Book Title: Samvatsari Pratikramanni Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Jivanmani Sadvachan Mala Trust
Catalog link: https://jainqq.org/explore/001212/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંઘLETી પ્રતિક્રમUાની | સરળ વિધિ J.ૉક પ્રિ પ્રાર્થે જ૨ા મિ દુર - સંયોજક અને સંપાદ - . પૂજય મુનિ શ્રી યશોવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છી પ્રાતક્રમણ BUT તેની સરળ, સળંગ વિધિ-૪૦ ચિત્રા સાથે વાંચતા જાવ અને પ્રતિક્રમણ થતું જાય એ રીતે સુત્રા વગેરે આપ્યુ. છે. જરૂરી સૂત્રેાની સમજણ પણ આપી છે સપાદક અને સલૂન ફાર :પરમપૂજ્ય મુનિપ્રવર શ્રીમદ્ યશવિજયજી મહારાજ પ્રકાશક : શ્રી જીવન – ણિ સાચનમાળા ટ્રસ્ટ લાલભાઈ મણીલાલ શાહ અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જીથન-મણિ સાચનમાળા ટ્રસ્ટ લાલભાઈ મણીલાલ શાહ નવા વિકાસ ગૃહ આપેરા સેાસાયટી પાસે ફતેહનગર, અમદાવાદ-૭ પ્રાપ્તિસ્થાન : જૈન પ્રકાશન સદિર જશવ તલાલ ગિરધરલાલ શાહ દાશીવાડાની પેાળ અમદાવાદ પુનઃમુદ્રણ વિ. સં. ૨૦૨૯ પાકા ખાઈન્ડીંગ સાથે કિંમત રૂા. ૩–૨૫ મુદ્રકઃ દીલા પ્રીન્ટસ દીપક લાલભાઈની કંપની દરીયાપુર દરવાન બહાર અમદાવાદ-૧૬ Isha 12 159 60 IC TA Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. જીતેન્દ્રકુમાર રતીલાલ જીતેન્દ્રભાઈ બુધાલાલ રહેઠાણ :સહકાર નિકેતન સેાસાયટી, સરદાર સ્ટેડીચમ પાસે, નવરગપુરા, અમદાવાદ્દ રગવાલા મારકીટ, મસ્કતી મારકીટ, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ રે છે તે છે કે તે 8 8 8 8 સ્વજનની યાદમાં મારા એક અતિ નિકટના સ્વજન ! જેવા નિકટના એવા જ અભિન્નહય ! મારા કાર્યોના સદાના સાથી અને મારી ભાવનાઓના સહૃદય જાણકાર. એ સ્વનામ ધન્ય સ્વજન તે શ્રી જિતેન્દ્રકુમાર રતિલાલ શાહ એ હતા તે મારા જમાઈ, પણ અમારા બે વચ્ચે પિતા-પુત્ર જેવા હેત-આદરભર્યો નાતો હતો. એમનું શાણપણ, ગભીરપણું” અને કાર્ય શીલપણું" એવું હતું કે અનેક પ્રસંગોએ એ મારા માટે ઠરેલ મિત્રનું કામ આપતા. મારા પડો બોલ ઝીલવા એ એક આજ્ઞાંકિત પુત્રની જેમ, સદા તૈયાર રહેતા. અને એમની શાણી અને સાચી સલાહના હું હંમેશાં આદર કરતા. નાની ઉંમરથી જ એમની કાર્યશક્તિ અને કાર્ય સૂઝ સારી રીતે ખીલી ઊઠી હતી. લીધેલું કાર્ય ગમે તે ભોગે પૂરું કરવાને એમનો સ્વભાવ હતા. આશરે દોઢ વર્ષ પહેલાં, ફક્ત ૪૩ વર્ષ જેવી નાની ઉંમરે જ, એમને કાળનાં તેડાં આવ્યાં અને જાણે મારી એક શક્તિશાળી બાંય સદાને માટે કપાઈ ગઈ ! મારા ચિત્તમાં આવા, જીવનના જ એક અંગરૂપ બની ગયેલ, સાથીના કાયમી વિયોગથી જાણે સૂનકાર વ્યાપી ગયે. Jar a lon international www.ainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ જ્યારે જ્યારે શ્રી જિતેન્દ્રકુમારનું સ્મરણ થઈ આવે છે ત્યારે ત્યારે ચિત્ત વિચલિત અને ખિન્ન થઈ જાય છે. પણ વંળી પાછી જીવનમા ધર્મોની અપ-સ્વલ્પ સમજણ કેળવી છે, એથી મનમાં ઊગી આવે છે કે, જ્યાં કાળબળ આગળ આપણે લાચાર હાઈએ ત્યાં, સ્વજન-સ્નેહીને માટે શાક કે વિષાદ કરીને મનને આ-રૌદ્ર ધ્યાનથી કલુષિત કરવાને બદલે, એમની યાદમાં કઈક પણ શુભ કાર્ય કરીને એમને આપણી ભાવાંજલિ અર્પણ કરવી ઘટે. કંઈક આવી ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી જિતેન્દ્રકુમારની યાદમાં સંવત્સરી પ્રતિક્રમણનું આ વિધિસહિત, સચિત્ર અને સુંદર પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રગટ કરવાથી મારા ચિત્તનું ચેાડુક સમાધાન થશે એ એક લાભ છે; અને ખરા લાભ તા સંવત્સરી પ્રતિક્રમણ કરવા ઈચ્છનારાં ભાવિક ભાઈઓ-બહેનેાની અનુકૂળતા સચવાશે . એ છે. ધર્મકરણીમાં ખીજાને થાડુ'ક પણુ સહાયભૂત થવું એવી દષ્ટીથી આ પ્રકાશન કર્યું છે. પ્રતિક્રમણ કરવાની જરૂર સમજાવતાં આપણા “વંદિત્તુસૂત્ર” માં કહેવામાં આવ્યું છે કે-ન કરવા જેવાં કામેા કરીએ, કરવા જેવાં કામેા ન કરીએ, ભગવાનની ધ વાણીમાં અશ્રદ્ધા કરીએ અને ખાટી–અધમ પાષક વાતાને પ્રચાર કરીએ તેા આત્માને દાષ લાગે છે; અને એ દાષી મુક્ત થવા માટે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. આટલા માટે જ જૈન ધર્મની ધર્મક્રિયાઓમાં જીવનશુદ્ધિના પ્રેરક પ્રતિક્રમણને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, અને તેથી જ પ્રતિક્રમણત્રાનાં પુસ્તકા જૈન સઘની રાજની જરૂરિયાતરૂપ બની ગયાં છે. અને દર વર્ષે એની હજારા નકલા વેચાય છે તેમ જ વહેચાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી પ્રતિક્રમણની આ આવૃત્તિ બીજી આવૃત્તિઓ કરતાં બે રીતે જુદી પડે છે : એક તો એમાં પ્રતિક્રમણની વિધિના ક્રમ પ્રમાણે સૂત્રો આપવામાં આવ્યાં છે; અને બીજુ, પ્રતિક્રમણ વખતે કરવી પડતી જુદી જુદી મુદ્રાઓનાં સુંદર ચિત્રો આપવામાં આવેલ છે. વિધિ પ્રમાણે સૂત્રેા તો બીજી આવૃત્તિઓમાં પણ મળે છે, પણ જુદી જુદી મુદ્રાઓનાં ચિત્રો એ આ આવૃત્તિની અનોખી વિશેષતા છે. અને એને યશ પૂજ્ય મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજની કલારુચિ અને ચિત્રકલા અંગેની સૂઝને ઘટે છે. આ પુરત, વડોદરાની શ્રી મુક્તિ—કમળ-જૈન-મેહનમાળા તરફથી પ્રગટ થયું છે. તેને શ્રી જિતેન્દ્રકુમારની સ્મૃતિમાં અમારા ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ હું પૂજ્ય મુનિરાજશ્રી યશે વિજયજી મહારાજના તથા શ્રી મુક્તિ-કમળ-જૈનમાહનમાળાના સંચાલકોને હાર્દિક આભાર માનું છું. લાલભાઈ મ. શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ નવકાર ગણવા માટે નવકાર મંત્રનો પાઠ નમો અરિહંતાણ, ના સિદ્ધાણું, નમો આયરિયાણુ, નમો ઉવઝાયાણ, ના લોએ સવ્વસાહૂણ. એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણાસણા, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ, ૧૦, ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦, ૧૦૦, ૧૧૦, ૧૨૦, ૧૩૦, ૧૪૭, ૧૫૦, ૧૬૦ = ૧૬૧ ઉપરના અક સંખ્યાની ધારણા માટે આપ્યા છે. For Private Personal use Page #10 -------------------------------------------------------------------------- ________________ સંપચ્છરી પ્રતિક્રમણ , આ પુસ્તકની જન્મકથા અને કંઈક થયિતવ્ય છેલ્લા બાર વર્ષથી દરવર્ષે ચોમાસું બેસે અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિની પ્રેસકોપી મુદ્રણગ્ય બનાવવાની ઈચ્છા વેગ પકડે પણ વિશેષ પુરુષાર્થ થાય નહીં અને સંવત્સરી વીતી જાય અને હવે આવતા વર્ષે ઝડપથી તૈયાર કરી લેશું એમ મને મન નક્કી કરું. પણ મારી શિથિલતાના કારણે વર્ષોનાં વર્ષો વીતી ગયાં. કોઈ કાઈ આત્માઓ આ માટે પ્રેરણા કરતાં, છતાં કાંઈ ફળ ન આવ્યું. વિ. સં. ૨૦૦૭માં પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનો પ્રસંગ બન્યો ત્યારે (૨૨ વર્ષ ઉપર) ભીડી બજારને નાકે આવેલા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં પર્યુષણાપર્વની આરાધના કરવા માટે મને આજ્ઞા થઈ, હું મુનિવરશ્રી જયાનંદવિજયજી સાથે આરાધના કરવા ગયો. પર્યુષણમાં ચૌદસનું પાખી પ્રતિક્રમણ હતું, ઉપાશ્રય ચિક્કાર હતો. સામાયિક લઈ લીધા બાદ પ્રતિક્રમણ એટલે શું? એ કેવી રીતે કરવું જોઈએ, વિધિ અને ભાવની શુદ્ધિ કેવી જાળવવી જોઈએ અને શાંતિ અને શિસ્તને કેવું માન આપવું જોઈએ ? એ ઉપર બે શબ્દો કહ્યા, મુંબઈવાસીઓને થયું કે “પ્રતિક્રમણની બાબતમાં આ રીતે આજ સુધી કેઈએ અમને હિતશિક્ષા આપી નથી. ક્યારેય અમને પોતાના ગણુને અમારા ઉપર ભાવયા કરી પાંખમાં લીધા નથી. મેં જોયું કે મારી વાત એમને ગમી છે. એટલે મેં કહ્યું કે આજનું પ્રતિક્રમણ બે કલાક ચાલે તેટલું છે. જે તમો અડધે કલાકનો સમય વધુ આપવા તૈયાર હે તો હું તમને પ્રતિક્રમણના સૂત્રોને અતિ ટૂંક ભાવ સૂત્રો શરૂ Page #11 -------------------------------------------------------------------------- ________________ mo P વિધિ સહિત થતાં પહેલાં કહું, જેથી તમને થાડા સંતાષ અને આનંદ આવશે. પણ અમુક હા પાડે તે અમુકને ના ગમે તેમ હાય તા તમારે વધુ સમય લેવાની મારી ઈચ્છા નથી. સહુને વિશ્વાસમાં લેવા મેં આમ કહ્યુ', એટલે ચારે બાજુએથી અમારી હા છે, અમારી હા છે' એમ પ્રત્યુત્તર મળ્યા. નાના મેાટા સહુએ રાજીખુશીથી કર્યુ. એટલે મને ખળ મળ્યું. અને પછી મેં છ આવશ્યક શું? તે કહીને પ્રથમ આવશ્યક સામાયિક' કર્યું, ત્યાંથી સમજણુ આપવાનું શરૂ કર્યુ. અને પ્રતિક્રમણનાં તમામ સૂત્રેા અને મુદ્રાઓના પરિચય આપ્યા. અન્તમાં ‘સ‘તિકર’ પુરું થયુ. ત્યારે ખાસા ત્રણ કલાક થવા પામ્યા પણ મારે કહેવું જોઈએ કે કોઈએ કશી ગરબડ કરી નહીં. અવાજ ક નહી”, કાઈએ અરૂચી દાખવી નહી. પ્રતિક્રમણુ પૂરું થતાં સહુએ કહ્યું કે જીંદગીમાં પ્રતિક્રમણ શુ છે તે આજે જ જાણવા મળ્યું, ખરેખર આજે અપૂર્વ આનંદ થયા. અમને -એમ થતું કે મુનિરાજ અમને મુહપત્તી કપડાને ઉઘાડ-બંધ કેમ કરાવે છે? વાંદણા વખતે કપાળ ક્રમ કુટાવે છે! અને તમેા ખેાલે જાવ અને જ્યારે અમે કશું જ સમજીએ નહિ ત્યારે સાવ વેડીયાવેટ કરી લાગે, કટાળેા આવે, પછી ઉંધીએ, વાતા કરીએ કે એક બીજાના મેઢાં જોતા ખેસી રહીએ. અને જેલની સજાની જેમ સમય પૂરા કરીએ. . આપે જે પ્રથા શરૂ કરી તે બધા મુનિરાજો અપનાવે તા અમારા જેવા અજ્ઞાન વાતે આનદ મળે તે ભાવ જાગે. તે જ વખતે લેાકાએ માગણી કરી કે સ`વશ્કરીએ પણ આ જ રીતે સમજ આપશે!” મેં કહ્યું કે સહુને મત થશે તેા મતે વાંધા જ નથી. આ વાતની અગાઉથી લેાકેાને જાણ થઈ ગઈ હતી. ચૌદશના પ્રતિક્રમણની હવા પણ લેાકાએ ખૂબ ફેલાવી હતી. એટલે સવશ્કરીએ માણસેાના કદી ન થયેા હાય તેવા ધસારા થયા. સાંકડે માંકડે પણ સહુ બેઠા અને મે તે દિવસે સવછરી પ્રતિક્રમણની આરાધનાની Page #12 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરી પ્રતિક્રમણ gk< ; મહત્તા કહેવા સાથે ચૌદશની જેમ સમજાવ્યું. જનતાએ ખૂબખૂબ રસપૂર્વક સાંભળ્યું અને પ્રતિક્રમણ ઉઠયા પછી જનતાના આનંદાલ્લાસની સીમા ન હતી. ખાસા ચારેક કલ્લાકે ક્રિયા પૂરી થઈ. આ પદ્ધતિ દાખલ કર્યા પછી પ્રાર`ભમાં તા આ પદ્ધતિ અમારા સધાડાના સાધુઓએ અપનાવી લીધી અને ધીમે ધીમે અન્ય સઘાડાના સાધુઓએ પણ સારા પ્રમાણમાં અપનાવી છે. હું જોઉં હું કે આથી જનતાના ભાવાલ્લાસ ખૂબ જ વધે છે. અને કંઈક સમજીને કર્યાના આનંદ મેળવે છે. આટલી પૌરાણિક ઘટના કહીને મૂલ વાત પર આવું. હવે બધે સ્થળે સાધુ મહારાજ પ્રતિક્રમણ કરાવે એ શકય નથી હેતુ એટલે મને એમ થયું કે હુ· પ્રતિક્રમણમાં જે કહું છું તે વાત ચેડી વિસ્તારીને તેને સંવરીવિધિના પુસ્તક રૂપે જો છપાવવામાં આવે તા શહેરા માટે ખરેખર આશીર્વાદ રૂપ થઈ પડે. આ વિચારમાંથી આ પુસ્તકનું સર્જન થયું અને તેનું પ્રકાશન થયું. આ પુસ્તક જનતાને કેવું ગમ્યું તે વિગતા પ્રકાશકીય નિવેદનમાં જણાવી છે. એટલે મારે તે અંગે કશે નિર્દેશ કરવાની આવશ્યકતા નથી. આ ખીજી આવૃત્તિમાં આપેલાં ચિત્રો ૧૨/૧૬ ની સાઈઝમાં ગાડીજી વિજય દેવસૂર જૈન સંધ તરફથી ચીતરાવવામાં આવ્યા છે. જેનુ પ્રદર્શીન મુંબઈ ગાડીજી ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું હતું. આ એક અભૂતપૂર્વ પ્રદર્શીનના લાભ હજારામાણુસાએ લીધા અને સહુને તે ઘણુ જ ગમ્યું હતું. પછી આ ચિત્રોનુ પ્રદર્શન ધર્મસ્નેહી ભાઈ. શ્રી મુક્તિલાલ વીરવાડીઆ હસ્તક રાધનપુરમાં યોજાયું, પછી ભાભર યેાજાયુ અને તે જનતાને સાચી સમજ-ખાધ જ્ઞાન આપી ગયું. Page #13 -------------------------------------------------------------------------- ________________ WISDPEDES • વિધિ * * * 1 ) - આ વખતનાં ચિત્ર પ્રદર્શન માટે બનાવેલાં મોટા વિ ઉપરથી બનેલા બ્લેકનાં આપ્યા છે જેથી જુના ચિત્રોથી આ જુદા - છે તેમ લાગશે જ અને આ વખતે તેને કલરમાં છપાવ્યા છે. એથી વધુ આકર્ષક લાગશે. - ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની સત્ક અને પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને શિષ્ય-પ્રશિષ્ય તથા આત્મસ્નેહી જનો, દીલ પ્રીટર્સવાળા શ્રી લાલભાઈ વગેરેના સહકારથી નાનકડું પણ આ પ્રકાશન બધી રીતે સુંદર થવા પામ્યું તે માટે પ્રસન્નતા અનુભવું છું અને ધર્મસ્નેહી શ્રી લાલભાઈને ધન્યવાદ આપું છું. સહુ કોઈ આ પુસ્તિકાનો લાભ ઉઠાવે એ જ મંગલ કામના ! તા. ૧૫-૭-૭૩ " ૪૧, રીજરેડ, વાલકેશ્વર, મુંબઈ મુનિ યશવિજય Page #14 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ ક ક્કી છે - II પ્રતિક્રમણ એટલે શું અને તેની સમજ स्वस्थानात्परस्थानं प्रमादस्यवशाद् गत: । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ અર્થ–આત્મા પ્રમાદનાવશથી પિતાના (ક્ષમાદિરૂપ) સ્થાનમાંથી (કષાયાદિ ભાવ રૂ૫) પરસ્થાનમાં ગયે હોય, તો તેવા આત્માને પાછો પોતાના સ્થાનમાં (ક્ષમાદિ ભાવમાં) લાવ તેનું નામ “પ્રતિક્રમણ છે. ત =એટલે પાછું, મળ =એટલે હઠવું. એને સ્થૂલ અર્થ એ છે કે પાપથી પાછા હઠવાની ક્રિયા તેનું નામ પ્રતિકમણ, આ અર્થ પ્રતિ ક્રમણ શબ્દને થશે. હવે પાછા હઠવું કહ્યું તે શેનાથી પાછા હઠવું? તેને જવાબ ઉપર લેક આપે છે, તેને આપણે સ્પષ્ટતાથી સમજીએ. જીરાન-એટલે આત્મા પિતાના સમ્યગૂ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને અપ્રમાદિ આત્મિક ભાવમાં ત્રિવિધ રીતે ત્રિકરણ ભાવે રમણકરે, શુભયોગમાં રહે. સ્વ-ભાવ દશામાં રહે છે. આ આત્માનું સ્વસ્થાન કહેવાય. પરથાન–સ્વસ્થાનમાં જણાવેલી બાબતોથી પ્રતિપક્ષી ગણતા ભાવોમાં અથવા પરભાવ દશામાં અર્થાત વિરાધક ભાવમાં રમણ કરવું તે. આરંભ-સમારંભ અને પાપની સંસારીક પ્રવૃત્તિઓમાં ત્રિવિધ રોગને જોડવા, અશુભાગમાં રહેવું એ બધી પરભાવ દશા છે. જ છે. - ભગવાન શ્રી મહાવીરના સાધુઓ વક્ર અને જડ સ્વભાવના હેવાથી તેમને અતિચાર- પૂરો સંભવ હોવાથી પ્રતિક્રમણ ધર્મ હોય છે. એટલે એમને પાપ દેષોની આલોચના-પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૧. આ શબ્દનાં પડિકમણું, પડકમણું એવાં અપભ્રષ્ટ નામાન્ત રેપણુ પણ થયાં છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ }ZGUZZEN • વિધિ સંત હંમેશાં અને નિયત કાલે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. આવાં પ્રતિક્રમણા વર્ષ દરમિયાન પાંચ પ્રકારે કરવાનાં ઢાય છે. ૧. જૈવસિક, ૨. રાત્રિક, ૩. પાક્ષિક, ૪. થાતુર્માસિક અને પ. સવકિ, એમાં અહીં સવાર પ્રતિક્રમણના વિધિ આપવામાં આવ્યે છે. બાર બાર મહિના દરમિયાન આત્મા પ્રમાદ એટલે વિરાધકભાવને વશવતી થતાં સ્વભાવ દશાની આરાધક ભાવની પ્રવૃત્તિ છેડીને પરભાવદશાના પંથે દૂર સુદૂર સુધી ચાલી ગયા હેાય છે. દૂરસુદૂર ગએલા તે આત્માને, જેમાં દેવ, ગુરુ, અને શ્રુતજ્ઞાનની ઉપાસના મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેવી, હિંસા, અસત્ય આદિ અનેકવિધ પાપા-દાષાનું શમન કરનારી અને ક્ષમા માગવા દ્વારા આત્માના ક્રેાધાદિ કષાયાનું ઉપશમન કરનારી અને વિષયને વાસનાઓની પ્રશાન્ત કરનારી, આત્માને પુષ્ટ કરનારી એવી (પ્રતિક્રમણની) ક્રિયા દ્વારા પાછા તેના મૂલ સ્થાનમાં લાવવા તેને ‘પ્રતિક્રમણ' કહે છે. આ ક્રિયાને અન્તે કષાય અને વાસનાના ભારથી ભારે એવું મન હળવાશ અનુભવે, મન શાન્ત-પ્રશાન્ત થાય, ચિત્ત અંતર્મુખ બને, સર્વ જ્યેા પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટે તેા સમજવું કે પ્રસ્તુત ક્રિયા રૂડી રીતે થઈ છે અને તેનું શ્રેષ્ઠ ફળ મળ્યું છે. વળી આનું ખીજું નામ આવશ્યક’ છે. એટલે કે અવસ્ય ચાક્કસ કરવા જેવી બાબત અને તે રાજેરાજ. આના તાત્પર્યા એ કે આ ક્રિયા જૈન માત્રે રાજે રાજ કરવી જોઇએ. રાજેરાજ બંધાતા પાપાનું રાજેરાજ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને આધ્યાત્મિક ગુણ્ણાના ઉત્તરાત્તર વિકાસ સાધવા જોઇએ, જેથી આ જન્મના સુસ`સ્કારાના સરવાળા વધતા વધતા કાઇ જન્મને અતે સઢેલ કર્મના ક્ષય કરાવી મુક્તિ સ્થાને પહેાંચાડે. [4] Page #16 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરીપ્રતિક્રમણ NEZ શોપ ક્રિયાની આવશ્યકતા જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે પૈડાં છે. એમાંથી એક પણ પૈડુ' નબળું હાય તા આત્મારૂપી રથ મુક્તિના પંથે સરખી ગતિ કરી ન શકે, માટે જ આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એથી જ ‘જ્ઞાનથી જાણેા અને ક્રિયાથી આદરે’ આ ઉક્તિ પ્રસિદ્ધિમાં આવી છે. વળી અપેક્ષાએ જ્ઞાન ભલે સ્વલ્પ હશે તા તે ચાલશે પણ ક્રિયાવાદના અમલ બરાબર નહિ હાય તા તે નહીં ચાલે. જ્ઞાન તા ખીજાનું પણ આપણને (ક્રિયા વગેરેમાં) કામ લાગશે પણ ક્રિયા ખીજાની કરેલી ખીજાને ઉપયાગી કદિ થતી નથી. ક્રિયા તા પેાતાની જ પેાતાને ફળ આપે છે. સહુની જાણીતી વાત છે કે કાઈ પણ વિદ્યાકલા વગેરેના જાણુપણાનું ફળ પેાતાના જાણુપણાને અનુકૂલ પ્રવૃત્તિ કરવામાં રહેલું છે. આ એક જગજાહેર નિર્વિવાદ સત્ય છે. કાઈ પણ બાબતનું જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાનને વાગાળ્યા કરવાથી, તે જ્ઞાનની ડાહી ડાહી વાતા કરવાથી કે તેના મનેરથા કરવા માત્રથી માનવી કરશે જ લાભ મેળવી શકતા નથી. એ સહુ કાઈનું અનુભવ સિદ્ધ, કાઈ પણ દલીલથી ઈન્કાર ન કરી શકાય તેવું આ સત્ય છે. આપણું આ શરીર પણ એ સત્યને ટેંકા આપે છે અને કહે છે કે આંખથી જુએ અને પછી પગથી ચાલેા તા ધૃષ્ટ સ્થાને પહેાંચશે. આંખ નાનના સ્થાને છે અને પગ ક્રિયાના સ્થાને છે. અરે! તરવાની ક્રિયાના શ્રેષ્ઠ જાણકાર તરવૈયા પણ પાણીમાં પડયા પછી તરવા માટે હાથ પગ ચલાવાની ક્રિયા જો ન કરે તે તે પાણીમાં ડૂખી જાય. આ દૃષ્ટાંત સૂચિત કરે છે કે એકલું જાણપણું કાફી નથી અર્થાત્ તેથી પૂરી સફળતા મળતી નથી. અરે! શાસ્ત્રમાં તેા સાપેક્ષ દ્રષ્ટિએ એમ પણ કહ્યુ છે કે કદાચ સૂત્ર-ક્રિયાના અથ ન જાણુતા હાય પણ મહામત્રાક્ષર જેવા મહર્ષિઓપરમષિએ પ્રણીત એવા સૂત્રાનું શ્રદ્ધા રાખીને ભાવપૂર્વક શ્રવણુ કરે Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૬ છDDUSTEEDES •વિધિ સહિત) તોય તેનું પાપ-કર્મ રૂપી ઝેર ઉતરી જાય છે. અને એમાં તેઓ એક દ્રષ્ટાંત પણ ટાંકે છે કે–જેને સર્પનું ઝેર ચઢયું હોય તે જીવ બેશુદ્ધ બને છે. તેની આગળ કઈ વિષ ઉતારનારો ગાડી, ગારડી મંત્રથી ઓળખાતા મંત્રને મનમાંજ જપતા હોય ત્યારે પેલે બેભાની આત્મા કશું સાંભળતા નથી અને કદાચ ગારૂડી મુખથી ઉચ્ચારીને બોલે તોય તે સાંભળવાનું નથી, એમ છતાં તેનું ઝેર પેલા મંત્રના પ્રભાવે ઉતરી જાય છે. અને તે નિર્વિષ બની જાય છે. એ જ પ્રભાવ આ સૂત્રમંત્રને છે. ટૂંકમાં જણાવવાનું એ કે આ ક્રિયા કરવા લાયક છે. અર્થની સાચી સમજ મેળવીને થાય તો સર્વોત્તમ છે કદાચ તેવી સમજ મેળવી ન હોય તો શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ મુજબ થાય તો પણ કર્મને બોજ હળવો કરવા, મનને નિર્મળ બનાવવા આ ક્રિયા કરવી જરૂરી છે. અસ્તુ ! પણ આવી ઉત્તમ ક્રિયાઓ ઉત્તમ ફળ ક્યારે આપે ? તો દરેક ક્રિયા વિધિની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ આ બંનેની શુદ્ધિ જાળવીને થાય તો. વિધિની શુદ્ધિ એટલે કટાસણું, ચરવળ, મુહપત્તી આદિ ઉપકરણ-સાધને રવચ્છ, અખંડસારાં વાપરવાં, શુદ્ધસૂત્રોચ્ચાર, તેમજ કાયાથી થતી મુદ્રા, આસને વગેરે જે રીતે કરવાનું હોય તે રીતે કરવાં તે. આ વિધિ કે બાહ્ય શુદ્ધિ કહેવાય છે અને ઉપયોગ લયેની જાગૃતિ પૂર્વક, મનને સૂત્રાર્થાદિકના ભાવ ઉપર ત્રિકરણાગે સાવધાન રહેવું તેને ભાવશુદ્ધિ કે આત્યંતરશુદ્ધિ કહેવાય છે. આ રીતે ક્રિયા કરવાની છે. ગ્રામોફોનની રેકર્ડની જેમ સાંભળવાથી કે પોપટ પંખીની જેમ બોલી જવાથી વિશેષ લાભ થતો નથી. એટલે આ ક્રિયામાં તલ્લીન બની પરમશાંતિ જાળવી વાતચિત કર્યા વિના, આડુંઅવળું જોયા વિના, કાયાને વારંવાર હલાવ્યા વિના, મડદાલ જેવા નહિં પણ સ્વસ્થ રહીને, ટટ્ટાર બની બે હાથ જોડી સાંભળો અને પ્રમાદ છેડીને ચરવળો રાખી મુખ્ય વિધિએ ઊભા ઊભા જ કરે. સંવછરીના દિવસે Page #18 -------------------------------------------------------------------------- ________________ . . . . . . -સંવછરીપ્રતિકમણ પીકે) વિશાળ સમુદાયમાં સભાની શાંતિ જાળવવા તે શકય ન હોય તો ફક્ત મુખ્ય મુખ્ય વિધિ (ગુરુ આદેશ મેળવીને) ઊભા બભા કરો. એકંદરે પ્રતિક્રમણના પ્રકાર જો કે પાંચ છે પણ અહીંયા પાંચમાં છેલ્લા સંવછરી પ્રતિક્રમણ અંગે કંઈક કહેવાનું છે. મૂલ વાત : ભારતના મહાતિમહાનગર મુંબઈમાં સેંકડો સ્થળે સંવછરી પ્રતિ ક્રમણની આરાધના થાય છે. સમાજને પંદરેક આની વર્ગ વરસમાં આ એક જ પ્રતિક્રમણ કરતો હશે એવું મારું અનુમાન અતિશયોક્તિ દોષ રહિત હશે એમ કહું તો ખોટું નહિ હોય. કાઈ પણ આત્મા બાર મહિનામાં માત્ર એક જ દિવસ અને તેમાંય માત્ર ત્રણ કલાકની, પાપથી પાછા હઠવાની, પાપનું પ્રાયશ્ચિત કરનારી એવી મહાન અને પવિત્ર ક્રિયા કરે અને સાથે સાથે વિધિની અને ભાવની વિશુદ્ધિ બરાબર જાળવે તો ક્રિયા કરવા પાછળનું–બાર મહિનાના પાપ-દેષોની આલોચનાને-જે ઉદ્દેશ તે જરૂર સફળ કરી શકે, ક્રિયા કરીને જે લાભ મેળવો છે તે મેળવી શકે. - આ ત્યારે શકય બને કે જ્યારે સૂત્ર અર્થનું બરાબર જ્ઞાન હોય પણ આ જ્ઞાન (અને તે પાછું આ શહેરમાં) મેળવવું એ તો તમને ભારે અશક્ય જેવું લાગે, એટલે આરાધકે યથાશક્તિ સાચી સમજણ પૂર્વક ક્રિયા કરી શકે, આત્મા બાર મહિનાનાં પાપના ભારથી હળવો થાય, ક્ષમાયાચના દ્વારા કષાયોનું ઉપશમન થતાં આત્મા સમતાભાવ વાળા બને, અખિલવિશ્વના જીવ માત્ર પ્રત્યે મૈત્રીનું સગપણ બાંધી શકે અને પરિણામે પુરાણાં કર્મોની નિર્જરા અને નવા કર્મોને સંવર-અટકાવ થાય, આ કારણે જરૂરી સૂની ટૂંકી સમજણ આપી શકે તેવી સંવર૭રી પ્રતિકમણની સળંગ વિધિની સચિત્ર પુસ્તિકાની જરૂરીયાત આજથી Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૮શું નવિધિ સહિત બાર વર્ષ ઉપર મને જણાઈ હતી અને તે વખતે આ વિધિ છાપવાની તૈયારી પણ કરી હતી, પણ એક યા બીજા કારણે તે બન્યું નહિ. આજે તે મુદ્રિત થઈને બહાર પડી રહી છે ત્યારે તેને આનંદ અને સંતોષ થાય તે સ્વાભાવિક છે. જોકે સળંગ અને સરળ પ્રતિક્રમણવિધિની બુકે બીજી સંસ્થાઓ તરફથી પણ પ્રગટ છે. એમ છતાં આમાં સંખ્યાબંધ ચિત્રોની ઉપસ્થિતિ વગેરેથી આ પુસ્તિકા અનેરી ભાત પાડશે એમ માનું છું. આમાં કેટલીક નીચે મુજબની નવીનતાઓ છે. ૧. મહત્વના સૂત્રોને જરૂરી ભાવાર્થ અને તેની વિશેષ સમજ તે તે સૂત્રો વગેરેની પહેલાં જ આપી છે. ૨. તે તે સ્થળે તે તે ક્રિયા કેવા આસને કે મુદ્રાથી કરવી તે માટેનાં ચિત્રો આપ્યાં છે. ૩. મુહપત્તીનાં પચાસ બેલનાં (ચિ. ૧૦થી ૨૨) ચિત્રો આપ્યાં છે. સમાજને ચૌદ પંદર આની વર્ગ પજુસણમાં, અને પંદરઆનીથી વધુ વર્ગ સંવછરીના દિવસે પ્રતિક્રમણ કરવા આવતો હોય છે. સમાજને એકાદ આની વર્ગ વ્યાખ્યાન શ્રવણ કરતો હશે બહુ બહુ તો ચાર આની વર્ગ પ્રતિકમણના સૂત્રોને જાણતા હશે. એમાંય અર્થનું જાણપણું એકાદ આની વર્ગને હશે. એ એક આનીની પણ જે પુરુષ–સ્ત્રી વચ્ચે વહેંચણી કરીએ તો બે ભાગમાં સ્ત્રીઓ અને એક ભાગમાં પુરુષો આવે. આ પરિસ્થિતિમાં પ્રતિક્રમણના સૂત્ર અને તેના અર્થજ્ઞાનની સ્થિતિ શું હોઈ શકે છે, એમાંય વળી પ્રતિક્રમણના સૂત્રોની મુદ્રાઓ કે આસનેનું જાણપણું કેટલું હશે? તે સમજી શકાય તેવું છે. બતાવેલાં આસને-મુકાઓ અપ્રમત્તભાવ ટકાવી રાખવા, વિને દૂર કરવા શારીરિક સ્વાથ્ય જાળવવા માટે છે અને એનું એજ ફળ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ - -- સંવછરી પ્રતિક્રમણ . ડી વાર - આજે સમય એવો પ્રવર્તી રહ્યો છે કે લેકની અનેક કારણોસર ધર્મક્રિયાઓ પ્રત્યેની શ્રદ્ધા, રૂચિ નબળી પડી છે. વળી ઉપાશ્રયમાં આવનારા, રોજ વ્યાખ્યાન સાંભળનારા વર્ગની પણ તે તરફથી ઉપેક્ષા વધી છે. આજે મોટે ભાગે સંસારિક ગડમથલમાં ગળાબૂડ ડુબી ગયો છે. આ સંજોગોમાં સૂત્રો શીખવાને ભાવ કયાંથી જાગે? ભાવ જાગે તો સમય ક્યાંથી કાઢે, અરે! મૂલ શીખવાનું ન બને તે પણ સૂત્રોને અર્થ લક્ષ પૂર્વક વંચાય તો ય તેની શ્રદ્ધા રૂચિમાં વધારે થાય, પ્રવૃત્તિ તરફ પગલાં માંડવાનું મન થાય. સમજણપૂર્વક ક્રિયા થાય તો એથી એને આનંદ અનેરે આવે. ક્રિયાના શ્રેષ્ઠ લાભ મેળવી શકે, એથી આધ્યાત્મિક ચેતના વધુ ને વધુ સતેજ થતી જાય. હવે એ તો બને ત્યારે ખરું! પણ અમોએ અહીંઆ અમુક સૂત્રેાને જે ટૂંક પરિચય સૂત્રની આગળ આપે છે તે સહુએ અગાઉથી વાંચી લે જ જોઈએ અને પછી જ પ્રતિક્રમણ કરવું. ચિત્રો જે આપ્યાં છે તે સમજાય તેવાં છે. વાંદણના ચિત્રો અને મુહપત્તીના પચાસ બાલનાં ચિત્રો બહુ ઉપયોગી થાય તેવાં છે. તે સિવાય બીજા કેટલાંક ઉપગી ચિત્રો છે જે પહેલ વહેલાં જ પ્રકાશિત થાય છે. શ્રા. સુદિ અષ્ટમી વિ. સં. ૨૦૨૦ ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ. –મુનિયવિજય k : ને ક '''' .K, : - '' '' , ' . ડ ', : ' ' , ન બંને ને - - - - - ?' - - - ' - • Page #21 -------------------------------------------------------------------------- ________________ G૨૦ IM) GDA DEAD) •વિધિ સહિત પ્રતિકમણુમાં અનિવાર્ય ઉપયોગી સાધનો અને સૂચનો [સૂચના–પ્રતિક્રમણમાં વાપરવામાં જરૂરી વચ્ચે તથા જરૂરી ધર્મ સાધનની વ્યવસ્થા પર્વનું આગમન થતાં પહેલાં જ કરી લેવી જોઈએ, ચિત્તની પ્રસન્નતા અને ભાવોલ્લાસમાં, સાધનની શુદ્ધિ પણ એક કારણ છે, માટે સાધન-ઉપકરણે ગંદા, મેલાં ન હોવાં જોઈએ. કટાસણું, મુહપત્તી, ચરવલો વગેરે યથાશક્તિ સારાં, અખંડ અને સ્વચ્છ હોવાં જોઈએ.] ધર્મ ભાવનાની વૃદ્ધિ કરે તેવાં સાધનને ઉપકરણ કહેવાય છે. આ ઉપકરણ ધર્મભાવનાના પ્રતીકરૂપ ગણાય છે. સંવછરી પ્રતિક્રમણમાં શ્રાવકને ચાર પ્રકારનાં ઉપકરણની અનિવાર્ય જરૂર પડે છે. ૧. સ્થાપનાજી કે સ્થાપનાચાર્યજી, કટાસણું, મુહપત્તી, અને ચરવલે, આ ચાર વસ્તુઓની પ્રતિક્રમણમાં અવશ્ય જરૂર પડે છે. પુરુષોને ચરવલે ગેલિદાંડીવાળા વાપરવાને અને સ્ત્રીઓ માટે ચેરસ દાંડીને વાપરવાને છે. –સ્થાપના-નવકાર પંચેન્દ્રિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તે જૈન ધર્મને લગતા સુત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડ મૂકીને કરવી, તેમ ન બને તો ઉંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી. –-કટાસણુ-કાંણા (વેન્ટીલેશન) વિનાનું, ફાટેલું ન હોય તેવું, સુતરાઉ નહીં પણ ઉનનું હોવું જોઈએ અને સારી રીતે બેસી શકાય તેવા માપનું રાખવું. Page #22 -------------------------------------------------------------------------- ________________ •સંવચ્છરી પ્રતિક્રમણ લgp mpલ ૨૧ –મુહપતી સામાન્ય રીતે એક વેંત અને ચાર આંગળાની રાખવાની છે. અથવા મુખ આડે રાખી શકાય તેવી ઉચિત માપની રાખવી, મુહપતી સુતરાઉ કાપડની હોવી જોઈએ. મુહપતી મેલી, ગંદી ન હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ. આથી ચેરસ કે લંબચોરસ ચાલી શકે છે. –ચરલે એ સાધુ મહારાજના આઘાની જ નાની આવૃત્તિ છે. આનું બીજું નામ રજોહરણ છે. આચરવલે ઉનની દશીને હોવો જોઈએ ચરવલે સામાન્ય રીતે ૩૨ અંગુલને હોવો જોઈએ. એમાં ૮ આંગળ દશીને ગુર છે અને ૨૪ અંગુલની દાંડી એ રીતે ૩૨ અંગુલ સમજવા. આને ઉપયોગ શા માટે અને કેમ કરે ? (૧) ગુરુદેવની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યજીને જ ગુરુ તુલ્ય કલ્પી ક્રિયાના આદેશ કે જે જે આજ્ઞાઓ લેવાની છે તે તેની પાસેથી જ લેવામાં આવે છે. સ્થાપનાની ચોપડી ફાટેલી, બગડેલી ન હોવી જોઈએ. ગુરુદેવની હાજરીમાં ક્યિા કરવાની હોય તો શ્રાવકેને આ સ્થાપના કરવાની હોતી નથી. બાજોઠ, સાપડે એ સ્વરછ અને અખંડ હોવા જોઈએ. બહુમાનપૂર્વક એને ઉપગ કરવો. (૨) સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે માટે કામળ ઉનનું કટાસણું રાખવું જરૂરી છે. પોતે ધર્મારાધન માટે વ્રતમાં બેઠો છે એ ખ્યાલ મન ઉપર ટકી રહે અને શારિરીક આદિ સ્વરછતા જળવાય એ માટે કટાસણું જરૂરી છે. (૩) મુહપત્તી ઉડતા સૂક્ષ્મ સૂત્ર બોલતા હોય ત્યારે કે બગાસું ખાતા હોય ત્યારે મુખમાં ચાલ્યા ન જાય અને સૂક્ષ્મ જીવોની રક્ષા થાય એ માટે, તેમજ રજ–ધૂળની પ્રમાજના કરી શકાય એ માટે રાખવાની છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ વિધિ સહિત આ મુહપત્તીનું પચાસ બોલ બોલવા પૂર્વક પડિલેહણ થાય તો મુહપત્તીને ઉદ્દેશ યથાર્થ રીતે જળવાય. આ માટે મુહપત્તીનાં ચિત્રો અને બોલ પણ આપ્યાં છે તે બધું જાણું લેવું અને શીખી લેવું. ખરી રીતે તો જાણકાર પાસેથી મુહપત્તિીનું પડિલેહણ શીખી લેવું જોઈએ. (૪) ચાવલાનો ઉપયોગ કટાસણું પાથરતા પહેલાં ભૂમિની પ્રમાજના માટે તેમજ ક્રિયામાં ઊભા થતાં કે બેસતાં શરીર ઉપર આવી પડતા સંપાતિમ સમજીવોની જીવદયા પાળવા સારૂં ધીમેથી શરીરની પ્રમાજના કરવા માટે છે. આ ચરવા વિના ક્રિયામાં ઊભા થવાતું નથી. સામાયિક લીધા પછી થાપા ઉંચા કરી શકાતા નથી. ચરવલો લીધા વિના માત્રુ–પેસાબ આદિ કરવા જઈ શકાતું નથી. આ ચરવલાને ઉપયોગ કેટલાક મહાનુભાવો પોતાના શરીરની સગવડતા કે સંભાળ માટે કરે છે. મરછર ઉડાડવા, ભીંતને ટેકે દેવા શરીરને ઉંચું નીચું કરવા, અશિસ્તપણે બેસવા માટે કરે છે પણ તે યોગ્ય નથી. અરવલાની વાસ્તવિક સફલતા ઊભા ઊભા અપ્રમત્ત - ભાવે ક્રિયા કરવામાં છે. ઊભા રહીને કાઉસગ્ગ કરે ત્યારે અરવલો ડાબા હાથમાં અને મુહપત્તી જમણા હાથમાં રાખવાનાં છે. ચરવલે અધવચ્ચેથી પકડવાનો હોય છે અને બંને હાથ પગની નજીક રાખવાના હોય છે. તે ઉપરાંત જેને બલગમ કે શ્લેષ્મ કાઢવાની જરૂર પડે તેવું હોય તે તેને જાડા કપડાનું ખેડયું (નાને ટૂકડો) રૂમાલ વગેરે લાવવું. તેના વધુ ઉપદ્રવ વાળાએ રાખની નાનકડી કુંડી રાખવી પણ તે પુંઠાથી ઢાંકેલી હોવી જોઈએ. Jan Education International----- Page #24 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ ૨૩. —આરાધકાએ તા પયુ ષણાપવ પહેલાં જ તમામ ઉપકરણોની બરાબર વ્યવસ્થા કરી લેવી જોઈએ. મુહપતિ કેવી રીતે પડિલેહવી, કાઉસ્સગ્ગ કેમ કરવા તે શીખી લેવું જોઈએ. પજુસણ પહેલાંના એ ત્રણ દિવસેામાં મુનિરાજોએ પ્રતિક્રમણ ક્રમ કરવું, શા માટે કરવુ? તેની પૂરી સમજણ આપતાં સવારના વ્યાખ્યાને રાખવા જોઈએ અને મુનિરાજોએ પુરુષોના અને સાધ્વીઓએ મ્હેનાના રાતના વર્ગ પણ ચલાવવા જોઈએ. જેથી આરાધના વિધિથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ કરી શકે. ઉપકરણા કેવાં ન હાવાં જોઇએ? ૧. પુસ્તકાર્દિકના સ્થાપનાચાર્યજી જે બાનેેમ કે સાપડા ઉપર પધરાવે તે ગંદી, મેલી, અશુદ્ધ ન હેાવી જોઈએ, તૂટલી ન હાવી જોઈએ. આ માટે અગાઉથી ધ્યાન આપવું. · ૨. કટાસણું એ સાવ નાનું કે ઘણું મ્હાટુ હાવુ ન જોઈએ અનેક કાણાંઓ (વેન્ટીલેશના)વાળુ, અત્યત મેલું, ગંદું, ફાટેલુ ન હાવુક જોઈએ. ૩. મુહપત્તી કે હેાંપત્તી વરસમાં એક જ દિવસ વાપરવાની હાય, અગાઉથી ધ્યાન ન આપ્યુ. હેાય એટલે ગમે તેવા કટકાની લઈ આવે છે. ઘણી હેાંટી મુહપત્તી રાખવી યેાગ્ય નથી. મુહપત્તી કેવી વાળેલી હાવી જોઈએ તે પણ ખબર ન હેાવાથી ચાર પડે રૂમાલની જેમ વાળીને રાખે છે. તૈયાર માલાને વાળી તેનાથી ચલાવી લેવામાં આવે છે પણ તે બરાબર નથી. કેટલાક મહાનુભાવા મુહપત્તી મહાગંદી દુર્ગંધ મારતી લઈને આવે છે. · બાર મહિને પણ એની ખબર લેવાતી નથી, ગંદી મેલી મુહપત્તી કદિ ** Page #25 -------------------------------------------------------------------------- ________________ - - - - - * હું ૨૪ PIMPLES •વિધિ સહિત વાપરવી ન જોઈએ. મુહપત્તી સુતરાઉ કપડાની હોવી જોઈએ. ઉપકરણો બધાં સ્વચ્છ અને સારાં હોવાં જોઈએ. –મુહપત્તિી કે કટાસણું ઉપર ભરતકામ કરવાની કોઈ આવશ્યકતા નથી. ૪. ચાવલા ઘણાના ઘણાજ કાળાડુમ થઈ ગએલા, દેખવા ન ગમે એવા અને ગંધાતા હોય છે. દશીએ મેલી થઈ હોય તો તેને નિર્મલ કરવા ઉપયોગ રાખવો જોઈએ. સાવ ઘસાએલા, તૂટલી દશીઓ-ગુરછાવાળા અરવલા ન હોવા જોઈએ. સૂત્રો કેવી રીતે બોલવાં જોઈએ ? બે હાથ જોડી, મુહપત્તી મુખ આગળ રાખી, ચંચળતા છેડી, સ્થાપનાજી સન્મુખ નજર રાખી,સ્થિર ભાવે,શુદ્ધ ઉચ્ચારપૂર્વક, મધુર સ્વરથી, ધીમે ધીમે, ભાવપૂર્વક, અર્થ ચિન્તન સહ, ગાથાએ ગાથાએ જરાક અટકી અટકીને પ્રતિક્રમણનાં સૂત્રો બોલવાં જોઈએ. આડું અવળું જોઈને બોલવું, ફ્રન્ટીયર મેલની માફક સૂત્રોની ગાડી ગબડાવી દેવી, લપલપ કરી પૂરા કરવા, ઉપગ વિના મુખપાઠીની જેમ પાઠ બોલી જે, એ ક્રિયા પ્રત્યેને અનાદર ભાવ છે, વેઠ ઉતારવા જેવું છે. એથી તો આ ક્રિયા ગદ્દામજૂરી જેવી બની જાય છે. વિશેષ કોઈ લાભ થતો નથી. માટે બહુમાનપૂર્વક, શ્રદ્ધા-ભાવપૂર્વક અંતરના સાચા જેડાણપૂર્વક સૂત્રોચ્ચાર-વિધિ-ક્રિયા કરવાં જોઈએ. ખમાસમણ કેવું દેવું જોઈએ? ખમાસમણ અડધું ન દેવું પણ પંચાગ પ્રણિપાત કરવાનું હોવાથી શરીરના પાંચે અંગે જમીન સુધી અડવાં જોઈએ, માટે માથું ઠેઠ Page #26 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ કરી હોય કેવી રી૨૫), સુધી નમાવવું જોઈએ. ચરવાવાળાઓએ દરેક ખમાસમણું પૂરેપૂરા ઉભા થઈને દેવાનું છે જેથી ક્રિયાને આદર બહુમાન અને વિધિ જળવાશે અને ક્રિયાનું ફળ પ્રાપ્ત થશે. બેઠેલા લોકોએ માથું જમીન સુધી અડાડવું જોઈએ. મેટાભાગના લોકો માથું નમાવતા જ નથી, કેટલાક ડેાકી નમાવશે, કેટલાક અડધું શરીર નમાવશે પણ તેમ ન કરતાં વિધિ પૂરે જાળવો. કાઉસ્સગ (કાયોત્સર્ગ) અંગેની સૂચનાઓ કાયાની ઉપરની મમતા, મૂછ ઉતારવા માટે, અને આભ્યન્તર તપની સાધના તથા ધ્યાન વગેરે કરવા માટે કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. આ ધ્યેય સહુ કાઈએ પ્રથમ ધ્યાનમાં લેવું ઘટે. ' કાઉસ્સગમાં સ્થાપનાચાર્યજી જે નજરે પડતા હોય ત્યારે તો તેની સામે નજર રાખીને કાઉસગ્ગ કરો, પણ સ્થાપનાજી બધાયને દેખાય જ એવું નથી બનતું, માટે બીજાઓએ નાસિકાના અગ્રભાગમાં નજર રાખી કાઉસગ્ગ કરો. ચરવલો હોય અને ઊભા ઊભા જો કાઉસ્સગ્ન થાય તે તેનું ફળ ઘણું શ્રેષ્ઠ મલે છે. ઊભા ઊભા કરનારે ચરવલો ડાબા હાથમાં અને મુહપત્તી જમણા હાથમાં હોય એ રીતે હાથ ઢીંચણ સુધી લંબાવીને પગની નજીકમાં રાખવાના હોય છે. નીચે પગની પાનીઓ વચ્ચે આગળના ભાગે ચાર આંગળ અંતર રહે અને પાછળ ચાર આંગળથી કંઈક ન્યૂન રહે એ રીતે પગ રાખવાના છે. કાઉસગ્ગમાં દાખલ થયા પછી સ્થિર ચિત્ત, સ્થિર કાયા રાખી કાઉસગ્ન કરવાનો હોવાથી હાલવા ચાલવાનું કે ઊંચા નીચા થવાનું હોતું નથી. સુત્ર બોલતાં હોઠ પણ ફફડાવાને નથી. હાથ ઊંચા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ - વિધિ સહિત નીચા કરવાના નથી. ભીંત કે થાંભલાને ટેકો લેવાનું નથી અને દૃષ્ટિ આડી અવળી કરવાની નથી તે ધ્યાનમાં રાખવું. એ વખતે બીજાની સાથે વાત કરવાની હોતી નથી. પગ ઊંચા નીચા કરવાની મનાઈ છે. પર્વતની માફક સ્થિર બની કાઉસ્સગ્ન કરવાનું છે. મુખ્ય ગુરુમહારાજ કાઉસગ્ગ પારી લે પછી જ ધીરેથી “નમો અરિહંતાણું” બોલવા પૂર્વક કાઉસ્સગ્ગ પાળવાન હોય છે. તે પહેલાં પાળવાને હોતો નથી. માટે પાળવામાં ઉતાવળ ન થવું. કાઉસગ્ગમાં સંખ્યાની ધારણા માટે આંગળીના વેઢા ગણવાના નથી હોતા. આ માટે હૃદયમાં નવ ખાનાનાં અષ્ટદલ કમલની કલ્પના કરી તે ઉપર સંખ્યાની ધારણા કરવી. વધુ સમજણ માટે ચિત્રો અને તેની સાથેની સમજ વાંચે મરછર આદિને ઉપદ્રવ થાય તો પણ સહન કરવાનો છે કારણ કે કાયાની મમતા મૂર્છા ઉતારવા માટે તે આ મહાન ક્રિયા કરવાની છે. વળી સંવરછરીના ૪૦ લેગસના કાઉસગ્ગમાં છીંક ન ખવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કાઉસગ્ગ પાર્યા પછી બીજાઓ હજુ કાઉસ્સગ્ગ કરતા હોય ત્યારે પારનારાઓએ મૌનપૂર્વક ખૂબ જ શાંતિ જાળવવાની છે. અરવલે હોય શક્તિ હોય તો પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું છે. છેવટે જેમ ગુરુ આદેશ કરે તેમ કરવું. કાઉસ્સગ્ગ ઊભા કે બેઠા કેવી રીતે કરવો તે માટે જુઓ ચિત્ર. ૩ મુહપત્તી પડિલેહણ કેમ કરવું જ્યારે “અહ-કાય કાય” રૂપ સુગુર વાંદણું લેવાના આવે ત્યારે વાંદણ પહેલાં મુહપત્તી અવશ્ય પડિલેહવાની આવવાની જ. કારણ કે ગુરુવંદન વખતે શરીરના જે જે અવયે કામમાં લેવાના Page #28 -------------------------------------------------------------------------- ________________ સંવશ્કરી પ્રતિક્રમણ ૨૭ છે તે તે અવયવાને જીવ જંતુથી રહિત કરવા તે તે અંગેાની પ્રમાર્જના કરવાની છે. આ પડિલેહણા ૫૦, ખેાલ ખેાલીને કરવાની હાય છે. એમાં પ્રથમ મુહપત્તીની પડિલેહણા અને પછી તે મુહપત્તીથી શરીરની પડિલેહણા કરવાની છે. મને લાગે છે કે આ ખેાલ સે કડે પાંચ ટકાનૈય આવડતા નહિં હાય, આવડતા હશે તે! તે પૂરા ખેાલતાએ નહીં હેાય. પણ ૫૦ ખેાલ ન આવડતા હાય તા પણ વગર ખાલે પણ મેાટા ભાગના વને મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું તે પણ શુદ્ધ આવડતું નથી એ હકીકત છે. કારણ કે મોટા ભાગે મુહપત્તીને વાપરવાના વખત બાર મહિને એકજ વાર આવતા હાય છે. પછી ભાઈસાહેબ કાઈની પાસે પહેલેથી શીખ્યા તા હેાય જ શાના ? એવા પણ ભાવિકા આવે છે કે જે મુહુપત્તીનું પડિલેહણ જ કરતા નથી, તેા કેટલાક ક" ન કર્યા જેવુ" કરે છે. કેટલાક અડધી ખેાલીને વાળી દે છે. આમ મુહપત્તીની પડિલેહણા જાત જાત અને ભાત ભાતની રીતે થતી જોવા મળે છે. પણ તેથી અવિધિ થાય છે, દોષ લાગે છે અને તેના મૂલ ઉદ્દેશ જળવાતા નથી. આ બાબત માટે સાચી બાબત એ છે કે પ્રત્યેક જૈને પડિલેહણા અગાઉથી જાણકાર પાસેથી શીખી લેવી જોઈએ અને એ જ સર્વાંત્તમ માર્ગો છે. આ માટે ચિત્રો નં. ૧૦ થી ૨૨ જુએ અને તે ઉપરથી શીખી લે. ‘સુગુરુ વાંદણાં ’ કેમ કરવાં ? તે અંગે નીચેની ટૂંકી હકીકત ધ્યાનમાં બરાબર લેા. ચિત્રો (નં. ૨૩ થી ૩૦ જુઓ ) જુએ સૂચના:-ચરવલાવાળા હાય અને ઊભા ઊભા ક્રિયા કરતા હાય તેને ઉભડક બેસી કરવુ અને ખેઠા બેઠા જે કરતા હેાય તેને Page #29 -------------------------------------------------------------------------- ________________ વિધિ સહિત બેઠા બેઠા કરવું, પણ બંને જણાંઓને નીચેના વિધિ સરખી રીતે કરવાના છે. સુગુરુ વાંદાં-એટલે અહા કાય‘–કાય ’ વાળી ( બાર આવર્તાની ) ક્રિયા. આ સૂત્ર ગુરુવંદનનું છે. પૃ. ગુરુદેવ પ્રત્યે પૂજ્ય અને આદરભાવ વ્યક્ત કરવા અને ક્રોધ કે કષાય ભાવાથી જે કઈ અપરાધાઆશાતના અતિચારા લાગ્યા હાય તેની ઊંડા અંતઃકરણના ભાવથી ત્રિકરણ યોગે માફી માગવા માટેનું આ ખાસ સૂત્ર છે. આ સૂત્રમાં– અ હૈ, કા ય, કા ય, જ ત્તા બે, જ વણિ, જ઼ જ થ બે, આ ક્રિયા ધ્રુવી વિધિથી કરવી ? તેનાથી સમાજના મેાટા ભાગ અજ્ઞાત છે, તેથી જેને જેમ ફાવે તેવી ચેષ્ટા કરી એક કામ પતાવ્યાને સતાષ લે છે, પણ એ વિવિધ દેષ છે. તેથી પ્રતિક્રમણ અશુદ્ થાય છે. સમજવા માટે બહુ નાની એવી બાબત એકવાર જો ધ્યાનમાં લઈ લેશે। તા તેનેા કામ લાભ ઉઠાવી શકશેા. ૧૨, આવાં બાદ થતા નમસ્કાર સાથેની ક્રિયાને યથાજાત મુદ્રા'થી આળખાવી છે. જાત એટલે જન્મ સમયની મુદ્રા, યથાાત મુદ્રાના અ કરતાં જન્મ થનારના જન્મ વખતે બે હાથ કપાળે લાગેલા હેાય છે. એમ શિષ્યે ગુરુને વંદન કરતી વખતે રજોહરણ, મુહપત્તી અને ચાલપટ્ટો ત્રણ જ ઉપકરણ સાથે બે હાથ કપાળે અડાડીને વંદન કરવું જોઈએ. ૧. બધા સૂત્રેાના અર્થ એકવાર પશુસણમાં કે તે પહેલાં જે વાંચી જવાય તો પ્રતિક્રમણમાં જે કટાળેા, ધ, આળસ આવે છે તે નહિ આવે અને ક્રિયા કરવામાં અનેરા આનદ આવશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ કરી . જ રટ છે યથાવત મુદ્રાને યથાર્થ ભાવ લં વમળો (જુઓ ચિત્ર નં. ) વખતે બરાબર થાય છે. આ મુદ્રા વડે વંદન વિધિ કરીને પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એમ જણાવે છે ક–તું ગમે એટલે ડાહ્યો, હુંશિયાર કે વિદ્વાન હે, પણ તારા ગુરુદેવ આગળ તારે તો-તાજું જન્મેલું બાળક જેવું અજ્ઞાત હોય છે તેવા ભાવે જ તારે જીવનપર્યત રહેવાનું છે એ ભાવ સદાય તારા હૈયામાં ટકાવી રાખવાનું છે, જેથી તને અહંભાવ આવી ન જાય અને શિષ્યભાવ ભૂલી ન જવાય અને એમાંથી ગુરુ આશાતનાને પાપ પ્રસંગ ઉભો ન થઈ જાય. વળી સાથે સાથે વડીલોએ પણ પિતાના શિષ્યોમાં ઉલટે ભાવ ન જન્મે એની જરુરી ખેવના રાખવી એ એટલું જ અગત્યનું છે. ત્યારે જુઓ “અહા કાય” આવે ત્યારે પ્રથમ મુહપત્તીને તમારે અરવલા ઉપર મૂકવી. આ મુહપત્તીને તમારે ગુરુ ચરણકમલ રૂપે કલ્પવી. મો શબ્દને “” બેલતાં જોડેલા હાથને બંને પંજાને ઊંધા કરી મુહપત્તીને અડાડવા, મુહપત્તી ચરણને સ્પર્શીને તેની રજ શિરે ચઢાવતા હોય તે ભાવ ધારણ કરવો “ બેલાય ત્યારે હાથના બંને પંજાઓને,-હથેળીને સવળા કરી લલાટે અડાડવા, એ જ રીતે થે #ાય શબ્દ બોલતી વખતે સમજવું. ત્તા મે માં ન વખતે મુહપત્તી ઉપર હાથના બંને પંજૂઓ ઉંધા મુહપત્તી ઉપર રાખવાના, સા બેલવાની વખતે બંને પંજાઓને સવળા કરી છાતી પાસે રાખવા, તે જ સવળા હાથ મે બોલવાની ૨. યથાજાત સુકા પ્રારંભમાં ઉભા ઉભા થતા શીર્ષનમન વખતની સમજવી, બાર આવના વદને વખતની સમજવી કે “સંફ્રાસં” વખતના શિરનમનની લેવી કે ત્રણેય વખતની ગણવી ? આ બાબતની સ્પષ્ટતા કે મને જાણવા નથી મલી. એટલે મેં ઉપરોક્ત વિધાન કર્યું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કી. ફE • વિધિ સહિત સાથે જ લલાટે અડાડવા પછી એજ પ્રમાણે નવનિ, wi રમે ને વિધિ કરવાનો છે. તે ક્રિયા, પછી ચરલા સુધી માથું નમાવવાનું છે. ગુરુ પ્રત્યેનું સ્થાન જૈન સંઘમાં કેટલું આદર પાત્ર છે તેને વાંચકાને આ “સુગુરુ વાંદણુ” નામના સૂત્ર અર્થન મનનથી સમજાશે. -વાંદણ કેમ કરવા આ માટે “વાંદણાના ચિત્રો ખાસ જુઓ. ધ્યાનમાં લેવા જેવી કેટલીક સૂચનાઓ ઉપાશ્રયે કે પ્રતિક્રમણ કરવાનાં ધાર્મિક સ્થાન એ શાંતિના ધામે છે. પવિત્રતા પ્રાપ્ત કરવાનાં સ્થાને છે. એટલે એ સ્થળામાં પ્રવેશ કર્યા બાદ વિનય-શિસ્ત અને શાંતિને નિયમને ખૂબ જ માન આપવું જોઈએ. બાળક હોય, યુવાને હોય કે વૃદ્ધો હોય, સહુએ ખૂબ ખૂબ શાંતિ જાળવવી જોઈએ. ઘંઘાટ કે કોલાહલ કરો ન જોઈએ. સાંસારિક કે કોઈ પણ જાતની પાપની, વેપાર ધંધે કે આરંભ સમારંભને લગતી વાતો જરા પણ કરવી ન જોઈએ. ક્રિયા ન ચાલતી હોય ત્યારે, અતિ જરૂર પૂરતી માત્ર ધાર્મિક બાબતની વાત કરવી પડે તેટલી જ છૂટ ભલે રાખે, તે સિવાય કાઈની નિંદા, ટીકા, કે ટેટ-ઝઘડે કંઈ ન કરવું જોઈએ, કોઈ તમારી જગ્યા ઝૂંટવી લે, દબાવી દે કે કોઈ અપમાન કરે તો પણ સહન કરવું જોઈએ, અને પરસ્પર સમજુતીથી કામ લેવું જોઈએ. પાપ છોડવાની જગ્યા રખે! પાપ બાંધવાની ન બની જાય એની કાળજી મન પર સતત રહેવી જોઈએ, જ્યારે સમભાવ કેળવવા આવ્યા હોય અને એ વખતે તમારી કસોટી ઉભી થાય, ત્યારે તે તમારે પરીક્ષામાં ખાસ પાસ થવું જ જોઈએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ - ૯સંવપરીપ્રતિકમણ, મુંબઈ જેવા મોટા શહેરોમાં જગ્યા નાની અને આવનાર વર્ગ ઘણો વિશાળ એટલે જગ્યા અંગે રગડા, ઝઘડા, ટંટા કે ફરિયાદ થવાને પ્રસંગે ઊભા થઈ જાય છે. પવિત્ર સ્થળમાં જ જગ્યાની ગોલમાલે પણ થાય છે, તોફાને થાય છે, અને મામલે કયારેક તો મારામારી સુધી પહોંચી પણ જાય છે. પણ આવું મુંબઈ અમદાવાદ જેવા મોટા શહેરોમાં બને છે એ વખતે આ દિવસ કે મહાન અને પવિત્ર છે તેનું ભાન ક્રાધાન્ય બનતાં ભૂલી જવાય છે, કાઈની નક્કી કરેલી જગ્યાને કાઈએ પડાવી લેવાની અનીતિ કદિ ન કરવી જોઈએ. પણ અજ્ઞાનથી કેઈએ કદાચ તેમ કર્યું હોય તો તે પ્રશ્નનો શાંતિથી નીવેડે લાવ, પણ ગમે તેમ ઝઘડા કરી કર્મ ન બાંધવા અને બીજાને બાંધવામાં નિમિત્ત ન બનવું, આરાધનાનો ઉદ્દેશ જે માર્યો જતો હોય તો પછી આરાધના કરવાને કે ઉપાશ્રયમાં આવવાનો અર્થ પણ શે રહેવાનો ! –ઉપાશ્રયમાં આવ્યા બાદ કટાસણું વગેરેને, જમીનને આંખથી જોઈ, પૂંજી, પ્રમાઈને પાથરવું–મૂકવું જોઈએ જેથી જીવદયા પળાય. –બને ત્યાં સુધી આવનારે ચરવલો લઈને આવવું એ બધી રીતે શ્રેયસ્કર છે. ન હોય તો તે વસાવી લેવું જોઈએ. –પ્રતિક્રમણમાં પહેરવાનું ધોતીયું વગેરે વસ્ત્રો જંગલ પેશાબ ગયા વિનાને અને સાદા વાપરવાના હોય છે જે વાત લગભગ સહુની જાણીતી છે. –સામાન્ય રીતે પ્રતિક્રમણમાં તીયા સિવાય બીજું વસ્ત્ર વાપરવું ન જોઈએ. પણ જેમણે શરદી આદિ વ્યાધિના કારણે છાતીએ ખેસ નાંખો પડતો હોય તો પ્રતિક્રમણ પૂરું થતાં તેની આત્મ સાક્ષીએ ક્ષમા માગી લેવી જોઈએ. FOT | IN Page #33 -------------------------------------------------------------------------- ________________ - લકર 9pmSADWEBSI) •વિધિ સહિત –ધોતીયાં બંગાળી ઢબે ન પહેરવાં જેથી પગમાં ભરાઈ જાય અને ગબડી પડાય, હૈતીયું ટૂંક જ (અસલ રિવાજ મુજબ નાભિથી નીચે અને ગુઠણથી જરા ઉંચું) પહેરવું જોઈએ. વસ્ત્રને પણ મોહ ઉતાર જોઈએ. –ખમીસ, ગંજીફક, કુડતું, બંડી વગેરે કંઈ પણ પહેરીને પ્રતિક્રમણ કરી શકાતું નથી. રાગાદિકનું કારણ હોય તો ખેસ ઓઢી શકે છે. સીવેલું વસ્ત્ર પહેરવાની સખ્ત મનાઈ છે. –થોડાક કલાક માટે પણ મમતા અને મેહને ત્યાગ કરવાની ક્રિયા કરવા જ્યારે આવ્યા હોઈએ ત્યારે ઝવેરાતના કે મોતીના અલંકારો, સાચા કે બનાવટી કાંઈ પણ પહેરવા ન જોઈએ. શારિરીક વિભૂષાથી દૂર રહેવું જોઈએ. કાંડા ઘડિયાળને પણ મોહ તે દિવસે ઉતારવો જોઈએ. અર્થાત તે પણ ન પહેરવી જોઈએ. ઘડીઆળથી ચિત્તમાં ચંચળતા ઉભી થાય છે. પેસાબ-માત્રા માટે સમુદાય માટે હોય ત્યારે કૂંડીઓ વધારે રાખવી જોઈએ અને ચૂનાવાળા પાણીની ઠીક વ્યવસ્થા કરવી જોઈએ. એ પાછું એવી જગ્યાએ રાખવું જોઈએ કે વરસાદ પડે તો પણ વરસાદનું પાણું ચુનાવાળા પાણીને ન બગાડે એવી પાકી વ્યવસ્થા કરવી ઘટે. ઘણા સ્થળે માથે કંતાન નાંખે છે તેમને ખ્યાલ નથી રહેતો કે કંતાનમાંથી પાણું ગળીને ચૂનાવાળા ભાજન ઉપર બધું પડે છે અને એથી અચિત્ત પાણીને સચિત્ત બનવાને પ્રસંગ ઉભો થઈ જવાને અને ધોનાર બધાયને એનો દેષ લાગવાને. માટે કાર્યકર્તાઓએ અગાઉથી આવી બધી બાબતો પ્રત્યે દીર્ધદષ્ટિથી ધ્યાન રાખવું. પેસાબ કરનારાને ખુલ્લા આકાશ વચ્ચે થઈને જ જવાનું હોય તો, માથે ગરમ કામલી ઓઢવી જોઈએ, તે ન હોય તે છેવટે Page #34 -------------------------------------------------------------------------- ________________ •સંવછરીપ્રતિકમાણ શાઈ૩૩ ) વધારાનું કઈ કટાસણું પણ માથે નાંખીને જ જવું જોઈએ. પણ ઉઘાડા માથે ખુલ્લા આકાશમાં જવાનું હોતું નથી. જાય તો દોષ લાગે છે. ઘણીવાર નાના છોકરાઓની સેના હજુ ૧૫/૨૦ મીનીટ પ્રતિક્રમણ ન ચાલ્યું હોય ત્યાં બધા વચ્ચે આડા ઉતરી પેસાબ કરવા દોડી જાય છે પણ મેટાઓએ અગાઉથી જ સૂચના આપી દેવી જોઈએ કે પહેલેથી એ ક્રિયા પતાવી આવે. ઘણીવાર ગમ્મત ખાતર, ટીખળ ખાતર, દેખાદેખી, વગર શંકાએ પણ બાળકો અજ્ઞાન ભાવે એવું કરતા હોય છે. પણ તેમના માબાપોએ તેમને ઘરેથી જ પ્રતિક્રમણ અંગે સૂચના શિક્ષણ આપી દેવું જોઈએ જેથી પ્રતિક્રમણમાં ડોળાણ ઊભું થાય નહિ, તેમજ બધાયને આડ પડે નહિ. –બાળકને જૂથમાં ન બેસાડવા અને વાત કે ગરબડ ન કરે માટે અવસરે તેના ઉપર કોઈએ નજર રાખ્યા કરવી. –ભીંતને ટેકો કે ઓઠિંગણ લઈને પ્રમાદી કે મડદાલ જેવા થઈને ન બેસવું. पतिक्रमणमा जरूरी वस्तुओ→ चित्र. ચિત્ર સં. ૧ स्थापनाजी मुहपती कटास' चरवलो કે છે Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪..) આ તો વિધિ સહિત ન કરવાનાં કાર્યો 1. પ્રતિક્રમણમાં આવનારે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક કે માસિક કોઈ પણ પ્રકારનું છાપું લઈને ન આવવું. ૨. નવલકથાઓ, કે વાંચવા માટેના કેઈ પણ પ્રકારનાં પુસ્તક ન લાવવાં. ૩. પ્રતિક્રમણ ડોળાવવા માટે કાગળના ડુચા કે કાંકરા ન લાવવા. ૪. આ ક્રિયા એ મહાન પવિત્ર અને ગંભીર ક્યિા છે માટે તેની અદબ અને બહુમાન જાળવવું. વાતો કરવી નહિ, ગપ્પાં મારવા નહિ, હસવું નહિ, મકરીઓ કે છેડતી કરવી નહિ, મજાક ન ઉડાવવી પણ ઠાવકાઈ અને ગંભીરતા જાળવવી. પ્રતિક્રમણ ભણાવવાને અવાજ સંભળાતો હોય તો તે તરફ કાન રાખી ઊભા રહીને, (ઊભા ન થવું હોય તો) પલાંઠી વાળીને અથવા બે હાથ જોડી સ્ત્રીને સાંભળવાં, ન સંભળાય તેવું હોય તો પણ બે હાથ જોડી શાંતિ જાળવવી, હાથ જેડયા વિના બેસી રહેવું એ અનાદર છે. અવિધિ છે. માટે ઉપગ રાખ જેથી વિરાધનાનું પાપ ન લાગે અને પિતાનું કે બીજાનું પ્રતિક્રમણ ડોળાય નહિ. પ. & | Sin & - :; , ' . ' ' - t . . . . . . ' - 1 * * * * * * * * * * * * Page #36 -------------------------------------------------------------------------- ________________ , , , * * * વચ્છરી પ્રતિક્રમણ - દાદી વ૫ ) સામાયિક લીધા બાદ સભાજનોને ઉદ્દેશીને પૂ. મુનિરાજેએ રસભાને આપવા માટે ખાસ બેધ अन्यदिने कृतं पापं पर्वदिने ब्रजिष्यति । पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति । અર્થાત–આ કલેક એમ કહે છે કે બીજા દિવસે કરેલાં પાપાને ધોવા માટે જ્ઞાનીઓએ પર્વના દિવસે નિર્માણ કર્યા છે. જે એ દિવસે પણ એનાં એ પાપ (કાપ મૂક્યા વિના) ચાલુ રાખ્યાં તો યાદ રાખજો કે તે પાપો આત્મપ્રદેશ સાથે વજલેપ જેવા એવા અભેદ્ય રીતે બંધાશે કે જે ભગવે જ છૂટકારે કરશે, ચાધાર આંસુએ રોતા પણ નહીં છૂટી શકાય. મહાનુભાવો! આજે સંવછરીને મહામંગલકારી, પવિત્ર અને મહાન દિવસ છે. બાર બાર મહિનાનાં પાપનાં ખાતાં ચૂકતે કરવાને ઉપકારક પર્વ દિવસ છે. એથી આજનો આપણા સહુને ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ પણ અનેરે છે. આ પર્વની તે દોઢ દોઢ મહિના અગાઉથી જાહેરાત કરવામાં આવે છે એ તો એને મહિમા છે. તમે જાણો છો કે દરેક સ્થળે લાખે જેનો પોતપોતાના સ્થાનમાં આજે ઉત્સાહપૂર્વક પાપના ભારથી હળવા થવા ભેગા થયા હશે. આ બાર મહિનાના પાપ ત્યારે જ દેવાય કે જ્યારે સાધુમહારાજ જે જે સૂાને બોલે તેને તમે કાનથી બરાબર સાંભળા, કદાચ ન સંભળાય તો હાથ જોડી શાંતિ જળ. ચરવલો હોય અને શક્તિ હોય તો ઊભા ઊભા ક્રિયા કરે, નહીંતર બેઠા બેઠા કરે. પણ સહુ બે હાથ જોડી, મનને ધર્મધ્યાનમાં રેકીને આરાધના કરે તો બાર મહિના દરમિયાન હિંસા, જુઠ, ચેરી, મિથુન, Page #37 -------------------------------------------------------------------------- ________________ GK IS READDABADવિધિ સહિત ) પરિગ્રહ, ધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડીયુગલી, હર્ષ, શોક, પરનિંદા, માયા, મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ ૧૮ જાતનાં પાપ, જે રોજે રોજ તમારા ઘરમાં, ધંધામાં કે દુનિયાદારીની પ્રવૃત્તિઓમાં ચાલુ જ છે તે પાપે, સાથે સાથે ચૌદ રાજલોકવતી જીવોની ત્રિકરણ ગે હિંસા વગેરે કરવાની પણ તમે છૂટ રાખી છે તે, તેમજ જાતજાતનાં અન્ય જે કંઈ પાપ દોષો સેવ્યા કે સેવરાવ્યાં હોય તે, ગુરુ શિષ્ય વચ્ચે, ગુરણી શિષ્યા વચ્ચે, શ્રાવક-શ્રાવક વરચે, શ્રાવિકા-શ્રાવિકા વચ્ચે, વળી પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, નણંદ-ભેજાઈ વચ્ચે, દેરાણું-જેઠાણું વચ્ચે, સાસુ વહુ સાથે, શેઠ–કર વચ્ચે, માલીક કે ગ્રાહક વચ્ચે બાર બાર મહિના દરમિયાન જે કંઈ વેર વિરોધ કે વૈમનસ્યના પ્રસંગે બન્યા હોય તેમજ તેઓ સાથે ફૂડ, કપટ, છેતરપીંડી થઈ હોય, કટુવચન બોલ્યાં હોય તે, તેમજ અન્ય જે કંઈ અપરાધે થયાં હોય તે, તમામની તમારે આજે પરસ્પર, માત્ર શબ્દોથી જ નહિં પણ હૃદયના સાચા અને ઉંડા ભાવથી, નમ્રતાપૂર્વક સરલતાથી, બે હાથ જોડી “મિચ્છા મિ દુક્કડ'' બોલીને ક્ષમા માગવાની છે. જો કે ખરૂં તે એ છે કે સંવછરી પ્રતિક્રમણ પહેલાં જ, જેની જેની સાથે ખાસ બેલચાલ થઈ હોય તેની ક્ષમા માગી લેવી એ જ વધુ યોગ્ય છે. એમ ન કરી શક્યા હોય તો સંવછરીના પ્રતિક્રમણમાં સહુને યાદ કરી મનમાં સાચા ભાવથી બે હાથ જોડી, મન દુઃખના પ્રસંગોની ક્ષમા માગી લેવાની છે. આથી આપણાં હૃદયે નિઃશલ્ય બનશે અને ભાર વિનાનાં હળવાં ફૂલ બની જશે. કારણ કે જ્યાં સુધી ક્રોધ, માન આદિ કષાય ભાવો હદયમાં સળગતા બેઠા છે ત્યાં સુધી પાપનાં કર્મ બંધન ચાલુ જ રહેવાના, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થતી રહેવાની મોક્ષ માર્ગ દૂર ને દૂર થતા જવાન અને શાંતિ સે ગાઉ દૂર રહેવાની, માટે સહુએ કેધાદિ કષાયોને ઉપશાંત કરવા અહંભાવ * * Page #38 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરીપ્રતિક્રમણ hilpલ ૩૭ કે) તજી, વિનમ્ર બની, ક્ષમા માગવી જ જોઈએ. ખરી રીતે તે સાચા વેરી સાથે માફી માગતાં આનંદના અશ્રુ આવવા જોઈએ, એનું નામ જ ખરા અંતરની ક્ષમાપના. એટલું ધ્યાન રાખવું કે આ માફી માગવી અને માફી આપવી “શ કરવા કે દેખાવ કરવા પૂરતી માગવાની નથી. વળી સવાર પડે પા એને એ જ વિરોધ જો સળગતો રહે તો માફી માગ્યાની કિંમતે નથી. એથી તે ખોટો દેખાવ કરીને જાતને ઠગ્યાનું પાપ બાંધવાનું એ વધારામાં. આ તો પેલા ક્ષુલ્લક સાધુ ગુને કરતા જાય અને પાછી વારંવાર કુંભારની માફી માગતા જાય, આ પણ એના જેવું જ કૃત્ય ગણાય. માફી માગ્યા પછી તો મૈત્રી ભાવ થવો જ જોઈએ. હદય હળવું કુલ અને કુણું બનવું જ જોઈએ. પણ એ ત્યારે જ શકય બને કે માન દશાનો ઉપશમ થાય. એટલા માટે તો શાસ્ત્રકારોએ તમને તૈયાર કરવા, નમ્ર બનાવવા સાત દિવસ અગાઉથી પર્વારાધના શરૂ કરવા જણાવ્યું છે. શરૂઆતના ત્રણ દિવસના વ્યાખ્યાનમાં વ્યાખ્યાનકાર,વ્યાખ્યાન શ્રવણ, તપશ્ચર્યા, કલ્પસૂત્ર જેવા મહાસૂત્રનું શ્રવણ, પૂજા, દાન, પુણ્ય, પરોપકાર વગેરે ધર્મકૃત્યો કરવા ફરમાવે છે. જેથી તમારા મનમાંથી માનવજાતને મહા દુશ્મન ગણતો અહંભાવ કે અભિમાનને બરફ ઓગળી જાય. પુનઃ જણાવું કે જેની સાથે ખરેખર બોલચાલ થઈ હોય તે વ્યક્તિ જોડે તો ઘરે જઈને ક્ષમાપના કરી લેજે, સામે આત્મા ક્ષમા આપે કે ન આપે તે તમે ન જેજે. કલ્પસૂત્રનું વચન છે કે-નો સમ તત્સ થિ ૨TT, નો ન ૩વસમસ્ તન્ન નથિ મારા, જે ઉપશમે છે તેને આ પર્વની આરાધના છે, જે નથી ખમતે તેને આ પર્વની આરાધના નથી. માટે દરેક વ્યક્તિએ જિનેશ્વર દેવની આજ્ઞા શિરોધાર્ય કરીને કર્તવ્ય બજાવવું. વળી આ પર્વ તો આત્માની દિવાળીનું પર્વ છે. તમારા વહેવારની દિવાળીમાં જેમ ચોપડા ફખા કરે છે, નફા-તેટાની Page #39 -------------------------------------------------------------------------- ________________ મારી - * * * ( * * - ના * છે ૩૮ - * : * * * વિધિ સહિત * કન્ટ ક' , , , , - તારવણું કરે છે, તેમ આપણું આ આત્માની દિવાળીના દિવસે આમ સાધનાના નફા-તોટા તારવવાના છે. બાર બાર મહિના દરમિયાન અઢાર પાપાનકે કેવા અને કેટલા પ્રમાણમાં સેવ્યાં અને ન સેવ્યાં તો કેટલા પ્રમાણમાં નથી સેવ્યાં છે વિવિધ પ્રકારના જીવોની હિંસાઓ કેટલી કરી અને બચાવ્યા કેટલાને દેવદર્શન, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, દાન' પુણ્ય, પરોપકાર, ક્ષમા, નમ્રતા, નિર્દભવૃત્તિ અને સંતોષ વગેરેને, તથા વિધ્ય કષાયોને કેટલા પ્રમાણમાં સેવ્યા? અથવા તો કેટલા ન સેવ્યા ? એનું સરવૈયું કાઢવાનો આ દિવસ છે. નફે કર્યો છે, નુકશાન થયું છે કે ખાતુ સરભર કર્યું છે? તેનું આત્મ નિરીક્ષણ કરીને પછી આત્મ પરીક્ષણ કરવાનું છે, પાસ નાપાસને નિર્ણય કરવાનું છે. નફો થયો હોય તો આનંદ અને અનુમોદનાની વાત, નુકશાન થયું હોય તો તે ખેદ અને ચિંતાની વાત બનવી જોઈએ. ખાતું સરભર થયું હોય તો એમ કેમ બન્યું ? તે શોધીને આધ્યાત્મિક આચરણ તરફ વિશેષ પુરુષાર્થ કરવા કટિબદ્ધ બનવાને નિર્ણય સહુએ લે જોઈએ. તમે સંસારનો મેહ છોડીને ત્રણ ત્રણ કલાક સુધી પાપ–દોષોથી હળવા થવા તમે અહીં આવ્યા છે, જે ઉદ્દેશથી અહીં આવ્યા છે તે ઉદ્દેશ તમારે સફળ કરીને જ જે ઘરે જવું હોય અને ત્રણ ત્રણ કલાકની મહેનતને લેખે લગાડવી હોય તો અહીંયાં જે જે સૂત્ર મુનિરાજ બેલે, તેના ઉપર બરાબર ધ્યાન રાખો, દૂરના કારણે ન સંભળાય તો બે હાથ જોડી શાંતિ જાળવે અને તમારું મન બહારનાં વિષમાં દોડાદોડ કરતું હોય તેને પકડીને ધર્મક્રિયામાં સ્થિર બને તે પ્રમાણે અપ્રમત્ત ભાવે જાગૃત રાખતા રહે. આજની ક્રિયા પાપથી પાછા હઠવાની અથવા તો પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની મહાન ક્રિયા છે. આત્મા પોતાની સ્વભાવદશાને Page #40 -------------------------------------------------------------------------- ________________ વચ્છરી પ્રતિક્રમણ છેડીને પ્રમાદભાવથી વિભાવ દશામાં દોડી ગયા છે. તેને પાછેા સ્વભાવ દશામાં લાવવા માટેની આ ક્રિયા છે, માટે તેની મહાનતા, ગંભીરતા સમજીને આ ક્રિયા પ્રત્યે આદરભાવ રાખી તેની પૂરેપૂરી અદબ જાળવો. પલાંઠીવાળી, મે હાથ જોડી, આડા-અવળાં, આજુબાજુ ડાફાલીયા કે નજરે નાંખ્યા વિના, આજે તે! મન વચન કાયાને એકાગ્ર બનાવી, આજની ક્રિયામાં ઝુકાવી દેજો. તમારા મનને શારીરિક ચેષ્ટાઓને ત્યાગ કરજો. શરીર ઉપરની મેાહ–મમતા આજે ન રાખજો અને હૃદયના શુદ્ધ ભાવની ચીનગારી એવી પ્રગટાવજો કે બાર બાર મહિનાના લાગેલા પાપના ઢગલાને ખાખ કરીને તમેા ઘરે જઈ · શકેા. આથી તમારા આત્માના ચેપડા ચોખ્ખા થઈ જશે. પણ સાથે સાથે એકસૂચના કરૂં છું કે પાછા અહીંથી ઊભા થતાંની સાથે ચેાપડાનુ` ઊંધાર ખાતુ લખવું શરૂ ન થઈ જાય તેના પણ તીવ્ર ઉપયાગ રાખજો. વાતા ન કરજો, કાઈ કરે તા હળવાશથી, પ્રેમાળભાવે અટકાવો. મરતી, તાકાના, હાંસી, ઠઠ્ઠા, ઉચ્ચ સ્વરે ખેલવું વગેરે કશું નકરજો. તમે! તમારું પ્રતિક્રમણ ડાળશે નહિં, ખીજાનું ડેાળાવશે નહિં, નહીંતર શરૂઆતમાં કહ્યું તેમ પાપ છેડવાની જગ્યાએ પાપ બાંધી જા તે વ લેપ જેવા બધાશે. જે રાતાંએ નહી. છૂટે, એટલું આત્મીય ભાવે સૂચન કર્યુ છે તે લક્ષમાં રાખતે. અન્તમાં એક ખીજી સૂચના ખાસ ધ્યાનમાં રાખા કે આજની છીંક ઘણી જ જોખમવાળી ગણાય છે માટે છી‘ક ખવાઈ ન જવાય તેના પણ પૂરે પૂરા ઉપયોગ ખ્યાલ રાખો. ચાલે! ત્યારે હવે સહુ ટટાર ખેસી સજ્જ બની જાવ ઉત્સાહમાં આવી જાવ, કરેલી સૂચનાઓને અમલમાં મૂકી, સતત ઉપયાગવત બની પાપનું પ્રાયશ્ચિત્ત કરવામાં લાગી જાવ. યશોવિજય - Page #41 -------------------------------------------------------------------------- ________________ વિધિ સહિત *** Page #42 -------------------------------------------------------------------------- ________________ चि. २ खमासमणुं केम देवं ते. पंचांगप्रणिपातरूप 'खमासमण'मुद्रा प्रथम स्थिति.[प्रारंभ] द्वितीय स्थिति. [अन्त] *पंचांग बेहाथ बे पग अने मस्तक-तेवडे प्रणिपात- नमस्कार ખમાસમણું કેમ દેવું તે આપણું તમામ ક્રિયાઓમાં ખમાસમણું આવવાનું જ. બીજું ચિત્ર બરાબર જુઓ, અને તમે જે રીતે ખમાસમણું દે છે તેની સાથે સરખાવો અને ખામી હોય તો દૂર કરે. વધુ સમજણ મેળવવા પ્રારંભમાં છાપેલું “ખમાસમણું કેમ દેવું' તે લખાણ વાંચો. Page #43 -------------------------------------------------------------------------- ________________ चि.३ काउसग केम करवो तेनी मुद्रा. अप्पाणं वोसिरामि' जिनमुद्रा । [उभा काउस्सग्गनी] [बेठा कायोत्सर्ग'नी मुद्रा] LEE साम व तेनी मुद्रा--- બેઠા કાઉસગ કરનારે હાથ કેમ રાખવા, ચરવલે કેમ રાખે તે, ઊભા કાઉસગ કરનારે બે પગનાં આગલા ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપત્તી ચરવલ કયા હાથમાં રાખો, હાથ જઘાની પાસે કેમ રાખવા અને ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આ ચિત્રથી સમજાશે. Page #44 -------------------------------------------------------------------------- ________________ -સંવછરી પ્રતિકમણ જેવી S સંવરી પ્રતિક્રમણને સરળ અને સળંગ વિધિ (ચિત્ર સાથે) પ્રથમ આવશ્યક” રૂપ સામાયિક લેવાને વિધિ સુચના:-શ્રાવક તથા શ્રાવિકાએ સામાયિક લેતા પહેલાં થોડીક શારીરિક–બાહ્યશુદ્ધિ કરવાની હોય છે. સૌથી પ્રથમ હાથપગ ધોઈ અને જંગલ કે પેશાબ ન કર્યા હોય એવા શુદ્ધ વસ્ત્ર પહેરીને સામાયિક કે પ્રતિક્રમણ કરવાનું હોય છે. વળી જે જગ્યાએ પ્રતિક્રમણ કરવાનું હોય તે જગ્યાને પૂછને પછી ગરમ કપડાનું કટાસણું–આસન પાથરીને સામાયિકને વિધિ કરવાનું હોય છે. આ બાબત સૌએ પ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ. સામાયિકમાં જોઈતાં ઉપકરણોની યાદી જુદી છાપી છે તે જોઈ લેવી. Page #45 -------------------------------------------------------------------------- ________________ C R. ) PEPPEY •વિધિ સહિત) છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ : પ્રતિક્રમણ-પડિકામણું કે આવશ્યક ક્રિયા એ ત્રણે ય એક જ અર્થને વાચક શબ્દ છે. આ પ્રતિક્રમણમાં મુખ્યત્વે છે “આવશ્યક ની આરાધના કરવાની હોય છે. અવશ્ય કરવા લાયક કર્તવ્યને આવશ્યક કહેવાય છે. એટલે પ્રત્યેક જૈને આ ધર્માનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. આવશ્યક છ પ્રકારનાઃ– ૧ સામાયિક, ૨ ચઉવીસથે (લેગસ્ટ), ૩ વંદણક (સુગુરુવાંદણ), ૪ પડિકામણું (વંદિતુ), પ કાઉસ્સગ્ગ અને ૬ પચ્ચખાણ (આહારપાણી અંગે યાચિત ત્યાગ). એટલે કોઈપણ પ્રતિક્રમણની ક્રિયા કરતાં પહેલાં સામાયિક નામનું પહેલું આવશ્યક અવશ્ય કરવું પડે છે. ત્યારપછી જ અન્ય આવશ્યકોની આરાધના કરવાની હોય છે. જે સાધુ-સાધ્વીજી મહારાજની હાજરી હોય તો, આ સામાયિક તેમની પાસેના સ્થાપનાચાર્ય સમક્ષ કરવાનું હોય છે. પણ સાધુસાધ્વીને વેગ ન હોય, તો ઉંચા બાજોઠ ઉપર કે કોઈ ઉચ્ચાસન ઉપર પુસ્તકાદિ મૂકીને અથવા સાપડા ઉપર પુસ્તક મૂકીને એક હાથની સ્થાપન મુદ્રાથી એટલે જમણે હાથ ઉંધ રાખીને ડાબો હાથ મુહપત્તી સહિત મુખ આડો રાખીને એક નવકાર, પંચિદિય ગણુને પ્રસ્તુત ચીજની સ્થાપના કરી લેવાની હોય છે. અને તે સ્થાપના સમક્ષ તમામ આવશ્યકે કે પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. તે ઉપર જણાવ્યું તે પ્રમાણે પુસ્તકની સ્થાપના કરીને જમણે હાથ સ્થાપનાની સામે ઉંધ રાખી ડાબા હાથમાં મુહપતી મુખ પાસે રાખી, નીચે મુજબ નવકાર પચિંદિય સૂત્ર બેલવાં. –નવકાર (મંત્ર) સૂત્ર. નમે અરિહંતાણં નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ G + :- - - ત* ASAR Page #46 -------------------------------------------------------------------------- ________________ - - - સંવચ્છરી પ્રતિકમણ ન ક રી જો તું છે, નમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઇ મંગલ.. – ચિંદિય સત્ર પંચિંદિઅસંવરણે, તહ નવવિહબંભરગુત્તિધરે; ચઉવિહસાયમુક્કો, ઇઅ અરસગુણહિં સંજુરો; ૧. પંચ મહયજુરો, પંચવિહાયારપાલણસમા, પંચસમિએ તિગુત્તો, છત્તીસગુણે ગુરૂ મઝ. ૨. (આટલું બેલ્યા પછી નીચે મુજબ ખમાસમણ બાલવું) –ખમાસમણ સૂત્ર ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવણિજાએ, નિસીહિએ, મત્થણ વંદામિ. (પછી નીચેનાં સૂત્રો બેલવાં) –ઈરિયાવહિયં સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિયં પડિકમામિ? ઇચ્છ, ઇચ્છામિ પડિકમિઉં. ૧, ઇરિયાવહિયાએ, વિરાહણાએ. ૨. ગમણા-મણે ૪. પાણકમણે, બીયામણે હરિય%મણે, ઓસા-ઉનિંગ-પણુગદગ-મદી–મકડાસંતાણાસંકમસે. ૪જે મે જવા વિરાહિયા. ૫. એગિદિયા, બેદિયા, તેઈદિયા, ચરિંદિયા પંચિંદિયા. ૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંવઢિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાએ વવવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ, ૭. –તરસ ઉત્તરી સૂત્ર તસ્ય ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિસેહી Page #47 -------------------------------------------------------------------------- ________________ CY TV5) DABHUPADA • વિધિ સહિત) કરણેણું, વિસલ્લીકરણ, પાવાણું કમ્માણ નિષ્ણાયણએ, ઠામિ કાઉસ્સગ્ગ, ૧, –અન્નત્થ સૂત્ર અન્નત્થ ઊસિએણે, નીસિએણું, ખાસિએણું, છીએણું જભાઈએણું, ઉઈએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ, ૧. સુહુહિં અંગસંચાલેહિં, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમેહિં દિસિંચાલેહિં. ૨. એવામાઇએહિં, આગારેહિં અભાગે અવિરહિએ હુજ મે કાઉસ્સગે. ૩. જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ, ૪. તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝાણેણં અપાણે સિરામિ. પ. અહિં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમલયરા” સુધી નીચે મુજબ કરો. –લેગસ સૂત્ર લેગસ્સ ઉmઅગર, ધમ્મતિથયરે જિણે; અરિહતે કિતઇલ્સ, ચઉવીસં પિ કેવલી. ૧, ઉસભામજિયં ચ વદે, સંભવમભિખુંદણું ચ સુમઈ ચ; પઉમ૫૯ સુપાસે, જિણું ચ ચંદાપર્ણ વદે, ૨. સુવિહિં ચ પુષ્કૃતં સીઅલસિજસ વાસુપુજજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરે ચ મહ્નિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિનેમિં, પાસ તહ વદ્ધમાણુ ચ. ૪. એવં એ અભિથુઆ, વિહુયાયમલા પછીણુજરમરણા; ચકવીસ પિ જિણવર, તિસ્થય મે પસીયંતુ૫. કિરિય વિદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બેહિલાભ, સમાણિવરમુત્તમ gિ, ૬ચંદેસુ નિર્મલયર, Page #48 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ કરી આની પ B) પછી “નમે અરિહંતાણું” બોલીને મારીને નીચે મુજબ પ્રગટ લેગસ સૂત્ર બેલવું. લેગસ્સ ઉજજે અગરે, ધમ્મતિવૈયરે જિણે; અરિહતે કિસ્સે, ચઉવી સંપિ કેવલી. ૧. ઉસભામજિઆં ચ વંદે, . સંભવમમિણુંદણું ચ સુમઈ ચ; પમપણું સુપાસે જિણ, ચ ચંદહ વંદે. ૨. સુવિહિં ચ પુદંત, સીઅલ સિજજસ વાસુપુજજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ, ૩, કુંથું અરે ચ મદ્ધિ, વંદે મુણિસુવયં નમિજિણું ચ; વંદામિ રિનેમિં, પાસં તહ વદ્ધમાણુ ચ. ૪, એવં એ અભિયુઆ, વિહુયર્યમેલા પહીણ જમરણા; ચઉવીસં પિ જિણવ, તિસ્થયરા મે પસીયંસુ. ૫. કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા, આસગ્ન બેહિલાભ, સમાહિવરમુત્તમં કિંતુ. . ચંદેસુ નિમ્મલયા, આઈએસુ અહિયં પયાસયા, સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭, ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજ્જાએ, નિસીહિએ, મત્થણ વંદામિ. ઇચછાકારેણ સંદિસહ ભગવન! સામાયિક મુહપત્તી પડિલેહું? ઇચછે. કહી, ૫૦ બેલ આવડતા હોય તેણે બેલ બોલવા સાથે મુહપત્તી પડિલેહવી. મુહપત્તી પડિલેહ્યા પછી નીચે મુજબ ખમાસમણ દેવું. ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ, મથએણુ વંદામિ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક સંદિસાહું? ઇચ્છ, Page #49 -------------------------------------------------------------------------- ________________ NIZE ઇચ્છામિ ખમાસમણેા! વ"દિ હિએ, મથએણ દામિ. ઇચ્છાકારેણ સ`સિહ ભગવન! સામાયિક હાઉ'? ઇચ્છ મેાલીને બે હાથ જોડી નીચે મુજબ નવકાર ગણવે. નમેા અરિહંતાણ’, તમેા સિદ્ધાણં, તમે આયરિયાણુ, નમા ઉવજ્ઝાયાણં, નમેા લાએ સવ્વસાહૂણ', અસા પંચનમુક્કારો, સવ્વપાવપણાસણા, મ`ગલાણ ચ સન્વેસિં, પઢમ હવઇ મગલ. ઇચ્છકારી ભગવન! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવાજી. (ગુરુ, વ્રતધારી પુરુષ અથવા તા કાઈ વડીલ પુરુષ હેાય તેા તે નીચેના પાઠ સંભળાવે–ઉચ્ચરાવે, નહિતર જાતે કરેમિ ભંતે’ ના પાઠ નીચે મુજબ ખેાલે.) • વિધિ સહિત જાવણિજ્જાએ નિસી કરેમિભત્તે સૂત્ર કરેમિ ભંતે સામાઈય, સાવજ્જ' જોગ' પચ્ચક્ ખામિ, જાવ નિયમ' પળુવાસામિ, દુવિહ* તિવિહેણ, મણેણ વાયાએ કાએણ', ન કરેમિ. ન કારવેમિ, તસ્સ ભતે પડિ#મામિ, નિંદ્રામિ, ગરિહામિ, પાણ વાસિરામિ. ઇચ્છામિ ખમાસમણા ! 'ઉ' જાણિજ્જાએ નિસીહિઆએ, મત્થએણુ વામિ. ( હવે નીચે બેસવા માટે ગુરુની પાસે આજ્ઞા માગે) ઇચ્છાકારેણ સંસિહ ભગવન્! બેસણું સદિસાહું Jy.. ઇચ્છામિ ખમાસમણેા ! '' જાણિજ્જાએ નિસીહિઆએ, મત્થએણુ વદામિ. Paretstat 21. Page #50 -------------------------------------------------------------------------- ________________ : : 1: : જોઇને , , * ) : : : : - irril સંવછરી પ્રતિક્રમણ છે કે સિદ્ધ છે. ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસણે હાઉસ? ઇચ્છ. ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ, મત્થણ વંદામિ. (સ્વાધ્યાય માટે ગુરુ આજ્ઞા માગે) ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સક્ઝાય સંકિસાવું? ઇચ્છ. ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજાએ નિસીહિઆએ મત્થણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સક્ઝાય કરું? ઇ. (અહિં બે હાથ જોડીને નીચેનો નવકારમંત્રને પાઠ ત્રણ વખત બોલ.). નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણું, નમે ઉવક્ઝાયાણ, નમે એ સવસાહૂણ, એસો પંચનમુક્કારે, સવપાવપણાસણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ પછી પાણી વાપર્યું હોય તો મુહપત્તી પડિલેહવી અને આહાર વાપર્યો હોય, તો વાંદણ બે વખત દેવાં, તે નીચે પ્રમાણે સુગુરુવંદનસૂત્ર (પહેલી વાર) ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિએ. ૧. અણુજાણહ મે મિઉગતું, ૨,નિસીહિઅહેકાયંકાય-સંફાસંખમણિ ભે! કિલામ, અપલિંતાણું બહુસુભેણ બે દિવસે વધતો? ૩. જતા ભે ૪. જવાણિજ Page #51 -------------------------------------------------------------------------- ________________ _BJP ADDDESS • વિધિ સહિત 5 ચ બે પ. ખામેમિ ખમાસમણે!દેવસિ વઇકમ્મ ૬. આવક્સિઆએ પડિમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાચણાએ તિત્તીસાયરાએ, જ કિચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુકડાએ, કાયદુકડાએ. કેહાએ, માણાએ, માયાએ, લેભાએ, સલ્વકાલિઆએ, સવ્યમિચ્છાવયારાએ, સવધસ્માઇક્રમણએ, આસાયણુએ જે મે આઇઆરો, ક, તસ્સ ખમાસમણ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ અપાયું સિરામિ ૭. સુગુરુવંદન (બીજી વાર ) ઇરછામિ ખમાસમણે! વદિઉં જાવણિજાએ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહ. ર, નિશીહિ, અહેકાય કાય–સંફાસ ખમણિ ભે! કિલામાં અપલિંતાણું બહુ સુભેણ ભે? દિવસો વર્ક? ૩. જરા ભે? ૪. જવાણિજ ચ ભે? ૫. ખામેમિ ખમાસમણે ! દેવસિએ વઇકસ્મૃ. ૬. પડિમામિ ખમાસમણાણું દેવસિઆએ આસયણએ તિત્તીસગ્નયાએ જ કિચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુકડા, કાયદુકડાએ, કેહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સલ્વમિછાવયારાએ, સવ્વધમ્માઇક્રમણાઓ, આસાયણાએ જે મે અઇયાર કઓ તસ્સ ખમાસમણો! પડિમામિ નિંદામિ ગરિફામિ અખ્ખાણું . વસિરામિ. ૭. ઈચ્છકારી ભગવાન ! પસાય કરી પચ્ચખાણને આદેશ દેશેાજી. Page #52 -------------------------------------------------------------------------- ________________ *સંવચ્છરી પ્રતિક્રમણ 403Mpલ ) પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં રાતના પચ્ચક્ખાણ કરવાનાં હોય છે. એથી કરીને અહીં “પચ્ચક્ખાણ આવશ્યક’ કરી લેવામાં આવે છે. પરફખાણે નીચે મુજબ છે. સૂર્યાસ્ત પછી કરવાનાં પચ્ચખાણે સામાન્ય સૂચના:-ન્હાની કે હેાટી–એટલે બેસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વગેરે કોઈ પણ પ્રકારની તપસ્યા કરનારાઓ માટે, નીચેનાં બે પચ્ચક્ખાણો બે હાથ જોડી કરવાનાં હોય છે. ગુરુદેવ હેય તે તેમની પાસે જ કરે; નહીંતર વડીલ પાસે કરવું, છેવટે પોતે કરી લેવું. અનાજ અને પાણી વગેરેના સંપૂર્ણ ત્યાગવાળે “ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો “સૂરે ઉગ્ગએ ચઉવિહાર” થી ઓળખાતું નીચેનું પચ્ચખાણ કરવું. સૂરે ઉગ્ગએ ચઉવિહાર–ઉપવાસના પચ્ચક્ખાણનો પાઠ સૂરે ઉગ્ગએ અભત્ત પચ્ચકખાઈ, ચઉન્વિીંપિ આહારં, અસણું પાણું ખાઈમ સાઈઝં ૧. “ચઉવિહાર” આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત “ચતુર્વિધ આહાર થાય અને તેનું ગુજરાતી રૂપ “ચાર પ્રકારને અંહાર” થાય. એ ચાર પ્રકારના આહારને જેમાં ત્યાગ સૂચિત થતો હોય તે પાઠને, કે તે વ્રતને ચઉવિહાર ઉપવાસ કહેવાય છે. ચાર પ્રકારને આહાર કયો? ૧. અશન તમામ પ્રકારના ભોજનના પદાર્થો, ૨. પાણ= પાણીથી તમામ પ્રકારના પિય-પ્રવાહીદ્રવ્ય, ૩. ખાદિમ–તમામ પ્રકારના બદામ વગેરે સુકા મેવાઓ, ૪. સ્વાદિમ=એટલે એલાયચી, લવીંગ આદિ મુખવાસની ચીજે. પ્રાયઃ વિશ્વના ખાઘ–પેયાદિ તમામ પદાર્થોને ઉક્ત ચારે જાતોમાં સમાવેશ થઈ જાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ f૧૦ ) લિDATED EVEN •વિધિ સહિત અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાતિવત્તિયાગારેણું, સિરઈ (–સિરે) સૂચના:-પાણું પીવાની છૂટ રાખીને ઉપવાસ કર્યો હોય. તેમજ આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું વગેરે તપશ્ચર્યા કરી હેય, તે સહુએ પાણી પીવાની રાખેલી છૂટ સૂર્યાસ્ત થયા બાદ બંધ કરવાની હોવાથી “પાણહાર” શબ્દથી ઓળખાતું નીચેનું પચ્ચક્ખાણ કરવાનું હોય છે. પાણહાર પચ્ચખાણુને પાઠ પાણહાર, દિવસચરિમ પચ્ચખાઈ,– અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણું, સિરઈ. સામાન્ય સૂચના:-કેઇપણ પ્રકારની તપશ્ચર્યા કરી ન હોય, છૂટું જ મોટું રાખ્યું હોય તે તેને પ્રતિક્રમણ ક્રિયાને નિયમ મુજબ કંઈ ને કંઈ “પચ્ચક્ખાણુ”-નિયમ કરવો પડે છે; તો તેને ત્રણ પ્રકારના પચ્ચકખાણેમાંથી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એક પચ્ચક્ખાણ કરવાનું હોય છે. ૧. ચઉવિહાર, ૨. તિવિહાર કે ૩. દુવિહાર. પેટા સૂચના:-જે લેકે છૂટે મોઢે (તપસ્યા વિનાના) છે, - ૨. ઉત્કૃષ્ટ વિધિએ તો તપસ્યા કરનારા આત્માઓએ સૂર્યાસ્ત અગાઉ બે ઘડી (૪૮ મીનીટ) બાકી હોય ત્યારે પાણે વાપરી (પી) લેવું જોઈએ. ૩. બેસણુથી ઓછા તપને “તપ”ના વિશિષ્ટ અર્થમાં “તપ” નથી કહ્યો. તેથી નવકારસી પિરસી આદિ કરનારા અથવા નહીં કરનારા માટે ઉપરનું કથન છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ - - - - •સંવચ્છરી પ્રતિક્રમણ JETALP) તેમણે દિવસ દરમિયાન આહાર-પાણું વગેરેની જે છૂટ રાખી હતી તે સૂર્યાસ્ત પછીથી લઈને સવારના સૂર્યોદય થતા સુધીના સમય માટે બંધ કરવાની હોય છે. તે માટે “ચઉવિહાર” થી ઓળખાતા નીચેને પાઠ હાથ જોડી બોલવાને કે સાંભળવાને હેાય છે. ચઉવિહાર પચ્ચખાણને પાઠ દિવસચરિમ પચ્ચખાઈ– ચઉāિહપિ આહારં–અસણું પાસું ખાઈમ ટાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાવિત્તિયાગારેણું સિરઈ. સૂચના:-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર જાતના ભોજ્ય અને પેય પદાર્થોમાં વિશ્વના (પ્રાયઃ) તમામ ભોજ્ય-પેય પદાર્થો આવી જાય છે. અહીં કોઈ વ્યક્તિને રાતે પાણી પીવાની છૂટ રાખવી છે, કારણ કે એના વિના તે રહી શકે તેમ નથી. એટલે તે બાકીના અશન, ખાદિમ, સ્વાદિમ આ ત્રણ જ પદાર્થોને ત્યાગ રાજીખુશીથી કરવા ઈચ્છે છે, એટલે તેને માત્ર પાણીની છૂટવાળું નીચેનું “તિવિહાર' (ત્રણ આહારનો ત્યાગવાળું) થી ઓળખાતું પરફખાણ કરવાનું હોય છે. તિવિહાર પચ્ચખાણને પાઠ દિવસચરિમં પચ્ચકખાઈ – તિવિપિ આહાર-અસણું ખાઈમ સાઈમં અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું, વોસિરઈ. Page #55 -------------------------------------------------------------------------- ________________ LWADA DED વિધિ સહિત) સૂચના:-કોઈને 8 શારીરિક કે માનસિક બિમારીના કારણે નિર્દોષ દવા કે મુખવાસ લેવું પડે તેમ હોય છે, તેવાઓએ બે (અશન અને ખાદિમ) પ્રકારના આહારનો ત્યાગ કરીને પાણી અને સ્વાદિમ એટલે કે મુખવાસ વગેરેની છૂટ રાખીને દુવિહારથી ઓળખાતું પચ્ચખાણ કરવાનું હોય છે, જેને પાઠ નીચે મુજબ છે – દુવિહાર પચ્ચક્ખાણુને પાઠ દિવસચરિમં પચ્ચખાઈ– દુવિહં પિ આહારં અસણું ખાઈમ અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઈ. અહીંઆ પહેલું “સામાયિક આવશ્યક અને છ પરચફખાણ આવશ્યક આ બંનેની આરાધના થઈ ગઈ. સામાયિક લીધા બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. જો કે એને ખરો પ્રારંભ તે ચાર થેય પૂરી થયા બાદ ઠાવવાને વિધિ થશે ત્યારથી થવાને છે. આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ મંગલ નિમિત્તે “ચૈત્યવંદન” થી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. એ માટે ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને “દેવવંદન” પણ કહી શકાય. ૪. તથા પ્રકારના રેગાદિકના કારણે જ આ છૂટ છે. સશક્ત અને નીરોગી માણસેએ છૂટ લેવી યંગ્ય નથી. બાકી વિશેષ ગુરુગમથી જાણું લેવું. Page #56 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ થ ઇ જેની અંદર ૨૪ તીર્થકરદેવ વગેરેની સ્તુતિ રહેલી છે. તે “સકલાર્વતને સ્તુતિ પાઠ અહીં પ્રારંભમાં બલવાને છે. અહીંઆ ચરવાવાળાઓએ ઊભા થઈ શરીર આસન વગેરેને પુંજીને પછી (અને ચરવાલા વગરના ભાઈ–બહેનોએ બેઠા બેઠા જ) એક ખમાસમણ દેવું. એ દઈને ડાબો પગ ઊભો કરી, યોગમુદ્રાની જેમ (જુઓ ચિત્ર પૃ. ૧૬) પેટ ઉપર બે કાણુઓ રાખી, હાથમાં મુહપત્તી રાખી, જોડેલા બન્ને હાથો મુખ આગળ રાખી, એકાગ્રચિત્તથી “સકલાહ ” થી ઓળખાતું ચૈત્યવંદન કરવાનું છે. તે પહેલાં દરેક ચૈત્યવંદન બોલવા અગાઉ વિશિષ્ટ મંગલાચરણ તરીકે બોલાતી “સકલકુશલવલ્લી” આ પંક્તિથી શરૂ થતી શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ બોલવી. દષ્ટિ સ્થાપનાચાર્યજી ઉપર અથવા દૂરવાળાએ સ્થાપનાજીની દિશા તરફ અથવા નાસિકાના ૫. બાર મહિને એકાદ દિવસ પ્રતિક્રમણ કરવા આવનારા મહાનુભાવ આ ક્રિયાનાં રહસ્ય કે રીતભાતથી અણજાણ હોય છે, તેથી આ ક્રિયા દરમિયાન કેમ બેસવું, ઉભા રહેવું કે વર્તવું, કઈ મુદ્રાથી કઈ ક્રિયા કરવી એને લગભગ કશો ખ્યાલ નથી હોતો, એટલે ચરવાવાળા ભાઈઓને જોઈને તેઓ પણ ઊભા થઈ ઊંચા થઈ ખમાસમણ કે અન્ય ક્રિયાઓ કરવા મંડી જાય છે. કટાસણું ઉપર ઉભડક થઈ પેઠેથી–મુલાથી ઉંચા થઈ જાય છે. પણ નિયમ એવો છે કે ચરવલે જેમની પાસે ન હોય તેનાથી પાછળના થાપાથી ઉંચા થવાય નહીં પગ ઊંચે નીચે કરી શકાય નહીં. સર્વથા જમીનથી ઊંચા ન જ થવાય. તો પછી ઊભા થવાની કે ચાલવાની વાત જ કયાંથી હોય. માટે ચરવળા વગરના ભાઈઓએ આ વાત ભૂલવી ઘટે નહીં. અન્યથા વ્રતભંગ થવા પામે છે ને તેથી દોષ લાગે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧૪)ઝીy LADESH - વિધિ સહિત અગ્રભાગે રાખવી. એકાગ્રતા ટકાવવા માટે દૃષ્ટિને આડી અવળી જ્યાં ત્યાં ચંચળપણે ભમાવવી નહીં. ખમાસમણું સૂત્ર (ભનંદન) ઇચછામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મત્યએણુ વંદામિ. આ બેલીને, જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કલ્પ માટે આદેશ–અનુજ્ઞા માગવા નીચે મુજબ પાઠ બેલવાને છે. ઇચ્છાકારેણ સંસિહ ભગવાન ! ચૈત્યવંદન કરશે? ,” કહી નીચે મુજબ ચૈત્યવંદન કરે. ૬. આ પુસ્તિકામાં આપેલ વિધિ મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકાના માટેને છે. એથી અહીં એ બાબતને લક્ષ્યમાં રાખીને વિધિ બતાવ્યો છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે એકલા સાધુ-સાધ્વીજીઓ પ્રતિક્રમણ કરતા હોય ( અથવા તો તેમની સાથે શ્રાવક-શ્રાવિકા જોડાએલા હોય) ત્યારે આદેશો માગવાના પ્રસંગે બે વાર આદેશ માગવામાં આવે છે. પ્રથમ આદેશ સ્થાપનાચાર્યજી સમક્ષ ગુરુ-વડીલ માગે અને પછી એ જ આદેશ શિષ્ય માગે તે પછી જ સૂત્ર બેલાય, પણ માત્ર શ્રાવક કે શ્રાવિકાઓ પ્રતિક્રમણ કરતા હોય ત્યારે ગુરુ-શિષ્યની જેમ બે વાર આદેશ માગવાને નથી હોતા, એમ વૃદ્ધો પાસેથી જાણવા મળ્યું છે એટલે અહીં એક જ વારનો આદેશ છે. જો કે આ વિધિમાં ક્યાંક સાધુ-સાધ્વીજી માટે વિધિ બતાવ્યું છે ખરે, પણ તે શ્રાવકોને સાધુઓના વિધિની સમજણ મળે તે ખાતર આપ્યા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ નીકળી જ ૧પ શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. (ચૈત્યવંદન સમુદાયમાંની એગ્ય વડીલ વ્યક્તિએ બેસવું) સકલકુશલવલી–પુષ્કરવત મે - દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષેપમાન: ભવજલનિધિપતઃ સર્વસંપત્તિ હેતુ , સભવતુ સતતં વ: શ્રેયસે શાતિનાથ: શ્રેયસે પાશ્વનાથ: સકેલાડીં–ચૈત્યવંદન (૨૪ તીર્થંકરાદિની સ્તુતિ) સકલાડહતપ્રતિષ્ઠાન-મધિષ્ઠાન શિવપ્રિય; ભૂર્ભુવ: સ્વ: ત્રીશાન-માહિત્યં પ્રસિદભહે. ૧ નામાકૃતિદ્રવ્યભા:, પુનત: ત્રિજગજનમ; ક્ષેત્રે કાલે ચ સવ્વમિન-નહત: સમુપાસ્મહે. ૨ આદિમં પ્રથિવીનાથ-મામિ નિષ્પરિગ્રહમ; આદિમંતીથનાથં ચ ઋષભસ્વામિનં સુમ, ૩ અહમજિત વિશ્વ-કમલાકરભાસ્કરમ, અમ્લાનકેવલાદ–સંક્રાન્તજગત જુવે. ૪ વિશ્વભવ્યજનારામ-કુલ્ચાતુલ્યા જયંતિ તા: ' દેશના સમયે વાચ, શ્રીસંભવજગત્પ: ૫ અનેકાન્તમતાંધિ–સમુલાસન ચંદ્રમા: દઘાદમદમાનંદ, ભગવાનભિનંદન: ૬ ૭. પ્રાચીન સમાચારીમાં આ બેલાતું ન હતું. Page #59 -------------------------------------------------------------------------- ________________ WDPEDVER •વિધિ સહિત ના - - - - - = =+ - - - - - ઘુસકિરીટાણુગ્રો – જિતાંધિનખાવલિઃ; ભગવાન સુમતિસ્વામી, તત્વભિમતાનિ વ: ૭ પદ્મપ્રભપ્રભેદેહભાસ: પુણતુ વ: શ્રિયમ; અંતરંગારિમથને, કે પાપાદિવાસણા શ્રીસુપાશ્વજિનેવાય, મહેંદ્રમહિતાંઘ; નશ્ચિતુવર્ણસંઘ–ાગનાગભાસ્વતે. ૯ ચંદ્રપ્રભપ્રશ્ચંદ્ર—મરીચિનિચજવલા; મૂર્તિમૂતસિતધ્યાન-નિર્મિતેવ શ્રિયેસ્તુ વ: ૧૦ કરામલકવતિર્ધા, કલયન કેવલઢિયા; અચિંત્યમાહાસ્યનિધિ: સુવિધિબેંધયેસ્તુ વ: ૧૧ સન્ધાનાં પરમાનંદ– ક દનવાબુદ: સ્યાદ્વાદામૃતનિસ્યદી, શીતલ: પાતુ જિન: ૧૨ ભવગાજતૂના–મગદંકારદશન: નિઃશ્રેયસશ્રીરમણ, શ્રેયાંસ, શ્રેયસેડડુ વ: ૧૩ વિથોપકારકીભૂત–તીથકૃત્કર્મનિર્મિતિઃ; સુરાસુરનર: પૂજ્ય, વાસુપૂજ્ય: પુનાતુ વા, ૧૪ વિમલસ્વામિને વાચા, કતદસેદરા જયંતિ ત્રિજગતો—જલને મલ્યહેતવ: ૧૫ સ્વયંભૂરમણસ્પદ્ધિ-કરુણારસવારિણા; અનંતજિદગંતાં વ: પ્રયરછતુ સુખશ્રિયમ. ૧૬ કલ્પકમ ધર્માણ–મિષ્ટ પ્રા શરીરિણામ; ચતુદ્ધ ધમ્મદેષ્ટાર, ધમ્મનાથમપાસ્મહે ૧૭, સુધારવા સ્ના-નિમલીકૃતદિભુખ; મૃગલક્ષ્માતમ શાંત્યે શાંતિનાથજિતુ વ: ૧૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ चैत्यवंदनना प्रारंभथी 'उवसग्गहरं सुधीनी- जयवीयराय ! थी आभवम-सुधी, मुक्ताशुक्तिमुद्रा! 'योगमुद्रा' चैत्यवंदननी आसन- मुद्रा वारिज्जइ थी 'जैनं जयति शासनमा सुधी. अर्धा जयवीयराय बोल्या पछीनी हाथनी मुद्रा. .च. ४-५-६-७ ain Education International जयवीयराय वरखतनी मुद्रा. (1) उभा रहीने प्रतिक्रमण करनारे चित्र मुजब मुद्राने जाळवी ऊभा रहेधुं પ્રતિક્રમણમાં ઊભા રહી વધુ ચરવલા મુહપત્તી કેમ રાખવાં તે જુએ Page #61 -------------------------------------------------------------------------- ________________ વિ. વિ. ૮ प्रतिक्रमणमां बेठा हो त्यारे. प्रतिक्रमणमा काळवरखते माथे कामळी ओढीने जजो. बेहाय जोडी,एकाग्र चित्तराखी प्रतिक्रमण करखु. काळवरखते लघुनीति - पेसाब वगेरे कारणे खुल्ला आकाशम जर्बु पडे त्यारे,चित्रमा बताव्यामुजब माथे कामळी ओढीने जर्बु માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામલીનો કાલ થઈ ગયા હોય (મુંબઇમાં હો અને ૪ વાગી ગયા હોય) ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે, કામલી એાઢીને જ માતરૂં જવું જોઇએ. કામલી ભૂલી ગયા હોય તો કોઇની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંઘે એાઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખેસવી, ચરવલ બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઈ નાંખવા. Page #62 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરીપ્રતિક્રમણ શ્રી કુ'થુનાથા ભગવાન, સનાથાઽતિશયદ્ધિભિ:: સુરાસુરનુનાથાના-મેકનાથાસ્તુ વ: ત્રિસે. ૧૯ અરનાથસ્તુ ભગવાં—શ્ચતુર્થારનભેારિવ:; તુમ ૨૨ ચતુ પુરુષાથ શ્રી—વિલાસ વિતનેાતુ વ २० સુરાસુરનરાધીશ—મયૂરનવવામિ ; ક ઝૂન્મૂલને હસ્તિ,—માં મુસ્લિમભિષ્ટમ: ૨૧ જગન્મહામેાહનિદ્રા,—પ્રત્યૂષસમસ્યાપમમ ; મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન લુતા નમતાં મૂધ્નિ, નિલીકારકારમ્; વારિપ્લવા ઈવ નમે:, પાંતુ પાદનખાંશવ, ૨૩ યશસમુદ્દેન્દ”, કકક્ષહુતાશન; અરિષ્ટનેમિભગવાન, ભૂયાદ્ વાર્િષ્ટનાશન: ૨૪ કઠે ધરણેન્દ્રે ચ, સ્વાચિત' કમ કૃતિ; પ્રભુસ્તુલ્યમને વૃત્તિ:, પાર્શ્વનાથ:શ્રિયેઽસ્તુ વ ૨૫ શ્રીમતે વીરનાથાય, સનાથાયાદ્ભુતશ્રિયા; મહાન સારાજ—મરાલાયા તે કૃતાપરાધેપિ જ, કૃપામ થરતાયે.;; યાષ્પા ચાલવું, શ્રીવીરજિનનેત્રયા: ૨૭ નમ ૨૬ જયતિ વિજિતાન્યતેજા:, સુરાસુરાધીશસેવિત: શ્રીમાન્; વિમલસાસવિરહિત-મિજીવનચૂડામણિભગવાન, ૨૮ વીર: સ`સુરાસુરે મહિાવીર બુધા સશ્રિતા, વીરેણાભિહત: સ્વકનિશ્ચયેા વીરાય નિત્ય નમ:, વીરાત્તીથ`મિદ્ર' પ્રવૃત્તમનુલ, વીરસ્ય ધાર” તા, વીરે શ્રીધૃતિકીર્તિકાંતિનિશ્ચય:, શ્રીવીર ! ભદ્ર” શિ. ૨૯ ૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧ WE વિધિ સહિત અવનિતલગતાનાં, કૃત્રિમાઽકૃત્રિમાનાં, વરભવનગતાનાં દ્વિવ્યવૈમાનિકાનામ્; હ મનુજ—કૃતાનાં દેવરાજાર્ચિતાનાં, જિનવભવનાનાં ભાવતા હું નમામિ, ૩૦ સવેષાં વેધસામાદ્ય-માદિમ‘ પરમેષ્ઠિનામ ; ; દેવાધિદેવ સજ્ઞં, શ્રવીર પ્રણિદમ્હે. ૩૧ ઢવાનેકભવાજિતાર્જિતમહાપાપપ્રદીપાનલે, દેવ: સિદ્ધિવપૂવિશાલહ્યા લંકારહાર પમ; વાડા શઢાષસિન્ધુરઘટાનિભે પંચાનન, ભવ્યાનાં વિધાતુ વાંછિતલ શ્રીવીતરાગા જિન:, ૩ર ખ્યાતાઽષ્ટાપદ્રુપતા ગજપદ્મ: સમ્મેતશૈલાભિધ:, શ્રીમાન રૈવતક: પ્રસિદ્ધમહિમા શત્રુંજયા મડપ:; વૈભાર: કનકાચલા ગિરિ: શ્રીચિત્રકૂટાયસ્તત્ર શ્રીૠષભા। જિનવરા:, કુવતુ વા માઁગલમ ૩૩ * કિંચિ ( ત્રિલાવતી જિનબિંબેને વદના) જ‘કિંચિ નામતિત્વ', સન્ગે પાયાલિ માજીસે લાએ; જાઈ જિમિષા, તાઈ સલ્વા વામિ. ૧ સૂચના:—ઉપરનું સૂત્ર પૂરું થતાં, અહીંઆ ચૈત્યવંદન ખાલનાર ગુરુ શ્રી સ્વયં પ્રતિક્રમણ ભણાવવા માગતા હાય તો તે પાતે જ ભણાવી શકે. નહીંતર શિષ્યા આદેશ માગે અને ગુરુ જેને આજ્ઞા આપે તે તત્તિ’ કહીને ખેાલે, ગુરુની ગેરહાજરી હેાય અને શ્રાવક * ઘણીવાર ૩૧ મી ગાથા સુધી પણ આ સ્તુતિ ખાલી, જકિચિ’ ખેાલાય છે. સ્તાત્રમાં સધિના નિયમ જાળવ્યેા નથી. *** Page #64 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ કરી P) શ્રાવિકા જ માત્ર હોય તે ત્યાં પણ તે રીતે સમજવું. એટલે કે મુખ્ય વ્યક્તિ હોય તો તે બેલે કાં અન્ય વ્યકિત રજા લઈને બેલે. જેનો ઉચ્ચાર શુદ્ધ હેાય, સારો-હેટો અવાજ હોય, સૂત્રે શુદ્ધ આવઠતાં હોય અને ક્રિયાને થોડો અનુભવી પણ હોય, તેવા મહાનુભાવોએ આદેશ માગ એગ્ય છે. આપનારે પણ સમજીને આજ્ઞા કરવી એગ્ય છે. નમુત્થણું સૂત્ર (અરિહતિની પ્રાર્થના) નમુત્યુનું અરિહંતાણં ભગવંતાણું (૧) આઈગરાણું, તિસ્થયાણુ, સયંસંબુદ્વાણું (૨) પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરિઆણું, પુરિવરગંધહસ્થીણું (૩) લગુત્તમાણું, લગનાહાણું, લેગહિઆણું, લેગાઈવાણું, લેગપmઅગાણું (૪). અભયલ્યાણ, ચક્ખુયાણું મમ્મયાણું, સરણયાણું બહિયાણું (૫). ધમ્મયાણું, ધમ્મદેસયાણું, ધમનાયગાણું ધમ્મસારહીણ, ધમ્મવરઆઉતચકવણું (૬), અપડિહયવર–નાણ-સણધણું વિઅછઉમાણું (૭). જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું; બુદ્વાણ બહયાણ, મુત્તાણું માંઅગાણું (૮), સવનૂણ, સવદરિસી, સિવ–મયલ-અરુ–મણુતમખય-મન્હાબાહ–મપુણરવિત્તિ-સિદ્ધિગઈનામધેય ઠાણું સપત્તાણું, નમે જિણાણુ જિઅભયાણું (૯), જે આ આઈઆ સિદ્ધા, જે આ વિસ્મૃતિ ગએ કાલે; સંપાઈ આ વટ્ટમાણા, સબ્ધ તિવિહેણ વંદામિ (૧૦). ૭. આનું બીજું નામ “શક્રસ્તવ' છે. ઇન્દ્ર દ્વારા કરાતી અરિહંતની પ્રાર્થનાના કારણે આ નામ પ્રસિદ્ધિને પામ્યું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ - TOP WDPSEASE •વિધિ સહિત સૂચના:–અનુકૂળતા હેય તો ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. અને બધી ક્રિયા બને ત્યાં સુધી ઊભા ઊભા કરવા ઉપયોગ રાખો. ચરવળા વિનાના હોય તેઓએ ડાબો પગ પ્રથમ હતો તે રીતે કરી નાંખો. અર્થાત પલાંઠી વાળવી. ઊભા થયા બાદ નીચેનાં સૂત્રે બેલીને એક નવકારને કાઉસગ્ગ કરો (જુઓ ચિત્ર નં.૩). આરહંત ચેઈયાણું સૂત્ર ( સ્તવ) (જિનપ્રતિમા સ્તુતિ) અરિહંતચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ (૧). વંદણવત્તિઓએ, પૂઅણુવત્તિઓએ, સકારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બહિલાભવરિઆએ, નિવસગવરિઆએ (૨), સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ, વડુંમાણીએ; કામિ કાઉસ્સગ્ગ (૩). અશ્વત્થ સૂત્ર (કાયેત્સર્ગ સૂત્ર) અશ્વત્થ ઊસિએણું, નસસિએણ, ખાસિએણે, છીએણું, જે ભાઈએણું, ઉડ્ડએણું, વાય-નિસણું ભમલીએ, પિત્તમુછાએ (૧). સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિસિંચાલેહિં (૨). એવમાઈહિં આગાહિં, અભી અવિરહિએ, હુજ મે કાઉસ્સગે (૩). જાવ અહિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ (૪). તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝાણેણં, અખાણું સિરામિ (૫). સૂચના:-અહીંઆ મનમાં, હાલ્યા ચાલ્યા વિના, આડું અવળું જોયા વિના શાંતિથી એકાગ્ર મને એક નવકારનો કાઉસ્સગ્ગ કરો. તે નીચે મુજબ Page #66 -------------------------------------------------------------------------- ________________ NEXT સંવચ્છરી પ્રતિક્રમણ કfી કાળા 3ી ) નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમો આયરિયાણં, નમે ઉવક્ઝાયાણું, નમે લોએ સવ્વસાહૂણ, એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણુણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ, અહીંઆ કાઉસ્સગ્ગ, થેય સાંભળીને પારવાને હેવાથી જે વ્યક્તિને “સ્નાતસ્યા–ની સ્તુતિ બલવાની હોય તે પારે. બાકીના કોઈએ પારવો નહીં. થેય બેલનાર વ્યક્તિ નીચે મુજબ “નમેહંત બેલી, બે હાથ જોડી થેય બોલે. અને બીજા કાને સાંભળે. તે સાંભળ્યા બાદ સહુએ પાર. નમેહંત સૂત્ર (પંચ પરમેષ્ઠિને નમસ્કારરૂપ) નમહંતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુલ્ય: સ્નાતસ્યાની પ્રથમ સ્તુતિ (શ્રી મહાવીર સ્તુતિ) (શાર્દૂલવિક્રીડિત) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેશિખરે, શય્યા વિઃ શિવે, રૂપાલેકનવિસ્મયાહતરસ–બ્રાંત્યા ભ્રમરચક્ષુષા; ૮. કઈ પણ શેયજેડા (સ્તુતિ-ચતુષ્ક)–માં સામાન્ય રીતે એવો નિયમ નકકી થયેલ છે કે પહેલી સ્તુતિ કઈ પણ એક તીર્થકરને કે કઈ એક વસ્તુને ઉદ્દેશીને રચવામાં આવે છે. બીજી સ્તુતિ એકથી અનેક તીર્થકરને કે એકથી અનેક વસ્તુઓને ઉદ્દેશીને હોય છે. ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનને લગતી હોય છે. અને એથી સમ્યગ્રષ્ટિ દેવ દેવીને લગતી હોય છે. બહુધા આ નિયમનું પાલન થતું આવ્યું છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ % 9 DAD0JES • વિધિ સહિત ઉભૃષ્ટ નયનપ્રભાધવલિત ક્ષીરેદકાશંકયા, વä યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રીદ્ધમાને જિના. ૧ સૂચના:–સ્તુતિ બોલનાર સ્તુતિ પૂરી કરે એટલે કાઉસ્સગ કરનાર સહુ ધીમા અવાજે “નમો અરિહંતાણું' બોલીને પારી લે એટલે બે હાથ ઉંચા કરી બે હાથ જોડી આગળનાં સૂત્રોનું ભાવપૂર્વક શ્રવણ કરે. પછી લોગસ્સ (૨૪ તીર્થકરેની સ્તુતિ) લેગસ્સ ઉmઅગરે, ધમ્મતિસ્થય જિણે; અરિહતે કિઈલ્સ, ચઉવીસપિ કેવલી. ૧ ઉસભામજિઆંચ વદે, સંભવમભિચ સુમઇ ચ; પઉમપણું સુપાસ, જિણું ચ ચંપાં વંદે ૨ સુવિહિં ચ પુષ્કત, સીઅલ સિજસ વાસુપુજજ ચ; વિમલમણુત થ જિર્ણ, ધમ્મ સંતિ ચ વલામિ. ૩ શું અર ચ મહ્નિ, વંદે મુણિસુન્વયં નમિજિણું થ; વામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆવિહુયરયમલા પહણજરમરણ; ચઉવીસપિ જિણવર, તિસ્થય મે પસીયતુ. ૫ કિત્તિયચંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગબેહિલાભ, સમાણિવર મુત્તમ દિg ૬ ચંદસુ નિમ્મલયર, આઈએસ અહિય પયાસયરા; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ અરિહંત ચેઈઆણું , સવ્વલેએ અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ Page #68 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ Sી લા લા રાષ્ટ્ર) વણવત્તિઓએ પૂઅણુવત્તિએ, સક્કારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બેહિલાભવત્તિઓએ, નિરુવસગ્નવત્તિઓએ. (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણુએ, અણુપેહાએ, વડુંમાણીએ ઠમિ કાઉસ્સગ્ગ (૩) અસત્ય (કાયોત્સર્ગસૂત્ર, અપવાદે) અન્નત્થ સસિએણું નીસસિએણુ ખાસિએણું, છીએણું જંભાઈએણું ઉડએણુ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧). સુહમેહિં અગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિં (૨), એવમાઇએ હિં આગારેહિ અભાગે અવિરહિએ હુજ મે કાઉસ્સગ્ગા (૩). જાવ અરિહંતાણુ ભગવંતાણુ નમુક્કારેણું ન પારેમિ (૪). તાવ કાર્ય ઠાણેણું માણેણું ઝાણેણં અપાણે વોસિરામિ. (૫). પૂર્વવત એક નવકારને કાઉસગ્ગ કરવો. થેય બેલનારે કાઉસગ્ગ પારીને સ્નાતસ્યાની બીજી થાય બલવી. સ્તુતિ બીજી [સર્વ તીથ કરેની સ્તુતિ] (શાર્દૂલવિક્રીડિત) હંસાંસાહત પદ્યકપિશક્ષીરાણવભૂતિ, - કુરિપ્સરસાં પધરભરપ્રસ્પદ્ધિભિઃ કાંચનૈ, યેષાં મદરરત્નલશિખરે જન્માભિષેક: કૃત, સર્વેઃ સર્વસુરાસુરેશ્વરગણતેષાં નતેરહ ક્રમાન. ૨ અહિતિ ) Page #69 -------------------------------------------------------------------------- ________________ 32 }) 8)GNUPEN વિધિ સહિત થાય પૂરી થયે ‘નમે અરિહંતાણુ” ખાલીને કાઉસ્સગ્ગ પારી લેવા. પુખરવરદીવર્ડ્સે સૂત્ર ( શ્રુતજ્ઞાનની સ્તુતિ ) પુક્ષ્મરવરદીવર્ડ્ઝ, ધાયઈસ ડે એ જ ખૂદીવે અ; ભરહેરવવહે, ધમ્માઈગરે નમસામિ, તમતિમિરપાલવિસ્તું–મણુસ્સે, સુરગણનરિક્રમહિયસ્સ; સીમાધરસ્સ વડે પ્કાર્ડિઅમેાહજાલસ્સ જજરામરણસાગપણાસણમ્સ, કહ્યાણપુòલિવસાલસુહાવહસ્સ; કા દેવદાવનદિગણચ્ચિઅસ, ધમ્મસ સારમુવલë કરે પમાય ? સિદ્ધે ભા યએ મા જિમએ, નદી સયા સજમે, દેવ" નાગસુવન્નકિન્નરગણ-સÇઅભાવસ્થિએ; લેગા જત્થ પણ જગમિણ, તેલુ±મચ્ચાસુર, ધમ્મા વડુ સાસ વિજય, ધમ્મુત્તર વઠ્ઠ ૩ સુઅસ ભગવઆ કરેમિ કાઉસ્સગ્ગ' (૧), 'ધ્રુવૃત્તિઆએ, પૂઅણુવત્તિઆએ, સારવત્તિઆએ, સમ્માણવૃત્તિઆએ, મહિલાભવત્તિએ, નિરુવસગ્ગવત્તિય્યએ, (૨), સદ્ધાએ, મેહાએ, વિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ વમાણીએ હામિ કાઉસ્સગ્ગ' (૩), અન્નત્ય અન્નત્ય ઊસિએણું, નીસસિએણું, ખાસિએ, છીએણ, જ‘ભાએણ, ઉડ્ડએણ, વાયનિસગ્ગ, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧), સુહુમેહિં અંગસ‘ચાલેહિં સુહુ ***** Page #70 -------------------------------------------------------------------------- ________________ •સંવછરી પ્રતિક્રમણ કરી છે. ભાજપ કે) - મેહિ એલસંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિ (૨). એવ માઈહિં આગારેહિં અભષ્મ અવિરહિએ હજજ મે કાઉસ્સગ્ગા (૩). જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ (૪). તાવ કાર્ય ઠાણેણું માણેણું ઝાણેણં અપાણુ • સિરામિ. (૫). પૂર્વવત એક નવકારને કાઉસ્સગ્ગ કરે. અને તે નીચેની શેય સાંભળીને પાળવો. ત્રીજી સ્તુતિ [ શ્રુતજ્ઞાનની ]. ( સ્ત્રગ્ધરા ) અહવત્ર-પ્રસૂત ગણધરરચિત દ્વાદશાક વિશાલ – ચિત્ર બહૂવર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિક મેક્ષાગ્રદ્ધારભૂત વૃતચરણફલ શેયભાવપ્રદીપં. ભઢ્યા નિત્ય પ્રપદ્ય અતિમહમખિલ સવલકંસારમ. ૩ સિદ્ધાણું બુદ્ધાણં સૂત્ર ( સિદ્ધાત્માઓ વગેરેની સ્તુતિ ) સિદ્ધાણું બુદ્ધાણું પારગયાણું પરંપરગયાણું; અગમુવગયાણ, નમો સયા સવ્યસિદ્ધાણું. ૧ જે દેવાણવિ દે, જ દેવા પંજલી નમસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ | ઇકો વિ નમુક્કારે, જિણવરવસહસ્સ વદ્ધમાણુસ્સ; સંસારસાગરા, તાઈ નર વ નારિ વા. ઉજિજતસેલસિહ, દિકખા નાણું નિશીહિઆ જરૂ ત ધમ્મચક્રવદ્ધિ, અરિનેમિં નમામિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૨)Page #72 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છી પ્રતિક્રમણ આરૂઢા દિવ્યનાગ વિચરતિ ગગને કામદઃ કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિશિંતુ મમ સદા સકાયેષ્ઠ સિદ્ધિમાં ૪ ચરવળાવાળા ઊભા હેાય તે કટાસણા ઉપર, શક્રસ્તવ—નમુત્થણની મુદ્રા કરવા એ પગ ઉધા રાખી, બે એડી ઉપર શરીરને ટેકવીને અથવા ન ફાવે તે નીચે પલાંઠી વાળીને બેસે, પછી નીચેનું સૂત્ર એક જણ ખેાલે અને ખીજા સાંભળે. નમ્રુત્યુણ સૂત્ર નમુન્થુણ' અરિહ’તાણું, ભગવ‘તાણ (૧), આઈગરાણ તિત્યયરાણ, સયસ બુદ્ધાણ' (૨), પુરસુત્તમાણ', પુસિસીહાણ, પુરિસવરપુ‘ડરીઆણં, પુરિસવરગ‰હત્થી. (૩). લાગુત્તમાણ, લેાગનાહાણ, લેાહિણ, લાગપઈવાણ, લાગપોઅગરાણું (૪), અભયઢયાણું, ચક્ખ઼ુદ્રયાણ', મમ્ગન દયાણું, સરયાણુ, બાહ્રિયાણ (૫), ધમ્મયાણું, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ', ધમ્મસારહીણ', ધમ્મવરચાઉ'તક્ર વઢ્ઢીણ‘ (૬),અપ્પડિહયવરનાણ- સધરાણ,વિઅદૃષ્ટઉમાણ' (૭),જિણાણ જાવયાણ'; તિન્નાણ`તારયાણ'; બુદ્ધાણું, માહયાણ'; મુત્તાણું માઅગાણું (૮), સભ્યનૃણ સભ્ય રિસીણ, સિવ-મયલ-મરુઅમણત-મકખય-મન્વાખાહ-મપુરાવિત્તિસિદ્ધિગઈનામધેય ટાણું સપત્તાણું, નમા જિણાણું, જિઅભયાણ (૯), જે આ આ સિદ્ધા, જે આ વિસ્પતિ ણાગએ કાલે; સપષ્ટ અ વમાણા, સબ્વે તિવિહેણ વામિ (૧૦) પછી સહુએ એકી સાથે વ્યવસ્થિત રીતે, ચાર ખમાસ ** Page #73 -------------------------------------------------------------------------- ________________ (૨૮ ઝટWAPDEAS1 • વિધિ સહિત મણ દેવાનાં છે. એક એક ખમાસમણે વંદનસૂત્રનું એક એક પદ બોલવાનું છે. તે નીચે મુજબ-. ખમાસણપૂર્વક તીર્થંકરાદિકને નમસ્કાર કરવાનું “ભગવાન હું” સૂત્ર ઈચ્છામિ ખમાસમણે! વદિ જાણિજજાએ નિસીહિઆએ, મયૂએણ વિદ્યામિ, ભગવાન–હં ( ૨ ) - ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ, મયૂએણ વંદામિ. આચાર્ય હું ( ૩ ) ઇચ્છામિ ખમાસમણે! દિઉં જાવણિજાએ નિસીહિઆએ, મયૂએણ વંદામિ, ઉપાધ્યાય-હું - ૯. ભગવાન તું આદિ ચાર સૂત્રો મેટા ભાગના લોકોને આવડતા નથી હતા, તો જે સમુદાયની મુખ્ય વ્યકિત પોતાને વિધિ કરી લઈને, પછી સભા પાસે ખમાસમણ દેવરાવીને, પોતે એક એક પદ બોલે, તે સાંભળીને સભા તેને પુનઃ ઉચ્ચાર કરે. એ રીતે ચારે વાકયોને ઝીલાવે તે સભાજનેને બહુ આનંદ થશે ને સમજપૂર્વક કંઈક કરી રહ્યા છીએ તેનો આછે સંતોષ થશે. અથવા સહુ સાથે ઉચ્ચારીને વ્યવસ્થિત રીતે એક તાલથી બેલે પણ ચાલે. - Page #74 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિકમણ સાલી જઈલ ર૮) ઇચ્છામિ ખમાસમણે! વદિ જાણિજાએ નિસીહિઆએ, મQએણુ વંદામિ. સર્વસાધુપછી વડીલ નીચે મુજબ આદેશ માગે– પ્રતિકમણ સ્થાપના ] ઇચ્છાકારેણ સંસિહ ભગવન ! દેવસિઅપડિકામણું હાઉં? “ઇચ્છ” બેલી સ્થાપના સૂત્ર બેલે. પછી બધાય લોકોએ (મુઠ્ઠી વાળ્યા સિવાય) જમણે હાથ અરવલા કે કટાસણું ઉપર થાપ. અને માથું ઠેઠ સુધી નમાવવું નીચેનું સૂત્ર મુખ્ય વ્યક્તિ બેલે અને બીજા તે સાંભળે. અને વડીલ અન્તમાં “મિચ્છામિ દુક્કડ' બેલે ત્યારે સહુ ધીમા અવાજે “મિચ્છામિ દુક્કડ' બેલી શકે છે. પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર સવ્યસાવિ દેવસિય દુચિંતિય દુભાસિય દુચિયિ મિચ્છામિ દુક્કડ, પછી ચરવળાવાળાઓ જેમને ઉભા થવાની અનુકૂળતા હોય તે ઊભા થઈ જાય ને પછી પ્રતિક્રમણ ભણાવનાર નીચેનાં સૂત્રો શરુ કરે અને સહુ બે હાથ જોડી ભાવપૂર્વક સાંભળે. [ પહેલું સામાયિક અને બીજું ઉવી આવશ્યક ] કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇયં, સાવજ જેગ પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણ, મણે, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિધિ સહિત વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભતે ! પડિયામિ, નિંદામિ, ગરિામિ અપ્પાણ' વાસિરામિ ઇચ્છામિ ઢામિ સૂત્ર ઇચ્છામિ હામિ કાઉસ્સગ્ગ, જો મે દેવસિ આર કઆ, કાઓ, વાઇ, માણસ, ઉસ્મુત્તો, ઉગા, અકા, અકરણો,દુઝાએ, દુન્વિચિતિઓ, અણુાયારા, અશુિચ્છિવ્યા, અસાવગપાઉગ્ગા, નાણે, ક્રૂસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિષ્ડ' ગ્રુત્તી, ચણ્ડુ કસાયાણ પચહ્મણ્વયાણું, તિા ગુણવ્વયાણું, ચહું સિફખાવયાણું, ખારવિહસ્સ સાવધમ્મસ, જ ખડિશ્મ' જ વિરહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ તસ્સ ઉત્તરીકરણેણુ' સૂત્ર તસ્સ ઉત્તરીકરણેણં પાયચ્છિતકરણ, વિસેાહીકરણેણ, વિસધ્ધીકરણ, પાવાણ કમ્માણ. નિશ્ચાયકાએ હામિ કાઉસ્સગ્ગ ́ (૧) અનર્થ સૂત્ર અન્નત્ય ઊસિએ, નીસિએણું, ખાસિએણું, છીએ,જભાઇએણ,ઉ′′એણ, વાયનિસગ્ગ, ભમલીએપિત્તસુચ્છાએ. ૧. સુહુમેહિં અગસ ચાલેહિં સુહુમૈહિં ખેલસચાલેહિં, મુહુમેહિં દિસિચાલેહિં. ૨. એવમા એહિં, આગારેહિં અભગ્ગા વિહિ હુજ મે કાઉસ્સગ્ગા. ૩, જાવ અરિહંતાણું, ભગવ‘તાણું, નમુક્કારણ ન પારેમિ, ૪. તાવ કાય‘ઠાણે, માણેણ, ઝાણેણં, અપ્પાણ* વાસિરામિ ૫. એમ કહી અતિચારની આઠ ગાથાનેા નીચે મુજબ કાઉસ્સગ્ગ કરવા. Page #76 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ અતિચારની આઠ ગાથા સૂત્ર નાણમિસણગ્નિ અ ચરણશ્મિ તવમ્મિ તહ ય વીરિયમિ; આયરણે આયારે, ઇઅ એસે પંચહા ભણિએ. કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિણહવશે; વંજણ અસ્થતદુભએ, અવિહે નાણમાયા. નિસ્યકિઅ નિખિએ, નિશ્વિતિગિછા અમૂઢદિ અ; ઉવવૃહ થિરીકરણે, વચ્છક્ષપભાવણે અ૬. પણિહાણજોગજુત્તો, પંચહિં સમિહિં તીહિં ગુત્તી હિં; એસ ચરિત્તાયારે, અવિહે હેઇ નાય. બારસવિહમિ વિ તવે, સતિરબાહિરે કુસલરિઠે; અગિલાઈ અણાવી, નાયો સે તવાયારે, અણુસણખૂણેઅયિા, વિત્તીસંવણું રસસ્થાઓ; કાયલિસે સંલી–ણયા ય બ તો હેઇ પાયચ્છિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સજ્જાઓ: ઝાણું ઉસ્સગે વિ અ, અભિંતરએ તવ હેઈ. ૭ અણિગ્રહિઅબલવીરિયે, પરકમ જે જહુત્તમાઉો; જુજઇ અ જહાથામં, નાય વીરિયાયા. - અહીંઆ મનમાં અતિચાર (આચાર?) ની આઠ ગાથા બોલવાર૫ (અને તે ગાથાઓ ન આવડે તો આઠ નવકારને) કાઉસ્સગ્ન કરે. તે પૂરો થાય એટલે સભાન વડીલે પાર્યા પછી ધીમા અવાજે “નમો અરિહંતાણું' બોલીને પારે. પછી ત્રીજા “ચઉવીસન્થ” આવશ્યકની આરાધના કરવા (અપર નામરૂ૫) લેગસ સૂત્ર બોલે. Page #77 -------------------------------------------------------------------------- ________________ 32 PNB • વિધિ સહિત લેગસ સૂત્ર ધમ્મતિયરે જિણે; ચવીસ' પિવલી. ૧ લાગસ ઉજ્જોઅગરે. અહિ તે કિત્તઈમ્સ, સભમજિઅંચ વદે, સંભવમભિણુંદ્ગુણ ચ સુમઈ ચ; પઉમપહ. સુપાસ', જિંચ ચંદ્રપતુ. વદે, ૨ સુવિહિં ચ પુખ્ત ત., સીઅલ સિજ્જસ વાસુપુજ્જ` ચ; વિમલમણ ત`ચ જિષ્ણુ, ધુમ્મસ'ત્રિં ચ દામિ. ૩ કુંશું અરં ચ મલ્લિ, વંદે મુણિસુબ્વયં નમિજિણ` ચ; વામિ નિર્મિ, પાસ તહ વજ્રમાણ. ચ. ૪ એવમએ અભિશુઆ,વિહુયચમલા, પહીણજરમરણા; ચવીસ* પિ જિણવરા, થિયરામે પસીય`તુ, પ કિત્તિય વક્રિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા; આગમહિલાભ', સમાહિવરમુત્તમ' તુિ. ચદેસુ નિમ્મલયા, આઈસ્ચેસુ અહિય* પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ સિતુ. ૭ ત્યાર બાદ ત્રીજા વણુ આવશ્યક ’ ની આરાધના પહેલાં મુહપત્તીનું પડિલેહણ કરે, એટલે સભામાંથી એક વ્યક્તિ ખેાલે છે કે ત્રીજા આવસ્યકની મુહપત્તી પડિલેહેા”. મુહપત્તીનું પડિલેહણ ક્રમ કરવુ... તે અગાઉથી શીખી લેવું જોઈએ. ન શિખ્યા હેાય તેઓએ બાજુના જાણકાર ભાઈ જેમ કરે તે રીતે કરવું જોઈએ. પાંચેય પ્રતિક્રમણામાં ત્રીજા અને છઠ્ઠા એ આવશ્યક પછી અને પક્ષી વગેરેમા મુહુપત્તી પડિલેહવાના અધિકાર બે વાર વધારે આવે છે. અહી'યા એવું છે કે મુહુપત્તી પડિલેહણ પછી તરત જ સુગુરુ વાંદણા–જે ગુરુવંદનરૂપે કહેવાય છે તે કહેવાના છે. એ વંદન GPAPARATA 6 Page #78 -------------------------------------------------------------------------- ________________ चि. १०-११ मुहपत्ती अने शरीरनी ५०, पडिलेहणा अने ५०, बोल. सूचना:- चरवलावालानेज उभडक बेसीने पडिलेहण करबानो अधिकार छे. न होय तेने बेसीने पडिलेहण करवी. नं. १ थी ९ मुहपत्ती पडि. १- दृष्टिपडिलेहणा दृष्टिपडिलेहणा १. उभडक बेसो, २. हाथ बे पगनी अंदर राखो. ३. मुहपत्तीने खोलो, ४. पछी अवलोकन करोते साथे 'सूत्र' आ बोलने मनमा बोलो. हवे मुहपत्तीने बीजी बाजुओ फेरवी, प्रमार्जना करवानी साथे अर्थतत्त्वकरीसद्दहुं' बोलो. Page #79 -------------------------------------------------------------------------- ________________ २-६ ऊर्ध्वपप्फोडा चि. १२-१३ 3 “सम्यक्त्व मोहनीय. मिश्र मोहनीय, मिथ्यात्व मोहनीय परिहरु, आ बोल बोलीने मुहपत्तीना अक छेडाने त्रणवार खंखेखो. "काम राग, स्नेह राग, दृष्टि राम परिहरू" ४ आ बोल बोलीने मुहपतींना बीजा छेडाने त्रणवार खंखेरवो. पछी चित्र मुजब डाबा हाथना कांडाउपर नारखवी. Page #80 -------------------------------------------------------------------------- ________________ ३-नवअकरवोडा illet चि. १४-१५-१६ मुहपत्तीने चित्रमा बताव्या मुजब आंगलीओमां भरावो.पछी आंगळाथी कांडा तरफ अने फरी कांडाथी आंगळा तरफ मुहपत्ती वडे त्रण त्रणवार प्रमार्जना करो,साथै नीचेना बोल बोलो“सुदेव,सुगुरू,सुधर्म आदरूं" कुदेव,कुगुरू,कुधर्म परिहरूं, ज्ञान दर्शन चारित्र आदलं, @ ज्ञान विराधना,दर्शन विराधना, चारित्र विराधना परिहरूं, "मनो गुप्ति,वचन गुप्ति, काय गुप्ति,आदर, मनोदंड, वचन दंड,कायदंड परिहरूं? पछी जमणा हाथना पृष्ठभागे मुहपत्ती (छट्ठा चित्र मुजब) फेरवतां ® "हास्य,रति,अरति परिहरूं" बोलो. पछी डाबा हाथमा मुहपत्ती भरावीने जमणा हाथना पृष्ठभागे फेरवतां "भय,शोक.जुगुप्सा परिहरू" बोलो. Page #81 -------------------------------------------------------------------------- ________________ मस्तक चि. १७-१८-१९ शरीरनी २५,पडिलेहणामां मस्तकादिनी पडिलेहणा. © पछी मुहपत्तीना बे छेडाने बे हाथथी पकडीने मस्तकनी वच्चोवच अने तेनी बंने बाजुओ पडिलेहणा करतां अनुक्रमे"कृष्णलेश्या,नील लेश्या, कापोत लेश्या,परिहरूं,"बोलो. मुख पछी मुखनी प्रमार्जना करता“रसगारव,रिद्धिगारव, सातागारव परिहरूं.' बोलो. छाती Q3 पछी छातीनी पडिलेहणा करतांमायाशल्य,नियाणशल्य, मिथ्यात्वशल्य परिहरूं" आ बोलने मनमा बोलो. Page #82 -------------------------------------------------------------------------- ________________ बंने रखभा चि. २०-२१-२२ 9 खभा अने पगनी पडिलेहणा. ते पछी मनमा नीचेना बोल बोलवा पूर्वक जमणा रखभानी पडिलेहणा करो"क्रोधमान परिहरूं" डाबा रखभे करता“मायालोभ परिहरं, बोलो. बने पगो चरवलाथी अथवा मुहपत्तीथी जमणा पगनी (३.वार) प्रमार्जना करतां “पृथ्वी काय,अपकाय, तेऊकायनी रक्षा करूं, अने डाबा पगे करता वायुकाय,वनस्पतिकाय, त्रसकायनी रक्षा करूं" बोलो. | साध्वीजीने नं 10 अने ११ नी अने श्राविकाओने 1८,१०, ११ नंबरनी पडिलेहणा होती नथी. Page #83 -------------------------------------------------------------------------- ________________ चि. २३ सुगुरुवंदनना प्रारंभनुं अवनतवन्दन [પ્રારંમનું શીર્ષનમન] સૂચનાઃ-પ્રક્રિણમાં ઊભા ઊના કરવાની ક્રિયા ઊભા ઊભા જ ફરવા હાય છે. પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેકડા, એંસી થી નેવું ટકા લેાડા ઊભા થવા માટેના સીગ્નલ જેવા ચરવલા લાવતા નથી. એટલે ખેઠા બેઠા બધુ કરે છે. અહી આ ઊભા ઊભા વાંદણા શરૂ કરેા ત્યારે પ્રારંભમાં આ મુદ્રા કરવાની છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ चि. २४ 'सुगुरुवंदन' प्रसंगना ६ आवर्तो. આવર્તો,ચિત્રહો. ચં. ય. ગુરુ પરાગ્નજી ૬.ગ.[ વાંદણાં વખત મુહુપત્તી, બે હાથ અને ચરવલા કયાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુએ. અ ખેાલતી વખતે બે હાથ કયાં મૂકવા અને હૈં ખેાલતી વખતે કયાં મૂકવા, બીજા અક્ષરા શરીરના કયા સ્થાન પાસે ખેલવા તે તથા યથાન્નત મુદ્રા સૂચિત શી નમન વગેરે ફ્રેમ કરવું તે અહીંથી શરૂ થતા ૬ ચિત્રામાં બતાવ્યું છે. વાંદણાની વધુ સમજ માટે પ્રારંભના પદરમા પાનાં ઉપરનું લખાણ વાંચા, જેથી વિધિપૂર્વક વણુ કરી શકા. Page #85 -------------------------------------------------------------------------- ________________ चि. २५ आवर्तो, चित्र-२ → हो.यं.य. Page #86 -------------------------------------------------------------------------- ________________ चि. २६ आवर्तो, चित्र - ३ भे. णि. भे. ता.व.च. ज. ज.ज्जं Page #87 -------------------------------------------------------------------------- ________________ चि. २७ चि. २८ आबर्तो चित्र-४ आवर्तो चित्र-५ -भे.णि.भे. ता.व.च. चि. २९ सुगुरूवंदन आवर्तो चित्र ६ 'संफासं खमणिज्जो' 'खामेमिः [यथाजातमुद्रा बेसीने वांदणा'करवानां होय त्यारे →हो संफासं' वरखते मुहपत्ती उपर सवळा हाथ रारवीने नमस्कार करवो.पछी खमणिज्जो' बोलतां तेमज खामेमि गाठ बोलतां चित्रमा दर्शाव्या मुजब नमस्कार करतो Page #88 -------------------------------------------------------------------------- ________________ चि. ३१ चि. ३२ 'नमुत्थुणं' वरवते अन्य प्रकारे कराती बीजी बे योगमुद्राओ. 'नमुत्थुणं' वरवते करवानी योगमुद्रा (प्रकार २) (प्रकार) 'नमुत्युणं' वखते करवानी योगमुद्रा चि. ३३ वंदित्तुसूत्रनुं प्रचलित आसन, चि, ३४ वदित्तुसूत्र'नुं मुख्य आसम वीरासन www.jainelibrary org Page #89 -------------------------------------------------------------------------- ________________ चि. ३५ चरवलावाळो अब्भुट्टिओ' केवी रीते खामे ते. चित्र-१ - मूलमुद्रा - थापवानो हाथ जमणो. बेठेला- अब्भुडिओ' AMITRA चित्र-२ चि. ३६ Page #90 -------------------------------------------------------------------------- ________________ चि. ३७ अशुद्ध रीते करातुं आसन अने मुद्राओनो एक नमूनो. આવા અશુદ્ધિનાં તો અનેક ચિત્ર આપી શકાય. Page #91 -------------------------------------------------------------------------- ________________ Page #92 -------------------------------------------------------------------------- ________________ -સંવછરી પ્રતિક્રમણ લીલા વાળી ) વખતે શરીરના ભાગોને ઉંચા નીચા કરવાના હોવાથી હવામાં ઉડતા અતિસૂક્ષ્મ જંતુઓ કદાચ શરીર ઉપર બેઠેલા હોય અને કદાચ તેની હિંસા ન થઈ જાય એટલા માટે શરીરને જણાપૂર્વક હળવેથી પ્રમાર્જવું–સાફ કરવું જોઈએ એટલા માટે મુહપત્તીનું પડિલેહણ કરવાનું છે. આ પડિલેહણ એટલે મુહપત્તીના કપડા દ્રારા ધીરેથી પૂછીને શરીર ઉપરના સૂક્ષ્મ જંતુઓને દૂર કરવાના છે. એ કરી લીધા પછી ચરવાવાળા ઉભા થઇ જાય. પછી ગુરૂવંદનને પાઠ બોલે; બોલનાર આ પાઠમાં ‘મે મિઉમ્મહ નિસાહિ” સુધીને પાઠ ઉભા ઉભા જરાક નમીને બેલે. પછી આગળ-પાછળ શરીર પૂછ ગુરૂઆજ્ઞાપૂર્વક અવગ્રહમાં આવે, ગુરૂ કે સ્થાપનાચાર્યની નજીક આવીને પછી નીચે ઉભડક પગે બેસે, બે હાથ બે પગની વચ્ચે રાખે, ગૃહસ્થ મુહપત્તી અરવલા ઉપર તેના છેડા ડાબા હાથ તરફ રહે એ રીતે રાખે, ને બીજાએ કટાસણ ઉપર રાખે. આ મુહપતી ગુરૂચરણની સ્થાપનારૂપે સમજવાની છે પછી અ–હે, કાન્ય, કાચ ને પાઠ બોલે ત્યારે સહુએ “અ” અક્ષર બોલાય ત્યારે બે હાથના પંજા ઉંધા, ગુરૂચરણરૂપ મુહપત્તી ઉપર મુકીને ચરણસ્પર્શ કરી રહ્યો છું તે ભાવ ચિંતવી. તરત જ “હા” અક્ષર બોલાય ત્યારે લલાટે અડાડે, પછી “કાય, કાય” આ બે શબ્દોના પ્રત્યેક અક્ષરે પણ એ જ રીતે ચેષ્ટા કરવી. પછી “સફા” શબ્દ બોલાય ત્યારે બે હાથ લલાટે અડાડી મસ્તક નમેલું રાખી આગળનું વાક્ય પૂરું કરે. પછી “જ-ત્તા-ભેજ-વ-ણિજ –––ભે આ ત્રણ ત્રણ ૧. અનુદત એટલે ધીમા અવાજે, ૨. સ્વરિત એટલે મધ્યમ અવાજે અને ૩. ઉદાત્ત એટલે વજનપૂર્વકના ઉંચા અવાજે બોલાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ વુિં ૩૪ TS) TAPE VERY :વિધિ સહિત અક્ષરોને વિધિ “અહ”ની જેમ જ છે, ફકત વચલો અક્ષર અંજલિમુદ્રાપૂર્વક અધવચ્ચે બોલવાને છે.(જુઓ ચિત્ર ર૫). એ બોલી લીધા પછી “ખામેમિ ખમાસમણ દેવસિ વઈ કક્કમ' આ પાઠ બોલીને પછી પાછળના ભાગે શરીર ગૂંજી ઊભા થઈ “આવસ્સિઆએ બેલી અવગ્રહમાંથી બહાર આવે અને બાકીનું સૂત્ર બે હાથ જોડી વિનય અને નમ્રતાપૂર્વક પૂર્ણ કરે. વાંદણું (પહેલી વાર ) ઇચ્છામિ ખમાસમણે! વંદિ૯ જાણિજ્જાએ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉમ્મહ ૨. નિસીહિ. અહેકાયંકાય-સફાસ ખમણિજે ભે! કિલામ, અપકિલતાણું બહુસુભેણ બે દિવસે વધતે? ૩, જરા ભે?૪, જવણિજ ચ ભે? ૫, ખામેમિ ખમાસમણે!દેવસિઅ વઈક્રમં આવક્સિઆએ પડિકમામિ ખમાસમણાણુ દેવસિઆએ આસાયણાએ તિત્તીસગ્નયરાએ, જકિંચિ મિચ્છાએ, મણદુડાએ, વયદુક્કડાએ, કાયદુડાએ. કેહાએ માણાએ માયાએ લેભાએ, સલ્વકાલિઆએ સવ્વમિયારાએ સવ્વધમ્માઈક્રમણુએ, આસાયણાએ જે મે અઈઆર કર્યો, તસ્સ ખમાસમણે ! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું વોસિરામિ ૭. વાંદણું (બીજી વાર ) ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ. ૧, અણુજાણહ મે મિઉગઈ, ૨, નિસહિ, અહેકાયંકાય-સંફાસં ખમણિ ભે! કિલામો અપલિંતાણું Page #94 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ રે મહુસુભેણ ભે ! દિવસો વતા ! ૩. જત્તા ભે? ૪. જવણજ્જ ચ બે ? ૫. ખામેમિ ખમાસમણા ! દેવસઅ' વઇમં, ૬, પડિમામિ ખમાસમણાણદેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ જ'કિંચિ મિચ્છાએ, મદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ. કાહાએ માણાએ માયાએ લાભાએ, સબ્ધકાલિઆએ સમિાવયારાએ સવ્વ ધમ્માઇક્રમણાએ, આસાયણાએ જો મે અઇઆર કઆ, તસ્સ ખમાસમણા ! પડિમામિ નિંદ્યામિ રિહામિ અપ્પાણ વાસિરામિ, ૭. (અહીં ત્રીજુ વંદનક’ આવશ્યક પૂર્ણ થયું) વંદનસૂત્ર ખાલ્યા પછી જે ક્રિયા આવે છે તે મહત્ત્વની હાવાથી તમામ ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું જોઇએ. ( અહીથી ચેાથુ* * પ્રતિક્રમણ આવશ્યક ' શરૂ થાય છે) પછી વડીલ આદેશ માગે-ઇચ્છાકારેણ સદિસહ ભગવન ! દેવસઅ' આલેઉ ? આ પ્રમાણે દેશ માગીને ભણાવનાર નીચેનું સૂત્ર ખેાલે. ઈચ્છામિ ઢામિ ( અતિચાર આલાચના ) ઇચ્છા! આલેાએમિ જો મે દૈવસએ અઈયારે ક કાઓ, વાઇ. માણસ, ઉસુત્તો, ઉગ્મગ્ગા, અકપ્પા, અકરણજ્જો, દુઝ્ઝા, દુવિચિતિ, અણાયા, અિિચ્છચ્યા, અસાવગ-પાઉગા, નાણે, ક્રૂસણે, ચરિત્તારિત્તે, સુએ, સામાએ, તિષ્ણુ ગુત્તી, ચહ્‘કસાયાણ', પંચહમણુળ્વયાણ', તિષ્ડ" ગુણયાણું, ** Page #95 -------------------------------------------------------------------------- ________________ (33) DABUSES • વિધિ સહિત ચઉણહ સિકૂખાવયાણુ, બારસવિહસ્સ સાવગધમ્મન્સ જ ખંડિએ જ વિરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડ, આ સૂત્ર પૂરું થયે પૌષધ વ્રતવાળા (પસાતી) ભાઈઓ હોય તેમાંથી એક જણ ગુરુને આદેશ મેળવવાપૂર્વક, સહુ બે હાથ જેડીને ગમણગમણે સૂત્ર દ્વારા આચના કરે. ગમણગમણે પાઠ નીચે ટીપ્પણમાં આવે છે.* સૂચના:–સહુને જીવવું અને સુખ બંને પ્રિય છે. મૃત્યુ કે દુઃખ અપ્રિય છે. માટે અખિલ વિશ્વ (ચૌદરાજ લક) ને ૧૦૮૪ * સાધુ મહારાજ હોય તો તેઓ સાધુધર્મના અતિચાર બેલે છે. * (પ્રશ્ન) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ગમણગમણે આલઉં? (ગુરૂ-વડીલ જવાબ આપે, “આલોએહ’ પછી બીજાઓ “ઈચ્છે ? બોલે. પછી આલોચના કરે– ઇસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્તનિફખેવણ સમિતિ, પારિઝાપનિકા સમિતિ, મને ગુપ્તિ, વચનગુણિ, કાયમુર્તિ, એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધમે સામાયિક પૌષધ લીધે ઉડી પેરે પાલી નહી, જે કંઇ ખંડના-વિરાધના થઈ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૦. આમ તો જીવોનાં ઉત્પત્તિ રથાન અસંખ્ય છે. પરંતુ અહિયા માત્ર ૮૪ લાખ જ જે કહ્યાં તે સરખાં રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શવાળી અને સમાન આકારવાળી જેટલી જેટલી યોનિઓ હતી તેને એક એક ગણુને કહ્યાં છે. એ રીતે ગણતાં ત્રિકાળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનથી સમાન વર્ણાદિ ચતુષ્ક તથા આકારની અપેક્ષાવાળી ૮૪, લાખ જ નિઓ જોઈ તેથી ઉપરોક્ત સંખ્યાને વ્યવહાર ચાલે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ કરીશ. ફાઈલ 39 ) લાખ છવાયેનિવતી જીવ જોડે મૈત્રીભાવ રાખ જોઈએ. જેથી બીજાની મનથી, વચનથી કે કાયાથી પાપરૂ૫ હિંસા ન થઈ જાય. એમ છતાં તેવો ભાવ રહી શક્ય ન હોય, રહ્યો હોય અને ક્ષતિઓ આવી ગઈ હોય તો, એકાગ્ર ચિત્તથી બે હાથ જોડી પાઠ સાંભળી, અન્તમાં સહુએ મસ્તક નમાવી, હાર્દિક ભાવપૂર્વક “મિચ્છામિ દુક્કડ' દ્વારા ક્ષમા માગવી જોઈએ. જેની સાથે હિંસાના પ્રસંગ બન્યા હોય તેઓને તે મનમાં ખાસ યાદ કરીને તેમની ક્ષમા માંગવી. - સાત લાખ (જીવહિંસા આલેયણા) સાત લાખ પૃથિવીય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈકિય, બે લાખ તે ઈદ્રિય, બે લાખ ચઉરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિયચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, ૧૧એવંકારે ચોરાશી લાખ જીવનિમાંહિ મારે જીવે છે કે જીવ હો હેય, હણા હેય, હણતાં પ્રત્યે અનુમેઘો હેય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ સૂચના –જેનું સેવન કરવાથી અથવા જે પરિણામમાં રહેવાથી, પાપ બંધાય તેને “પાપસ્થાનક' કહેવામાં આવે છે. આવાં પાપસ્થાનકે અનેક હોવા છતાં તે બધાયનું વર્ગીકરણ કરીને ફકત ૧૮ માં જ સમાવેશ કરવામાં આવ્યું છે. ગૃહસ્થજીવનમાં આ બધાં પાપે ઓછેવત્તે અંશે રેજેરેજ કે અવાર-નવાર થતાં જ હોય છે. એ પાપને યાદ કરી નીચેના ગુજરાતી ભાષાને પાઠ ભાવનાપૂર્વક બોલી મસ્તક નમાવી, સેવેલાં-સેવાતાં પાપોની ક્ષમા માગવી. ૧૧. આજ કાલ “એવંકારે”થી લઈને શેષ પાઠ સહુ ધીમા સ્વરે - સમૂહરૂપે બેલે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ 6િ JUDWDPLUDES • વિધિ સહિત , અઢાર પાપસ્થાનક પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચાથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે કિધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અહલ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ, સેલમે પરિવાર, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય; એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે છે જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હાય, સેવતાં પ્રત્યે અનુમેવું હોય, તે સવિ હું મન, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, તે પછી વડીલ નીચેનું સૂત્ર બેલે— સવ્વસવિ સૂત્ર (પ્રતિકમણુ સ્થાપના) સવ્વસ્સવિ, દેવસિઅ. દુઐિતિઅ, દુભાસિઅ દુચિઅિ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! “ઇચ્છે ' તલ્સ મિચ્છા મિ દુક્કડં. આટલું બોલી હવે પછી “વંદિતુ સૂત્ર” બેલવાનું હોવાથી તેની સાથે સંબંધ ધરાવતી શાસ્ત્રમાં કહેલી શારીરિક મુદ્દાપૂર્વક બલવાનું કે સાંભળવાનું છે, તેથી ફક્ત ચરવળાવાળાઓએ કટોસણ ઉપર ધનુર્ધારીની જેમ ૧“વીરાસને બેસવાનું છે. એ આવડતું ન હોય કે એ રીતે બેસવાનું મન ન હોય તે પછી, જમણે ઢીંચણ ઊભું કરી ડાબો પગ ઉંધે વાળી તેને કુલા (થાપા) નીચે રાખી ૧૨. જેમ ધનુર્ધારી ધનુષ્યદ્વારા શત્રુને નાશ કરે છે તેમ આરાધક ક્રિયાકાર આ સૂત્રધારા દોષ-પાપોરૂપી શત્રુઓને ક્ષય કરે છે. આ હેતુ આ આસન કરવા પાછળ રહેલે છે (જુઓ ચિત્ર નં. ૩૩). WWW.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ +- - -- સંવછરી પ્રતિક્રમણ કર્યું . તો જ સ્વરૂટ) મુહપતી બે હાથમાં મુખ આગળ રાખી ઉપગપૂર્વક શુદ્ધ ભાવથી પડિકમણું” નામનું ચોથા આવસ્યકને મધ્યબિંદુ સમું “વંદિતુ સૂત્ર’ બેલે. (જુઓ ચિત્ર ) આ સૂત્ર શ્રાવકનું સૂત્ર છે. આમાં મુખ્યત્વે બાર વ્રતધારી તથા વ્રત વિનાના શ્રાવક-શ્રાવિકાના જીવનવહેવારે કેવા હોવા જોઈએ, જીવનમાં ક્યા કયા અતિચાર–પાપ–દોષ લાગે છે તે, પંચાચારના આચરણમાં લાગેલી ક્ષતિઓ, આ બધાયનું નિંદા-ગર્તા દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે. જાતજાતના દોષોથી આમા વિરામ પામે અને આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે એ માટે આરાધંકાએ સૂત્રના અર્થનું ગંભીરપણે વાંચન અગાઉથી કરી લેવું જોઈએ. નવકાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણું, એ પંચનમુક્કારો, સવપાવપણાસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે! ૧૩ કરેમિ ભંતે! સામાઈચં, સાવજ જેગ પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, વિહં તિવિહેણં, મહેણું વાયાએ કાણુ, ન કરેમિ, ન કરેમિ તસ્મ ભંતે ? પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પણું વોસિરામિ. ૧૩. બેલનાર ષિાતી હોય તો “જવનિયમ”ની જગ્યાએ “જાવ સિહં' બોલે. પિષાતી હોય પણ શુદ્ધ આવડતું હોય, સહુ આ સાંભળી શકે તેવું ગળું હોય તે જ બોલે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪S$) ZADP$DES • વિધિ સહિત ઈચ્છામિ ઠામિ ઇચ્છામિ પડિકમિઉ, જે મે દેવસિઓ અઈઆર. ક, કાઈ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મી , અકપઅકરણિmો, દુક્ઝાઓ, દુધ્વિચિંતિએ અણયારે, અણિચ્છિા , અસાવગપાઉ, નાણે, દંસણ, ચરિત્તાચરિ, સુએ, સામાઈએ, તિહુ ગુત્તીર્ણ ચઉહ કસાયાણું, પંચણહમણુવ્રયાણું, તિરહ ગુણુવ્વાણું, ચઉણાં સિખાવયાણ; બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જ' ખંડિઅ જ વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. શ્રાદ્ધ-શ્રાવક પ્રતિક્રમણ અથવા વંદિત્ત સૂત્ર વંદિત સવ્વસિદ્ધ, ધમ્માયરિએ સવ્વસાહૂ અ; ઇચ્છામિ પડિકીમીં, સાવગધમ્માઈઆરસ્ટ, ૧ જે મે વયાઈઆરે, નાણે તહ સર્ણ ચરિતે અ; સુહુમો આ બાયો વા, તે નિ ત ચ ગરિહામિ. ૨ દુવિહે પરિગ્રહમ્મી, સાવજે બહુવિહે આ આરંભે કરાવણે આ કારણે પડિકામે દેસિ સવ્વ. ૩ જ બદ્ધમિદિએહિ, ચઉહિં કસાહિં અપસહિ; રાગેણુ વ દેસણ વ, ત નિંદે ત ચ ગરિહામિ. ૪ આગમણે નિગમણે, ઠાણે ચંકમણે અણુભેગે; અભિઓગે નિગે, પડિમે દેસિ સળં. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથ કુલિંગીસુ; સમ્મત્તસ્મઈઆરે, પડિકમે દેસિઅ સળં. ૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ *સંવચ્છરીપ્રતિક્રમણ ક્રાયસમાર‘બે, પયણે અ યાવણે અ જે ઢાસા; અત્ત। ય પરદેશ, ઉભય ચૈત્ર ચેવત નિંઢેર પચહ્મણુયાણ, ગુણલ્વયાણ' ચ તિહુમઈયારે; સિક્ક્ખાણું ચ ચહ”, પડિમે દૈસિગ્મ સવ્વ', ૮ પઢમે અણુવ્વયમ્મી, ફૂલગપાણાઈવાયવેરઈ આ આયરિઅમપ્લસથે, ત્ય માય પસ ગેણુ ૯ વહુ અધ વિચ્છેએ, અભારે ભત્તપાણવુòએ; પઢમવયસઇઆરે, ડિમેસિઅ' સભ્ય. ૧૦ બીએ અણુળ્વયમ્મી, પરિશૂલગલિયવયવિરઈ આ, આરિઅમસન્થે, ત્ય પમાય પ્લસ ગણુ, ૧૧ આ સહસા રહસ્ય દારે, મેાસુએસે અ ફૂડલેહે ; બીઅવયસઈઆરે, પડિઝમે ટ્રુસિમ સભ્ય, ૧૨ તએ અણુયમ્મી, થૂલગ-પરવહરવરઈ આ; આર્યાઅમર્પસત્થ, માય પસ ગેણુ, ૧૩ ત્ય તેનાહડપ્પઆગે, તડિરૂવે કૂંડતુલકૂડમાણે, ડિમે વિરુદ્ધગમણે અ; દેસિચ્ય સભ્ય ૧૪ ચઉત્ને અણુવ્વયમ્મી. નિષ્ચ પરદ્વારગમણિવરઈ આ; આયરિઅમસથે, ઈત્ય માયસ ગણુ.. ૧૫ અરિહિ ઈત્તર, અણગવીવાહતિવઅણુરાગે; ચઉત્શવયસઈઆરે, ડિઝમે દૈસિઅસભ્ય ૧૬ ઇત્તો અણુવ્વએ પ’ચ-મમ્મી,આરિઅસર્પસત્યમ્મિ; પરિમાણુ–પરિચ્છેએ, મ્રુત્ય માયસ ગેણુ, ૧૭ કાકા Page #101 -------------------------------------------------------------------------- ________________ હર હUITE DEAT :વિધિ સહિત ધણધન્નખિત્તવલ્થ, રૂપસુવને આ કુરિઅપરિમાણે; દુપએ ચપ્પયમ્મી, પડિમે દેસિ સળં. ૧૮ ગમણુસ્સપિરિમાણે ડિસાસુ ઉ અહે અતિરિ ચ; બુદી સઈઅંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. ૧૯ મજજશ્મિ અ સંસમિ અ, પુફે ગંધમલે અ; વિભેગે પરિભેગ, બીયમ્મિ ગુણધ્વએ નિંદે. ૨૦ સચ્ચિત્ત પડિબ, અપાલિ દુલિચ આહારે; તુસહિભખણયા, પડિમે દેસિઅ સવં ૨૧ ઈંગાલી–વણ-સાડી-ભાડી-ડીસુ વજએ કર્મા; વાણિજ' ચેવ દંત-લફખરસકેસવિસવિસર્યા. ૨૨ એવં ખુ જતપિલ્લણ-કર્મ નિભ્રંછણું ચ દવાણું; સરદહતલાયસીસ, અસઈપોસ ચ વજિજજા, ૨૩ સસ્થગ્નિમુસલજ તગર્તણુકઠે મંતમૂલભેસજજે; દિને દવાવિએ વા, પડિક્કમે સિઅ સવ. ૨૪ ન્હાણુવકૃણવન્સગ-વિલેણે સદ્ધરૂવરસગ ધે; વસ્થાસણુઆભરણે, પડિક્કમે દેસિ સળં. ૨૫ કંપે કુફઈએ, મહરિ અહિગરણ ભેગાઈરિતે; દંડમિમ અણુએ, તઈઅશ્મિ ગુણવએ નિંદે, ૨૬ તિવિહે દુપ્પણિહાણે, અણુવણે તહા સહૂિણે સામાઇઅ વિતહકએ, પઢમે સિફખાવએ નિંદે. ૨૭ આણવણે પેસવણે, સદ્ રૂવે આ પુગલખે; દેસાવગાસિઅમ્મી, બીએ સિખાવએ નિં. ૨૮ Page #102 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છીપ્રતિક્રમણ 3 સથારુચ્ચારવિહીપમાય તહુ ચૈવ ભાયણાભાએ; પાસવહિ વિવરીએ, તઇએ સિફખાવએ નિંદે, ૨૯ સચ્ચિત્ત નિકૂિંખવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઇક્રમાણે, ઉત્થ સિાવએ નિંઢ ૩૦ સહિઅસુ અ દુહિએસ અ, જા મે અસ્સ ́જએસુ અણુક પા; રાગેણુ વ દાસે વ, તં નિંઢે તંચ રિહામિ. ૩૧ સાહ્સુ વિભાગેા, ન ક તવચરણકરણજીત્તસુ; સંતે ફાસુઅઠ્ઠાણું, તં નિંદ્યુતં ચ રામ. ૩ર ઇહલાએ પલાએ, અવિઅ-મરણે આ આસ સપઆગે, પચિવહે। અમ્મા, મા મલ્ઝ' હુજ્જ મરણ તે ૩૩ કાએણુ કાઈઅસ્સ, પડિમે વાઇઅા વાયાએ; મસા માસિઅલ્સ, સવ્વસ થયાઈરસ, ૩૪ વંદણુ-વય–સિક્ખા-ગારવેસુ, સન્નાકસાય સુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરા આ ત` નિંદે, ૩૫ સમ્મદ્દિડી જીવા, જઇ વિ હું પાવ' સમાયરે કિંચિ; અપ્પા સિ હાઈ મધે, જે ન નિર્દેધસ' કુઈ, ૩૬ ત' ધિં હું પડિ±મણું, સઆિવ સઉત્તરગુણ ચ; ખિપ્પ· વસામે, વાહિ વ્વ સુસિખિ વિજ્જો. ૩૭ જહા વિસ કુંગય', મ‘તમૂવિસાયા; વિજ્જા હુણુતિ તેહિં, તેા ત હવઈ નિક્વિસ, ૩૮ એવ‰વિહ’ક', રાગદાસસમજ઼િઅ'; આલાતા આ નિંદતા, ભિષ્મ હુઈ ચુસાવ. ૩૯ **** Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ BB) DOWDERED વિધિ સહિત કયા વિ મણુસે, આલેઈઅનિંદિ ગુરુસગાસે; હેઇ અઈગલહુએ, હરિઅભરુ વ્ય ભારવહે. ૪૦ આવસ્સએણુ એએણુ, સાવ જઇવિ બહુર હોઈ દુખામંતકિરિઅ, કહી અચિરેણ કાલેણ, ૪૧ આલેઅણા બહુવિહા, નયસંભરિઆ પડિક્રમણકાલે; મૂલગુણઉત્તરગુણે, તે નિંદે ત ચ ગરિહામિ. કર (પછી ઊભા થઈને અથવા તે જમણો પગ નીચે રાખી નીચેની આઠ ગાથાઓ બોલવી.) તસ્ય ધમ્મક્સ કેવલિપન્નત્તમ્સ, અભુઠિએ મિ આરહણાએ, વિરઓ મિ વિરહણાએ; તિવિહેણ પડિતે, વંદામિ જિણે ચઉંબ્લીસ, ૪૩ જાવંતિ ચેઈઆઈ ઉ અહે અતિરિઅલોએ અ; સવ્હાઈ તાઈ વદે, ઈહ સંતે તથ સંતાઈ ૪૪ જાવંત કે વિ સાહ, ભરફેરવયમહાવિદેહે અ; સવૅસિં તેસિં પણ તિવિહેણ તિરંડવિયાણું, ૪૫ ચિરસંચિયપાવપણાસણ, ભવસયસહસ્સમહણીએ; ચઉવીસજિષ્ણુવિણિગ્ટય-કહાઈ વોલંતુ મે બિહા, ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ઘમે અ; સમ્મદિટડી દેવા, હિંદુ સમાહિં ચ બેહિં ચ, ક૭ પડિસિદ્ધાણુ કરણે કિડ્યાણમકરણે પડિક્કમણુ; અસદ્દહણે આ તહા, વિવરીઅરૂણાએ અ, ૪૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ — — -- - - - - - - - - ૪ - સંવચ્છરી પ્રતિક્રમણ SE M પટે) ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી એ સવ્વભૂસુ, વેર મર્ઝ ન કેણઈ. ૪૯ એવામહં આલેઈઅ, નિંદિઅ ગરહિએ દુગછિઍ સમ્મ; તિવિહેણ પડિત, વંદામિ જિણે ચઉલ્લીસ, ૫૦ સૂચના:- દિવસ દરમિયાન થતાં પાપોનાં પ્રાયશ્ચિત્તરૂપે હંમેશા સાંજનું દેવસિક પ્રતિક્રમણ કરવું જ જોઈએ, એક પણ દિવસ તે વિધિ જાતે કરી નથી શકાતો એટલે વચમાં પાખી, ચઉમાસી કે સંવરછરીનું પ્રતિક્રમણ આવે તો તે પર્વ સંબંધી જે ક્રિયા તે ભલે જુદી થાય પણ દેવસિક પ્રતિક્રમણની ક્રિયા તો નિત્ય નિયમાનુસાર સાથે થવી જ જોઈએ. એટલે અહીંઆ અત્યાર સુધી દેવસિક (–દિવસ સંબંધી) પ્રતિક્રમણની ક્રિયા સહુએ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી છે જે આગળ ઉપર શરુ થવાની છે. એ દરમિયાન વચગાળામાં, દેવસીની ક્રિયા મુલતવી રાખીને સંવરછરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડા અવળાં, અનેક જાતનાં લાગેલાં પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાને પ્રારંભ થાય છે. આમ તો આ મહાન દિવસે પ્રારંભથી જ છીંકનો ઉપયોગ રાખવાનું છે. આ દિવસની છીંક સહુને માટે ભારે જોખમરૂપ બનતી હોય છે, માટે તેને ખૂબ જ ઉપગ રાખવાને છે. ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. ગુરુમહારાજ કે વડીલ ખમાસમણું આપીને નીચે મુજબ અનુજ્ઞા માગે– દેવસિઅ આલેઈએ પહિતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવછરી મુહપતી પડિલેહું ? કહીને “ઈચ્છ Page #105 -------------------------------------------------------------------------- ________________ (૪૯) PANVES - વિધિ સહિત બોલવું, પછી અંગે પૂજીને, ઉભડક બેસીને, બે હાથ બે ઘૂંટણ વચ્ચે રાખી, અગાઉની જેમ મુહપત્તીનું પડિલેહણ કરવું. તે કર્યા બાદ બે વખત “વાંદણા લે. ૧૪વાંદણ (પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજ્જાએ નિસીહિએ. અણજાણહ મે મિઉમ્માહ નિસીહિ. અહે કાર્ય, કાય–સંફા, ખમણિ જજે ભે! ક્લિામે, અમ્પલિંતાણું બહુ સુભેણ બે સંવછરે વઇતો? જરા ભે? જવણિજ ચ ભે ? ખામેમિ ખમાસમણે, સંવછરિએ વઈક્રમે, આવસ્સિઆએ, પડિક્રમામિ. ખમાસમણાણું સંવછારિયાએ, આસાણાએ તિત્તીસાયરાએ. જકિંચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુકડાએ, કાયદુક્કડાએ. કેહાએ માણાએ માયાએ લોભાએ સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવાયારાએ સવધમ્માઇકમણાએ, આસાયણાએ જે મે અઈઆરો, ક, તલ્સ ખમાસમણે! પડિક્રમામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ વાંદણું (બીજી વાર) ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસી૧૪. અહીંઆ વાંદણના પાઠમાં ત્રણ જગ્યાએ પાઠ બદલાશે. દિવસોની જગ્યાએ “સંવરજી”, “દેવસિએ”ની જગ્યાએ “સંવચ્છરિએ” અને “દેવસિઆએની જગ્યાએ “સંવછરીઆએ બલવાનું છે. આ ફેરફારને ખાસ ઉપગ રાખવો. WWW.jainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - સંવછરી પ્રતિક્રમણ કરી લીધી છે કે, હિઆએ. (૧). અણુજાણહ મે મિઉષ્મહ. (૨). નિસાહિ અહે કાર્ય કાય-સંફાસ ખમણિ જે ભે! કિલામે અપકિલંતાણું બહુ-સુભેણ ભે? સંવરે વઇ કં? (૩). જતા ભે? (૪). જવાણિજ ચ ભે? (૫). ખામેમિ ખમાસમણે ! સંવચ્છરિએ વસં. (૬). પશ્ચિમામિ ખમાસમણુણું, સંવછારિયાએ, આસાયણએ, તિત્તીસયરાએ જકિચિ મિરછાએ, મણદુકડાએ, વયદુકડાએ, કાયદુકડાએ. કેહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ વ્યમિચ્છવયારાએ સવ્વધસ્માઈક્રમણાઓ, આસાયણાએ જે મે અઇયારે કઓ, તસ્સ ખમાસમણ ! પડિક્રમામિ નિંદામિ ગરિહામિ અપાછું વોસિરામિ. (૭). સૂચનાઃ–પછી ગુરુદેવ સાથે જે કંઈ અવિનય, અવિવેક, અપરાધ, આશાતનાદિ થયું હોય તેની ક્ષમા માગવા માટે ગુરુ ક્ષમાપનારૂપ “અભુઠ્ઠિઓ” સૂત્ર ખામવાનું હોવાથી ચરવળાવાળા સહુ ઊભા થઈ જાય. (ગુરુદેવ હોય તો પ્રથમ તેઓ સ્વયં એકલા અભુઢિઓ ખામે, તે પછી સાથેના શિષ્ય જ્યારે ગુરુને ખમાવવા ઊભા થાય ત્યારે સકલ સંઘને તેની સાથે ગુરુને ખમાવવાનું છે. અંતમાં સકલ સંધ મિચ્છા મિ દુક્કડં” ધીમે સ્વરે બોલી શકે છે.) અભુઢિઓ ખામવાની ક્રિયા ચરવળાવાળાઓએ પ્રથમ ઊભા હેય તે નમુત્થણની જેમ પગ રાખી, ચરવળા ઉપર જમણો હાથ ઊધે થાપી, માથું ઠેઠ સુધી નમાવી, મુહપત્તીવાળે ડાબે હાથ મુખ - આડે રાખી સૂત્રને સાંભળે. બેસી રહેલા ચરવળાવાળા કે ચરવાલા વગરના, કટાસણું ઉપર જમણે હાથ થાપી મુહપત્તીવાળા ડાબો હાથ મુખ આડા રાખીને સૂત્ર સાંભળે. અભુઢિઓ સૂત્ર એક જણ સહુ સાંભળે તેમ ઊંચે સ્વરે બેલે અને બીજા સાંભળે. FOT : Page #107 -------------------------------------------------------------------------- ________________ - - - - [ _$ PNOW0PES • વિધિ સહિત) અભુદિઓ સૂત્ર (ગુરુ ક્ષમાપનરૂપ) ઊભા થઈને ક્ષમાપના માટે નીચેને આદેશ માગે. અભુટિઓ સૂત્ર ઈછાકારેણ સંદિસહ ભગવન! ૧૫સંબુદ્વા ખામણુણ અબબુદ્વિઓમિ અભિતર સંવછરિએ ખામેઉ ? ઈચછે ખામેમિ સંવચ્છરિઅં. પછી નીચે ખમાસમણની મુદ્રાની જેમ માથું નમાવી, ચરવળા ઉપર કે કટાસણું ઉપર જમણે હાથ સ્થાપી માથું નમાવીને– બારમાસાણ ચોવીશ પખાણ ત્રણ સાઠ રાઈદિઆણ (દિવસાણું) જ કિચિ અપત્તિ, પરંપત્તિખં, ભ, પાણે, વિષ્ણુએ, આવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણ, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જકિચિ મઝ વિયપરિહીશું, સુહમં વા, બાયરે વા, તુર્ભે જાણહ અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુકાઈ, પછી ઊભા થઈને પફખીની જેમ બારમાસી–સંવરછરી આલોચના કરે. એ માટે નીચેને આદેશ માગી “અતિચાર આલોચનાથી ઓળખાતું સૂત્ર બોલે. ઈચ્છામિ કામિ ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવરછરિ આલેઉ? ઇરછ આલેએમિ જે મે સંવચ્છરિઓ આઈઆર ૧૫. અભુદિઓના આદેશના શબ્દોનાં કાલવાચી શબ્દોમાં વિક છે. પણ અહીંઆ તે અમે જે બોલીએ છીએ તેને ન્યાય આપે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ કઆ, કાઇ, વાઇઓ, માણસ, ઉસ્મુત્તો, ઉગ્ગા, અકપ્પા, કરણિજો,દુંજ્ઝા, દુબ્લિસ્થિતિએ, અણાયા, અણિચ્છિઆવ્યા, અસાવગપાઉગ્ગા, નાણે, “સણું, ચરિત્તાચિત્તે, સુએ, સામાએ, તિહુ ગુત્તી, ચણહ" કસાયાળુ, પચહ્મણુળ્વયાણ, તિષ્ડ" ગુણળ્વયાણું, ચષ્ડ સિક્ખાવયાણું, ખારસવિહસ સાવગધમ્મસ, જ ખડિય્સ જ વિરહિએ, તસ્સ મિચ્છા મિ દુક્કડ, [સૂચના:-અહીં ગુરુમહારાજ જોડે જો પ્રતિક્રમણ કરતા હાઈએ તા પ્રથમ ગુરુદેવ આદેશ ખાલે અને પછી નિયમ મુજબ શિષ્ય આદ્દેશ માગે અને ગુરુ રજા આપે એટલે જે સાધુ અતિચાર માલવાના હેાય તે સાધુધ” ને લગતા અતિચારે ખાલે. એ પૂરા થયા બાદ શ્રાવકને તેના પેાતાના અતિચાર ખેલવાના હૈાય છે. ' એક બાબત એ સમજવી ઘટે કે સાધુમહારાજ શરુ તના ચારિત્રાચાર સુધીના જે અતિચારો ખેલે છે એમાં સાધુ ભેગા શ્રાવકના પણ અતિચારાના પાઠ આવી જતા હૈાવાથી, ત્યાં સુધી સયુક્ત આલેાચના થાય છે અને એથી જ શરૂઆતમાં અતિચારના એક આલાવા પૂરા થતાં અન્તમાં “સંવચ્છરી દિવસમાંહી સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં’–પાઠથી શરુ થતાં અને “ મિચ્છામિ દુક્કડં ” શબ્દથી પૂરા થતા પ્રસ્તુત પાઠને સાધુ-શ્રાવક ભેગા થઈને ખેાલે છે અને બે હાથ જોડી મસ્તક નમાવી, અતિચારાના દાષાની ક્ષમા માગે છે. એથી શરુઆતના ચારેય અતિચારની આલેાચના ભેગી થાય છે. ચારિત્રાચારના આલાવા=પાઠ પછી માત્ર સાધુના જ શેષ ચાર આલાવા ખેાલાય છે. એમાં માત્ર ૧૮સાધુ મહારાજાઓએ જ ૧૮. એ જ પ્રમાણે સાધ્વીજી સાથે સ્ત્રીએ કરતી હેાય તા તે રીતે સમજી લેવું. ૪ કાક Page #109 -------------------------------------------------------------------------- ________________ પહiJp2WADES •વિધિ સહિત) મસ્તક નમાવી દુષ્કતની ક્ષમા માગવાની છે. એ વખતે શ્રાવકોને : “મિચ્છામિ દુક્કડે ” માગવાનું નથી, માત્ર અતિચાર શ્રવણ કરી - સાધુ “મિચ્છામિ દુક્કડ' બોલે ત્યારે શ્રાવકોએ મોટે અવાજે : “ધ મુનિવર” કે “ધન્ય મુનિવરા બોલી ઉત્તમ શ્રમણ ધર્મ પાળનાર મુનિવરોને ધન્યવાદ આપવાનું કર્તવ્ય બજાવવાનું છે. - સાધુના અતિચાર પૂરા થતાં આદેશ લેનાર શ્રાવક ઊભા ઊભા જ શ્રાવકધર્મને અતિચાર સ્પષ્ટ રીતે, જરા ધીમે, સહુ સાંભળે, સમજે, તે રીતે બોલે. શક્તિ હોય તે ચરવળાવાળાઓએ ઊભા થઈને સાંભળવા યોગ્ય છે. . . અતિચારમાં વ્રતધારી શ્રાવકને વ્રતોના પાલનમાં અતિચારે લાગ્યા હોય તેને યાદ કરીને અને આવતી શ્રાવકને ગૃહસ્થાશ્રમનું પાલન કરતાં પૈસો, સ્વપરિવાર, કુટુંબ, મિત્રો, ધંધો, ઘર, પ્રવાસ, મોજશોખ, વૈભવ વગેરે અંગે, હિંસા, જુઠ, ચોરી, દુરાચાર, સંગ્રહવૃત્તિ વગેરે જાતજાતનાં કેવાં કેવા પાપમય વિચારે, વાણું અને વર્તન કરવામાં આવે છે, તેને યાદ કરી, તેની ક્ષમાપના માગી, ફરી તેવાં પાપ ન કરવાં માટે આત્મા જાગૃત રહે, તેવી બધી વાતે જુની ગુજરાતી ભાષામાં કહેલી છે. અને લગભગ સમજાય તેવી છે. તેથી અતિચારો બરાબર સાવધાન થઈને કાનથી સાંભળવા જોઈએ અને અન્તમાં બોલાતું “મિચ્છામિ દુકક્કડ' સહુએ બે હાથ જોડી મસ્તક નમાવી બેલવું જોઈએ. આ અતિચારને સમય, પ્રમાદીઓ, ક્રિયારૂચિ ન ધરાવનારાઓ કે અણસમજુ છ માટે લાંબી રિસેસછૂટી જેવો બની જાય છે. તેઓ આડા-અવળા વિચારતરંગમાં દાખલ થઈને શૂન્ય બનીને બેસી રહે છે. આરાધનાના ઉદ્દેશને જાળવતા નથી. ઉંધવા માંડે છે. પણ આરાધક આત્માઓએ તે તે પ્રમાદ કદિ ન સેવ. વાતો કરવી નહીં અને ખૂબજ શાંતિ જાળવવી. Page #110 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ પા અતિચાર ન આવડે તા સીધે સીધુ વંદિત્તુ સૂત્ર’ એક જણુ ઊભા ઊભા ખાલે અને ખીજા સાંભળે. (‘વદિત્તુ’ માટે જુએ પાનુ ૪૦.) સૌંપૂર્ણ અતિચાર આપ્યા છે. જો સાધુ મહારાજ હાય તા શ્રાવક ‘વિશેષતઃ ચારિત્રાચારે' થી ખેાલે. સૂચના:-અહીં ઈચ્છાકારેણ સ‘ક્રિસહ ભગવન્! સંવચ્છરી અતિચાર આલાઉં? ઈચ્છું' એમ કહી નીચે છાપેલા અતિચારા ખેાલવા. અહીં મ્હોટા અતિચાર આપ્યા છે. સાંવત્સરિક અતિચાર નાણુમ્મિ દ"સમ્મિ અ, ચરણસ્મિ તવત્મ્યિ તહ ય વીરિયશ્મિ, આયરણ આયારા, અ એસે પચહા ણિ (૧), જ્ઞાનાચાર, નાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અને જે કાઇ અતિચાર સવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતાં-અજાણતાં હુઆ હાય, તે સિવહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧), [જ્ઞાનાચારના અતિચારા ] તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર— કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહુ અનિહ્વણે; વજણ અત્થ તદુભએ, વિહા નાણમાયારે ારા જ્ઞાન કાળવેળાએ ભણ્યા ગુણ્યા નહીં, અકાળે ભણ્યેા. વિનયહીન, અહુમાનહીન, યાગ ઉપધાનહીન, અનેરા કન્તુ ભણી અને ગુરુ કહ્યો. દેવ-ગુરુ-વાંદણું, પડિમણે સજ્ઝાય કરતાં, ભણતાં, ગુણતાં કૂંડા અક્ષર કાને માત્રાએ અધિકા આછે ભણ્યા, સૂત્ર કૂંડ· કહ્યું, અ કૂંડા કહ્યો, તદુભય P104 Page #111 -------------------------------------------------------------------------- ________________ પર # DDDDPUDES • વિધિ સહિત કે કૂડાં કહ્યા, ભણીને વિચાર્યા. સાધુતણે ધર્મ કાજો અણઉદ્ધ, દાંડે અણુપડિલેહે, વસતિ અણુશધે, અણપસે, અસક્ઝાય અણેક્ઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભયે ગુ; શ્રાવકતણે ધીમે સ્થવિરાવલિ, પડિક્રમણ ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભ ગુ. કાળવેળાએ કાજે અણુઉદ્ધયે પડ્યો. જ્ઞાનેપગરણ, પાટી, પોથી, ઠવણી, કવલી, નકાવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માં, શીસે ધર્યો, કહે છતાં આહાર-નીહાર કીધો, શાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણા, વિણ ઉવેખે, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવત પ્રત્યે દ્વેષ-મત્સર ચિંતવ્ય, અવજ્ઞા આશાતના કીધી. કેઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો, આપણા જાણપણુતણે ગવ ચિંત, મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણું અસદ્દહણ કીધી. કિઈ તતડે બેબડે દેખી હસ્ય, વિતર્યો, અન્યથા પ્રરૂપણુ કીધી, જ્ઞાનાચારવિષઇઓ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં-અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, [દર્શનાચારના અતિચારે] દશનાચારે આઠ અતિચાર– નિસ્સયિ નિખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢદિ અ; ઉવવૃહ-થિરીકરણે, વછલ્લ પભાવણે અપાયા Page #112 -------------------------------------------------------------------------- ________________ *સંવછરી પ્રતિક્રમણ કરવી જી પ૩) દેવગુરુધમતણે વિષે નિ:શંકપણું ન કીધું, તથા એકાંતનિશ્ચય ન કીધા, ધમ સંબંધીયાં ફળતણે વિષે નિ:સંદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ-સાધ્વીનાં મલમલિન ગાવ દેખી દુગચ્છા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર અભાવ હુએ, મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંતતણું અનુપર્બોહણા કીધી અસ્થિરીકરણ અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી; અબહુમાન કીધું, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધમિક સાથે કલહ કમબંધ કીધો. અધોતી, અષ્ટપડ મુખકેશ પાખે દેવપૂજા કીધી, બિંબપ્રત્યે વાસપી ધૂપધાણું કલશતણે ઠબકે લાગ્યું, બિંબ હાથથકી પાડયું ઉસાસનીસાસ લાગે, દેહરે-ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર–નીહાર કીધાં, પાન, રોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણુયરિય હાથથકી પાડયા, પડિલેહવા વિચાર્યા:જિનભવને રાશી આશાતના, ગુરુ-ગુરુણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન તહત્તિ કરી પડિવળ્યું નહીં. દશનાચાર વિષઈએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હાય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨. [ ચારિત્રાચારના અતિચાર] ચારિત્રાચારે આઠ અતિચાર– પણિહાણજગજીત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીહિં; એસ ચરિત્તાયારે, અવિહે હેઈ નાયો છે Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉપzWNDDBEST • વિધિ સહિત : ઈસમિતિ-તે અણજયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બેલ્યાં એષણાસમિતિ–તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું, આદાનભંડમત્તનિકMવણસમિતિ-તે આસન, શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણુ પુંજી જીવાકુળ ભૂમિકાએ મૂક્યું લીધું, પારિષ્ઠાપનિકાસમિતિ-તે મળ, મૂત્ર, લેમાદિક અણુપુજી છવાકુળ ભૂમિકાએ પરાઠવ્યું, મનેગુમિ-મનમાં આd_રૌદ્ર ધ્યાન દધ્યાયાં, વચનગુપ્તિ-સાવધ વચન બેલ્યાં. કાયમુર્તિ-શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણ પુજે બેઠા, એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધીમે સદૈવ અને શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પેરે પાન્યા નહીં, ખંડણી વિરાધના હુઈ, ચારિત્રાચાર વિષઇએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હેય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૩. સૂચના:––સાધુ મહારાજ ભેગું પ્રતિક્રમણ હોય ત્યારે શ્રાવકને અહીંથી અતિચાર બોલવાના હોય છે. [ સમ્યક્ત્વના અતિચાર ], વિશેષત: શ્રાવકતણે ઘમે શ્રીસમ્યકત્વ મૂલ બાર વ્રત સભ્યત્વતણા પાંચ અતિચાર, સંકા-કખવિગિચ્છા, શંકાશ્રી અરિહંતતણ બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર શ્રી જિનવચ* બારેવતનો અધિકાર ચારિત્રાચારમાં ગણાય છે. એટલે ચારિત્રાચારના અતિચારે પૂરા થયા બાદ તપાચારના શરૂ થશે. For WWW.jainelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ ૫૫૩ નતણા સંદેહ કીધા. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ, ગાગા, આસપાલ, પારદેવતા, ગાત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમ ́ત, સુગ્રીવ, વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જીજી દેવ-દેહરાનાં પ્રભાવ દેખી રાગ–આંતક-કષ્ટ આવ્યે ઈહલેાક-પરલાકાથે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક રાઉલાને માન્ય, ઇચ્છતુ, બૌદ્ધ સાંખ્યાદિક,સન્યાસી,ભરડા,ભગત,લિંગિયા જોગીયા,જોગી, દરવેશ અનેરા દર્શનીયાતણા કષ્ટ મ`ત્ર ચમત્કાર દેખી પરમા જાણ્યા વિના ભૂલાવ્યા, માથા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સવત્સરી, હાળી, અળેવ, માહિ પૂનમ, અજાડવા, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચાથ, નાગપંચમી, ઝીલણા છઠ્ઠી, શીલ સાતમી ધ્રુવ આઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગ્યારશી, વત્સ ખારશી, ધનતેરશી, અનંત ચદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવેાદક, યાગ, ભાગ ઉતારણા કીધાં, કરાવ્યાં, અનુમાઘા, પી'પળે પાણી ઘાલ્યા; ઘલાવ્યા. ઘરે બાહિર ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, રહે, વાવીએ, સમુદ્દે, કુંડે, પુણ્યહેતુ સ્નાનં કીધાં, કરાવ્યાં, અનુમાઘાં, દાન દીધાં, ગ્રહણ, શનૈશ્ચર માહમાસે નવરાત્રિએ નાહ્યા, અજાણતાં થાપ્યાં, અનેરાઈ વ્રતત્રાલાં કીધાં, કરાવ્યાં. વિતિગિચ્છા-ધમ સ`ખ ધીયાં વિષે સદેહ કીધા. જિન વિશ્વોપકારસાગર, મેક્ષમાગ અરિહંતધમના આગાર, દાતાર, સ્યા, ગુણભણી માન્યા, ન પૂજ્યાં. મહાસતી, મહાત્માની ઈહલાક પરલેાક સબધીયા ભાગવાંછિત પૂજા કીધી, રોગ આંતક કષ્ટ આવે ખીણ વચન ભાગ માન્યાં, મહાત્માનાં ભાત, પાણી, મલ શાભાતણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર PA%A4 GREPARERER Page #115 -------------------------------------------------------------------------- ________________ T૫ $DEDIADWPBE :વિધિ સહિત કુભાવ હુઆ, મિથ્યાત્વતણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી, દાક્ષિણ્ય લાગે તેહને ધર્મ માન્ય, કીધો. શ્રી સમ્યક્ત્વ વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ૪. [ પહેલા વ્રતના અતિચાર ] પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર-વહબધછવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીવશે ગાઢ ઘાવ. વા, ગાઢે બંધને બાંધે, અધિક ભારે વાહ, નિર્લાછન કમ કીધાં, ચાર-પાણતણી વેળાએ સારસંભાળ ન કીધી, લેહણે– હણે કિણહી પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા. કહે રહી મરાવ્યું. બંદીખાને ઘલાવ્યું, સન્યાં ધાન્ય તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શેાધી ન વાવર્યા. ઇધણ-છાણાં અણુશધ્યાં બાળ્યાં; તે માંહિ સાપ, વિંછી, ખજૂર, સરવળા, માંકડ, જૂઆ, ગીગેડા સારતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યાં, કીડી-મકેડીના ઈંડા વિછાાાં લીખ ફેડી, ઉદેહિ, કીડી, મેકેડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગીયાં, દેડકાં, અલસીમાં, ઇયલ, કુંતા, ડાંસ, મસા, બળતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણ, માળા હલાવતાં-ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈંડાં ફેડયાં, અને એકે કિયાદિક જીવ વિણસ્યા, ચાંપ્યા, દુહવ્યા; કાંઈ હલાવતાં ચલાવતાં, પાણું છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં નિવાસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી, Page #116 -------------------------------------------------------------------------- ________________ *સંવછરી પ્રતિક્રમણ ) AVE B ITT DIHપણ ) સંખારે સૂક, રૂડું ગલણું ન કીધું, અણગળ પાણી વાવયું, રૂડી જયણા ન કીધી, અણુગળ પાણીએ ઝીલ્યા, લૂગડાં ધોયાં, ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા, જીવાકુલ ભૂમિ લિંપી, વાશી ગાર રાખી. દળણ, ખાંડણ, લિંપણે રૂડી જયણુ ન કીધી, આઠમ-ચૌદશના નિયમ ભાંગ્યા, ધૂર્ણ કરાવી, પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં અજાણતાં હુએ હૈય, તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચછા મિ દુક્કડ ૪ [[ બીજા વ્રતના અતિચાર | બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચારસહસા રહસ્સેદારે સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું, સ્વદાર મંત્રભેદ કીધો, અનેરા કુણહીને મંત્ર આલોચ મામ પ્રકાશ્ય, કુણહીને અનથી પાડવા કૂડી બુદ્ધિ દીધી, ડે લેખ લખે, કૂડી સાખ ભરી, થાપણુમેસ કીધો, કન્યા, ગો, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદવઢવાડ કરતાં એટલું જૂઠું બોલ્યા, હાથ–પગ તણું ગાળ દીધી, કડકડા મેડયા, મમ વચન બેલ્યા બીજે સ્થલ મૃષાવાદવિરમણવ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂમ-આદર જાણતાં અજાણતાં હુએ હૈય, તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૫, Page #117 -------------------------------------------------------------------------- ________________ • વિધિ સહિત [ત્રીક્ત વ્રતના અતિચાર ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર, તેનાહડપ્પઆગેવઘર માહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમેકલી લીધી, વાવરી, ચારાઈ વસ્તુ વહેારી, ચાર-ધાડ પ્રત્યે સ‘કેત કીધેા, તેહને સ`ખલ દીધુ, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધે, નવા, પુરાણા, સરસ, વિસ, સજીવ નિર્જીવ વસ્તુના ભેળસ‘ભેળ કીધાં, કૂડે કાટલે, તાલે, માને, માયે વહાર્યા. દાણચારી કીધી, કુણહીને લેખે વરસ્યા, સાટે લાંચ લીધી, કૂડા કરહેા કાઢયો, વિશ્વાસઘાત કીધેા, પરવચના કીધી, પાસંગ ફૂડાં કીધાં, દાંડી ચડાવી, લહકે-ત્રહકે કૂડાં કાઢેલાં માન માાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વચી કૃષ્ણહીને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણ આળવી, ગુણહીને લેખે-પલેખે ભૂલવ્યુ, પડી વસ્તુ આળવી લીધી. ૫૮ ત્રીજે સ્થૂલ અદત્તાદ્વાનવિરમણ વ્રત વિષઈ આ અનેરા જે કોઇ અતિચાર સવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાંઅજાણતાં હુઆ હોય તે વિ હુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ', ૬, [ચાથા વ્રતના અતિચાર ] ચાથે સ્વદ્વારા સતાષ, પરસ્પ્રીંગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર, અપરિગૃહિયા ઇત્તર૦ અપરિગ્રહીતાગમન, ઇત્વરપરિગૃહીતાગમન કીધું, વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદ્વારા શાકતણે વિષે દૃષ્ટિવિપર્યાસ કીધેા, સરાગ વચન બાલ્યાં. આમ. ચૌદશ અનેરી પતિથિના નિયમ લઈ ભાંગ્યા, ઘરઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહૂ વખાણ્યાં, કુવિકલ્પ ચિંતબ્યા, અન‘ગક્રીડા કીધી, સ્રીનાં અંગાયાંગ નિરખ્યાં, 112 2011 Page #118 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ પ પરાયા વિવાહ જોડયા, ઢી*ગલા-ઢીગલી પરણાવ્યાં, કામભાગતણે વિષે તીવ્ર અભિલાષ કીધે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર મુહુર્ણ-સ્વાંતરે હુઆ. કુવક લાવ્યાં, નટ, વીટ, સ્પ્રીંશુ હાંસું કીધું. ચાર્ટ સ્વદ્યારાસ તાષ પરસ્ત્રીંગમન વિરમણવ્રત વિષઈઆ અનેરો જે કાઇ અતિચાર સવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-ભાદર જાણતાં અજાણતાં હુઆ હોય તે સવિ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૭, [પાંચમા વ્રતનાં અતિચાર ] પાંચમે પરિગ્રહ-પરિમાણ વ્રતે પાંચ અતિચાર, ધણુધન્નખિત્ત વહ્યુ,ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુ, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સક્ષેપ ન કીધા, માતા, પિતા, પુત્ર, સ્ત્રી તણે લેખે કીધા, પરિગ્રહ-પરિમાણ લીધુ નહી', લેઈ ને પયુ નહી”, પઢવું વિસાયુ, અલીધું. મેથ્યુ, નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ-પરિમાણ વ્રત વિષએ અને જે કોઇ અતિચાર સ‘વચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુઆ હોય તે વિષ્ણુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં, ૮, [છઠ્ઠા વ્રતના અતિચાર ] છંટડે દિક્પરિમાણ વ્રતે પાંચ અતિચાર, ગમસ ય પરિમાણે ઊધ્વ દિશિ, અધાદિશિ, તિય શિએ જાવાઆવવાતણા નિયમ લ ભાંગ્યા, અનાભાગે વિસ્મૃતિ લગ અધિક ભૂમિ ગયા, પાઠવણી આધી-પાછી માકલી, વહાણ *** Page #119 -------------------------------------------------------------------------- ________________ લ૦ $p@DODH_DEE - વિધિ સહિત , વ્યવસાય કીધે. વર્ષાકાળે ગામતરૂં કીધું, ભૂમિકા એક ગમાં સંક્ષેપી, બીજી ગમા વધારી. છ દિક્ષરિમાણ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં- ૯ [ સાતમા વ્રતના અતિચાર] સાતમે ભેગે પગ વિરમણવ્રતે ભેજન આશ્રી પાંચ અતિચાર અને કમ હુંતી પંદર અતિચાર; એવં વીશ અતિચાર, સચ્ચિત્ત પડિબ૦ સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું, અપફવાહાર, દુષ્પક્વાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું, એળા, ઉંબી, પક, પાપડી ખાધાં. સચ્ચિત્તદધ્વવિગઈ–વાણહત બેલવકુસુમેસુ, વાહણસયણવિલેણુ-બંભદિસિન્હાણુભસુ. ૧ એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લેઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂલા, ગાજર, પિંડ, પિંડાલ, ચૂરે, સુરણ, કુળી આંબલી, ગળે, વાઘરડાં ખાધાં, વાશી કઠોળ, પેળી, રોટલી, ત્રણ દિવસનું છેદન લીધું, મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પટા, વિષ, હિમ, કરહા, ઘેલડાં અજાક્યાં ફળ, ટીંબરૂ, ગુદા, મહોર, બળ અથાણું, આંબલબેર, કાચુ મીઠુ, તિલ, ખસખસ, કેઠિબડાં ખાધાં, ત્રિભૂજન કીધાં, લગભગ વેળાએ વાળુ કીધું, દિવસ વિણઉગે શીરાવ્યા, તથા કમત: પંદર કર્માદાન, અંગાલ Page #120 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરીપ્રતિક્રમણ ૧૧ કચ્ચે, વણકચ્ચે, સાડિકમ્મે, ભાડિકમ્મે, કોડીકમે એ પાંચ ક`, દંતવાણિજ્યે, લક્ષ્મવાણિ, રસવાણિજ્યે, કેસવાણિજે, વિસવાણિજે, એ પાંચ વાણિજ્ય, જતપિáણકર્મે,નિલંછણુકમ્મે,દ્વવગ્નિદ્વાવણયા, સર-હ-તલાયસામયા, અસપાસયા, એ પાંચ સામાન્ય, એવં ૫દર કર્માદાન મહુ સાવદ્ય, મહારંભ, રાંગણ, લીહાલા કરાવ્યા. ઇંટ, નિભાડા પચાવ્યા. ધાણી, ચણા, પાન્ન કરી વેચ્યાં, વાશી માખણ તવાવ્યાં, તિલ વહાર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા, લીઢા કીધા, અગીઠા કરાવ્યા, થાન, ભીલાડા, સૂડા, સાલહી પામ્યા, અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદ્ધિ સમાચર્યા, વાથી ગાર રાખી, લીપણુંચુ પણે મહારભ કીધા, અણુશાધ્યા ચૂલા સબ્રૂકયા. ધી, તેલ, ગાળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂકયાં, તે માંહિ માખી, કુતી, ઉંદર, ગિરાળી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભેગાપભાગ વિરમણવ્રત વિષઈ આ અનેરો જે કોઈ અતિચાર સ‘વચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુઆ હોય તે વિષ્ણુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૦ [ આઠમા વ્રતના અતિચાર ] આઠમે અનડ વિરમણ વ્રતે પાંચ અતિચાર, કલ્પે કુકુઇએ, કદ` લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ કીધાં. પુરૂષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સીકથા કીધી, પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણ' કીધું, આત્ત-રૌદ્રધ્યાન PAPE PAPAPAPA. Page #121 -------------------------------------------------------------------------- ________________ )WINDBPLUES • વિધિ સહિત દયાયાં, ખાંડા, કટાર, કેશ, કુહાડા, રથ, ઊખલ, મુશલ, અગ્નિ, ઘરટી, નિસાહ, દાંતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપપદેશ દીધે, અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણા નિયમ ભાંગ્યા, મુખરપણાલગે અરબદ્ધ વાકય બલ્ય, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોળે, નાહણે, દાતણે, પગ ધોયણે, ખેલ, પાણી, તેલ છાંટયાં, ઝીણે ઝીલ્યા, જુવટે રમ્યા, હિંચોળે હિંગ્યા, નાટક-પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કશ વચન બોલ્યાં, આકાશ કીધા, અબોલા લીધા, કરકડા મોડ્યા, મચ્છર ઘર્યો, સંભેડા લગાડ્યા. શાપ દીધા ભેંસા, સાંઢ, હુડ, કૂકડા, ધાનાદિક ઝુઝાર્યા, સુઝતાં જોયા, ખાદી લગે અદેખાઈ ચિંતવી, માટી, મીઠું, કણ, કપાસિયાં કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિકા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. - આઠમે અનથદંડ વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહી સૂક્ષ્મ-ભાદર જાણતાં અજાણતાં હુ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૧, [ નવમા વ્રતના અતિચાર ] નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુષ્પણિહાણે, સામાયિક લીધે મને આહદેહદૃ ચિંતવ્યું, સાવઘ વચન બોલ્યાં, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઉંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિંતા કીધી, વીજ Page #122 -------------------------------------------------------------------------- ________________ -- સંવચ્છરી પ્રતિક્રમણ ફાઈEEDBછી Upલ 9) દીવતણી ઉmહી હુઈ, કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ઘાવડી, અરણે, પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી, નીલ ફલ, સેવાલ, હરિયકાય,બીયકાય ઇત્યાદિક આભડ્યાં, સી-તિયચતણું નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ, મુહપત્તિઓ ઘટ્ટી, સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિસાય, - નવમે સામાયિક વ્રત વિષઈએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ–બાદર જાણતા અજાણતાં હુઆ હેય તે વિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ૧૨, [દસમા ગતના અતિચાર] દસમે દશાવકાશિક તે પાંચ અતિચાર, આણવણે પિસવણે, આણવણુપ્પાઓગે, સિવણુપ્પગે, સદ્દાણવાઈ, રૂવાણવાઈ, બહિયાપુગ્ગલપ, નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું, આપણું કહે થકી બાહેર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરે નાખી, સાદ કરી, આપણુપણું છતું જણાવ્યું, - દશમે દેશાવકાશિકત્રત વિષઇએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂબાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૩. [ અગિયારમા વ્રતના અતિચાર ] અગ્યારમે પૌષધોપવાસવતે પાંચ અતિચાર, સંથારચારવિહિ૦, અપડિલેહિય, દુપડિલેહિય, સિજજા-સંથા Page #123 -------------------------------------------------------------------------- ________________ GR @BAPWDEABEL - વિધિ સહિત રએ, અપડિલેહિય દુપડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ, પિસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડાં વડાં સ્થડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં; માતરું અણjર્યું હલાવ્યું, અણપુછ છવાકુલ ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં “અણુજાણહ જસુગ્રહ ન કહ્યો. પરઠવ્યાં પુઠે વાર ત્રણ “સિરે વોસિરે ન કહ્યો, પિસહશાલામાંહિ પેસતાં “નિશીહિ' નિસરતાં “આવસ્યહિ વાર ત્રણ ભણું નહીં, પુઢવી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ, રાસકાયતણ સંઘ, પરિતાપ, ઉપદ્રવ હુવા, સંથારા પરિસીતણે વિધિ ભણવે વિચાર્યો, પિરિસીમાંહે ઉંધ્યા,અવિધિએ સંથારે પાથર્યો, પાણાદિકણ ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંઘા, પડિકમણું ન કીધું, પોસહ અસુરે લીધે, સવેરે પાર્યો, પવતિથિએ પોસહ કીધે નહી. અગ્યારમે પૌષધપવાસ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ૧૪. [બારમા વ્રતના અતિચાર] બારમે અતિથિસંવિભાગ પાંચ અતિચાર, સચ્ચિત્તે નિખિણે, સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાભા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતુ ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું, વહેરવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા, મત્સર ધરી દાન દીધું, ગુણવંત આવ્યું Page #124 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ STEESAINT ભક્તિ ન સાચવી; છતી શક્તિએ સાહમિરછલ્લ ન કીધું, અનેરા ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા નહી, દીન-ક્ષીણ પ્રત્યે અનુકંપાદાને ન દીધું. બારમે અતિથિસંવિભાગ વ્રત વિષઈએ અને જે કે અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષમ–બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૫, [સલેખણના અતિચાર] સંખણાતણા પાંચ અતિચાર, ઈહિલાએ પરાએ, ઇહલાગાસંસ પગે, પરલગાસંસ પગે, છવિ સંસપગે, મચણાસંસપગે,કામભેગાસસપ્પગે, ઇલેકે ધર્મના પ્રભાવ લગે રાજદ્ધિ સુખ, સૌભાગ્ય, પરિવાર વાંછયાં, પરલેકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તીતણી પદવી વાંછી, સુખ આવે જીવિતવ્ય વાંચ્યું, દુ:ખ આવે મરણ વાંછયું, કામભેગણી વાંછા કીધી, સંખણા વ્રત વિષઇએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૬, [તપાચારના અતિચાર ] તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર, અણુસણમૂરિયા૦ અણસણભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધે નહીં, ઊદરી વ્રત તે કેળીયા Page #125 -------------------------------------------------------------------------- ________________ BESIDDDDE :વિધિ સહિત પાંચ-સાત ઊભા રહ્યા નહિ, વૃત્તિક્ષેપ તે દ્રવ્યભણી , સવ વસ્તુને સંક્ષેપ કીધો નહીં, રસત્યાગત્ર તે વિગયત્યાગ ન કીધો, કાયલેશ ચાદિક કષ્ટ સહન કર્યા નહીં, સંલીનતા-અંગપાંગ સંકેચી શખ્યાં નહીં, પરચખાણ ભાંગ્યાં, પાટલે ડગમગતે ફેડે નહીં, ગંઠસી, પિરિસી, સાઢપિરિસી, પુરિમ, એકાસણું, બેસણું, નીતિ, આંબિલ પ્રમુખ પરચકખાણ પારવું વિચાર્યું, બેસતાં નવકાર ન ભ, ઉઠતાં પચ્ચખાણ કરવું વિસારું, ગંઠસીઉં ભાંગ્યું, નીવિ, આંબિલ; ઉપવાસાદિક તપ કરી કાચુ પાણી પીધું, વમન હુએ, બાહ્ય તપ વિષઈઓ અને જે કંઇ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૭. અત્યંતર તપ–પાયછિત્ત વિણુઓ૦, મનશુદ્ધ ગુરુ કહે આલેયણ લીધી નહી; ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત ત૫ લેખાશુદ્ધ પહુંચાડ નહીં; દેવ, ગુરુ, સંપ, સાહષ્મી પ્રત્યે વિનય સાચ નહીં; બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું; વાચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા, ધમકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો; ધમ ધ્યાન, શુફલધ્યાન ન ધ્યાયાં; આતદયાન, રૌદ્રધ્યાન દયાયાં, કમક્ષય નિમિત્તે લોગસ્સ દશ–વીશને કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ–આદર જાણતાં અજાણતાં Page #126 -------------------------------------------------------------------------- ________________ •સંવચ્છરી પ્રતિક્રમણ કરતી HD વાલ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિરછા મિ દુક્કડં. ૧૮. [વર્યાચારના અતિચાર] વીર્યાચારના ત્રણ અતિચાર, અણિગ્રહિઅબલવીરિક પઢ, ગુણ, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક પિસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધમકૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતું બળ, છતું વીયર ગેપચ્યું, રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં, વાંદણાતણ આવવિધિ સાચવ્યા નહીં, અન્યચિત્ત નિરાકરપણે બેઠા, ઉતાવળું દેવવંદન-પડિક્કમણું કીધું. - વીર્યાચાર વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક. ૧૯ નાણાઈ-અ પઈવય, સભ્ય-સંલેહણુ-પણુ–પન્નરકમ્મસુ; બારસતિષ વીરિઅતિગ, ચઉવ્વીસ-સય અઇયારા, ૧, પડિસિદ્ધાણું કરણે, પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ, પરિગ્રહાદિક કીધાં, જીવાવાદિક સૂક્ષ્મ વિચાર સદ્દા નહીં; આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણ કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, કાધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ અરતિ, પરસ્પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય; એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હેય, દિનકૃત્ય, Page #127 -------------------------------------------------------------------------- ________________ G • વિધિ સહિત ) પ્રતિક્રમણ, વિનય, વેચાવચ્ચ ન કીધાં. અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમાથું હેય. એ ચિહું પ્રકાર માંહે અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહી સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૨૦૦ સૂચના:–આ અતિચાર પૂરા થતાં વડીલ શ્રાવક અને અન્ય સહુ મસ્તક નમાવીને રહે, વડીલ નીચેને પાઠ જે બોલે તે સાંભળે અને અન્તમાં સહુ “મિચ્છામિ દુક્કડ' આપે. એવંકારે શ્રાવકતણે ધીમે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત એક ચાવીશ અતિચારપ્પાહી, અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાં સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મને-વચને કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ, પછી વડીલ શ્રાવક “સબૂસ્સવિ” સૂત્ર બોલે— સવ્યસ્સવિ સૂત્ર સવ્યસ્સવિ, વસિઅ, દુચ્ચિતિ, દુર્ભાસિઅ, દુચિઅિ ઇચછાકારેણ સાદિસહ ભગવન! “ઇચ્છતસ્સ મિચ્છા મિ દુક્કડ, પછી ઊભા ઊભા જ નીચે મુજબ વડીલ પ્રતિ વિનંતિ કરે— ઈચછકારી ભગવન ! પસાચ કરી સંવછરી તપ પ્રસાદ કરશેજી, Page #128 -------------------------------------------------------------------------- ________________ “સંવચ્છરીપ્રતિક્રમણ < B ત્યારે વડીલ શ્રાવક, કવાયોગ્ય સવછરી એટલે કે વાર્ષિક તપની સભા સન્મુખ નીચે મુજબ જાહેરાત કરે. “ સવછરી લેખે એક અેમ અથવા ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, માર એકાસણાં, ચાવીશ એઆસણાં, છ હજાર સજ્ઝાય—યાન કરી પહોંચાડશેાથ.' આ પ્રમાણે આજ્ઞા કરે ત્યારે જે લેાકાએ અઠ્ઠમતપ કર્યા હાય ( અથવા પૂરું કરવાને માટે તેને પ્રારંભ કરી દીધા હાય) તે જવાબરૂપે મન્ત્રસ્વરે ‘વટ્ટિો ’ ( -એટલે પ્રવેશ કર્યો છે) એમ ખાલે. અથવા હવે પછી વાળી આપવાની ભાવના હાય તા ‘તદ્ઘત્તિ” (-આજ્ઞા પ્રમાણે કરશું) એમ ઉચ્ચારે અને કાઇ કારણસર ન કરવા હેાય તેઓ મૌન રહે. નોંધ:—વર્ષ દરમિયાન બંધાતા ક્રર્માના ક્ષય માટે અથવા પ્રાયશ્ચિત્ત તરીકે તપાચારનું પાલન કરવું જોઈએ. અનિકાચિત કરતાં નિકાચિત ક્રાટિનાં કર્મોની નિર્જરા માટે તેમજ મોંગલ અને કલ્યાણ માટે એ અમેાધ ઉપાય છે. જૈનકુળમાં જન્મ લીધેલાં શક્તિશાલી આત્માએ વર્ષ દરમિયાન આ વાર્ષિક તપ જરૂર કરી આપવે! જ જોઈએ, અક્રમ કે ત્રણ ઉપવાસ ન કરી શકે તેના માટે ઉપરની આજ્ઞામાં જુદા જુદા સાનુકૂળ તા પણ બતાવ્યા છે. રાગી, માંદા, અશક્તો માટે છ હજાર ગાથાના પાઠ ખેાલી જવાનું કહ્યું છે. પાઠ કરતાં જ ન આવડતું હાય તા છેવટે ૬૦ બાધી માળા પણ ગણીને શ્રાવક’ તરીકેની નામનાને સફળ બનાવી શકાય છે. આ થઈ ગયા બાદ પહેલાંની માફક બે વખત સુગુરુ વાંા લેવા. RKRARS Page #129 -------------------------------------------------------------------------- ________________ GS GUYZZZZ • વિધિ સહિત વાંદણાં ( પહેલી વાર ) ઈચ્છામિ ખમાસમણેા! દઉં જાણજ્જાએ નિસીહિએ. ૧, અણુજાણહ મૈં મિઉગ્ગહ . ર. નિસીહિ, અહાકાય' કાયન્સ ફાસ` ખમણિજ્જો બે ! કિલામા, અકિલ‘તાણુ મહુસુભેણ બે સવચ્છરો વતા? ૩. જત્તા ભે? ૪ જણજ્જ ચ ભે? પ.ખામેચિ ખમાસમણેા!સ'વચ્છશ્મિ' વઈમ' ૬,આવસિઆએપડિમામિ ખમાસમણાણ સ વઆિએ આસાયાએ તિત્તીસન્નયરાએ, જ કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, યદુક્કડાએ, કાયદુડાએ, કાહાએ માણાએ માયાએ લેાભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવ્વધમ્માઇક્રમણાએ, આસાયણાએ જો મે આઈઆર ક તસ્સ ખમાસમણા! પડિમામિ, નિામિ, ગરિહામિ, અપ્પાણ વાસિરામિ ૭. વાંદણાં ( બીજી વાર ) ઇચ્છામિ ખમાસમણા! 'ઉ' જાણિજ્જાએ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ, અહ્વાકાય' કાય-સ ફાસ” ખમણિજો બે ! કિલામા અકિલતાણ મહુસુભેણ લે ! સવચ્છરો વક્રતા ! ૩, જત્તા ભે? ૪. જાણ' ચ લે ! ૫, ખામેમિ ખમાસમણા ! સંવર્િઅ વક્રમ‘. ૬,પડિઝમામિ ખમાસમણાણ સંવરિએ આસાયણાએ તિત્તીસન્નયરાએ જ‘કિચિ મિચ્છાએ, મદુડાએ, વયદુક્કડાએ, કાયદુડાએ. કાહાએ માણાએ માયાએ જા *** Page #130 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિકમણ વોઝ _) લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવ્યઘમ્માઈક્રમણએ, આસાયણાએ જે મે અઈઆરે કઓ, તસ્સ ખમાસમણે ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ. ૭. સૂચના:-હવે સંવછરી ખામણું કરવાનાં હોવાથી પ્રથમ ગુરુદેવ સાથે અવિનય, આશાતના, વૈર, વિરોધ આદિ થયું હોય તેની અને તે બાદ સમગ્ર વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે ક્રોધાદિ કષાય થઈ ગયા હોય, જે કંઇ તિરસ્કાર કે કડવાશે ઉત્પન્ન થઈ હોય, મનદુઃખ થયાં હોય, વૈર-વિરોધાદિ બન્યું હોય તે બધાની ક્ષમાપના માગવાની છે. માટે ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. પ્રથમ ગુરુ સ્વયં સ્વગુરુને અભુઢિઓ દ્વારા ક્ષમાપના કરે અને પછી શિષ્ય૧૮ ઉંચા અવાજે અમ્બુદિઓ ખામે, શ્રીસંધ તેની સાથે સાથે જ ક્ષમાપના કરે. . (સૂચના:-ગૃહસ્થનું જ પ્રતિક્રમણ હોય તો સહુએ ભેગા થઈને એક જ અભુદિઓ ખામવાનું છે.) અભુક્રિઓ પૂરું થતાં આપણું જાણતું અને માનીતું મિચ્છામિ દુક્કડ પરસ્પર ચતુર્વિધ સંઘે અંદર અંદર માંગવાનું છે. અને તે નાટકીય ઢબે નહિં પણ ગંભીરતા અને પ્રસન્નતાપૂર્વક હદયના ઉંડા ભાવથી, ઉદારતાથી વેર-વિરોધની ક્ષમા અન્ય જીવો પ્રત્યે ૧૮. સાધુઓ જે ચાર હોય તે એકજવાર અને પાંચ હોય તો (ગુરુનું છેડીને) ત્રણ વખત અમ્મુદ્રિએ ખામવામાં આવે અને સાધુ સાત હેય તો પાંચ વખત એમ ઉત્તરોઉત્તર સંખ્યા પ્રમાણે ખાવાનું પ્રમાણ વધે છે. ન્હાના સાધુઓએ હાટા સાધુઓને ખમાવાના હોય છે. . Page #131 -------------------------------------------------------------------------- ________________ લ ઉર $}BINDI • વિધિ સહિત માગી લેવાની છે. કોઈ મારે દુશ્મન નથી, હું કોઈને દુશ્મન નથી. સમગ્ર વિશ્વના પ્રાણીઓ પ્રત્યે મારે મિત્રતા છે. વગેરે ભાવ ભાવી નત મસ્તકે ક્ષમા માંગવી. કર્મના કે વિરોધના ભારથી હળવા કુલ જેવા બની જવું. અને વાતાવરણને પ્રેમમય બનાવી દેવું. આ રીતે વિધિ કરવાનું છે. હવે પછી સંવછરીનું પ્રત્યેક ખામણું ખાવાનું છે જે નીચે મુજબ છે. અભુઠિઓ સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! પdઅખામણું અભુઓિમિ અભિતર સંવચ્છરિએ ખામેઉ ? ઈચ્છે ખામેમિ સંવરિઅં. ચરવળા ઉપર કે કટાસણું ઉપર જમણો હાથ સ્થાપીને– બારમાસાણ ચાવીશ પખાણું ત્રણ સાઠ રાઈદિઆણું (દિવસાણું) જકિચિ અપત્તિઅં, પરંપત્તિએ, ભત્ત, પાણે. વિષ્ણુએ, આવચ્ચે, અલાવે, સંલાવે, ઉચ્ચાસણે સમાણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જકિચિ મજ્જ વિણયપરિહોણું, સુહુમં વા, બાયર વા, તુર્ભે જાણહ અહ ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડ, ત્યારપછી સહુએ–બારમાસી ક્ષમાપના સૂત્ર “મિચ્છામિ દુક્કડ” (મારા અનુચિત વર્તનની ક્ષમા આપો) ગંભીરતાપૂર્વક, અંતરના સાચા ભાવથી આપવું અને લેવું. તે પછી નીચે મુજબ બે વાંદણું દેવાં. Page #132 -------------------------------------------------------------------------- ________________ -- -- - -- સંવરી પ્રતિકમણ તાવ $ Eા લહg B) સુગુરુવંદન (પહેલી વાર) ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ. અણજાણહ મે મિઉચ્ચાહું નિશીહિ. અહે કાય, કાય-સંફાસં, ખમણિજmો ભે! કિલામે, અપકિલંતાણું બહુસુભેણ ભે! સંવછરે વઇkતો? જરા ભે? જવણિજ ચ ભે ? ખામેમિ ખમાસમણે, સંવચ્છરિએ વઈક્કમ, આવસ્સિઆએ, પડિકમામિ ખમાસમણાણું, સંવચ્છરિયાએ, આસાયણાએ તિત્તીસજયરાએ, જકિચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ. કેહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિરવયારાએ સલ્વધસ્માઈક્રમણાએ, આસાયણુએ જે મે આઈઆરો, કઓ, તસ્સ ખમાસમણે! પડિમામિ, નિંદામિ, ગરિણામિ, અપાયું વોસિરામિ, સુગુરુવંદન (બીજી વાર) ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજજાએ નિસીહિઆએ. ૧, અણુજાણહ મે મિઉચ્ચ, ૨. નિસીહિ અહો કાય કાય-સંફાસ ખમણિજે ભે! કિલામે અપલિંતાણું બહુ-સુણ ભે! સંવછરે વઇક્કતો? ૩. જતા ભે? ૪. જવણિજ ચ ભે! ૫. ખામેમિ ખમાસમણે ! સંવરછરિએ વઈર્મ. ૬. પડિમામિ ખમાસમણાણું સંવચ્છરિયાએ, આસાયણાએ, તિત્તીસયરાએ જકિંચિ મિચ્છાએ, મણદુડાએ, યદુન્ડાએ, Page #133 -------------------------------------------------------------------------- ________________ 97 ) PUJWDPSESS • વિધિ સહિત કાયદુકડાએ, કેહાએ માણાએ માયાએ લેભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવ્યધમ્માઈક્રમણએ, આસાયણાએ જે મે અઈયારે કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાછુ વોસિરામિ. ૭. પછી નીચે મુજબ આદેશ માગે. દેવસિઅ આલેઈઅ પડિક્કતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવછરિએ પડિકામામિ (અથવા પડિકમુ)? ઈચ્છ” સમ્મ પડિક્કામામિ, એમ બોલીને નીચેનાં સૂત્રો બેલે. કરેમિ ભંતે કરેમિ ભંતે! સામાઈયં, સાવજ જેગ પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિ તિવિહેણું, મeણું વાયાએ કાણું, ન કરેમિ, ન કરેમિ તસ્સ ભતે ! પડિક મામિ, નિંદ્રામિ, ગરિયામિ, અપાયું સિરામિ. ઈચ્છામિ ડામિ ઈચ્છામિ પડિકમિઉ, જે મે સવછરીઓ અઈઆરે ક, કાઈએ, વાઈ, માસિએ, ઉદ્ભુત્તો, ઉમ્મ, અકપ, અકરણિજે,દુષ્કાએ દુધ્વિચિતિઓ અણાયા, અણિચ્છિા , અસાવગપાઉો, નાણે, ઇસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિરહ ગુત્તીર્ણ ચણિહ કસાયાણું, Page #134 -------------------------------------------------------------------------- ________________ * * • સંવછરીપ્રતિકમાણ આપી પંચહમણુવ્વાણુ, તિહુ ગુણવ્રયાણું, ચઉહ સિખાવયાણું; બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જ' ખંડિઅ જ વિરહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ, સૂિચના –સાધુ સાધ્વીજી હોય તો જ, હવે પછીની ક્રિયામાં સંવછરી સૂત્ર બેલવામાં આવે છે. આ સૂત્ર મહામંગલકારી છે. તો શ્રમણ સાધુઓનું સૂત્ર સમજીને બેદરકારી ન સેવવી પણ આ સૂત્રને બે હાથ જોડીને બરાબર શ્રવણ કરવું. અને શાંતિ૧૯ જાળવવી. ગુરુ મહારાજ નીચે મુજબ આદેશ માગે પછી શિષ્ય માગે અને ઊભા ઊભા ત્રણ નવકાર બોલવા પૂર્વક સંવરછરી સૂત્ર૧ ભણે. પ્રથમ ખમાસમણું દઈને ગુરુ– ઈચ્છામિ ખમાસમણે! વદિ જાણિજજાએ નિસીહિઆએ, મયૂએણ વધામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! “સંવછરી સૂત્ર કહું ? પછી શિષ્ય એ જ શબ્દોમાં ગુરુ પાસે આદેશ માગે ત્યારે ગુરુ કહે “કઢો. એટલે શિષ્ય “ઈરછું' બોલી સ્વસ્થમને, સ્થિરતાથી, બહુમાનપૂર્વક હાથ જોડી, મુહપત્તીનો ઉપગી રાખી, સંવછરી સૂત્ર (પફખી સૂત્ર) ભાવ પૂર્વક બેલે. અન્ય સાધુઓ સાવધાન રહીને શ્રવણ કરે.] ૧૯. સંવછરી સૂત્ર, પફબી (પાક્ષિક) સૂત્ર, ચોમાસી સૂત્ર એ એક જ સૂત્રનાં નામો છે. ફક્ત તે તે દિવસને અનુલક્ષી ભિન્ન ભિન્ન નામથી બોલાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૬ $ D ODE DESS વિધિ સહિતી સાધુ ન હોયતો સંવછરી સૂત્રની જગ્યાએ શ્રાવક ઉભો થઈને ત્રણ નવકાર બોલવાપૂર્વક “વદિતુ સત્ર” કહે અને બીજા સાંભળે. પ્રથમ ત્રણ વાર નવકાર બેલવા. નવકાર–નમસકાર સૂત્ર નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવક્ઝાયાણું, નમે લોએ સવ્વસાહૂણ, એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલં, શ્રાદ્ધ પ્રતિક્રમણ અથવા વંદિતુ સૂત્ર વંદિતુ સવ્યસિદ્ધ, ઘમ્માયરિએ આ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગધસ્માઇઆરસ્ટ, ૧ જે મે વયાઈ આરે, નાણે તહ સર્ણ ચરિતે અ; સુહુ અ બાયરે વા, તે નિંદે ત ચ ગરિહામિ. ૨ દુવિહે પરિગ્રહમ્મી, સાવજે બહુવિહે આ આર; કારણે આ કારણે પડિકમે દેસિ સવ્વ. ૩ જ બદ્ધમિદિએહિ, ચઉહિ કસાબેહિ અપસવ્યહિ; ગણુ વ દેસેણુ વ, તે નિંદે ત ચ ગરિહામિ. ૪ આગમણે નિગમણે ઠાણે ચંકમણે અણાગે; અભિગે નિગે, પડિકામે દેસિ સળં. ૫ સંક કખ વિગિચ્છા, પસંસ તહ સંથો કુલિંગસુ, સમ્મત્તસ્મઈઆરે, પડિમે દેસિઅસલ્વ. ૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ BES $ BHOP છક્કાય સમારંભે, પયણે આ પયાવણે આ જે દેસા; અત્ત ય પર, ઉભય ચેવ ત નિં. ૭ પંચણહમણુવ્વાણું, ગુણવયાણું ચ તિણહમઈયારે; સિફખાણું ચ થઉણહ, પડિમે દેસિ સળં. ૮ પઢમે અણુવ્રયમ્મી, મૂલગપાણાઈવાયવિદઈએ: આયરિઅપ્પસત્ય, ઇત્ય પમાય પસણું૯ વહ બંધ છવિચ્છેએ, આઇભારે ભરૂપાણયુએએએ; પઢમવયસ્સઇઆરે, પડિક્રમે દેસિ સળં, ૧૦ બીએ અણુવ્યયમ્મી, પરિપૂલગઅલિયવયણવિરઈએ; આયરિઅપ્પસત્યે, ઇત્ય પમાય પ્રસંગેણું ૧૧ સહસા રહસ્સ દ્વારે, મેસુવસે ફૂડલેહે અ; બીઅવયસ્સઈઆરે, પડિકામે દેસિ સવૅ ૧૨ તઈએ અણુવ્રયમ્મી, શ્લગ-પરદબ્રહરણવિરઈએ; આયરિઅપ્પસત્ય, ઇત્ય પમાયસંગેણું. ૧૩ તેનાહડપ્પઓગ, તપહિરૂ વિરુદ્ધગમણે અ; કૂડતુલકૂડમાણે પડિકામે દેસિ સવ ૧૪ ચઉલ્થ અણુવ્રયમ્મી, નિર્ચા પરદારગમણુવિઈએ; આયરિઅપ્પસન્થ, ઈર્થી પમાય પણું. ૧૫ અપરિગ્રહિઆ ઈત્તર, અણગવીવાહતિવ્રઅશુાગે; ચઉથવયર્સીઈઆરે, પડિમે દેસિ સળં. ૧૬ ઈનો અણુવ્રએ પંચ-મમ્મી આયરિઅમuસસ્થમિ; પરિમાણ-પરિચછે એ, ઈર્થી પમાયપ્રસ ગેણં, ૧૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ કુલ 909@DIPES • વિધિ સહિત) ધણધન્નખિત્તવલ્થ, રૂપસુવને આ કુવિઅપરિમાણે દુપએ ઉપ્પયમ્મી, પડિમે દેસિ સવં. ૧૮ ગમણસ્સ ઉપરિમાણે, હિસાસુ ઉ અહેઅ તિરિપંચ; લુહી સઈઅંતરદ્ધા, પઢમમ્મિ ગુણશ્વએ નિંદે. ૧૯ મજમિઅ સંસમ્મિ અ, પુફે આ ફલે આ ગધમલે અ; વિભેગે પરિભેગે, બીયમિ ગુણશ્વએ નિંદે. ૨૦ સચ્ચિત પડિબદ્ધ, અપલિ દુપોલિએચ આહારે; તુચ્છસહિભખણયા, પડિમે દેસિ સળં. ૨૧ ઈંગાલી-વણ-સાડી–ભાડી–ડીસુ વજએ કમ્મ; વાણિજ ચેવ દત–લફખરસકેસવિસવિસર્યા. ૨૨ એ ખુ જતપિલ્લણ-કમ્મ નિāછણે ચ વટાણ; સરદહતલાયસેસ, અસઈ પિસ ચ વજિજ્જા, ૨૩ સસ્થગ્નિમુસલજતગતણુકઠે મંતમૂલભેસજે; દિને હવાવિએ વા, પડિકમે દેસિ સળં. ૨૪ ન્હાણુણવન્સગ-વિલેણે સદ્ધરૂવરસગધે; વસ્થાસણઆભરણે, પડિમે દેસિઅ સળં. ૨૫ કંદપે કુકુઈએ, મેહરિ અહિગરણ ભેગઅઈરિતે; દંડમ્મિ અણકૂએ, તઈઅમિ ગુણવએ નિદે. ૨૬ તિવિહે દુપ્પણિહાણે, અણુવણે તહા સઈવિહૂણે: સામાઈઅ વિતહકએ, પઢમે સિખાવએ નિં. ર૭ આણવણે પિસવણે, સદ્ રૂવે આ પુગ્ગલખે; દેસાવગાસિઅમ્મી, બીએ સિખાવએ નિંદે ૨૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ Dj ca) સંચારુચારવિહી–પમાય તહ ચેવ મેયણાએ; પિસહવિહિ વિવરીએ, તઈએ સિફખાવએ નિંદે. ૨૯ સચ્ચિત્તે નિફિખવણે, પિહિણે વવસ મચ્છરે ચેવ; કાલાઇકમદાણે ચઉલ્થ સિફખાવએ નિંદે. ૩૦ સુહિએસ અ દુહિએસુ અ, જા મે અસ્પંજએસુ અણુક પા; રાગેણ વ દેસણ વ, તે નિંદે ત ચ ગરિહામિ. ૩૧ સાહૂનું સંવિભાગે, ન કઓ તવચરણકરણજુસુ; સંતે ફાસુઅટાણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલાએ પરાએ વિઅ-મરણે આ આસંસપગે; પંચવિહે અઇઆરે, મા મજ્જ હુજ મરણતે. ૩૩ કાણ કાઈઅસ્મ, પડિકમે વાઈઅલ્સ વાયાએ; માણસ માણુસિઅસ્સ, સવ્યસ્સ વાઈઆરસ્સ, ૩૪ વંદણ-વય-સિફખા-ગારવેસુ, સન્નાસાય સુ;. ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆર અ ત નિંદે. ૩૫ સમ્મદિઠી જીવો, જઈ વિ હ પાવ સમાયરે કિંચિ; અપ સિ હેઈ બધે જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ તે પિ હુ સપડિકમણું, સપરિવં સઉત્તરગુણું ચ; ખિપે વિસામે, વાહિ વ સુસિખિઓ વિજો. ૩૭ જહા વિસં કુગચં, મંતમૂલવિચારયા; વિજા હણંતિ મંતહિં, તે તે હવઈ નિશ્વિસં. ૩૮ એવ અવિહડ કમ્મ, રાગદાસસમજિજ; આલેઅ અ નિંદ, ખિપ્પ હણુઈ સુસાવએ. ૩૯ કયા વિ મણસે, આઈ નિંદિ ગુરુસગાસે; હે ઈ આઈ રેગલહુએ, હરિઅભરુશ્વ ભારવહ. ૪૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ Ze AYYIZEN વિધિ સહિત આવસએણુ એએણુ, સાવ જઇવિ મહુર હાઇ; દુર્ખાણુમતિ અ`, કાહી અચિરેણ કાલેણ, ૪૧ આલાઅણ્ણા બહુવિહા; ન ય સ‘ભરિ પડિક મણકાલે; મૂલગુણઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિામિ, ૪૨ (પછી ઊભા થઈને અથવા તેા જમણેા પગ નીચે રાખી નીચેની આઠ ગાથાઓ ખેલવી.) તસ્સ ધમ્મસ્ડ કેલિપન્નત્તમ્સ, અદ્ભુòિએ મિ આરાહણાએ, વિરએ મિ વિરાહણાએ; તિવિહેણ પડિતા, વામિ જિષ્ણુ ચઉન્નીસ”, ૪૩ જાવતિ ચેઇઆઇ, ઉદ્દે અ અહે અતિરિઅલાએ અ; અ સલ્વાઈ તાઈ વઢે, ઇ સતા તત્વ સતાઈ. ૪૪ જાવ'ત કે વસાહૂ, ભરહેરવયમહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણ, તિવિહેણ તિઃ ડિવયાણ, ૪૫ ચિરસ`ચિયપાવપણાસણીઇ, ભવસયસહસ્યમહણીએ; ચવીસજિવિણિર્ગીય હાઈ વાલ’તુ મે દ્વિઅહા, ૪૬ મમ મંગલમરિહતા, સિદ્ધા સાહૂ સુચ્યં ચ ધમ્મા ; સમ્મલ્હિી દેવા, કિંતુ સમાહિં ચ ઐહિંચ. ૪૭ પડિસિદ્ધાણ કરણે, કિચ્ચાણમકરણે પડિમણું; અસ ્હણે આ તહા! વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સભ્યજીવે, સબ્વે જીવા ખમતુ મે; મિત્તી મે . સભ્યભૂએસુ, વેર. મજ્જ* ન કેણુઈ, ૪૯ એવમહ' આલેાઈએ, નિદિચ્ય ગરRsઅ દુગ'છિમ્મ સમ્મ; તિવિહેણ પડિતા, વામિ જિણે ચઉન્નીસ, ૫૦ 11 ***** Page #140 -------------------------------------------------------------------------- ________________ 2 . INT સંવચ્છરી પ્રતિક્રમણ ) કાળી શાલી વંદિતુ પુરું થયા પછી સમગ્રસંઘ એકી સાથે વ્યવસ્થિત રીતે નીચેની થેય બોલે, સુઅદેવયા ભગવઈ, નાણાવરણય-કમ્મસંઘાય; તેસિ વેઉ સયય, જેસિ સુઅસાયરે ભરી. ૧ પછી નીચે બેસી જમણે ઢીંચણ ઉભો રાખી નીચે મુજબ એક નવકાર, કરેમિભંતે, ઇચ્છામિ પડિકમિઉં કહીને વંદિતુ કહેવું. નવકાર નમે અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમે ઉવક્ઝાયાણું, નમે એ સવ્વસાહૂણું એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સવ્વર્સિ પઢમં હવઈ મંગલં, કરેમિ ભંતે કરેમિ ભંતે! સામાઇયે, સાવજ જગ પચ્ચક્ ખામિ, જાવ નિયમ પજજુવાસામિ દુવિહુ તિવિહેણ, મણેણ, વાયાએ, કાણુ, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ અપાયું સિરામિ. ઈચ્છામિ પડિમિઉં ઈચ્છામિ પડિક્કમિઉં, જો મે સંવછરિઓ, અઈઆરે ક, કાઈઓ, વાઈઓ, માણુસિએ, ઉસ્યુરો, ઉમ્મ, અક, અકરણિજે, દુક્ઝાઓ, દુધ્વિચિંતિએ, અણાત્યારે અણિચ્છિા , અસાવગાઉગે, નાણે, દંસણે, ચરિત્તાચરિતે, સુએ, સમાઈએ, તિણહે ગુત્તીર્ણ, ચઉણહું કસાયાણ, પંચહમણુવ્રયાણુ, તિણીં ગુણવ્રયાણુ, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૨) UNDDESH • વિધિ સહિત) ચઉણહું સિખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મન્સ, જ ખંડિએ જ વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. વંદિતુ સૂત્ર વંદિતું સબ્રસિદ્ધ, ધમ્માયરિએ આ સવ્વસાહુ અ; ઈચ્છામિ પડિકમિઉ, સાવગધમ્માઇઆરસ્સ. ૧ જો મે વયાઈઆરે, નાણે તહ દૂસણે ચરિતે અ; સુહુ અ બાય વા, ત નિંદે ત ચ ગરિહામિ. ૨ દુવિહે પરિગ્ગહમ્મી, સાવજે બહુવિહે આ આરત્યે કારણે આ કરણે, પડિક સંવચ્છરિએ સવ્વ. ૩ જ બદ્ધમિંદિઓહિ, ચઊંહિ કસાહિં અપ્પસન્વેહિ; રાગેણ વ દેસણ વ, તે નિંદે તં ચ ગરિહામિ. ૪ આગમણે નિગમણે ઠાણે ચકમણે અણાગે; અભિગે અ નિગે, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૫ સંકા કખ વિગિચ્છા, પસંસ તહ સંથ કુલિંગીસુ; સમ્મત્તસ્મઈઆરે, પડિકામે સંવચ્છરિએ સવ્વ, છક્કાય સમારંભે, પણે અ પયાવણે આ જે દેસા; અત્ત ય પર, ઉભય ચેવ ત નિં. ૭ પંચહમણુવ્વાણું, ગુણુવ્રયાણું ચ તિહમઈયારે; સિફખાણું ચ ચણિહ, પડિકમે સંવર્ચ્યુરિઅસ. ૮ પઢમે અણુવ્વયમ્મી, થલગપાણઈવાયવિરઈએ; આયરિઅમપત્થ, ઇત્ય પમાય પ્રસંગેણ, ૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વહુ મધ વિચ્છેએ, અભારે ભત્તપાણવુÐએ; પઢમવયસઇઆરે, પડિક્રમે સવરિઅ‘સભ્ય, ૧૦ બીએ અણુવ્વયમ્મી, પથૂિલગલિયવયવિરઈ આ; આયરિઅમસથે, ત્ય પમાય પસ ંગેણુ, ૧૧ સહસા રહસ્ય દ્વારે, મારુવએસે અ ફૂડલેહે અ; બીઅવયસઈઆરે, પડિક્રમે સવરિઅ સભ્ય, ૧૨ તએ અણુળ્વયમ્મી, ફૂલગ-પરદવ્યહરવિરઈ આ; આર્યાઅમપ્લસથે, પ્રત્ય પ્રમાય પસ ગેણુ', ૧૩ તેનાહડપ્પઆગે, તડિરૂવે વિરુદ્ધગમણે; ક્રૂતુલકૂડમાણે, ડિમ્રમે સ‘વરિઅ‘સભ્ય, ૧૪ ચઉત્શે અણુવ્વયમ્મી, નિચ્ચ. પરદ્વારગમવિરઈએ; આયરિઅમપ્પસથે, ઈત્ય માયસ ગેણુ', ૧૫ . અરિહિ ઈત્તર, અણુગવીવાતિવઅણુરાગે; ચઉત્શવયસઈઆરે, પડિમે સવરિઅ સભ્ય ૧૬ ઇત્તો અણુવ્વએ પચ-મમ્મી,આરિઅમય્યસમ્મિ; પરિમાણ–પરિચ્છેએ, ઇત્ય પમાય સંગેણુ, ૧૭ ધણધખિત્તવત્યુ, રૂપ્પસુવન્ને અ કુવિઅપરિમાણે; ૬પએ ચઉપ્પયમ્મી, પડિક્રમે સવારઅસભ્ય', ૧૮ ગમણુસ્સ ઉપરિમાણે, દ્વિસાસુ ઉઙ્ગ અહે અ તિશ્મિ' ચ; વુડ્ડી સઈઅંતરદ્ધા, પઢમમ્મિ ગુણત્વએ નિંદ. ૧૯ મજ્જમ્મિ અ મ સમ્મિ અ, પુષ્ટ્રે આ લે આ ગ"ધમલે ; વભાગે પિરભાગે, ીયશ્મિ ગુણશ્વએ નિંદે ૨૦ ****** Page #143 -------------------------------------------------------------------------- ________________ (૮૪ KBDUSDLL DEAD • વિધિ સહિત સચ્ચિત્તે પડિબ, અપલિ દુપેલિઅ ચ આહારે; તુચ્છસહિભખણયા, પડિકામે સંવરછરિમં સવં, ૨૧ ઈંગાલી-વણ-સાડી–ભાડી-ડીસુ વજએ કમ્મ; વાણિજ્જ' ચેવ દત-લફખરસકેસવિસવિસર્યા. ૨૨ એવં ખુ જતપિલ્લણ-કમ્મ નિäછણું ચ દવયાણું; સરહૃહતલાયસેસિં, અસઈ પોસં ચ વજિજજા. ૨૩ સસ્થગ્નિમુસલજ તગ-તણુકઠે મંતમૂલભેસજે; દિને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરિમં સવં. ૨૪ લ્હાણવટ્ટણવન્તગ-વિલેણે સદ્ધરૂવરસગધે; વસ્થાસણઆભરણે, પડિમે સંવચ્છરિએ સવ્વ. ૨૫ કંદપે કુકકુઈએ, મેહરિ અહિગરણ ભેગાઈરિ; દંડમ્મિ અણુએ, તઈઅશ્મિ ગુણશ્વએ નિદે. ૨૬ તિવિહે દુપ્પણિહાણે, અણવર્ણ તહાસવિહૂણે; સામાઈઅ વિતહએ, પઢમે સિખાવએ નિંદે. ૨૭ આણવણે સિવણે, સદે રૂવે આ પુગ્ગલખે; દેસાવગાસિઅશ્મી, બીએ સિખાવએ નિંદે. ૨૮ સંથારુચ્ચારવિહી–પમાય તહ ચેવ ભેયણાએ; પિસહવિહિ વિવરીએ, તઈએ સિફખાવએ નિંદે, ૨૯ સચ્ચિત્તે નિફિખવણે, પિહિણે વવસ મચ્છરે ચેવ; કાલાછમદાણે, ચઉલ્થ સિફખાવએ નિંદે૩૦ સુહિએ આ દુહિએસુ અ, જા મે અસ્સજએસુ અણુક પા; રાગેણુ વ દેસણ વ, તે નિંદે ત ચ ગરિહામિ. ૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ લાલH UVAN B) સાસુ સંવિભાગે, ન કએ તવચરણુકરણુજુસુફ સંતે ફાસુઅદાણે, તે નિંદે ત ચ ગરિહામિ. ૩૨ ઈહલેએ પરલોએ, છવિ અ-મરણે આ આસંસપગે; પંચવિહે અઇઆરે, મા મસ્જ હુજજ મરણતે. ૩૩ કાણ કાઈઅસ્સ, પડિક્કમે વાઈઅસ્સ વાયાએ; મણુસા માસિઅસ્સ, સક્સ વાઈઆરસ્સ. ૩૪ વંદણ-વય-સિફખા-ગારવેસુ, સન્નાકસાય સુ; ગુત્તીસુ અસમિઈસુ અ, અઈઆર અ ત નિંદે. ૩૫ સમ્મદિઠી છે, જઈ વિ હુ પાવ સમાયરે કિંચિ; અપે સિ હેઈ બધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ તં પિ હ સપડિકમણું, સપરિઆવં સઉત્તરગુણું ; ખિપ ઉવસામે, વાહિ વ સુસિખિઓ વિ. ૩૭ જહા વિસં કુટુંગર્ય, મંતમૂલવિચારયા; વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિબ્રિસં. ૩૮ એવં અહિં કમ્મ, રાગદાસસમજિજઅફ આ અંતે આ નિંદ, ખિપ્પ હણઈ સુસાવએ. ૩૯ ક્યા વિ મણુસે, આલેઈઅનિંદિ ગુરુસગાસે; હેઇ અઈરેગલહુએ, હરિઅભવ્ય ભારવહે. ૪૦ આવસ્સએણુ એએણ, સાવ જઈવિ બહુર હેઈ; દુફખાણમંતકિરિઅ, કહી અચિરેણ કાલેણુ, ૪૧ આલોઅણ બહુવિહા, નય સંભરિઆ પડિકમણકાલે; મૂલગુણઉત્તરગુણે, તે નિંદે ત ચ ગરિણામિ. ૪૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ CWWEDDDDS • વિધિ સહિત (પછી ઊભા થઈને અથવા તો જમણો પગ નીચે રાખી નીરોની આઠ ગાથાઓ બોલવી.) તસ્ય ધમ્મસ કેવલિપન્નત્ત, અભુઠિઓ મિ આરહણાએ, વિરઓ મિવિરહણીએ; તિવિહેણ પડિkતે, વંદામિ જિણે ચઉવ્વીસ. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે અતિરિઅલોએ અ; સાઈ તાઈ વંદે, ઇહ તે તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહુ , ભરહેવયમહાવિદેહે અ; સસિ તેસિં પણુએ, તિવિહેણ તિરંડવિયાણ. ૪૫ ચિરસંચિયપાવપણાસણી, ભવસયસહસ્સમહણીએ; ચઉવીસરિણુવિણિય-કહાઈ વેલંતુ મે દિઅહા, ૪૬ મમ મંગલમહિતા સિદ્ધા સહુ સુઅ ચ ધમ્મ અ; સમ્મદિઠી દેવા, હિતુ સમાહિં ચ બેહિં ચ ૪૭ પડિસિદ્ધાણુ કારણે કિચ્ચાણમકરણે પડિકમણું; અરાહણે આ તહા, વિવરીઅપરૂવણાએ અ, ૪૮ ખામેમિ સવ્યછે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસ. વર મઝ ન કેણઈ. ૪૯ એવમહું આલેઈઅ, નિદિઆ ગરહિએ દુગંછિઍ સમ્મ; તિવિહેણ પડિત, વંદામિ જિણે ચઉવ્વીસં. ૫૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરીપ્રતિક્રમણ ચાલીસ લાગસ્સના કાઉસ્સગ્ગ અંગે સૂચના:——હવે સહુના જાણીતા અને પ્રતિક્રમણમાં જેની રાહ જોવાતી હાય છે તે ૪૦ લેાગરસને કાઉસ્સગ્ગ આવી રહ્યો છે. એટલે પેશાબ કરવા જવું હેાય તેમણે તે ક્રિયા પતાવી દેવી. કાઉસ્સગ્ગની વચ્ચે જવાય નહીં અને બીજાના આડું ઉતરાય નહિ માટે સહુએ સ્વસ્થ બની જવું. છીંકના પૂરા ઉપયાગ રાખવા. જેની શક્તિ હેાય તે આ મહાન કાઉસ્સગ્ગને ઊભા ઊભા જ કરે, ન શક્તિ હેાય તે ખેડા ખેડા કરે. હાલ્યા–ચાલ્યા સિવાય, હેાઠ ફફડાવ્યા સિવાય, આડું અવળુ જોયા વિના ટટ્ટાર બેસી, એકાગ્રચિત્ત રાખી કાઉસ્સગ્ગ કરવાના હેાય છે. આ મહાન ગંભીર ક્રિયા છે. ખરી રીતે લેગસ્સ કે નવકારના અર્થ શિખી લેવાય તા કાઉસ્સગ્ગ કરતાં અનેરા આનંદ પ્રાપ્ત થાય. હવે કાઉસ્સગ્ગ એવી ચીજ છે કે તે ખરી રીતે તેા ઊભા ઊભા જ કરવાથી તેનું યથાર્થ ફળ મળે છે. તા ચરવળા સાથે ઊભા થઈ જવું. બે પગનાં તળીયાં નજીક રાખવાં. બન્ને વચ્ચે આંગળા પાસે ચાર આંગળ અને એડી પાસે તેથી જરાક આછુ... . અંતર રાખી ઊભા રહેવાનુ છે, ચરવળે! ડાબા હાથમાં દાંડી આગળ અને દશીના ગુચ્છા પાછળ રહે એ રીતે રાખવા અને મુહપત્તી જમણા હાથમાં બન્ને હાથેા જધાની લગભગ રાખવા, દષ્ટિ સ્થાપનાચાર્યજી હું નાસિકાગ્ર પર રાખવી. ( જુઆ ચિત્ર અને કાઉસ્સગની સમજણુ આપતું લખાણ. ) YZ7AAT કાઉસ્સગ્ગ ગણત્રી વેઢાથી કરી ન શકાય. માટે નવપાંખડીના કમલાકારવાળું નવપદજીનું નવ ખાનાનું યંત્ર હૃદયકમળમાં કલ્પવું, એક એક ખાને એક એક નવકાર ગણવા. ચાર વખત ગણવાથી ૩૬ થાય, ઉપર ગણી આપે એટલે ૪૦ ગણાય જાય. ચાર 202 Page #147 -------------------------------------------------------------------------- ________________ વિહુ તારી કરી મામિ, નિયા ન ફરે $pBDSDEDAB• વિધિ સહિત જેને લોગસ ન આવડે તેને અપવાદે નવકાર ગણું આપવાના છે. આટલી સૂચનાઓ ધ્યાન પર લઈને કાઉસ્સગ્નની ક્રિયા કરવી. કરેમિ ભંતે કરેમિ ભંતે! સામાઇયે, સાવજ જેગ પચ્ચકખામિ, જાવનિયમ પજુવાસામિ દુવિહં તિવિહેણું, મણણું વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે! પડિકમામિ, નિરામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ. ઈચ્છામિ કામિ ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે સંવચ્છરિઓ અઈઆરે ક, કાઇઓ, વાઇઓ, માણુસિઓ, ઉદ્ભુત્તો, ઉમેગે, અક અકરણિજો, દુક્ઝાએ દુધ્વિચિંતિઓ અણાયારે, અણિછિએ, અસાવગપાઉો, નાણે દૂસણે, ચરિત્તાચરિ, સુએ, સામાઇએ, તિરહ ગુત્તિણુંચઉહ કસાયાણ પંચમહમણુવ્રયાણુ, તિરહ ગુણવ્રયાણું, ચઉણહ સિકખાવયાણું; બારસવિહસ્સ સાવગધમ્મન્સ, જ ખંડિઅં જ વિરહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ, તસ્સ ઉત્તરીકરણેણું તસ્સ ઉત્તરીકરણેણું પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ નિશ્યાયણએ કામિ કાઉસ્સગ્ગ (૧). અસહ્ય અન્નW ઊસસિએણું, નીસિસિએણું, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉડુએણું વાયનિસગ્ગણું, ભમલીએ, પિત્તમુચ્છાઓ. ૧ સુહુહિં અંગસંચાલેહિ, સુહુમહિ ખેલ Page #148 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિકમણ લાલ , ppલ છે) સંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિં. ૨. એવભાઈએ હિં, આગારેહિં અભો અવિશહિઓ હજ મે કાઉસ્સગ્ગા. ૩ જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણ ન પારેમિ, ૪ તાવ કાર્ય ઠાણેણ, મેણેણું, ઝાણેણં અપાણ સિરામિ. ૫ સહુએ કાઉસ્સગ્ન કરવો. લોગસ્સ આવડતું હોય તેઓએ ૪૦ લેગસ “ચંદેસુ નિમ્મલયરા”૨૦ સુધી ગણવા. ઉપર એક નવકાર. લોગસ્સ જેમને ન આવડતો હોય તેમણે ૧૬૧૨૧ નવકાર ગણવા. ગુરુ પાર્યા બાદ પારે. બેસવું હોય તે પ્રગટ લોગસ્સ બોલી બેસવું. બેઠા પછી મૌન રાખવું. જેથી બીજાના ચાલુ કાઉસ્સગ્નમાં વિક્ષેપ ન પડે. બધા મારી લે એટલે પ્રતિક્રમણ ભણાવનાર પ્રગટ લોગસ્સ બોલે. લોગલ્સ લેગસ્સ ઉજો અગરે, ઘમ્મતિથયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ; પઉમપણું સુપાસે, જિણ ૨ ચંદuઈ વદે ૨ સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજજ ચ; વિમલમણુત ચ જિણ, ધમ્મ સંતિં ચ વંદામિ૩ ૨૦. ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ જાળવવાનું હોવાથી. ૨૧. ૧૬૧ નવકાર ગણવાનું વિધાન વધુ ગ્ય છે કેમકે લોગસ્સ ગણવાવાળો ૪૦ લેગસ્સ અને નવકાર ગણે છે. તો ૪૦ લેગસના ૧૬૦ નવકાર અને ઉપરને એક નવકાર ઉમેરતાં નવકાર ગણનારે ૧૬૧ ગણવા જોઈએ. Page #149 -------------------------------------------------------------------------- ________________ EN વિધિ સહિત કુશું. અર્ ચ મલ્લિ, વન્દે મુણિમુળ્વય' નમિજિષ્ણુ· ચ; વદ્યામિ નેિમિ, પાસ તહે વમાણુ યુ. ૪ એવું મએ અભિધુઆ,હુવિચર્યમલા, પહીણજરમા; ચીસ પિ જિવરા, તિર્થંવરા મે પસીયતુ, ૫ કિત્તિય વષ્ટ્રિય મહિયા, જે એ લાગલ્સ ઉત્તમા સિદ્ધા; આગ મહિલાભ, સમાહિવરમુત્તમં કિંતુ ૬ ચન્દેસુ નિમ્મલયરા, આઈÅસુ અહિય* પયાસયરા; સાગરવરગ'ભીરા. સિદ્ધા સિદ્ધિ મમ સિતુ. ૭ . પછી મુહપત્તીનું પડિલેહણુ અગાઉ બતાવ્યું તે મુજબ ઉભડક કે ખેસીને કરે. પછી નીચે મુજબ બે વાંદણાં આપવા વાંદણાં ( પહેલી વાર ) ઈચ્છામિ ખમાસમણા ! 'ક્રિ' જાવણિજ્જાએ નિસીહિઆએ. ૧. અણુજાણુહ મે મિઉગ્ગહં. ૨. નિસીહિ, અહે કાય' કાય–સ'ફાસ` ખમણિજ્જો બે કિલામા, અકિલ‘તાણ મહુસુભેણ ભે ! સવચ્છરો વઈક્રતા?૭. જત્તા ભે? ૪, જણજ્જ' ચ બે ? ૫. ખામેમિ ખમાસમણા ! સ‘વરિઅં વઈક્કમ, ૬, આસિઆએ પશ્ચિમામિ ખમાસમણાણુ, સવઆિએ આસાયણાએ તિત્તીસન્નયરાએ જ કિંચિ મિચ્છાએ, મણદુડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ, કાહાએ માણાએ માયાએ લાભાએ, સબ્ધકાલિઆએ સમિાવયારાએ સવધસ્માઈક્રમણાએ આસાયણાએ, જો મે આઈઆર કઆ, તસ્સ ખમાસમણા, પડિક્કમામિ, નિંદ્રામિ, ગરિહામિ, અપ્પાણ' વાસિરામિ ના * Page #150 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિકમણ કેવી છે શUાલા ) વાંદણુ (બીજી વાર) ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિસાએ. ૧. અણુજાણહ મે મિઉમ્મહ ૨. નિશીહિ, આ કાયંકાય–સંફાસંખમણિજો બે કિલામ, અપલિંતાણું બહુસુભેણુ ભે! સંવછરે વઈkતો ? ૩. જરા ભે? ૪. જવણિજ' ચ ભે? ૫. ખામેમિ ખમાસમણે ! સંવછરિએ વઈમ, ૬. પઠિકમામિ ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણુએ તિત્તીસયરાએ જ કિચિ મિચ્છાએ, મણદુડાએ વયદુકડાએ કાયદુકડાએ કેહાએ માણાએ માયાએ લેભાએ, સલ્વકાલિઆએ સવ્વમિવયાએ સવ્વધસ્માઈક્રમણએ આસાયણએ, જે મે અઈયારે કઓ તસ્સ ખમાસમણે, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું વોસિરામિ, પછી અભુદ્ધિ સૂત્ર ખામે. અભુઠિઓ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સમાપખામણેણું અદ્ભુિિમ અભિંતર સંવચ્છરિએ ખામેઉં? “ઈચ્છ ખામેમિ સંવછરિઅં. ચરવળા ઉપર કે કટાસણ ઉપર જમણો હાથ સ્થાપી– બારમાસાણું ચાવીસ ફખાણું ત્રણ સાઠ રાઈ દિઆણું જકિચિ અપત્તિએ, પરસ્પત્તિ અં, ભરે, પાણે, વિષ્ણુએ, ૨૨. “અભુઠ્ઠિઓ હં “સમસ્ત ખામણેણું' આ રીતે પણ બેલાય છે. * આ પાઠમાં પણ વિકલ્પ આવે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ Pin/ • વિધિ સહિત વેવચ્ચે, આલાવે, સલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઊવરિભાસાએ, જ' કિંચિ મજ્જ વિષ્ણુયપરિહી, સુહુમ' વા, ખાયર. વા, તુબ્સે જાહુ અહ ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં, ત્યાર બાદ સકલ સંધમાંથી વડીલ શ્રાવક નીચે પ્રમાણે શ્રાવક યેાગ્ય ચાર ખામણાંને ખામે, ખમાસમણું સહુ એક સાથે ઉચ્ચ સ્વરે ખાલી શકે છે. *સાંવત્સારક ખામણાં (૧) ઇચ્છામિ ખમાસમણા ! નિસીRsિઆએ, મર્ત્યએણ વદ્યામિ જાવણિજ્જાએ ઇચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! સવરી ખામણાં ખાણું ? ઇરછું, કહી જમણેા હાથ ચરવળા ઉપર કે કટાસણા ઉપર મૂકીને ચાર ખામણાં ખામવા. તે આ રીતે— નવકાર નમેા અરિહ‘તાણું, નમેા સિદ્ધાણુ, નમા આયરિયાણ, નમેા ઉવજ્ઝાયાણું, નમા લાએ સવ્વસાહૂ', એસેા પંચનમુક્કારો, સવ્વપાવપણાસણેા, મગલાણુ ચ સવ્વેસિં, પઢમ' હવઈ મંગલ, સિરસા મસા મથએણ વામિ. (૨) ઈચ્છામિ ખમાસમણા ! વદિ જાણિજ્જાએ નિસીહિએ, મર્ત્યએ વામિ * સાધુમહારાજની નિશ્રામાં ખામવાના ખામણાં જુદાં હેાય છે. કિ Page #152 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છીપ્રતિક્રમણ નમા અરિહંતાણું, નમા સિદ્ધાણ, નમા આયરિયાણ', નમા ઉવજ્ઝાયાણં, નમા લેાએ સવ્વસાહૂણં, એસા પંચનમુક્કારો, સવ્વપાવણાસણા, મંગલાણ ચ સવ્વેસિં, પઢમ' હવઈ મગલ, સિરસા મસા મત્યુઅણુ વદામિ, (૩) ઇચ્છામિ ખમાસમણા ! વદિ જાવણિજ્જાએ નિસીહિએ, મત્યુઅણુ વામિ. નમા અરિહ‘તાણ, નમા સિદ્ધાણુ, તમે આરિયાણુ, તમે। ઉવજ્ઝાયાણું, નમે. લાએ સવ્વસાહૂણં, એસે પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણા, મગલાણ ચ સવ્વેસિં, પઢમ હેવઈ મગલ', તસ્સ મિચ્છા મિ દુક્કડ', ઇચ્છામિ ખમાસમણેા ! 'દિ* જાવણિજ્જાએ નિસીહિએ, મથએણ 'મિ. નમા અરિહંતાણું, નમેા સિદ્ધાણ', તમે આયરિયાણં, નમેા ઉવજ્ઝાયાણું, તમેા લાએ સવ્વસાહૂણ’, એસે પચનમુક્કારો, સવ્વપાવ પણાસણા, મગલાણં ચ સન્થેસિં, પઢમ હવઇ મગલ, સિરસા મસા મથએણ વંદામિ. ઈચ્છામા અણુસř, સવરિય સમ્મત્ત..., દેવસિયં ભણિજ્જાહિ. 1 drdra Page #153 -------------------------------------------------------------------------- ________________ aa%DDDDD}PHEN વિધિ સહિત હવે અહીંઆ સંવછરી પ્રતિક્રમણ પહેલા દૈવસિક વંદિતુ બોલ્યા બાદ જે ક્રિયા શરૂ કરી હતી તે અહીંઆ પરિપૂર્ણ થાય છે. એ થતાં સંવછરી–સાંવત્સરિક પાપના પ્રતિક્રમણની–આલોચનાની મંગલ વિધિ પૂરી થાય છે. જે ભાવની શુદ્ધિ અને વિધિની શુદ્ધિ આ બંને પ્રકારની શુદ્ધિ જાળવીને આત્મા ઉત્તમ રીતે ક્રિયા કરે તો કમના ભારથી આત્મા હળવો બની અસાધારણ કટિના કેઈ અનેરા આનંદનો આસ્વાદ મેળવે છે. હવે બાકી રહેલું દેવસિક-દેવસિ પ્રતિક્રમણ અહીંથી શરૂ થાય છે. પ્રથમ બે વખત સુઝુર વાંદણ આપવાના– સુગુરુવંદન (પહેલી વાર) ઈચ્છામિ ખમાસમણે! વંદિઉ જાવણિજ્જાએ નિસીહિઆએ. ૧, અણુજાણહ મે મિઉગઈ, ૨, નિશીહિ. અહેકાયંકાય–સંફાસં ખમણિ જે ભે!કિલામે, અપકિદંતાણું બહુસુભેણુ ભે! દિવસે વઇkતે? ૩. જરા ? ૪, જવણિજજ ચ ભે ? ૫. ખામેમિ ખમાસમણે! દેવસિએ વઈક્રમ, ૬, આવસિસઆએ, પડિમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણએતિતસન્નયારાએ,જંકિચિમિચ્છાએ, મણુદુકડાએ, વયદુકડાએ, કાયદુકડાએ. કેહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિરછોડયારાએ Page #154 -------------------------------------------------------------------------- ________________ *સંવછરી પ્રતિક્રમણ ઇ પૂલ ટાટ) સબૂધમ્માઈક્રમાએ, આસાયણએ જે મે આઈઆરે, કઓ, તસ્સ ખમાસમણે! પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અપાયું વોસિરામિ. સુગુરુવંદન (બીજી વાર) ઈરછામિ ખમાસમણે! વં6િ જાવણિજજાએ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્નહ. ૨. નિશીહિ, અહો કાય કાય–સંફાસ ખમણિજજે ભે! કિલામે અ૫કિલંતાણું બહુ-સુભેણ ભે! દિવસે વધkતો? ૩. જરા ભે? ૪. જવણિજજ ચ ! ૫. ખામેમિ ખમાસમણે! દેવસિ વઈક્રમ. ૬. પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસત્તયરાએ જકિચિ મિરછાએ, મણદુકડાએ, વયદુકડાએ, કાયદુક્કડાએ, કેહાએ, માણાએ, માયાએ, લોભાએ, સલ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવ્વધમ્માઈક્રમણોએ, આસાયણાએ જે મે અઈઆરે કઓ, તસ્સ ખમાસમણે ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ. પણ પછી ચરવળાવાળા બધા ઊભા થઈ અભુઢિઓ ખામે. એ માટે નીચેનો પાઠ બોલે— અભુઠિઓ ઈચછાકારેણ સંદિસહ ભગવન ! અભુિિમ અભિંતર દેવસિ પામે? ઈછું, ખામેમિ દેવસિઅ. (જમણે હાથ ચરવળા કે કટાસણું ઉપર સ્થાપીને–) Page #155 -------------------------------------------------------------------------- ________________ - - ક૬ ) SB) UNDPSES • વિધિ સહિત જ કિંચિ અપત્તિઅં; પરંપત્તિ અં, ભણે પાણે વિષ્ણુએ, આવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણ, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જકિંચિ મw વિજુયપરિહીણું સુહમં વા, બાયરે વા, તુર્ભે જાણહ અહ ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડ, પછી નીચે મુજબ બે વાંદણું આપવા વાંદણું (પહેલી વાર ) ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવાણિજ્જાએ નિસીહિઆએ. ૧, અણુજાણહ મે મિઉગઈ. ૨. નિસીહિ. અહેકાયં કાય-સંફાસું ખમણિ ભે! કિલામ, અપકિલતાણું બહુ સુણભે દિવસે વઇ તે? ૩. જતા ભે?૪. જવાણિજ ચભે? ૫. ખામેમિ ખમાસમણે!દેવસિ વઈક્રમે ૬ આવસ્સિઆએ પડિકમામિ ખમાસમણુણું દેવસિઆએ, આસાયણાએ તિત્તીસગ્નયરોએ, જ કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુકડાએ, કાયદુકડા એ. કેહાએ માણાએ માયાએ લોભાએ, સવ્યકલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવઘમ્માઈક્રમણએ, આસાયણાએ જે મે અઈઆરે કઓ, તસ્ય ખમાસમણે! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપાયું વોસિરામિ ૭. વાંદણું (બીજી વાર ) ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસીહિએ, ૧, અણુજાણહ મે મિઉગહ. ૨, નિશીહિ, અહે Page #156 -------------------------------------------------------------------------- ________________ 351 === કાઉસગ્ગ કરતાં પહેલાં આ વાંચા વરસમાં એકાદ બે દિવસ પ્રતિક્રમણ કરનારા મહાનુભાવાને ૪૦ લાગસ્સ કે ૧૬૧ નવકારની ગણત્રી ચાદ રાખવી ભારે સમસ્યા રૂપ છે. પરિણામે સેકડા વ્યક્તિએ પૂરી સખ્યામાં કાઉસગ કરતી નથી, કેટલાક એવા પણ છે કે મગજને જરાય શ્રમ આપવા તૈયાર નથી, જ્યારે ચાદ રહે તેમ નથી તે કરીને શું કરવું છે? એટલે ગણે જ નહીં. આ માટે નવ ખાનાંના નવપદજીની ધારણા રાખવાનું ગણત્રીની સરલતા માટે કહેવામાં આવે છે પણ તે બધાથી શક્ય નથી હતું. એટલે તેએ માળા લઇને આવે છે અને તેનાથી સંખ્યા પૂરી કરે છે કેટલાક વેઢાં ગણે છે. પણ આ પદ્ધતિ નિયમથી વિરૂદ્ધ છે એટલે વાસ્તવિક પરિસ્થિતિને લક્ષમાં લઈને લાભાલાભના કારણે આ તદ્દન નવીન પદ્ધતિ દાખલ કરી છે. આકાર્ડ ખેાળામાં રાખવાનું અને વચ્ચે વચ્ચે સંખ્યાની ધારણા કરતા જવાની. આ પદ્ધતિ ખેડા બેઠા કાઉસ્સગ્ગ કરનાર માટે ઉપયેાગી શેથ. હવે સૂચનાઓ વાંચા : ૧. કાઉસ્સગ્ગ કરતી વખતે કાર્ડને પેાતાના ખેાળામાં અથવા ચરવળા ઉપર રાખવુ'. ૨. પછી દરેક ખાનામાં જાપ કરતાં અરિહંતની મૂર્તિની કલ્પના કરવા સાથે ખાતામાં નજર કેન્દ્રિત કરી જાપ કરવા. ૩. જાપ કરતાં અરિહંતની મૂર્તિની પના કરે અને નવકાર પૂરા બેલાય ત્યાં સુધી ખાનાંની ધારણા બરાબર રાખેા. ૪. લેાગસ આવડતા હાય તા તેએએ (ચ દેસુનિઅલયરા સુધી) એજ ગણવા. ન આવડતા હોય તેા જ નવકાર ગણવે. ૫. ટટ્ટાર બેસા, ટેકા ન લે, ચા નીચા થાવ નહિ. આડુ અવળું જુએ નહિં, બીજા સાથે જરા પણ વાત કરે નહિ. ૬. મનની શુદ્ધિ અને એકાગ્રતા જાળવેશ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ४० लोगस्सना काउस्सग्गगणवामाटेनुं साधन (नं. १) Of २० ૨૩ ૨૧ ક ૧૯) ૨૨ ૨૫ ૨૩ २४ 3 ४० ३७ ૩૯ ૩૮ ૧૯ ૧૭ ૧૬ ૧૧ ૧૦ ૧૫ ૨૯ 39 ૩૫૪ ૨૮ ૩૪ 33 ૧૨ ૧૩ ૧૪ ૩૦ ૪૦,લોગસ્સ ગણ્યા બાદ એક નવકાર ગણો. ૩૧ ૩૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ ___४० लोगस्सना काउस्सग्गगणवामाटेनुं साधन (नं.२) ૧૦ ૧ ૧૫ ૧૬ ૨૦. ૨૧ ૨૫. ૨૬ ૩૧ ૨૮ ૨૯ ગુણ ૩૩ ૩૪ ૩૭ ૩૮ ૩૯ હવે-એક નવકાર ગણી. ૩૦ ૩૫ ૪૦ ) ૩૬ 8 () આ ચિત્રમાં અ” કે પ્રવી, જલ વગેરે પાંચ તાના SLRL Htore deg flerstallsely Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ નાનો શાસ્ત૨૫T Tખવામાટેનું સાધન.. . .. . . (નં ૩) પણું ૧૮ ૧૯|૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૨ [૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧/૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭/૩૮ ૩૯ ૪૦/૪૧.૪૨ ૪૩ ૪૪૪૫૪૬ ૪૭૪૮ ૪૯પ૦૫૧ પર પ૩ ૫૪ ૫૫ ૫૬૫૭/૫૮ ૫૯ ૬૦ ૬૧] ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩,૭૪૭૫/૭૬૭૭/૭૮ ૭૯ ૮૦ ૮૧ ૮૨ ૮૩ ૮૪]૮૫૮૬૧૮ ૭૮૮ ૮૯| ૯૦ ૯૧ ૯૨/૯૭/૯૪ ૯૫/૯૬ ૯૭) છે. ૯૮૯૯ ૧૦૦/૧૦૧./૧૦૨/૧૦૩/૧૦૪ ૧૫/૧૦ = ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦/૧૧૧/૧૧૨/૧૧/૧૧૪ ૧૧પ/૧૧૧૧૭૧૧૮/૧૧૯ ૧૨e/૨૧/૧૨/૧/૧૨૪૧૨૫ ૧૨૬ ૧૨૭/૧૨૮૧૨૯/૧૩૦ ૧૩૧ ૧૩/૧૩૩/૧૩૪ (૧૩] ૧૩૬૧૩૭ ૧૩૮૧૩૯૧૪૦/૧૪૧/૧૪૧૪૩/૧૪૧૪/૧૪૫૧૪/૧૪૭/૧૪૮૧૪૯ થિી ૧૧ પ/૧૫:૨૧ લા ટ ૧પ૩ ૧પ૭ ૧૫/૧૧/૨૦૧૬૧/ Page #160 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરીપ્રતિક્રમણ અહે। કાય કાય–સફાસ' ખમણિજ્જો બે ! કિલામા અપ્પલિ‘તાણ મહુ-સુભેણ ભે! દવસે વઈરા ? 3. જત્તા બે જ જણ ચ ભે? ૫. ખામેમિ ખમાસમા ! ટ્રેવિસ વઈક્રમ . પડિ#મામિ ખમાસમણાણું, દેવસિઆએ, આસાયણાએ, તિત્તીસન્નયરાએ જ 'કિંચિ મિચ્છાએ, મદુક્કડાએ વયદુડાએ કાયદુક્કડાએ, કાહાએ માણાએ માયાએ લાભાએ, સભ્યકાલિઆએ સવ્વમિાવયારાએ સવ્વસ્માઈક્રમણાએ, આસાયણાએ જો મે અઈયારો કએ, તસ્ય ખમાસમણેા ! પડિક્કમામિ નિંદામિ ગરિામિ, અપ્પાણ' વેાસિરામિ. ૭. વાંદણા પછી ઊભા થઇ જવુ અને બે હાથ લલાટે રાખી જરા મસ્તક નમાવી શ્રમણુસધના વિભિન્ન અંગેાને તથા સ જ્વરાશિ વગેરેને ખમાવવાના ભાવાર્થવાળું નીચેનું સૂત્ર ખેાલવું. આયરિય ઉવજ્ઝાએ આયરિય–ઉવજ્ઝાએ, સીસે સાહશ્મિએ કુલગણે અ; જે મે કેઇ કસાયા, સબ્વે તિવિહેણ ખામેામિ ૧, સવ્વસ્સ સમણસ ઘસ્સ, ભગવઆ અજલિ રિઅ સીસે; સવ્વ' ખમાવત્તા, ખમામિ સભ્યસ્સ અયપિ ૨. સભ્યસ્સ જીવરાસિમ્સ, ભાવએ ધમ્મનિહિઅનિઅચિત્તો; સભ્ય ખમાવઈત્તા, ખમામિ સવ્વસ્સે અહયપિ ૩. સૂચના:—હવે અહિંથી દૈવસિક પ્રતિક્રમણના ‘ કાઉસ્સગ્ગ ’– કાયાત્સર્ગ નામના પાંચમા આવશ્યકની આરાધના શરુ થાય છે. કૅરેમિભ તે કરેમિ ભતે સામાઈય', સાવજ્જ' જોગ' પચ્ચક્ખામિ, જાવ નિયમ' પન્નુવાસામિ, દુહિ. તિવિહેણ, મણ્ણ ઊં Page #161 -------------------------------------------------------------------------- ________________ WEDIDADBPEDEN • વિધિ સહિત) વાયાએ કાણુ, ન કરેમિ ન કામિ, તસ્સ ભતે પતિકમામિ, નિંદામિ, ગરિફામિ અપાયું સિરામિ. ઈચ્છામિ ઠામિ ઈચ્છામિ ઠમિ કાઉસ્સગ્ગ, જો મે દેવસિઓ અઈયારે કઓ, કાઈઓ, વાઈએ, માણસિએ, ઉસ્સો, ઉમ્મ, અક, અકરણિ, દુક્ઝાએ, દુવિચિતિઓ અણાયારે અણિછિએ. અસાવગપાઉ,નાણે દંસણે ચરિત્તાચરિત્તે સુએ સામાઈએ તિણહ ગુત્તીર્ણ ચણિહ કસાયાણુ, પંચણહમણુવ્રયાણુ, તિરહુ ગુણવ્રયાણ, ચણિહ સિખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મન્સ, જખડિઅ જ વિરાહિઅં, તરસ મિચ્છા મિ દુક્કડ, તસ્ય ઉત્તરી તસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિહીકરશેણુ, વિસલ્લકારણેણં, પાવાણુ કમ્માણ નિશ્વાયણએ ઠામિ કાઉસ્સગ્ગ ૧. અસત્ય અશ્વત્થ ઊસિએણુ, નીસિએણું, ખાસિએણ, છીએણું, જભાઈએણું, ઉડ્ડએણે વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ ૧, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં એલસંચાલેહિં, સુહમેહિ દિસિંચાલેહિ ૨. એવામાઇએહિ આગારેહિ અભર્ગો અવિરાહિએ હુજ મે કાઉસ્ટ ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણુ નમુક્કારેણ ન પારેમિ ૪, તાવ કાય ઠાણેણું મેણેણુ ઝાણેણં અપાણે વોસિરામિ. પ. Page #162 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરો પ્રતિક્રમણ કક્કી કરી અહીંઆ “ચંદેસુ નિમલયરા” સુધી બે લોગસ્સને અથવા લેગસ ન આવડતો હોય તો આઠ નવકારને કાઉસ્સગ્ગ કરો. ના. કાઉસ્સગ્નમાં બોલવાનું લોગસ્સ સૂત્ર નીચેને “લેગસ” બે વાર બેલવાનો. લેગસ્સ ઉજાગરે, ધમ્મતિસ્થય જિ: અરિહતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ વંદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ; પઉમuહ સુપાસ, જિર્ણ ચ ચંદપણું વંદે, ૨ સુવિહિં ચ પુફદંત, સીયલ સિજ વાસુપુજજ ચ; વિમલમણુત ચ જિણું, ઘમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિ સુવ્વયં નમિજિણું ચ; વામિ રિફૂનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ, ૪ એવંમએ અભિથુઆવિહુયાયમલા પહણજરમરણા; ચકવીસં પિ જિણવા, તિર્થીયર મે પસીયંતુ. ૫ , કિત્તિય વદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આસુગ્ગ–બહિલાભં, સમાહિરમુત્તમં રિંતુ, ૬ થસુ નિમ્મલયા, લેગસ્ટ ન આવડે તેને આઠ નવકાર પૂરા થઈ જાય એટલે મુખ્ય વ્યક્તિ-વડિલના પાર્યા બાદ “નમે અરિહંતાણું' બોલી કાઉસગ્ન પારી લે, પછી બે હાથ જોડી પ્રગટ “લોગસ” બેલ. લોગસ લેગસ્સ ઉજજો અગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચઉવીસ પિ કેવલી. ૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ - - - - - (ie W) BSWWWESDE • વિધિ સહિત) ઉસભામજિઆંચ વંદે, સંભવમણિંદણું ચ સુમઈ ચ; પઉમuહું સુપાર્સ, જિણું ચ ચંદuહું વંદે, ૨ સુવિહિં ચ પુફદંત, સીઅલ સિન્જસ વાસુપુજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વટામિ. ૩ કુંથુ અરૂં ચ મહ્નિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિફૂનેમિં, પાસં તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆવિયયમલા પછીણુજરમરણા; ચઉવીસ પિ જિણવર, તિસ્થયરા મે પસીયંસુ. ૫ કિત્તિય વદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આગે બેહિલાભં, સમાવિરમુત્તમં કિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયર, આઈચ્છેસુ અહિય પયાસયરા; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ અરિહંત ચેઈઆણું સબ્બલેએ અરિહંતચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ ૧. વંદણુવત્તિઓએ પૂઅણુવત્તિઓએ સારવત્તિઓ, સમ્માણવત્તિઓએ, બહિલાભવત્તિઓએ,નિવસગ્ગવત્તિઓએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડુંમાણીએ હામિ કાઉસ્સગ્ગ ૩, અસત્ય અન્નત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણું છીએણું, જભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુછાએ ૧. સુહમેહિં અંગસંચાલેહિં સહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિં દિસિંચાલેહિં . એવમાઈઅહિં આગારેહિં અભગે અવિરહિએ હુન્જ મે Page #164 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ માડી ઝSજી વાર લાગ) કાઉસ્સો ૩. જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિઝ, તાવ કાર્ય ઠાણેણું મોણેણું ઝાણેણં અપાણે વિસિરામિ, ૫. અહિં એક લોગસ્સનો કાઉસગ્ગ “ચંદેસુ નિમલયરા સુધી નીચે મુજબ કરવો. ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરો. લેગસ્સ લેગસ્સ ઉજજો અગરે, ધમ્મતિÖયરે જિસે; અરિહતે કિન્નઈલ્સ, ચઉવીસ પિ કેવલી. ૧ ઉસભામજિઅંશે વંદે, સંભવમમિણુંદણું ચ સુમઈ ચ; પઉમપહં સુપાસ, જિણ ચ ચંદuહું વંદે, ૨ સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજી ; વિમલમણુતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ ૩ શું અર ચ મહ્નિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિફનેમિં, પાસ તહ વદ્ધમાણું ચ, ૪ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચઉવીસ પિ જિણવર, તિવૈયર મે પસીયંતુ. ૫ કિત્તિય ચંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ બેહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયા, પૂરે થયે પૂર્વવત “નમો અરિહંતાણું બેલી મારી લીધા પછી પુFખરવરદીવધે પુખરવરદીવ, ઘાયઈસંડે અ જબૂદી અ; ભરફેરવયવિદેહે, ધમ્માઈગરે નમસામિ, Page #165 -------------------------------------------------------------------------- ________________ (RBDUNDEVES •વિધિ સહિત : તમતિમિરપાલવિદ્ધ-સણમ્સ, સુરગણનરિક્રમણિયમ્સ, સીમાધરેસ્સ વદે, પટ્ટેડિમેહજાલન્સ, જાઇજરામરણસગપણાસણ, ક@ાણપુખલવિસાલસુહાવહ; કે દેવદાણવનરિકગણુચિઅક્સ, ધમ્મન્સ સારમુવલબભ કરે પમાય ? સિદ્ધ ભે પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવ નાગસુવન્નકિન્નડ્ઝણ-સબભૂઅભાવચિએ; લેગો જત્થ પઈહૂિએ જગમિણું, તેલુકમાસુરે, ધમ્મ વડુંઉ સાસએ વિજયઓ, ધમ્મુત્તર વ8. ૪ સુઅસ્સે ભગવઓ સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગ ૧. વંદભુવત્તિઆએ, પૂઅણુવત્તિઓએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિઆએ, બેહિલાભવત્તિઓએ, નિરુવસગ્યવરિઆએ ૨. સિદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વહુ. માણીએ ઠામિ કાઉસ્સગ્ગ ૩, અન્નત્ય અન્નત્થ ઊસસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણું જભાઈએણું, ઉડ્ડએણું, વાયનિસણું ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિ, ૨, એવમાઇઅહિં આગારેહિં, અભો અવિરહિએ, હુજ મે કાઉસ્સગ્ગ ૩, જાવ અરિહંતાણુ ભગવંતાણુ નમુક્કારેણુ ન પારેમિ ૪, તાવ કાર્ય ઠાણેણું મેણું, ઝાણેણું અપ્પણું સિરામિ ૫. WWW.jainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ ‘સંવછરી પ્રતિકમણ ની વાવ) એક લોગસ્સને “ચંદેસુ નિમલયરા” સુધી નીચે મુજબ કાઉસગ્ગ કરો. ન આવડે તે ચાર નવકાર કાઉસ્સગ્ન કરે. લોગસ્સ લેગસ્સ ઉmઅગરે, ઘમ્મતિથૈયરે જિસે; અરિહંતે કિન્નઈલ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિઆંચ વદે, સંભવમભિકુંદણું ચસુમ ચ; પઉંમમ્પણું સુપાસ, જિણું ચ ચંદમ્પતું વદે, ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજજસ વાસુપુજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિ સુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુયરયમલા પીણુજરમરણ; ચઉવીસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયંતુ, ૫ કિત્તિયવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણહિલાભં, સમાણિવરમુત્તમં દિતુ૬ ચંદેસુ નિમ્મલયા. પછી “નમો અરિહંતાણું” કહી કાઉસગ્ગ પાર્યા બાદ નીચેનું સૂત્ર બોલવું. સિદ્ધાણું બુઠ્ઠાણું સિદ્ધાણું બુદ્વાણું, પારગમાણુ પરંપરગયાણું; અગમુવયાણું, નમે સયા સવ્વસિદ્ધાણં ૧ જે દેવાવિ દે, જ દેવા પંજલી નમંતિ; ત દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર ૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ dhav$}}BDjD9yBE• વિધિ સહિત) ઇકો વિ નમુક્કારે, જિવરવસહસ્સ વદ્ધમાણુસ્સ; સંસારસાગરાએ, તારેઈનરે વ નારિ વા. ૩ ઉજિતસેલસિહરે દિકખા, નાણુ નિસીહિઆ જરૂ; તે ધમ્મચકવદિ, અરિનેજિં નમામિ. ૪ ચત્તારિ અ૬ દસ દાય, વંદિયા જિણવર ચઉલ્લી; પરમનિટ્રિઅ, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫ સૂચના: –અહીંઆ જે ભવન કહેતાં મુકામમાં સાધુ રહેતા હોય તે મુકામની અધિષ્ઠાયિકા દેવી તથા એ મુકામ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રના દેવતા–દેવી આ બંનેની સહાય માટે બે કાઉસ્સગ્ગ કરવાના છે. ચરવળાવાળાએ બને ત્યાં સુધી ઊભા થઈને કરવા. અહીંઆ થેય વડીલને જ બોલવાની છે. બીજાઓએ સાંભળવાની છે. ઉપરનું સૂત્ર બેલ્યા બાદ તુરત જ– ભુવણદેવયાએ કરેમિ કાઉસગ્ગ, અસત્ય અશ્વત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉડ્ડએણું વાયનિસગેણં, ભમેલીએ, પિત્તમુછાએ, ૧. સુહમેહિ અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિં દિસિંચાલેહિ. ૨. એવાઈઅહિં આગાહિં અભ અવિરહિએ હુજ મે કાઉસ્સો, ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ, ૪. તાવ કાર્ય ઠાણેણું માણેણું ઝાણેણં અપાણે વોસિરામિ ૫. એક નવકારને કાઉસ્સગ્ગ નીચે મુજબ કર. નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમો આયરિયાણુ, ન ઉવક્ઝાયાણ, નમે એ સવ્વસાહૂણં, એ પંચ Page #168 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિકમણ કરું પpte૫) નમુકાર, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ', પછી “નમો અરિહંતાણું” કહી વડીલે કાઉસગ્ગ પારી નીચે મુજબ નહતુ કહી નીચે જણાવેલી થોય કહેવી નમેહત્વ નમોહતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુજ્ય:. ૧ભવનદેવતાની થાય જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્ય સ્વાધ્યાયસંયમતાનામ; વિદધાતુ ૧ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ ૧ સહુએ કાઉસગ પારી લે. ખિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણું, છીએણું, જભાઇએણું, ઉડએણું, વાય-નિસણ, ભમલીએ, પિત્તમુછાએ. ૧. સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિ દિસિંચાલેહિં. ૨, એવભાઈએહિ આગારેહિ, અભથ્થો, અવિરહિએ, હુજ મે કાઉસ્સગે. ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાય ઠાણેણં, મોણેણું, ઝાણેણં, અપાયું વોસિરામિ. પ. ૧. પરંપરાથી ભુવન” પાઠ ચાલ્યો આવે છે. એટલે મેં પણ બંને સ્થળે એ જ પાઠ રાખે છે, બાકી અર્થસંગતિની દૃષ્ટિએ ભવન” પાઠ સુગ્ય લાગે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉE BOADDEA વિધિ સહિત) એક નવકારને કાઉસ્સગ્ગ નીચે મુજબ કરવો. નમો અરિહંતાણં નમાસિદ્ધાણં નમે આયરિયાણં, નામે ઉવઝાયાણં, નમે લોએ સવ્વસાહૂણં, એ પંચનમુક્કારો, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સસિં, પઢમં હવઈ મંગલં, પછી વડીલે “નમે અરિહંતાણું કહી કાઉસ્સગ પારીને નીચે મુજબ નમેડીંત કહી થાય કહેવી. નમેડીંa મહંતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુન્ય: ક્ષેત્રદેવતાની થાય યસ્યા: ક્ષેત્રે સમાચિત્ય, સાભિ: સાધ્યતે ક્યિા; સા ક્ષેત્રદેવતા નિયં, ભૂયાને: સુખદાયિની. ૧ પછી ભણાવનાર કે વડીલ બે હાથ જોડી મસ્તક નમાવી ઊભા ઊભા “નવકાર” બોલે. સહુ સાંભળે કે સહુ મનમાં બેલે. નવકાર નમે અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવઝાયાણ, નમો લેએ સવ્વસાહૂણં, એ પંચનમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. છઠું આવશ્યક છઠ્ઠા પચ્ચક્ખાણ આવશ્યકની મુહપત્તી ઉભડક બેસી બે હાથ Page #170 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિકમણ કચ્છ )) બે પગ વચ્ચે રાખી પડિલેહી પછી ઊભા થઈ બે વખત અગાઉની જેમ સુગુરુ વાંદણુ” આપવા, તે નીચે મુજબ– વાંદણું (પહેલી વાર) ઈચછામિ ખમાસમણે! વદિઉં જાવણિજજાએ નિસીહિઆએ. ૧. અણુજાણહ મે મિઉગ્રહ. ૨. નિસહિ. અહેકાય કાય-સંફાસં ખમણિજજે ભે! કિલા, અપકિદંતાણું બહુસુભેણુભ દિવસે વઇwતે? ૩જના ભે?૪, જવણિજ ચ ભે? ૫. ખામેમિ ખમાસમણે!દેવસિતં વઈમ ૬, આવસ્મિઆએ પડિમામિ ખમાસમણાણુદેવસિઆએ, આસાચણાએ તિત્તીસગ્નયાએ, જકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુડાએ, કાયદુકડાએ, કેહાએ માણાએ માયાએ લેભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવધમ્માઈક્રમણએ, આસાયણાએ જો મે અઈઆર કર્યો, તસ ખમાસમણે! પડિકમામિ, નિરામિ, ગરિહામિ, અપાયું વસિરામિ ૭, વાંદણાં (બીજી વાર ) ઈછામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસીહિએ. ૧. અણુજાણહ મે મિઉમ્મહ ૨. નિસીહિઅહેકાય કાય-સંફાસ ખમણિજે ભે! કિલામ અપકિલતાણું બહસુભેણુ ભે! દિવસે વધતો! ૩, જતા ભે? ૪. જવણિજ ચ ભે? ૫. ખામેમિ ખમાસમણે! દેવસિ વઇકમં. ૬. પડિકમામિ ખમાસમણાણું દેવસિઆએ આસા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮) JNDI DESI • વિધિ સહિત યાએ તિરસન્નયાએ જ કિચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુડાએ, કાયદુકડાએ. કેહાએ માણાએ માયાએ લેભાએ, સવકલિઆએ સવ્વમિચ્છાવયારાએ, સવ્વધમ્માઈક્રમણએ, આસાયણાએ જે મે અઇયારે કઓ, તસ્ય ખમાસમણે! પડિક્કામામિ નિંદામિ ગરિહામિ અપાશું સિરામિ. ૭. ઊભા ઊભા જ નીચે મુજબ બેલીને પલાંઠી વાળી બેસવું. સામાયિક, ચકવીસથે, વંદક, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી “ઈચ્છામે અણુશક્િ2 “નમે ખમાસમણાણું ? નમેડીંત સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુજ્ય: સુચના: –આટલું બોલી રહ્યા ત્યારે જ આવશ્યકની આરાધના આનંદપૂર્વક થઈ કહેવાય. અહીં આત્મા કર્મના બેજાથી હળવો થે તેને આનંદ વ્યક્ત કરવા મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડીને ઉચ્ચ સ્વરે “નમોસ્તુ વદ્ધમાનવ”ની સ્તુતિ એક સાથે બધા ય મધુર સ્વરે બોલે. ગમે તે મેટા અવાજે ન બોલવું, ગમે તેમ આગળ પાછળ રહીને ન બોલવું. સહુની સાથે બોલવાને ઉપગ રાખી બેસવું. પછી પુરુષવર્ગ “નમોસ્તુ વદ્ધમાનાય” નીચે મુજબ કહેવું. મક ગુરુ મહારાજની સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે પ્રથમ ગુરુ મહારાજ પોતે સંપૂર્ણ સ્તુતિ બોલી જાય અને તે પછી સમગ્ર સમુદાય બેલે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિકમણ ASHી (IG) નમસ્તુ વર્દીમાનાય | (વર્ધમાન સ્તુતિ) નમોસ્તુ વદ્ધમાનાય, સ્પદ્ધમાનાયકમ્મરણા; તજયાવાસાક્ષાય, પરોક્ષય કુતીર્થિનામ ચેષાં વિચારવિંદરાજ્યા, જ્યાય: કમકમલાવલિ દધત્યા; સદશરિતિસંગત પ્રશચં, કથિત સંતુ શિવાય તે જિનેન્દ્રા: ૨ કષાયતાપાદિત જતુનિવૃતિ, કરોતિ કે જૈનમુખાબુદદ્દગત: સ શુકમાભવ-વૃષ્ટિસન્નિભે, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરે ગિરામ. ‘નમોસ્તુની જગ્યાએ સ્ત્રીઓએ સંસારદાવાનલની ત્રણ ગાથાઓ. નીચે મુજબ બલવાની છે, તે આ પ્રમાણે (સંસારદાવા સ્તુતિ) સંસારદાવાનલદાહનીર, સંમેહબૂલીહરણે સમીર; માયારસદારણસરસીર, નમામિ વીર ગિરિસારધીર. ૧ ભાવાવનામસુરદાનવમાનવેન, ચૂલાવિલેલકમલાવલિમાલિતાનિ સંપૂરિતાભિનતકસમીહિતાનિ કામ નમામિ જિનરાજપદાનિ તાનિ. ૨. બધાગાધ સુપરંપદવી-નીરપૂરાભિરામ, જીવાહિંસા-વિરલલહરી-સંગમાગાહદેહ; ચૂલાવેલ ગુરુગમમણિસંકુલંદૂરપાર, સારે વીરાગગજલનિધિં સાદરે સાધુ સેવે, ૩, તે પછી નીચેનું સૂત્ર બોલવાનું– નમુત્થણું સૂત્ર નમુત્થણું અરિહંતાણું, ભગવંતાણું ૧. આઈગરાણું તિથયરાણ, સયંસંબુદ્વાણ ૨. પુરિસુત્તમાર્ણ પુરિસ Page #173 -------------------------------------------------------------------------- ________________ @thep@DOLI DESAI - વિધિ સંહિતા સહાણ, પુરિસવરપુંડરિઆણં, પુરિવરહથી ૩. લેગરમાણે, લગનાહાણુંલોગહિઆણું, લેગપઈવાણ લગપજે અગાણું ૪. અભયદયાણું, ચખુદયાણું, મમ્મદયાણ, સરણલ્યાણુ, બાદિયાણું ૫, ધમ્મદયાણું, ધર્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મવરચારિતચવટ્ટણું, ૬, અપડિહયવર-નાણ-સણધરાણં, વિઅછઉમાણે, ૭, જિણાણે જાવયાણં; તિન્નાણે તાર- - યાણ; બુદ્ધાણં બહયાણં; મુત્તા મેઅગાણ ૮, સલ્વનૂણં, સવ્યદરિસીણં, સિવ–મયલ-મસઅ–મણતમખયમવ્હાબાહ–મપુણરાવિત્તિ-સિદ્ધિગઇનામધેયં ઠાણું સંપત્તાણં નમે જિણણં, જિઅભયાણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્મૃતિ ણાગએ કાલે; સંપાઈ આ વટ્ટમાણ, સ તિવિહેણ વંદામિ. ૧૦ સૂચના:–નમુત્થણું પૂરું થયે જેને શુદ્ધ અને સુંદર રીતે બોલતા આવડે તેમણે “અજિય–સંતિસ્તવ=અજિત શાંતિનું સ્તવન બોલવાનું છે. આ “અજિય–સંતિમાં અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની ગંભીરાર્થક અને પ્રભાવક સ્તુતિ કરવામાં આવી છે. પ્રાકૃત ભાષાનું આ એક શ્રેષ્ઠ કાવ્ય છે. બે હાથ જોડી ભાવથી સાંભળવી. આ સાંભળવાથી ઉપસર્ગો કે ઉપદ્રવ થતા નથી. થયા હોય તો નષ્ટ થઈ જાય છે. અજિત શાંતિને સમય એ ઉંધવા માટેની મોટી તક છે માટે પ્રમાદ ન સેવ. જાગ્રતિ રાખવી. અહીં અજિત શાંતિ સ્તવન” શરૂ કરવા પહેલાં, બેઠા બેઠા ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! અજિત શાંતિ સ્તવન ભણું? એ આદેશ માગી, “ઈચ્છ' કહીને નહતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય: બોલવું. તે પછી અજિત શાંતિ સ્તવન શરૂ કરવું.બે હાથ જોડીને બોલવું અને સાંભળવું. Page #174 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરોપ્રતિક્રમણ ક અજિતશાંતિ સ્તવ અજિઅ જિઅસભ્યભય, સતિ ચ પસ તસવ્વગયપાવ; જયગુરૂ સતિગુણકરે, ઢાવિ જિણવરે પણિવયામિ, ૧. ગાહા, વવગયમ‘ગુલભાવે, તે હ* વિલતનિમ્મલસહાવે; નિરુવમમહપભાવે, થેાસામિ સુફ઼ેિસાથે ૨. ગાહા, સવ્વદુઃખપ્પસ'તીણં, સવ્વપાવપ્પસ તી; સયા અજિયસ તીણું, નમા અજિઅસતિણું ૩, સિલેગા. અજિયજિણ ! સુહપવત્તણ', તવ પુરસુત્તમ! નામકિત્તણું; તહુ ય બિઈમઈ વત્તણે, તવ્ ય જિષ્ણુત્તમ ! સ`તિકિત્તાં, ૪. માગહિયા. કિરિ વિહિસ'ચિઅકમ્મકિલેસવિમુક્યર, અજિઅ' નિશ્ચિય ચ ગુહિં મહામુણિસિદ્ધિગય; અજિઅસ ય સતિ મહામુણ્િણા વિ અ સતિકર, સયય* મમ નિષ્ણુ કાર્ય' ચ નમ'સય ૫, આલિ‘ગણય. રિસા જઈ દુષ્મવાણું, જઇ ય વિમગ્ગહ ચુમ્ભકારણ, અજિય' સતિ ચ ભાવ, અભયકરે સરણું વહા ૬. માગહિ, ૨૩ ‘સોગો સબ્વેદિક આ પાઠ જોતાં એક જણુ ખાલે અને ખીજા સાંભળે. ઘણા ભાઇએ ચાપડીઆ ખાલી ખેલનારની સાથે ગણગણવા માંડે છે. જેથી ખીજાને સાંભળવામાં ખલેલ પહેાંચે છે. માટે મૌનપણે સાંભળવું. SPAPAPAPA PARA Page #175 -------------------------------------------------------------------------- ________________ કા (RBDODDES • વિધિ સહિત) અરઈરઈ તિમિરવિરહિઅમુવરયજમરણ, સુરઅસુરગલભગવ–પયયપણિવર્મા; અજિઅમહમવિ અ સુનયન નિમિભયકર, સરણમુવસરિઅ ભુવિ-દિવિજમહિએ સયમુવણમે. ૭. સગયય, તં ચ જિસુત્તમમુત્તમનિત્તમ સત્તધર, અજ્જવમદ્રવપ્નતિવિમુત્તિસમાહિનિહિ; સંતિકર પણમામિ દમુત્તમતિસ્થયર, સંતિમુણું મમ સતિસમાણિવર દિસઉ ૮. સેવાય. સાવસ્થિપુત્રપસ્થિવં ચ વરહસ્થિમથયયસન્થ-વિલ્કિન્નથિયું, ચિરસરિછવચ્છ, મયગલલીલાયમાણ-વરગંધહWિપત્થાણપસ્થિય સંથારિહ; હWિહત્યબાહું દંતકણગઅગ-નિરુવહય-પિંજર પવર-લખણવચિયસોમથારુરૂવં, સુઈસુહમણુભિરામપરમરમણિજ-વરદેવદુદુહિ નિનાય મહુયરસુહગિર ૯. વેએ. અજિઅ જિઆરિગણું, જિઅ-સલ્વયં ભહરિઉં; પણમામિ અહ પયઓ, પાવ પસમેઉ મે ભયનં. ૧૦, રાસાલુદ્ધઓ. કરજણવયહત્થિણાઉનિરીસરે, પઢમં તેઓ મહાચક્રવદિએ મહ૫ભાવે; જે બાવરિ–પુરવ-સહસ્સ-વરનગર-નિગમ-જણવયવઇ બત્તિસારાયવરસહસ્સાણુયાયમ, Page #176 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરી પ્રતિક્રમણ ચ≠સવરરયણ–નવમહાનિહિ–ચર્િ સહસ્સ-ધવજીવઇણ સુંદરવઈ, ચુલસી હયગયરહસયસહસ્સ–સામી છાવઇગામાડિસામી આસી જો ભારામ ભયવ', ૧૧, વે. ત સતિ સતિકર, સતિષ્ણુ` સભ્યભયા; સતિ થુણામિ જિણ', સતિ વિઙેઉ મે, ૧૨, રાસાન‘દિય ઇક્ષ્માગ ! વિદેહ-નરીસર ! તરવસહા ! મુવિસહા ! નવસાયસિસકલાણુ ! વિયતમા ! વિયા ! અજિઉત્તમ-તેઅગ્રહિં મહામુણિ-અમિઅખલા વિલફુલા પણમામિ તે ભવભયસૂરણ ! જગસરણા ! મમ સરણું ૧૩, ચિત્તલેહા. દેવદ્યાવિંદ્રચંદ્રસૂરવ≠ ! હ′તુì—જિડ઼ે પરમ– લડ઼ે-રૂવ ! ધંત-૨૫-૫ટ્ટ-સેય-સુદ્ધ-નિદ્ધ-ધવલદૈતપતિ ! સતિ–ત્તિ ! કિત્તિ-મુત્તિ-શ્રુત્તિ-ગુત્તિપવર ! દિત્તતેઅ ! વટ્ટ ! ધેઅ ! સવ્વલેાઅ-ભાવિઅપ્પભાવ ! ગ્રેચ્યૂ ! પઇસ મે સમાહિં, ૧૪ નારાય વિમલસસિકલાઇરેઅસામ, વિતિમિરસૂરકરાઈ રેતેઅ; તિઅસવઈગણાઈ રેઅરૂવ, ધરણિધરવરારેઅસાર, ૧૫ કુસુમલયા. સત્ત અ સયા અજિગ્મ, સારીરે અ મલે અજિગ્મ; તવ સંજમે અ અજિઅં, એસ શુણામિ જિષ્ણુ' અજિઅ', ૧૬, ભુઅગપરિરિ ગિઅ', સામહિં પાઈન ત* નવસયસસી, તેઅગૃહિ પાવઈ ન ત' નવસચરવી; (૧૧) ८ ** Page #177 -------------------------------------------------------------------------- ________________ XXXPEN રૂવગૃહિ પાવઈ ન ત તિઅસગણવઈ, સારગૃહિં પાવઈ ન ત` ધણિધરવઈ, ૧૭, ખિજિઅય', વિધિ સહિત તિસ્થવરપવત્તય' તમચરહિ”, ધીરજણશુઅશ્ચિમ' ચુઅકલિકલુસ; સતિ-મુહપ્પવત્તયં તિગર, સ`તિમહં મહામુણિં સરમુવણમે. ૧૮. લલિઅય'. વિષ્ણુઆય-સિર–ઈ-અજલિરિસિગણ-સંઘુગ્મ શિમિસ્ત્ર, વિષ્ણુહાહિવધવઈ–નરવઈ-શુઅ-મહિઅચ્ચિઅ મહુસે; અઈરુષ્ણયસરવિાયર-સમહિઅ-સપ્પભ` તવસા, ગયણ ગણવિયરણ-સમુઇઅ-ચારણવ'દિચ્ય સિરસા, ૧૯. કિસલયમાલા. અસુરગરુલપરિવ‘દિઅ', કિન્નારગનમ'સિઅ; દેવકાડિયસ થ્રુઅ”, સમણુસ ઘરિવિં, ૨૦. સુમુહું, અભય અણુહુ. અરય અય; અજિસ્મ' અજિઅં પય પણમે, ૨૧ વિષ્ણુવિલસિગ્મં આયગા વર્-વિમાણ-દિવકણગરહતુય–પહકર–સઅહિં હુલિ', સસ ભમાઅરણ ખુભિઅલિઅચલકુંડલ ગય-તિરીડ-સાહ‘ત-મલિમાલા, ૨૨, જ સુરસ`ઘા સાસુરસઘા, વેવિઉત્તા ભત્તસુજીત્તા, આયરભૂસિઅસ ભમિિડઅ,સુઠુંસુવિમ્યુિઅ-સવમલાઘા; ઉત્તમ-ક‘ચણ-યણ-પવિ,-ભાસુરભૂસણભારુરિઅગા, ગાયસમાય-ભત્તિવસાગય-પંજલિ-પેસિયસીસપણામા ૨૩. ચણમાલા. કાન વેબ્રુઆ. Page #178 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - સંવછરીપ્રતિક્રમણ 2 જીપ) વદિકણ ઊણ તે જિર્ણ, તિગુણમેવ ય પુણે પયાહિ; પણુમિઊણય જિર્ણ સુરાસુરા, અમુઈઆ ભવણાઇ તે ગયા, ૨૪ ખિત્તય તે મહામુણિમહં પિ પંજલિ, રાગદોસભયમહવજિઆં; દેવદાણવનદિવંદિઅં, અતિમુત્તમ મહાતવ નમે. ૨૫. ખિત્તયં, અંબરતરવિઆરણિઆહિં, લલિઅહસવહુગામિણિઆહિં; પણ સોણિથણસાલિણિ આહિ, સકલમલદલ અણિઆહિ, ૨૬દીવયં, પીણનિરંતરથણભરવિણમિયગાયલયહિં, મણિકચણુપસિદિલમેહલસહિઅણિતડાહિં; વરબિંખિણિનેઉરતિલયવલયવિભૂણિઆહિં; રઈકરચઉરમણહરસુંદરદૃસણિઆહિં. ૨૭. ચિત્તખરા, દેવસુંદરીહિં પાયદિઆહિવંદિઆ યજસ્મતે સુવિમા કમા, અપ્પણે નિડાલએહિ મંડાણપગારએહિં કેહિ કેહિ વિ; અવગતિલયપત્તલેહનામઅહિં ચિહ્નએહિ સંગમંગયાહિં, ભક્તિસંનિવિવંદણુગમાહિં હુતિ તે વદિઆ પુણે પુણે, ૨૮, નાયએ તમહં જિણચંદ્ર, અજિ જિઅમે હં; ધુય-સલ્વકિલેસ, પય પણમામિ. ૨૯. નંડિઅયું. શુઅવંદિઅયસ્સા, રિસિગણદેવગણે હિં, તે દેવહુહિ પયઓ પણમિઅસ્મા; જસ્ટ જગુત્તમ-સાસણઅસ્સા, ભત્તિવસાગપિડિઅયાહિ; Page #179 -------------------------------------------------------------------------- ________________ વિધિ સહિત દેવવરચ્છરસા-મહુઆહિ, સુરવરરઈગુણપ`ડિઅયાહિં, ૩૦, વસસદ્દત તિતાલમેલિએ, તિઉખરાભિરામ-સમીસએ કએ અ; સુઈસમાણણેઅ સુદ્ધસગીઅપાયજાલક્ષ‘િિહ', વલય-મેહલા–કલાવને રાભિરામસીસએ કએ અ; દૈવનઢિહિ' હાવભાવવિભૂમપગારઅહિ નચ્ચિઊણ અ ગહારઐહિ, દ્વિ ય જસ્સ તે સુવિક્રમા કમા, તય* તિલાયસન્વસત્તસ‘તિકારય'; પસ તસવ્વપાવદાસમેસહું, નમામિ સ`તિમુત્તમ' જિણ’,૩૧, નારાય. છત્તચામરપડાગાઅજવમ'ડિઆ, અયવરમગતુયસિરિવઋસુલ ઋણા; દીવસમુદ્દમંદરહિસાગયસાહિ, સત્ચિઅવસહ–સીહરહચક્રવર કિયા. ૩૨. લલિઅય સહાવલ સમપ્પા, અદાસ ગુણેહિ જિ; પસાસા તવેણુ પુના, સીરિહિં ઈ રિસીહિ' જી. ૩૩. વાણવાસિયા. ભાસુય. તે તવેણુ અસવ્વપાવયા, સવ્વલેાહિઅમૂલપાવયા; સથુ અજિઅસતિપાયયા, હુંતુ મે સિવસુહાણુ દાયયા,૩૪, અપરાંતિકા. એવ' તવમલવિઉલ', શુઅ' મએ અજિઅસંતિજિણજીઅલ'; થયગયફમયમલ', ગ ગય. સાસય. વિલ. ૩૫. ગાહા. REPAREPARA Page #180 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છીપ્રતિક્રમણ ત” બહુગુણુપસાય, મુખસ્હેણ પરમેણ અવિસાય; નાસે મે વિસાય, કૃષ્ણઉ અરિસાવિઅ-પસાય, ૩૬, ગાહા. તમાએ અનદ્ધિ, પાવેઉ અ નંદિસેણુભિન’િ પરિસા વિ ય સુહનદિ, મમ ય દિસઉ સજમે નહિઁ, ૩૭. ગાહા. પક્િષ્મ ચાઉમ્માસિઅ,-સવરિએ અવસ્સ ભણિઅવે; સાઅભ્યા સન્થેહિ, ઉવસગ્ગનિવારણા અસા, ૩૮. જો પઢઈ જો આ નિસુઇ, ઉભ કાલ પિ જિગ્મસ થિય; ન હુ હુંતિ તસ્સ રોગા, પુત્રુન્ના વિ નાતિ, ૩૯ જઈ ઈચ્છતુ પરમય, અહવા કિત્તિ' સુવિત્થડ ભુવણે; તા તેલુમુદ્ધરણે, જિણવયણે આયર કુણહ ૪૦. અજિતશાંતિ પુરું થયે સહુએ એકી સાથે નીચેની સ્તુતિ ખાલવી. વરનક સ્તુતિ વરકનકશ વિદ્રુમ,-મરતઘનસન્નિભ’ વિગતમાહ; સપ્તતિશત જિનાનાં, સર્વામરપૂજિત.વ. ૧, પછી ચાર નમસ્કાર ખમાસમણુપૂર્વક પ્રારંભમાં (જુએ પાનુ ૨૮) જેમ આપ્યા હતાં તે રીતે જ સહુએ અહીં આપવાનાં છે. ભગવાનાદિ વંદન ક્રિ ઈચ્છામિ ખમાસમણેા ! ' જાણિજ્જાએ નિસીહિએ, મત્થએણ વામિ. ભગવાન હું. સા Page #181 -------------------------------------------------------------------------- ________________ Z&ZZ ઈચ્છામિ ખમાસમણા, 'િ નિસીહિએ, મર્ત્યએણ વદ્યામિ • વિધિ સહિત ઈચ્છામિ માસમા!”િ નિસીહિએ, મર્ત્યએણ વામિ. ઈચ્છામિ ખમાસમણા ! જાણિજ્જાએ નિસીહિઆએ, મથએણુ વંક્રામિ વિ સર્વસાધુ હુ', જાવિણાએ આચાર્ય હ આટલું થઈ રહ્યા બાદ શ્રાવક-શ્રાવિકાઓએ જમણા હાથ કટાસણા ઉપર થાપી, માથુ નમાવી, સંઘમાં જે વડીલ હાય અને સૂત્ર શુદ્ધ આવડતું હાય તે, નીચેનુ' સૂત્ર મુહપત્તી મુખ આગળ રાખીને ખેાલે, ખીજા બધા સાંભળે. જાણિજ્જાએ ઉપાધ્યાય હું. અઠ્ઠાઈજે સુ અઠ્ઠાઇજેસુ દીવસમુદ્દેપુ, પનરસસુ કમ્મભૂમીયુ, જાવંત કેવિ સાહૂ ! રયહરણગુચ્છપડિહધારા; પંચમહવ્વયધારા, અદૃારસ-સહસ-સીલ ગધારા; અસ્પ્રુયાયારચરિત્તા, તે સબ્વે સિરસા મસા મર્ત્યઅણુ વામિ. ૧. પછી વડીલ આદેશ માર્ગે અત્ય ઈચ્છાકારે સદિસહ ભગવન્ ! દેવસિઅપાચ્છિત્ત વિસેાહણત્વ' કાઉસ્સગ્ગ' કરુ. ? ઈચ્છ*' ધ્રુવસએ પાયચ્છિત્ત વિસાહણુત્થ કરેમિ; કાઉસ્સગ્ગ 6 અન્નત્યં ઊસએણું, નીસિઍણું, ખાસિએણું, છીઅણુ’,જ‘ભાઇઅણુ, ઉડ્ડઅણુ,વાનિસગ્ગુણ, ભમલીએ, તો Page #182 -------------------------------------------------------------------------- ________________ સંઘચ્છરીપ્રતિક્રમણ ü પિત્તમુચ્છાએ. ૧. સુહુમહિં અંગસ’ચાલેહિં, સુહુહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિસિ ચાલેહિં. ૨. એવમાઈ એહિં, આગારેહિં, અભગ્ગા, અવિરાહિએ, હુજ મે કાઉસ્સગ્ગા. ૩ જાવ અરિહ‘તાણુ, ભગવંતા, નમુક્કારણ ન પારેમિ, ૪ તાવ કાય' તાણેણું, માણેણ', ઝાણેણ, અપ્પાણ' વાસિરામિ, ૫ તે પછી ચાર લેગસ્સનો કાઉસ્સગ્ગ ચ`દેસુ નિમ્મલયરા’ સુધી કરવેા. ન આવડે તેણે સેાળ નવકારનેા કાઉસ્સગ્ગ કરવા. ચાર લાગસ્સના કાઉસ્સગ્ગ માટેનું લાગસ સૂત્ર લેગસ્સ ઉજાગરે, ધમ્મતિથય જિણે; અરિહ તે કિત્તઈસ, ચવીસ'પિ વલી. ૧ સભજિઅ' ચ વદે, સભવમભિૠણુ ચ સુમાઁ ચ; પઉમપહ. સુપાસ”, જિણ. ચચ પહ.વ.૨ સુવિહિં ચ પુખ્ત ત., સીઅલ સિજ્જસ વાસુપુજ્ય ચ; વિમલમણંત' ચ જિષ્ણુ, ધમ્મ સતિ ચ દ્વામિ. ૩ કુથુ અર. ચ મલ્લિ, વઢે મુણિમુળ્વયં નમિજિષ્ણુ ચ; વદ્યામિ નેિમિ, પાસ તહે વજ્રમાણ ૨. ૪ એવું મએ અભિધુઆ, વિહુચરયમલાપહીજરમરણા; ચથીસપિ જિવરા, તિત્ત્રયરામે પસીયતુ, પ્ કિત્તિય વક્રિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ માહિલાભ, સમાહિવમુત્તમંદિંતુ, રૃ ચ'દેસુ. નિમ્મલયા. પછી ‘ નમે। અરિહંતાણું” કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લેગસ કહેવા. Presen Page #183 -------------------------------------------------------------------------- ________________ 「リンミリソンクリンミ Re લાગસ્સ લેગસ ઉજોઅગરે, અરિહંતે કિત્તઈમ્સ', ચીસ' ઉસભમજિગ્મ' ચ યંઢ, સ*ભવમભિ પઉમહ... સુપાસ, જિ' ચ સુવિહિં ચ પુક્ત, સીઅલ સિજ્જસ વાસુપુજ્જ ચ; વિમલમણ તં ચ જિષ્ણુ, ધમ્મ સતિ' ચ વદામિ, ૩ કુંથુ` અર્ ચ મલ્લિ', વન્દે મુણિસુબ્વયં નમિજિષ્ણું ચ; વામિ નિમિ, પાસ તહ વમાણુ . ૪ વિધિ સહિત ધમ્મતિથયરે જિણે; પિ કેવલી. ૧ એવ’મએ અભિશુ, વિહુયરયમલા પહીજરમરણા; ચવીસંપિ જિવરા, તિયરા મેપસીયતુ, પ કિત્તિય વ*ક્રિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા; આનુગ્ મહિલાભ, સમાહિવરમુત્તમ. ક્રિતુ. હૃ ચ દેસુ નિમ્મલયરા, આઈસ્ચસુ અહિંય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ સમ દિસતુ. ૭ ણં ચ સુમઈ ચ; ચદúહ. વદે, ૨ , ત્યાર પછી ‘ સજ્ઝાય ” ( સ્વાધ્યાય ) ખેાલે. સૂચના:—નીચેની સૂચના બરાબર ધ્યાનમાં લે. " જાણીતા ‘ઝંકારા’ આવે છે ત્યારે આરાધકાનાં હૈયામાં આનંદની ભરતી વધી જાય છે ને ગુરુ મહારાજ કે વડીલ શ્રાવક સ`સારદાવાની ચેાથી ગાથા ખેાલવા માંડે ત્યાં તા લેાકા તે ગાથા સાથે જ એાલવા માંડે છે. અથવા તેા ઉતાવળા થઈ ઝંકારા ' ઉપાડી લે. છે. પરન્તુ આથી અવિધિ-અવિનયના દેષ લાગે છે. માટે ધીરતા રાખી પૂરુ 111111 **** Page #184 -------------------------------------------------------------------------- ________________ *સંવચ્છરી પ્રતિક્રમણ SME SIDારા સાંભળી સહુએ એક સાથે “ઝંકારા” પદથી સ્તુતિ ઉપાડવી અને સાથે જ પૂરી કરવી. કોઈએ આગળ-પાછળ પૂરી ન કરવી. પછી નીચે મુજબ બે ખમાસમણાપૂર્વક બે આદેશો માગે. ખમાસમણુપૂર્વક આદેશ ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજ્જાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ. ' ઈચ્છાકારેણ સંસિહ ભગવન ! સક્ઝાય સંદિસાહું ? ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ. ઇચછાકારેણ સંસિહ ભગવાન ! સક્ઝાય કરું? ઇચ્છ. પછી અહીં નીચેની સઝાય કરે. નવકાર નમે અરિહંતાણ, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમો ઉવઝાયાણ, નમે એ સવ્વસાહૂણં એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં, ઉવસગહરં ઉવસગ્ગહર પાર્સ, પાસ વદમિ કમ્મઘણુમુક; વિસહરસિનિમ્નાસં મંગલકલ્લાણઆવાસં. વિસહરકુલિંગમત, કઠે ધારેઈ જે સયા મણુઓ; તસ્સ ગહરગમારિ, દુ-જરા જતિ ઉવસમં. ૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ (૨૨}}}}}} Z વિધિ સહિત ચિર્દૂ દૂરે મતા, તુન્નુ પણામા વિ બહુલા હાઇ; નરતિઅિણુ વિ જીવા, પાવિત ન દુખદ ગચ્ચ તુહ સમ્મત્તે લગ્ન, ચિંતામણિ-કમ્પાયવøહિંઅ; પાવ`તિ અવિશ્લેષ્ણુ, જીવા અયરામર ઠાણું, ઈએ સથુઆ મહાયસ! ભત્તિ ભરનિભરે હિયઅણુ તા દેવ દ્વિજ્જ માહિં, ભવે ભવે પાસ! જિંદ!, ૫ સંસારદાવાનલ ૧. સંસારદાવાનલદાહનીર, સમાહબૂલીહરણે સમીર; માચારેસાદારણસારસીર, નમામિ વીર' ગિરિસારથીર, ૧ ભાવાવનામસુરદાનવમાનવેન.ચૂલાવિલાલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતલાકસમીહિતાનિ, કામ નમામિ જિનરાજ-પદાનિ તાનિ. ૩ મેધાગાધ સુપપદવીનીરપૂરાભિરામ, જીવાહિંસા-વિરલલહરી–સ ગમાગાહુદેહ; ચૂલાવેલ' ગુરુગમમણિસ ફૂલ દૂરપાર, સાર વીરાગમજલનિધિ સાદર સાધુ સેવે આમૂલાલાલધૂલીખહુલપરિમલાલીઢલાલાલિમાલા,'અકારારાવસારામલાલકમલાગારભૂમિનિવાસે છાયાસ'ભારસારે ! વમલકરે ! તારારાભિરામે ! વાણીસ દાહડે ! ભવિરહવર' હિ મે વિ! સાર, ૪ પછી વડીલ સહુ સાંભળે તેમ એક નવકાર–ખેાલે. અહીથી સહુ સાથે ઉચ્ચ સ્વરે ખેાલે. 22 કાન Page #186 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિકમાણ કME THE INTERE) ts - નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવઝાયાણું, નમે એ સવ્વસાહૂણું એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. સૂચના:–હવે હોટી શાંતિને કાઉસગ્ગ કરવાને છે. આ પ્રતિક્રમણને અંતિમ કાઉસગ્ગ છે, જે શાંતિ માટે છે. માટે ચરવળાવાળાઓએ ઊભા થઈને કરો ઉત્તમ છે. શાંતિ સાંભળીને પારવાને છે. છીંકને ખાસ ઉપયોગ રાખવો અતિ જરૂરી છે. આ શાંતિમાં તીર્થંકરદેવની સ્તુતિ, પ્રાર્થના ઉપરાંત ભેદભાવ વિના સહુ કાઈ પ્રાણુની શાંતિ ઈચ્છવામાં આવી છે. નીચે મુજબ આદેશ માગીને કાઉસગ્ન કરવાનું છે. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મથએણુ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! દુખય કમ્મફખય નિમિત્ત કાઉસગ્ગ કરુ ! ઈચ્છ, દુફખખય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ અન્નત્થ ઊસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉદ્ધએણું, વાયનિસણું, ભમીએ પિત્તમુચ્છાએ. ૧, સુહુમેહિ અગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિ, હમેહિ કિસિંચાલેહિ. ૨. એવાઈઅહિં આગારેહિ અભગે અવિરહિએ હુજ મે કાઉસ્સો . WWW.jainelibrary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ R)))) વિધિ સહિત ૩. જાવ અરિહંતાણં ભગવ‘તાણું નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાય' તાણેણું માણેણ ઝાણેણ' અપાણ' વાસિરામિ ૫ ચાર લેાગસ્સ સંપૂર્ણ ગણવાના ન આવડે તેા ૧૬ નવકાર ગણવા. ( ગુરુ પાર્યા બાદ ) શાંતિ ખેાલનાર ધીમેથી શુદ્ધ રીતે મેાટી શાંતિ ખેલે, તે પૂરી થયે સહુ ધીમેથી ‘નમા અરિહંતાણું” પદ ખેાલીને પારે. . કાઉસ્સગ્ગમાં ગણવાનુ` લોગસ્સ સૂત્ર લાગસ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે: અરિહ તે કિત્તઈમ્સ, ચવીસ પિ કેવલી. ૧ ઉસભજિઅ' ચ વદે, સંભવભિષણ'ચ સુમઈ ચ; પઉમહ. સુપાસ”, જિણ. ચ ચપ્પહ. વર્ સુવિહિં ચ પુખ્તત`, સીઅલ સિજ્જસ વાસુપુજ્ય ચ; વિમલમણ ત. 'ચ જિણ', ધમ્મ સતિ ચ વામિ, ૩ શુ અરં ચ મલ્લિ, વન્દે મુણિમુળ્વયં નમિજિણું ચ; વદ્યામિ નિમિં, પાસ તહ વક્રમાણે . ૪ એવ' મએ અભિધુઆ, વિહુચર્યમલાપહીણજરમરણા ચવીસ* પિ જિણવરા, તિથયરામે પસીયતુ, પ કિત્તિય વયિ મહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા; આગ મહિલાભ, સમાહિવરમુત્તમં તુિ. ૬ ચન્દેસુ નિમ્મલયરા, આઈસ્ચસુ અહિયં યાસયરા; સાગરવર્ગ'ભીરા, સિદ્ધા સિદ્ધિ મમ 'તુ, ૭ 6 એ પ્રમાણે સંપૂર્ણ ચાર લાગસ્સના કાઉસ્સગ્ગ કરવા. પછી આદેશ માગેલી વ્યક્તિ નમા અરિહતાણ'' ખેલવા પૂર્વક કાઉસગ્ગ પારીને નમે તસિદ્ધાચાર્યાપાધ્યાયસ સાધુલ્ય: કહી માટી શાંતિ ખાલે, ખીજા સાંભળે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ લVE ) બૃહદ્ શાંતિ સ્તવ–મેટી શાંતિ ભે ભે ભવ્યા! શુણુત વચન પ્રસ્તુત સમેત, એ યાત્રામાં ત્રિભુવન ગુરાહત ભક્તિભાજ: તેષાં શાંતિભવતુ ભવતામહદદિ-પ્રભાવાદાગ્ય-શ્રીધૃતિમતિકરી લેશવિદવસહેતુ, ભે ભે ભવ્યલોકાઃ ઈહિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીથકૃતાં જન્મેન્યાસનપ્રકમ્માનંતરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિ: સુષાઘંટાચાલનાઅંતર, સકલસુરાસુરેન્દ્ર સહ સમાગટ્ય, સવિનયમભટ્ટારક હીત્યાગવા કનકદ્વિ ગે, વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દષયતિ યથા, તનેહ કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજને યેન ગત: સ પથા; ઈતિ ભવ્યજનૈ: સહ સમેત્ય સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય, શાંતિમુદઘષયામિ તપૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સવાનેતરમિતિ કૃત્વા, કણ દવા નિશમતાં નિશમ્યતાં સ્વાહા. ૩% પુણ્યાહપુણ્યા પ્રીયંત પ્રીયંત ભગવંતત: સર્વજ્ઞા: સવદર્શિનસિલેકનાથા-ચિલમહિતાસિલેકપૂજ્યા સિલેકે ધરા-સ્ટિલેકેદ્યોતકરાડ, » ગષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ–પધપ્રભ-સુપા–ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્યવિમલ-અનંત-ધર્મ-શાંતિ-કુંથુ-અર-મદ્વિ-મુનિસુવ્રત-નમિનેમિ-પા– વમાનતા જિના: શાંતા: શાંતિકર ભવતુ સ્વાહા. ' ૩ મુન મુનિપ્રવરે રિપવિજયદુભિક્ષકાંતારેષ દુર્ગમાગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપSB) NIPL WEB - વિધિ સહિત » શ્રી હી ઘતિમતિ-કીર્તિ-કાંતિ-બુદ્ધિ-લક્ષ્મીમેધાવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષ, સુગ્રહીતનામાને જયંતુ તે જિનેન્દ્રા: » રોહિણી–પ્રજ્ઞપ્રિ-વજશૃંખલા-વકુશ-અપ્રતિચકા-પુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાસામહા જ્વાલા-માનવી- વૈયા-અઠ્ઠમા-માનસી-મહા માનસી ડિશ વિદ્યાદે રક્ષતુ છે નિત્ય સ્વાહા. » આચાર્યોપાધ્યાયપ્રભૂતિચાતુવર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિભવતુ તુષ્ટિભવિતુ પુષ્ટિભવતુ. ગ્રહાશ્ચન્દ્રસૂર્યાગારકબુધબૃહસ્પતિકશનૈશ્ચરાહુકેતુસહિતા: સલોકપાલા: સેમચમ-વરુણ-કુબેર-વાસવાદિત્યસ્ક વિનાયકે પેતા યે ચાપિ ગ્રામનગરક્ષેત્રદેવતાદયતે– સવે પ્રીયંતાં પ્રીયતા અક્ષીણુકશકેષ્ટાગા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. ૩% પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુત-સ્વજન-સબંધિ-બંધુવગ સહિતા:નિંયંચામદપ્રમોદકારિણ: અસ્મિશ્ચ ભૂમંડલાયતનનિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણું રોગપસ – વ્યાધિદુ:ખદુર્ભિદૌમનોપશમનાય શાંતિભવતુ. તુષ્ટિ–પુષ્ટિ–દ્ધિ-વૃદ્ધિ-માંગોત્સવ: સદા પ્રાદુભૂતાનિ પાપાનિ શાયંતુ દુરિતાનિ, શત્રવ: પરાભુખા ભવંતુ સ્વાહા શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાન્યચિતાંઘયે, Page #190 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ દીyજી થUVIRP) શાંતિ: શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશતુ મે ગુરુ શાંતિરે સદા તેષાં, યેષાં શાંતિ હેહે. ૨ ઉત્કૃષ્ટરિષ્ટદુષ્ટગ્રહગતિદુરસ્વમર્નિમિત્તાદિ; સંપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાન્ત: ૩ શ્રી સંઘજગજ્જનપદરાજાધિપરાજસન્નિવેશાનામ; ગાષ્ટિકપુર મુખાણાં, વ્યાહરણેય્યહરેછાંતિમ. ૪ શ્રીશ્રમણ સંઘસ્ય શાંતિભવત, શ્રીજનપદનાં શાંતિભવતુ; શ્રીરાજાધિષાનાં શાંતિભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિભવતુ, શ્રીગેષિાનાં શાંતિભવતુ, શ્રીપૌરમુખાણાં શાંતિભવતુ, શ્રીપૌજનસ્ય શાંતિભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિભવતુ. સ્વાહા ૩ સ્વાહા » શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. - એષા શાંતિ: પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ, શાંતિકલશ ગ્રહીત્યા કુંકુમચંદનકપૂરગુરુ ધૂપવાસકુસુમાંજલિસમેત: સ્નાત્રચક્કિકાયાં શ્રીસંઘ સમેત: શુચિશુચિવપુ: પુષ્પવસ્ત્રચંદનાભરણાલંકૃત, પુષ્પમાલાં કઠે કૃત્વા, શાંતિમુદ્દષયિત્વા શાંતિપાનીય મસ્તકે દાતવ્યામિતિ, નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગત્રાણિ પઠતિ મંત્રાન, કલ્યાણભાજે હિ જિનાભિષેકે. શિવમસ્તુ સવ–જગત: પરહિતનિરતા ભવંતુ ભૂતગણા:: દેાષા: પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોક: ૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ 29) SPOWED • વિધિ સહિત) અહ તિર્થીયરમાયા, સિવાદેવી તુમહ નયરનિવાસિની; અહ સિવંતુમહ સિવ, અસિવસમં સિવ ભવતુ સ્વાહા.૩ ઉપસર્ગો: ક્ષય યાંતિ, છિદ્યતે વિઘવલ્લય:: મન: પ્રસન્નતા મેતિ, પૂજ્યમાને જિનેશ્વરે, સવમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ, સહુએ કાઉસગ્ગ પારી લે અને ભણાવનારે પ્રગટ લોગસ બોલો. લોગસ લેગસ ઉજે અગરે, ' ઘમ્મતિથરે જિણે; અરિહતે કિન્નઈમ્સ ચઉવીસ પિ કેવલી. ૧ ઉસભામજિઆંચ વંદે સંભવમમિણુંદણું ચ સુમઈચ; પઉમપણું સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ મુફદંત, સીઅલ સિજ્જસ વાસુપુજે ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિનેમિ, પાસે તહ વદ્ધમાણે ચ. ૪ એવંમ અભિધુઆવિહુયાયમલા પહજરમરણા; ચઉવીસ પિ જિણવા, થિયરા મે પસીયતુ. ૫ કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા; આગે બેહિલાભ, સમાણિવરમુત્તમ તુિ. ચદેસુ નિમ્મલયા, આઈચૈસુ અહિયં પયાસયા; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ પછી નીચે આપેલ “સંતિક સ્તવ” બે હાથ જોડીને એક જણ બોલે અને બીજા સાંભળે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ વટ જીલ્લો ) સંતિક સ્તવ સંતિક સંતિજિણ, જગસરણ જયસિરીઈ દાયા; સમામિ ભત્તપાલગનિવ્વાણી–ગરૂડક્યસેવં. ૧ સનમ વિસતિ–પત્તાણું સંતિસામિ-પાયાણું; ઝીં સ્વાહા મંતેણ, સવાસિવદુરિઅહરણાણું. ૨ » સંતિન મુક્કારે, ખેલેસહિમાઈલદ્ધિ—પત્તાણું; સૌં હ્રીં નમે સો-સહિપત્તાણું ચ દેઈ સિરિ. ૩ વાણીતિહુઅણસમિણિ -સિરિદેવીજખરાય–ગણિપિડગા; ગહદિસિપાલ–સુરિંદા, સાવિ રખતુ જિણભૉ. ૪ રખંતુ મમ (મમં) રહિણિ, પન્નરી વજસિંખલા ય સયા; વજ કુસિ-ચકેસરિનરઢતા-કાલી-મહાકાલી. ૫ ગેરી તહ ગંધારી, મહાલા માણવી આ વઇટ્ટા; અછુત્તા માણસિઆ, મહામાણસિઆ ઉદેવીએ. ૬ જખ મુહ-મહજખ, તિમુહ–જખેસ-તુંબરૂ કુસુમે; માયંગ-વિજય-અજિયા, ખંભે મણુએ સુરકુમારે, ૭ છમ્મુહ પયાલ કિન્નર, ગરૂલ(-) ગધવ્ય તહ ય જખિં; કૂબર વણે ભિડી, ગોમેહે પાસ–માયેગા. ૮ દેવીઓ ચકેસરી-અજિઆદુરિઆરિ–કાલિ–મહાકાલિ, અચ્ચય-સંતા–જાલા, સુતાયાસેય-સિરિવચ્છા, ૯ ચંડા વિજયંકુસિ.-પન્નછત્તિનિવાણિ અચુઆ ધરણી; વિરુદ્ર-છત્ત-ગંધારી, અંબ પઉમાવઈ-સિદ્ધા. ૧૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ લી૩૦ AADDADDENT • વિધિ સહિત ઈઅ તિસ્થરખણયા, અનેવિ સુરાસુરી ય ચહા વિ; વંતર–જોઈણિપમુહા, કુર્ણતુ રખે સયા અમU. ૧૧ એવં સુદિદિસુરગણુ–સહિઓ સંઘમ્સ સંતિજિણચંદે; મક્કવિ કરેઉ રખ, મુણિસુંદરસૂરિ–શુઅમહિમા. ૧૨ ઈઅ “સતિનાહસન્મ-દિયિ- રસઈ તિકાલ જે; સાવવ-રહિએ, તે લહઈ સુહ-સંપાં પરમં ૧૩ અહીં સંવછરી પ્રતિક્રમણ તથા તે દિવસનું દૈવસિક પ્રતિક્રમણ આ બંને પ્રતિક્રમણને વિધિ પૂરો થાય છે. સાધુ-સાધ્વીજી મહારાજાઓ પ્રતિક્રમણ દરમિયાન અવિધિની કંઈ પણ આલોચના રહી ગઈ હોય તેથી પુનઃ “વિધિ કરતાં જે કંઈ અવિધિ થયે હેાય તે સવિ હુ મનવચન-કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ' આ પાઠ બોલી વિધિની સમાપ્તિ કરે છે. હવે શ્રાવક-શ્રાવિકા સભાસ્થિત ગુરુદેવ હેય તે તેની અનુજ્ઞા માગીને, તે ન હોય તે સમુદાયની વડીલ વ્યક્તિ હોય તેની રજા માગીને “સામાયિક પારવાનો વિધિ” શરૂ કરે છે તે આ પ્રમાણે– સામાયિક પારવાને વિધિ ખમાસમણુ અછામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજજાએ નિસીહિઆએ માત્થણ વંદામિ, WWW.jainelibrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિક્રમણ વટ HD, Dhan) ઈરિયાના રિચાહિયા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિય પડિકમામિ? ઇચ્છ, ઇચછામિ પડિકમિઉં. ૧, ઇશ્યિાવહિયાએ, વિરાણાએ, ૨. ગમણાગમણે, ૩. પાણકમણે, બીયામણે હમિણે, ઓસા-ઉન્ટિંગ-પગદગ-મટ્ટી-મકડાતાણાસંકમાણે, ૪, જે મે જવા વિરાહિયા, ૫. એચિંદિયા, બેઇડિયા, તેઈડિયા, ચઉરિદિયા, પંચિંદિયા, ૬, અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંરક્રિયા, પશિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાએ વવવિયા, તસ્સ મિચ્છા મિ દુકકડ, ૬, તસ્સ ઉત્તરી તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિહીકરશેણું વિસદ્ધીકરણેણં, પાવાણું કમ્માણ નિશ્ચાયણએ ઠામિ કાઉન્સ ૧, અસત્ય અશ્વત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણ, છીએણ, જંભાઈએણ, ઉડણ વાયનિસર્ગોણું, ભમલીએ પિત્તમુચ્છાએ ૧, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં એલસંચાલેહિં, સુહમેહિ દિદિસંચાલેહિ ર. એવભાઈએહિ આગારેહિ અભગે અવિરહિએ હુજ મે કાઉસ્સો ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ ૪, તાવ કાર્ય હાણેનું મેણુ ઝાણેણં અપાણે વસિરામિ. પ. અહિં એક લોગસ્સનો કાઉસગ્ગ “ચંદેસુ નિમલયરા” સુધી નીચે મુજબ કરો. Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- W ONDPEDES • વિધિ સહિત) 100) લોગસ લોગસ્સ ઉઅગરે, ઘમ્મતિસ્થય જિણે; અરિહંતે કિન્નઈટ્સ, ચઉવીસ પિ કેવલી. ૧ ઉસભામજિઅંચવંદે, સંભવમભિખુદણું ચ સુમઈચ; પઉમuહું સુપાસ, જિર્ણ ચ ચદમ્પતું વદે, ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજસ વાસુપુજં ચ; વિમલમણાં ચ જિણ, ધમૅ સંતિ ચ વંદામિ૩ કુંથું અરં ચ મહ્નિ, વંદે મુણિ સુવ્વયં નમિજિણું ચ; વામિ રિનેમિ, પાસે તહ વદ્ધમાણે ચ. ૪ એવં મએ અભિથુઆવિયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરતિસ્થયરા મે પસીયતુ. ૫ કિત્તિયવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આગબેહિલાભં, સમાહિવરમુત્તમં હિતુ. ૬ ચદેસુ નિમૅલયા. કાઉસગ્ગ પારીને પુનઃ પ્રગટ લોગસ બોલો. લેગર્સ લેગસ્સ ઉજજો અગરે, ઘમ્મતિથયરે જિણે; અરિહંતે કિન્નઇન્સં; ચકવીસં પિ કેવલી. ૧ ઉસભામજિઆંચ વંદે, સંભવમણિંદણુ ચ સુમઈચ; પઉપણું સુપાસ, જિણું ચ ચંદપણું વદે, ૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરીપ્રતિક્રમણ 33) સુવિહિં ચ પુખ્ત ત, સીઅલ સિજ્જસ વાસુપુજ્જ` ચ; વિમલમણંત' ચ જિષ્ણુ, ધમ્મ સતિ' ચ વામિ. 3 કુંશું અર` ચ મલ્લિ, વન્દે મુણિસુબ્વયં નમિજિણ ય; વામિ નેમિ, પાસ... તહ વમાં ૨. ૪ એવ’મએ અભિશુ,વિચરયમલા પહીણજરમરણા; ચવીસપિ જિણવરા, ત્થિયરા મે સીયતુ, પ કિત્તિયવ’ચિમહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગમહિલાભ, સમાહિવમુત્તમ' દ્વિતુ. દ ચઢસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિય· પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, છ ઊભા રહીને ‘ઈરિયાવહી ' કરનારાઓએ બેસી જવાનું છે. ખમાસમણુ ઈચ્છામિ ખમાસમણા ! 'ઉં જાણજ્જાએ, નિસીહિએ મર્ત્યઅણુ વામિ. ચસાય ચઉક્કસાયડિમલ્કુલ્લૂ રહ્યુ, દુર્જીયમયણખાણમુસુમૂરજી; સપિઅ ગુવન્તુ ગયગામિઉ,જયઉ પાસુ જીવત્તયસામિઉ ૧ જમ્મુ તણુક તિક્ડ પ્પ સિણિદ્ધ,સાહઈ ફણિણિકિરણાલિગ્ન; ન... નવજલહરતાિયલ છિઉ, સાજિષ્ણુપાસુ પયચ્છઉંવ‘છિર REPE PAPERER الانانانا www.janelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ (8%DPEOSWEDEN • વિધિ સહિત) નમુત્થણું નમુત્થણું અરિહંતાણું, ભગવંતાણું ૧. આઈગરાણું તિસ્થયરાણું, સયંસંબુદ્વાણ ૨, પુરિસુત્તરમાણું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરિઆણ, પુરિવરગંધહસ્થીણુ, ૩, લગુત્તરમાણું, લેગનાહાણ, લેગહિઆણું, લેગપઈવાણું, લેગપજજે અગાણું ૪. અભયદયાણું, ચખુદયાણું, મમ્મદયાણું, સરણુયાણુ, બાહિરયાણ ૫, ધમરયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણુ, ધમ્મસારહીશું, ધમ્મવરચાઉતચક્રવીણું ૬. અપડિહયવરનાણુદંસણધરાણ, વિઅછઉમાણ. ૭, જિણાણું જાવયા: તિન્નાણું તારયાણં; બુદ્ધાણં બેહથાણું, મુત્તાણું મેઅગાણું. ૮. સલ્વનૂર્ણ, સબૂદરિસીણ, સિવ-મહેલ-મરઅ-મહંતમખય-મન્હાબાહ–મપુણરાવિત્તિ-સિદ્ધિગઇનામધેયં ઠાણ સંપત્તાણં નમે જિણાણે, જિઅભયાણ. ૯ જે આ આઈઆ સિદ્ધા, જે અ ભવિસ્મૃતિ ણાગએ કાલે; સંપઈ વક્માણ, સલ્વે તિવિહેણ વંદામિ. ૧૦૦ જાવંતિ ચેઈઆઈ જાવંતિ ચઈઆઈ, ઉદ્દે આ અહે આ તિરિઅ-લેએ અ; સવ્હાઈ તાઈ વદે, ઈહ અંતે તથા સંતાઈ. ખમાસમણ ઈચ્છામિ ખમાસમણે ! વદિ જાણિજજાએ નિસીહિઆએ મલ્હઅણુ વંદામિ. જાવંત કે વિ સાહુ જાવંત કે વિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ; સસિ તેસિં પણ, તિવિહેણ તિરંડવિયાણું. ૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ મા = + + + સંવછરી પ્રતિક્રમણ (PETIVE નમહત્વ નમોહનસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય:. ઉવસગહરે ઉવસગ્ગહર પાસ, પાસે વંદામિ કમ્મરણમુક્ત; વિસહરસિનિમ્નાસ, મંગલકલ્યાણઆવાસ, વિસહરકુલિંગમંત કઠે ઘાઈ જ સયા મણુઓ; તસ્સ ગહરેગમારી, દુ-જરા જંતિ ઉવસામં. થિઉ દૂરે અંતે તુઝ પણ વિ બહુ હે; નરતિરિઅસુ વિ જીવા, પાવતિ ન દુખદેગર્ચા, તુહ સમ્મતે લદ્ધ ચિંતામણિ-કમ્પાયવબભહિએ; પાવતિ અવિઘેણું, આવા અયરામર ઠાણું, ઈઅ સંધુએ મહાયસ! ભક્તિભરનિભરેણ હિઅણુ; તા દેવ દિજજ બેહિ, ભવે ભવે પાસ !જિણચંદ. ૫ ત્યાર પછી જોડેલા બે હાથ લલાટે સ્થાપીને ચિનું સૂત્ર બેલવું. જય વીયરાય જય વીયરાય ! જગગુરુ ! હેઉ મેમ તુહ ૫ભાવ ભયવં; ભવનિલ્વેએ મમ્મા-ભુસારિઆ ઈફલસિદ્ધી. ૧ લેગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરથકારણું ચ; સુહગુરુગો તવયણ-સેવણા આભવમખંડા, (હવે બંને હાથ લલાટથી નીચે ઉંતારી નાસિકા પાસે લાવો.) Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૬ DBUDHELDERST • વિધિ સહિત વારિજઈ જઈવિ નિયાણુ-બંઘણું વીયરાય! તુહ સમએ; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુમહ ચલણાણું ૩ દુખખએ કમ્મખ, સમાધિમરણં ચ બહિલાભે અ; સંપજઉ મહ એઅં, તુહ નાહ ! પણામકરણે ૪ સવમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સવ–ધર્માણા, જૈન જયતિ શાસનમ, ત્યાર પછી ખમાસમણ દેવું. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મણ વંદામિ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તી પડિલેહું ? ઈચ્છ, કહીને મુહપત્તી પડિલેહવી. ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મFણ વામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સામાયિક પાસ૨૪ ? યથાશક્તિ, ઇચ્છામિ ખમાસમણે! વંદિઉ જાણિજાએ નિસીહિઆએ મFણ વંદામિ. ૨૪. જે ગુરુ મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ કર્યું હોય ત્યારે ગુરુદેવ પ્રશ્નના જવાબમાં “પુણેવિ કાયÒ બેલે, એટલે હજુ ફરીથી કરવું જોઈએ એમ કહે, ત્યારે શ્રાવક જવાબમાં યથાશક્તિ બોલે. Page #200 -------------------------------------------------------------------------- ________________ -સંવચ્છરી પ્રતિક્રમણ થવી EVBDછે જ લg) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સામાયિક પાયુ, ૨૫ તહત્તિ. પછી જમણો હાથ ઉંધા ચરવાલા કે કટાસણા ઉપર સ્થાપીને નવકાર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમે આયરિયાણં, નમે ઉવન્ઝાયાણું, નમે લેએ સવ્વસાહૂણ, એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં, સામાઇય વયજુરો સામાઈય વય–જુત્તો, જાવ મણે હેઈ નિયમ–સંજુરો; છિન્નઈ અસુહ કમૅ, સામાઈ જત્તિઆ વાર. ૧ સામામિ ઉકઅ, સમણે ઇવ સાવ હવાઈ જહા; એએણે કારણે, બહુસો સામા કુન્ના, ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયુ, વિધિ કરતાં જે કે અવિધિ હેઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૨૫. બીજી વાર પારવાની રજા માગી ત્યારે ગુરુદેવને નકકી લાગ્યું કે ફરી સામાયિક કરવાની અનુકૂળતા નથી, ઘરે જ જવા ઈચ્છે છે, એટલે પછી ગુરુ દેવ “ આયારે ન મત્ત બેલે, અર્થાત્ આ સામાયિકના આચારને તું છેડતો નહિં એમ જણાવે. ત્યારે શ્રાવક ‘તહત્તિ બોલે અર્થાત આપના આદેશને માન આપીશ, અર્થાત ફરી પાછું કરીશ એમ જણાવે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ITY), વિધિ સહિત દેશ મનના, દેશ વચનના, મારે કાયાના એવ' અત્રીશ ટાપમાંહે જે કાઈ ઢાષ લાગ્યા હોય, તે સચિવ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ’ ત્યારબાદ પુસ્તકની સ્થાપના સામે ઉત્થાન મુદ્રા એટલે કે સળેા હાથ રાખી એક નવકાર મેાલવે. નમા અરિહંતાણું', નમા સિદ્ધાણું, નમા આયરિયાણં, નમા ઉવજ્ઝાયાણુ, નમા લાએ સવ્વસાહૂણ, અમે પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણા, મંગલાણ' ચ સન્વેસિં, પઢમ હુવઈ મગલ. અહીંઆ પ્રારભમાં લીધેલું સામાયિક નામનુ આવશ્યક ’ પૂરું થયું. હવે પુસ્તકાદિકની કરેલી સ્થાપના ઉડ્ડાવી લેવાની. ગૃહસ્થ હવે પેાતાનાં વ્રત વખતનાં વસ્ત્રોને બદલી શકે છે. શ્રી સચ્છરી પ્રતિક્રમણની સરળ-સળંગ વિધિ સપૂર્ણ जनं जयति शासनम् । વિ. સં. ૨૦૨૯ વાલકેશ્વર, મુંબઈ. નાના Li 6 લે મુનિ યશોવિજય. PREPAREPARS Page #202 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છી પ્રતિક્રમણ પાક્ષિક, ચામાસી કે સવ પ્રતિક્રમણમાં છીંક આવે ત્યારે તેના દોષ દૂર કરવાના વિધિ «BC સૂચના:પાક્ષિક, ચૌમાસી કે સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક અતિચાર પહેલાં જો છીંક આવે તા કરેલું પ્રતિક્રમણ નકામું થાય છે અને ફરીને પહેલેથી પાછું શરૂ કરવું પડે છે. અતિચાર ખેાલી લીધા પછીની થતી વિધિમાં જો છીંક આવે તા હેાટી શાંતિના કાઉસ્સગ્ગ પહેલાં તેના અનિષ્ટ દોષના નિવારણ માટે સકલ સ'ધે નીચે મુજબના વિધિ અવશ્ય કરવા જેઈએ. તે આ પ્રમાણે— પ્રથમ ખમાસમણુ દઈને ‘ઇરિયાવહી’ કરવાની. ઇરિયાવહિય ઈચ્છાકારેણ સ`સિહે ભગવન! ઇરિયાવહિય પડિઝ મામિ ? ઇચ્છ, ઈચ્છામિ પડિક્રમિ* ૧. ઇરિયાવહિયાએ, વિરાહાએ ૨. ગમણાગમણે ૩. પાણમણે, બીયક્રમળે, હરિય#મણે, આસા ઉત્તિંગ, પગ ઢગ મટ્ટી મક્કડા સંતાણા સંક્રમણે ૪, જે મે જીવા વિરહિયા ૫. એગિઢિયા, એ ક્રિયા, તેઢિયા, ચઉરિઢિયા, પચિક્રિયા ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સ`ઘાયા, સમક્રિયા, પરિયાવિયા, લિામિયા, ઉવિયા, ઠાણા કાણુ સ કામિયા, વિયાએ વવવિયા તસ્સ મિચ્છામિ દુક્કડ, ૭, ૨૬. પ્રતિક્રમણમાં ‘નાસિકા ચિંતામણી સાવધાન'ની ઘેાષણા થાય છે પણ ‘નાસિકા ચેતવણી, સાવધાન' આ વાકય ખેાલવુ જોઇએ. *** Page #203 -------------------------------------------------------------------------- ________________ ( Mo)EDUSADEMBEL :વિધિ સહિત) તસ્ય ઉત્તરીકરણેણું તસ્સ ઉત્તરીકરણ પાયછિત્તકરણ, વિહીકરણેણું, વિસલ્લકારણેણં, પાવાણું કમ્માણ નિષ્ણાયણાએ હામિ કાઉસ્સગ્ગ ૧. અસત્ય અન્નત્થ ઊસિએણું નસસિએણું, ખાસિએણું, છીએણું, જભાઈએણું, ઉઠ્ઠએણું, વાયનિસર્ગોણું, ભમલીએ, પિત્તમુછાએ ૧. સુહમેહિં અંગસંચાલેહિ, સુહમેહિં બેલસંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિ, ૨. એવમાઈહિં આગારેહિ, અભી અવિરહિએ, હુજ મેં કાઉસ્સગે ૩. જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ ૪, તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝાણેણં, અપાયું સિરામિ ૫. અહિં એક લેગસને કાઉસગ્ગ “ચંદેસુ નિમલયરા” સુધી નીચે મુજબ કર. લેગલ્સ લેગસ્સ ઉઅગરે, ઘમ્મતિથયરે જિણે; અરિહતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી, ૧ ઉસભામજિઅંચ વદે, સંભવમભિકુંદણું ચ સુમઇ ચ; પઉમ પહ સુપાસ, જિપ્સ ચ ચંદBહું વંદે ૨ સુવિહિં ચ પુરૂદંત, સીઅલ સિજજસ વાસુપુજ્જ ચ; વિમલમણુત ચ જિણું, ધમૅ સંતિ ચ વટામિ. ૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ *સંવચ્છરી પ્રતિક્રમણ ૪ શાળાTUજૂઠ્ઠલાણ) શું અર ચ મહ્નિ, વંદે મુણિસુવર્ય નમિજિર્ણ ચ; વામિ જિનેમિ, પાસે તહ વદ્ધમાણુ ચ. ૪ એવંમએ અભિથુઆ, વિયરયમલા પહીણજરમરણા; ચઉવી સંપિ જિણવા, તિસ્થયરા મે પસીયંત. ૫ કિત્તિય વદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ બેહિલાભં, સમાવિરમુત્તમં કિંતુ, ૬ ચંદસુ નિમ્મલયા, પછી “નમો અરિહંતાણું” કહી કાઉસગ્ગ પાર્યા બાદ નીચેનું સૂત્ર બલવું. લોગસ્સ લોગસ્સ ઉજજે અગરે, ઘમ્મતિથયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ વંદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ: પઉમuહ સુપાસ, જિણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કત, સીયલ સિજજસ વાસુપુજ ચ; વિમલમાં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચત વામિ રિનેમિં, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવંમએ અભિથુઆવિયયમલા પીણુજરમરણા; ચકવીરાં પિ જિણવર, તિવૈયર મે પસીયંતુ, ૫ કિત્તિય ચંદિય મહિયા, જે એ લેગ ઉત્તમ સિદ્ધા; આસગ્ગ–બહિલાભ, સમાહિવરમુત્તમં હિંતુ ૬ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉnaઝ) DPSES •વિધિ સહિત ચંદસુ નિમ્મલયા, આઇચ્ચેનુ અહિય પયાસય; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૭ પછી ખમાસમણ દેવું. ઈચછામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજ્જાએ, નિસીહિઆએ મત્થણ વંદામિ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન “ક્ષકોપકવઓહાવ@ાથ' કાઉસ્સગ્ન કરુ ? ઈચ્છ, સુરોપકવ આહુડાવણાથી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થા અન્નત્ય ઊસિએણે, નીસિસિએણું, ખાસિએણું, છીએણું, જભાઈએણું, ઉડએણ, વાયનિસગ્ગણું, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિલ્ફિસંચાલેહિ. ૨. એવભાઈએહિં આગાહિં, અભ, અવિરહિએ, હુક્લ મે કાઉસગ્ગ, ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણે, માણેણં, ઝાણે, અખાણું સિરામિ. ૫. અહિં ચાર લોગસ્સનો કાઉસગ્ગ “સાગરવરગંભીર’ સુધી નીચે મુજબ કરવો. લેગસ સૂત્ર (ચારવાર મનમાં ગણવાનું) લેગસ્સ ઉજmઅગરે, ઘમ્મતિથયરે જિણે; અરિહતે કિન્નઈટ્સ ચઉવીસ પિ કેવલી. ૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ સંવછરી પ્રતિક્રમણ ", ઉસભામજિઅ ચ વદે, સંભવમભિgણું ચ સુમઈચ; પપ્પણું સુપાસ, જિર્ણ ચ ચપહ વંદ. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમૅ સંતિ ચ ચંદામિ, ૩ કુછું અર ચ મહ્નિ, વંદે મુણિ સુવ્વયં નમિજિણ ચ; વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ. ૪ એવું મને અભિથુઆવિહુયરયમલા પહણજરમરણા; ચઉવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયત ૫ કિરિયાવદિયમહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણહિલાભ સમાણિવરમુત્તમં કિંતુ. ૬ ચંદસુ નિમૅલયા, આઈસુ અહિય પયાસયરા; સાગરવરગંભીર. પછી “નમે અરિહંતાણું ” કહી કાઉસ્સગ પારી નીચે મુજબ થાય કહેવી. કાઈ આ થેય પાંચ વાર બોલવાનું કહે છે. સ યક્ષાંબિકાઘા રે, વૈયાવૃત્યકર જિને; શુપદ્રવ ઘાત, તે દ્રત કાવયંસુ ન. કાઉસગ્ગ પારી નીચે મુજબ પ્રગટ લેગસ બેલો. લોગસ્સ લેગ ઉજે અગરે, ધમ્મતિથયરે જિસે; અરિહતે કિન્નઈલ્સ ચઉવીસ પિ કેવલી. ૧ ' Page #207 -------------------------------------------------------------------------- ________________ (CEZPDADચ્છPEX • વિધિ સહિતના ઉસભામજિ એ વદે, સંભવમભિસંદણુ ચ સુમઈ ચ; પઉમuહ સુપાસ, જિણું ચ ચંદuહ વંદ, ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજે ચ; વિમલમણતં ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ૩ કશું અર ચ મહ્નિ, વંદે મુણિસુન્વયં મિજિર્ણ ચ: વામિ રિફનેમિ, પાસે તહ વદ્ધમાણે ચ. ૪ એવંમએ અભિથુઆ,વિહુયરયમલા પહણજરમણા; ચકવીસ પિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિત્તિય ચંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આ બેહિલામં સમાણિવરમુત્તમં હિતુ. ૬ ચંદસુ નિમ્મલયર, આઈસુ અહિયં પયાસયર: સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ નક છીંક બાબતને વિશેષ ખુલાસો ગુરુગમથી જાણો. Page #208 -------------------------------------------------------------------------- ________________ - સંવચ્છરો પ્રતિકમણ SCE AT ) મુહપનીના પચાસ બેલ પડિલેહણ” એ પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર પ્રતિલેખને” છે. એનો અર્થ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું એ થાય છે. અહીંઆ વસ્ત્રની પડિલેહણમાં આદ્ય પડિલેહણું મુહપત્તીની હોય છે. પછી બીજી વસ્ત્રોની કરવાની હોય છે. મુહપત્તીના બીજા લોક પ્રચલિત નામમાં મહાપત્તી, મોપત્તી, મમતી વગેરે છે. આ મુહપત્તી મોક્ષમાર્ગનું એક સાધન અને સાધુ જીવનનું પ્રતીક છે, આ ધર્મોપકરણ છે અને તે ક્રિયામાં અપ્રમત્ત થવા અને અહિંસા ધર્મનું પાલન કરવા ઉપયોગી છે. મુહપતીને ગ્રહણથી ઉત્તમ માર્ગને હું અનુસરી રહ્યો છું, એવો ભાવ પ્રગટે છે. અને ધર્માનુષ્ઠાનમાં જોડાયો છું. એવું લક્ષ્ય રહેતાં લક્ષ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે. ચારિત્રનું ઘડતર માટે જ્ઞાની મહર્ષિઓએ બહુ દીર્ધ વિચાર કરી તે તે ઉપકરણે-સાધને બતાવ્યાં છે. માટે આને એક ટૂકડો કે રૂમાલ જેવું બીન જરૂરી સાધન માની તેની પ્રત્યે ઉપેક્ષા કે અનાદર ભાવ ન રાખતાં શ્રદ્ધા રાખી શાસ્ત્રકથિત માર્ગ અને પરંપરાને અનુસરવું એ જ મુમુક્ષુ જીવોનું કર્તવ્ય છે. પ્રથમ મુહપતીની ૨૫, તેમજ તે દ્વારા શરીરની ૨૫. પતિલેહણ-પ્રમાર્જના કરવાની છે, એ કરતી વખતે અર્થ વિચારણાપૂર્વક પચાસ બેલો મનમાં બોલવાના છે તે નીચે મુજબ છે. તેને પ્રથમ કંઠસ્થ કરી લેવા. પચાસ બેલ (માત્ર મુહપત્તીની ૨૫ પડિલેહણને બોલ) સૂત્ર, અર્થ, તવ કરી સહુ સમ્યકૃત્વમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય, પરિહરુ ૩ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું સુદેવ, સુગુરુ સુધર્મ આદરું - છે જ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૪૧)TAVDSEM •વિધિ સહિત) કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના ચારિત્ર વિરાધના પરિહ મને ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરું મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું (હવે મુહપતી દ્વારા શરીરની ૨૫ પડિલેહણાના બેલ) હાસ્ય, તિ, અરતિ પરિહરું ભય, શેક, જુગુપ્સા પરિહરું કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેશ્યા પરિહરુ રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું ક્રોધ, માન પરિહ માય, લેભ પરિહરું પૃથ્વી કાય, અપ કાય, તેઉકાયની રક્ષા કરું વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની જયણું કરું ૫૦. મુહપત્તી પડિલેહણ સાથે મનમાં ચિંતન કરવા માટે જે બોલ ગોઠવ્યા તે એટલા માટે છે કે જિનેશ્વરના શાસનમાં ઉપાદેય અને હેય (મેળવવા જેવું અને ત્યાગ કરવા જેવું) શું છે ! વળી કઈ વસ્તુ પરિહરવા જેવી, આદરવા જેવી કે યતના કરવા જેવી છે? વગેરે બાબતોને ખ્યાલ રહે, એ માટે વિચારની એક સુંદર તક પ્રાપ્ત થાય અને એમાંથી આરાધક આત્માઓમાં ત્યાગભાવ અને આરાધક ભાવની માત્રામાં વૃદ્ધિ થતી રહે. –બીજું એ કે મુહપત્તીનું પડિલેહણ એ એવી બાબત છે કે તે જાણકાર પાસેથી શીખી લેવાય જ જલદી તેની રીત ખ્યાલમાં આવી જાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ કરી . (૪૭૩) CHવચ્છરી પ્રતિક્રમણ મુહપત્તીનું બેલ સાથે ક્રમશ: પડિલેહણ કેમ કરવું તે. (૧) પ્રથમ ઉભડક બેસો, બે હાથ બે પગની વચ્ચે રાખે પછી મુહપતીની ઘડીને પૂરી ઉકેલી નાંખો, ઊભી રાખે, અસલી ધાર ઉપર રહેવી જોઈએ. આ ધારના બંને છેડાને બે હાથની આંગળીઓથી પકડી રાખે પછી, દ્રષ્ટિ પડિલેહણું કરે એટલે મુહપત્તી તરફ નજર નાંખે, સૂક્ષ્મ જતુ કઈ છે કે નહિં તે જોઈલે, હોય તો ઉપગ પૂર્વક બાજુમાં મૂકે, આ મુહપત્તી ઉપર નજર કરે ત્યારે મનમાં નીચેના કાળા અક્ષરથી છાપેલા શબ્દો બોલે. “સૂત્ર શબ્દ બેલ્યાની સાથે મુહપત્તીની એક બાજુની પડિલેહણું થઈ ગઈ. (૨) હવે મુહપત્તિીની બીજી બાજુઓની પડિલેહણું કરવાની છે એટલે મુહપત્તીના પડને ફેરવીને ડાબા હાથે પકડેલા છેડાને જમણું હાથમાં પકડે અને જમણે હાથે પકડાયેલ છેડા ડાબા હાથે પકડો અને મુહપત્તી સામે નજર રાખી મનમાં– અથ તત્ત્વ કરી સદ્દહું શબ્દોને બોલે (આ વખતે મુહપત્તી પોતાની સામે સવળી રહેશે) (૩) પછી મુહપત્તીના ડાબી બાજુના છેડાને જરા ઉંચે કરો અને તે છેડાને ઉંચે નીચો કરવા દ્વારા ત્રણવાર ખંખેરે અને ખંખેરતાં સમ્યકત્વ મેહનીય મિશ્ર મેહનીયમિથ્યાત્વમેહનીય પરિહરુ (૪) પછી જમણા છેડાવાળો ભાગ ડાબા હાથ ઉપર મૂકે, અને ડાબા હાથમાં રહેલા છેડાને જમણે હાથે પકડે એટલે નં. ૧ જેવી વખતે અવળી મુહપતી હતી તેવી સવળી થઈ જશે. પછી જમણે હાથ જરા ઉંચે કરી જમણા છેડાને ત્રણવાર ખંખેર અને ખંખેરતાં કામ રોગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ પરિહરુ, બેલે Page #211 -------------------------------------------------------------------------- ________________ Gu_$pBOADDDDED : વિધિ સહિત) (૫) પછી જમણું હાથના છેડાને પકડી ડાબા હાથ ઉપર એવી રીતે નાખે કે (જુઓ ચિત્ર નં.૪ ની નીચેનું) મુહપત્તી ડાબા હાથને ઢાંકી દે, પછી જમણું હાથથી મુહપત્તીને ડાબા હાથ ઉપરથી બહાર ખેંચે ને ડાબા હાથ બહાર કાઢે અને સાથે સાથે અડધી વાળેલી મુહપત્તીના બે છેડાને બે હાથથી પકડી રાખે. (૬) પછી જમણે હાથની ટચલી અને અનામિકા વચ્ચે મુહપત્તીને ભરા, ટચલી અંદરના ભાગે રહે, તેની જોડેની અનામિકા એ ઉપરના ભાગે રહે, અંગુઠો અંદરના ભાગે જ ટચલી આંગળીની બાજુમાં રહે અને બાકીની બે આંગળીઓ મધ્યમાં અને તર્જની ઉપરના ભાગે અનામિકાની બાજુમાં રહે. આ રીતે રહ્યા પછી આંગળીઓ દ્વારા મુહપત્તીની કરચલી પાડો એટલે ચાર આંગળાના ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવે. ( ચિત્ર ૫). (૭) તે કર્યા બાદ ડાબા હાથની હથેલીને મુહપત્તિી ને સ્પર્શે એ રીતે ત્રણ ટપે (એક આંગળીઓ ઉપર, બીજી હથેલી ઉપર અને ત્રીજી કાંડા ઉપર) કાંડા સુધી પોતાને તરફ લઈ જાવ, અને લઈ જતી વખતે ત્રણ ટપ્પા અનુક્રમે સુદેવ, સુગુરુ, સુધમ આચરું, એમ બેલો. (૮) હવે ઉલટી રીતે એટલે કાંડાથી આંગળીઓના ટેરવા સુધી ત્રણ ટએ પ્રમાર્જના કરતા હોય તે ભાવ વ્યક્ત કરવા માંપત્તી હાથને અડાડતા જવું અને પ્રથમની જેમ દરેક ટપે અનુક્રમે કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ, બેલિવું. (૯) તે પછી સુદેવ વખતે જેમ કર્યું હતું તે જ પ્રમાણે આંગળીઓથી કાંડાસુધી ત્રણ ટપે– જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું, બેલો. (૧૦) તે પછી કુદેવ વખતે કર્યું હતું તે રીતે કાંડાથી આંગળીઓ તરફ મુહપત્તી હાથને અડાડતાં જઈ ક્રમશઃ Page #212 -------------------------------------------------------------------------- ________________ સંવચ્છરી પ્રતિકમણ SITUBHટ) જ્ઞાનવિધિના દર્શનવિરાધના ચારિત્રવિરાધના પરિહરુ, (૧૧) પુનઃ મુહપત્તીને સુદેવની માફક પૂર્વવત નીચેની ત્રણ બાબતો હૈયામાં દાખલ કરતા હોય તે ભાવ ધારણ કરવા પૂર્વક આંગળીઓથી કાંડા સુધી ત્રણ ટપે અંદર લો અને કમશઃ મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદ૬, બોલે. (૧૨) હવે નીચેની ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની હોવાથી મુહપતીને કાંડાથી આંગળીઓ તરફ ત્રણ ટર્ષે લઈ જતાં મનેકંડ વયનદંડ, કાયદંડ પરિહરુ, એમ બેલે. (અહીં ૨૫ બેલ મુહપતી પડિલેહણના થયા.) શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બેલ. આ બે દ્વારા આભ્યન્તર પ્રમાર્જના કરવાની છે. (૧૩) હવે આંગળામાં ભરાવેલી મુહપત્તીને એજ ડાબા હાથના પંજા ઉપર પ્રદક્ષિણાકારે (ચિત્ર નં. ૭) પ્રમાર્જતાં મનમાં બોલે કે (૧) દક્ષિા રતિ, અદના આંગ (૧૪) પછી મુહપનચ, રતિ, અરતિ સર્જાતાં મનમાં આ (૧૪) પછી મુહપતીને જેવી રીતે જમણા હાથની આંગળીઓના આંતરામાં રાખી હતી તે જ રીતે ડાબા હાથની આંગળાઓના આંતરામાં ભરાવીને હવે જમણા હાથના પંજા ઉપર, પ્રદક્ષિણાકારે વચ્ચે અને બંને બાજુએ પ્રમાર્જના કરે અને મનમાં બોલો કે ' ભય, શેક, દુગછા પરિહરુ, (૧૫) પછી મુહપત્તીને આંતરામાંથી કાઢી લઈ બેવડીને બેવડી જ બને છેડાને બંને હાથથી પકડી રાખી, માથા ઉપર વચ્ચે અને પછી ક્રમશઃ જમણું અને ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલો કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા પરિહર્સ, (૧૬) પછી એ જ મુહપત્તી મુખ પાસે લાવો, વચ્ચે અને જમણું ડાબી બંને બાજુએ પ્રમાર્જન કરે અને બોલો કે Page #213 -------------------------------------------------------------------------- ________________ -: જઝન ૫૦%DBADDIADIPLIDEA • વિધિ સહિત ) રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું, (૧૭) પછી મુહપત્તીને છાતી ઉપર લાવી, વચ્ચે અને બંને બાજુએ ત્રણ વાર પ્રમાર્જના કરે અને બેલે કે માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ, (૧૮) હવે મુહપત્તીથી જમણું ખભાને પ્રમાતાં બેલે કે ધ, માન પરિહરુ, (૧૯) અને એ જ પ્રમાણે ડાબા ખભાને પ્રાર્થના કરતાં બેલો કે માયા, લેભ પરિહરુ, (૨૦) પછી જમણા પગની જંધા અને આજુબાજુના ભાગ ઉપર ચરવલાથી આજુબાજુએ પ્રમાર્જના કરતાં બેલે કે પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું, (૨૧) પછી ડાબા પગની જંઘા–પગ અને તેને આજુબાજુના ભાગની પૂર્વોક્ત રીતે પ્રમાર્જના કરતાં બે કે વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું, નોંધ : ૨૦-૨૧ નંબરની પડિલેહણા મુહપત્તીથી પણ કરવામાં આવે છે. સાધ્વીજીની ૧૮ અને શ્રાવિકાઓની પંદર પડિલેહણું હોય છે. પૂ. મુનિરાજ સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે મુનિરાજેને શ્રી સંઘ સહિત ખામવાનાં ચાર ખામણું સૂચના:- આ પુસ્તકમાં આ “ખામણ આપવાની જરૂર ન હતી. પણ કયારેક નવદીક્ષિત મુનિરાજને શ્રી સંઘને પ્રતિક્રમણ કરાવાનું હોય ત્યારે તેઓને આની જરૂરિયાત અવશ્ય પડે છે તેથી અહીં આપ્યાં છે. આ ખામણને વિધિ બીજી વખતના “વંદિત' સૂત્ર પછી સમાપ્તખામણું” ને વિધિ થયા બાદ તરતજ આવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ (સંવછરી પ્રતિકમણ લાડી છે. લાપાટ) સૂચના:–ગુરુદેવ ચાર વખત ખામણાં ખામે ત્યારે ગુરુ કે વડીલે સભાને સૂચના કરવી કે મહાનુભા! ખમાસમણું સહુએ સાથે બેલીને દેવાનું છે અને અન્તને શબ્દ “મÖએણુ વંદામિ” અને “મિચ્છામિ દુકકડ' આ બે શબ્દ સહુએ ઉદાત્તનાદ એટલે કે મોટા અવાજે એક સરખી રીતે બેલવાના છે. આમ કરવાથી ઉંઘણશીની ઉંઘ ઉડી જશે, જાગૃતિ આવશે અને સહુને આનંદ થશે. ચાર ખામણની ક્રિયા પ્રથમ ખમાસમણું દેવું. ઈચ્છામિ ખમારામણે વદિઉં, અહીંઆ પ્રથમ આદેશ માગઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવછરી ખામણાં ખાણું ? પછી શિષ્ય સકલ સંઘ સાથે ખમાસમણું દઈ એ જ આદેશ માગે, ગુરુ “ખામહ કહે એટલે શિષ્ય “ઈર” બોલે. પ્રથમ ખમાસમણ સૂત્ર ઈચ્છામિ ખમાસમણે ! પિ અ ચ મે જ ભે, હણે તુણુ, અપાય કાણુ, અભષ્મ જોગાણું, સુસીલાણ, સુવયાણ, સાયરિય ઉવક્ઝાયાણુ, નાણેણ, દંસણેણં, ચરિત્તણું, તવસ અપ્પાણું ભાવે માણાણું, બહુ સુભેણ ભે દિવસે પિસહે સંવરિએ વઈ; અને ય ભે કિલ્લાણેણે પજુવહિએ, સિરસા મણસા મત્યુએણુ વંદામિ. પાઠ પૂરો થાય એટલે ગુરુ કે વડિલ જે હોય તો તે “તુભે હિં સમ' (અથવા તુમ્ભહ સમ્મ) વાક્ય ઉચ્ચારે. બીજુ ખામણું ઇચ્છામિ ખમાસમણે ! પુલ્વિ ચેઇઆઇ વદિત્તા, નમસિરા, તુમ્ભણીં પાયમૂલે વિહરમાણેણં, જે કઇ બહુ દેવસિયા સાહુણે દિ સમાણા વા વસમાણવા ગામાણુગામ દૂછજજમાણ વા, રાઇણિયા સપુચ્છતિ, એમ Page #215 -------------------------------------------------------------------------- ________________ પરાજી) SIDDES • વિધિ સહિત રાઈણિયા વંતિ, અજય ચંતિ, અજિજયાએ. વંતિ,. સાવિયા વંતિ, સાવિયાએ વદતિ, અહ પિ નિસ્સો નિસાએ ત્તિ કફ, સિરસા મણસા મત્થણ વામિ. ૨ પાઠ પૂરો થયે ગુરુ “અહમવિ વંદામિ ચેઈઆઈ બેલે ત્રીજું ખામણું ઈચ્છામિ ખમાસમણે! ઉહિં , (અભુદિઓહ) તુઅભણહ, સંતિ, અહાક૫ વા, વત્થ વા, પડિગણું વા, કંબલ વા, પાયપુછણ વા, (શ્યહરણ વા) અકબરે વા, પય વા ગાહે વા સિલેગ વા (સિલેગિદ્ધ વિા) અવા, હેઉવા, પસિણ વા, વાગરણ વા, તુજોહિં ચિઅણુ સમ્મ દિન્ન, મએ અવિણએણ પડિછિઍ, તસ્સ મિચ્છામિ દુક્કડ, પાઠ પૂરો થયે ગુરુ “આયરિશ્ય સતિઅંબાલે. ચોથું ખામણું ઈચ્છામિ ખમાસમણે! અહમપુલ્વાઈ, ક્યાં ચ મે. કિઈ કમ્માઇ, આયામતરે, વિણયમંતર, સેહિઓ, સેહાવિ, સંગહિએ, ઉવગ્રહીઓ, સારિ વારિઓ, ચેઇએ. પડિચેઈએ, ચિઅત્તા મે પડિયાણા, (અબલ્યુદિઓહ) ઉવહિ , તુમ્ભણહે તવતેય સિરિએ, ઈમાઓ ચાઉત સંસારકંતારાઓ, સાહદુ નિરિસામિ ત્તિ , . સિરસા મણસ મથએણુ વંદામ, પાઠ પૂરો થયે ગુરુ-વડીલ “નિત્યાગ પારેગા હે” બેલે. એટલે શિષ્યો ઇચ્છામે અણુસદ્ધિ બેલે. પછી ગુરુ “સંવરિએ સમ્મત્ત, દેવસિએ ભણિજ્જા બેલે.શિષ્ય “તહરી' કહે, Page #216 -------------------------------------------------------------------------- ________________