SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ •સંવચ્છરી પ્રતિક્રમણ લgp mpલ ૨૧ –મુહપતી સામાન્ય રીતે એક વેંત અને ચાર આંગળાની રાખવાની છે. અથવા મુખ આડે રાખી શકાય તેવી ઉચિત માપની રાખવી, મુહપતી સુતરાઉ કાપડની હોવી જોઈએ. મુહપતી મેલી, ગંદી ન હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ. આથી ચેરસ કે લંબચોરસ ચાલી શકે છે. –ચરલે એ સાધુ મહારાજના આઘાની જ નાની આવૃત્તિ છે. આનું બીજું નામ રજોહરણ છે. આચરવલે ઉનની દશીને હોવો જોઈએ ચરવલે સામાન્ય રીતે ૩૨ અંગુલને હોવો જોઈએ. એમાં ૮ આંગળ દશીને ગુર છે અને ૨૪ અંગુલની દાંડી એ રીતે ૩૨ અંગુલ સમજવા. આને ઉપયોગ શા માટે અને કેમ કરે ? (૧) ગુરુદેવની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યજીને જ ગુરુ તુલ્ય કલ્પી ક્રિયાના આદેશ કે જે જે આજ્ઞાઓ લેવાની છે તે તેની પાસેથી જ લેવામાં આવે છે. સ્થાપનાની ચોપડી ફાટેલી, બગડેલી ન હોવી જોઈએ. ગુરુદેવની હાજરીમાં ક્યિા કરવાની હોય તો શ્રાવકેને આ સ્થાપના કરવાની હોતી નથી. બાજોઠ, સાપડે એ સ્વરછ અને અખંડ હોવા જોઈએ. બહુમાનપૂર્વક એને ઉપગ કરવો. (૨) સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે માટે કામળ ઉનનું કટાસણું રાખવું જરૂરી છે. પોતે ધર્મારાધન માટે વ્રતમાં બેઠો છે એ ખ્યાલ મન ઉપર ટકી રહે અને શારિરીક આદિ સ્વરછતા જળવાય એ માટે કટાસણું જરૂરી છે. (૩) મુહપત્તી ઉડતા સૂક્ષ્મ સૂત્ર બોલતા હોય ત્યારે કે બગાસું ખાતા હોય ત્યારે મુખમાં ચાલ્યા ન જાય અને સૂક્ષ્મ જીવોની રક્ષા થાય એ માટે, તેમજ રજ–ધૂળની પ્રમાજના કરી શકાય એ માટે રાખવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy