ્ઞાન અને રધ્ધાળ = દ્રવ્ય
= ગુણ સવ્વલિ = તેની સમસ્ત પwવાળ = પર્યાયોનું TT = જ્ઞાન નહિં = જ્ઞાની પુરુષો દ્વારા સિવું = ઉપદેશ્ય છે, બતાવ્યું છે. ભાવાર્થ:- આ પાંચ પ્રકારનું જ્ઞાન અને સર્વ દ્રવ્ય, ગુણ અને તેની સમસ્ત પર્યાયોનું જ્ઞાન જ્ઞાની પુરુષો દ્વારા નિરૂપિત છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં જ્ઞાનના પાંચ પ્રકાર અને જ્ઞાનના પ્રયોજનનું કથન છે. જ્ઞાન આત્માનો મુખ્ય