SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મારી - * * * ( * * - ના * છે ૩૮ - * : * * * વિધિ સહિત * કન્ટ ક' , , , , - તારવણું કરે છે, તેમ આપણું આ આત્માની દિવાળીના દિવસે આમ સાધનાના નફા-તોટા તારવવાના છે. બાર બાર મહિના દરમિયાન અઢાર પાપાનકે કેવા અને કેટલા પ્રમાણમાં સેવ્યાં અને ન સેવ્યાં તો કેટલા પ્રમાણમાં નથી સેવ્યાં છે વિવિધ પ્રકારના જીવોની હિંસાઓ કેટલી કરી અને બચાવ્યા કેટલાને દેવદર્શન, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, દાન' પુણ્ય, પરોપકાર, ક્ષમા, નમ્રતા, નિર્દભવૃત્તિ અને સંતોષ વગેરેને, તથા વિધ્ય કષાયોને કેટલા પ્રમાણમાં સેવ્યા? અથવા તો કેટલા ન સેવ્યા ? એનું સરવૈયું કાઢવાનો આ દિવસ છે. નફે કર્યો છે, નુકશાન થયું છે કે ખાતુ સરભર કર્યું છે? તેનું આત્મ નિરીક્ષણ કરીને પછી આત્મ પરીક્ષણ કરવાનું છે, પાસ નાપાસને નિર્ણય કરવાનું છે. નફો થયો હોય તો આનંદ અને અનુમોદનાની વાત, નુકશાન થયું હોય તો તે ખેદ અને ચિંતાની વાત બનવી જોઈએ. ખાતું સરભર થયું હોય તો એમ કેમ બન્યું ? તે શોધીને આધ્યાત્મિક આચરણ તરફ વિશેષ પુરુષાર્થ કરવા કટિબદ્ધ બનવાને નિર્ણય સહુએ લે જોઈએ. તમે સંસારનો મેહ છોડીને ત્રણ ત્રણ કલાક સુધી પાપ–દોષોથી હળવા થવા તમે અહીં આવ્યા છે, જે ઉદ્દેશથી અહીં આવ્યા છે તે ઉદ્દેશ તમારે સફળ કરીને જ જે ઘરે જવું હોય અને ત્રણ ત્રણ કલાકની મહેનતને લેખે લગાડવી હોય તો અહીંયાં જે જે સૂત્ર મુનિરાજ બેલે, તેના ઉપર બરાબર ધ્યાન રાખો, દૂરના કારણે ન સંભળાય તો બે હાથ જોડી શાંતિ જાળવે અને તમારું મન બહારનાં વિષમાં દોડાદોડ કરતું હોય તેને પકડીને ધર્મક્રિયામાં સ્થિર બને તે પ્રમાણે અપ્રમત્ત ભાવે જાગૃત રાખતા રહે. આજની ક્રિયા પાપથી પાછા હઠવાની અથવા તો પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની મહાન ક્રિયા છે. આત્મા પોતાની સ્વભાવદશાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy