Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 21
________________ પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઈ ગયા છે. ષદર્શનનું પરમ પરમાર્થ. રહસ્ય સંવેદનારા આ સુપ્રસિદ્ધ “ષદનવેત્તા” હરિભદ્રસૂરિએ, સર્વ મત-દર્શનને આગ્રહ છોડાવનારી અને “ષટુ દરિશન જિન અંગ ભણજે' એવી સર્વ દર્શનને સમન્વય કરનારી ગમાર્ગની નવીન દિશા અત્ર દાખવી છે. પોતાના “સાગરવરગંભીરા ” વિશાળ પટમાં સર્વનો સુગમતાથી સમાવેશ કરતી પરમ ગંભીર ઉદાર આશયવાળી “દિવ્ય દષ્ટિ” અર્પણ કરી, આ તત્વદ્રા ગાચાર્યે સર્વમાન્ય વિશાળ ગભૂમિકા પર સર્વદર્શનવાદીઓને સપ્રેમ આમંત્રણ કરી સમાનધમી–સાધર્મિક બંધુત્વભાવે એકત્ર કર્યા છે અને ધર્મને નામે કદાહથી ચાલતા મિથ્યા ઝઘડાઓનો આત્યંતિક નિષેધ કરી, વિશ્વબંધુત્વની અનન્ય ભાવના પ્રભાવનારા ગિધર્મન-સનાતન આત્મધર્મને સદધ કર્યો છે. સુજ્ઞ વાંચકને એ જોઈને સાનંદાશ્ચર્ય થશે કે સર્વદર્શન સમભાવની-રાગદ્વેષ રહિત સહિષ્ણુતાની ઉદાત્ત ભાવના આજથી બાર વર્ષ પૂર્વે આ દિવ્ય દ્રા યોગીશ્વરે તાવિક ભૂમિકા પર કેવી વિકસિત કરી છે! અને એ જ આ ગ્રંથરત્નની અનેકવિધ વિશિષ્ટતાએ મથેની મુખ્ય વિશિષ્ટતા છે. ઈ. સ. ૧૯૪૩ના વર્ષની કેઈ સુભગ પળે આ આ ઉત્તમ ગ્રંથ અવગાહવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું, અને તેને સ્વાધ્યાય કરતાં, આ સતુશાસ્ત્ર પર વિશદ વિવેચન કરવાની મને સ્વયંભૂ રણું થઈ. એટલે આ સશાસ્ત્રને આશય પરિરકુટ કરી તેનું ગુણગોરવ-બહુમાન વધારે એવું બૃહત ટીકારૂપ સવિસ્તર વિવેચન કરવાની આ મહારી અંતર પ્રેરણાને મૂર્ત આકાર આપવા આ ઉપક્રમ-જના મેં નિયત કરીઃ (૧) મૂળ કને કાવ્યાનુવાદ-ગુજરાતી દેહરામાં. (૨) લેકને શબ્દશ: અર્થ. (૩) શ્રી હરિભદ્રસૂરિજીની પણ વૃત્તિનો અક્ષરશ અનુવાદ કુટનોટમાં. (૪)લેક અને વૃત્તિના આશયને પરિક્રુટ અને પરિપુષ્ટ કરતું સળંગ સવિસ્તર વિવેચન (“સુમનોનંદની ” બૃહટીકા નામક.). (૫) પ્રત્યેક અધિકાર પ્રાંતે તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કલશકાની નવ રચનાઆમ પંચાંગી એજના નિયત કરી ઉક્ત ઉપક્રમ પ્રમાણે આ સતપ્રવૃત્તિમાં હું પૂર્ણ ઉત્સાહથી પ્રવૃત્ત થયે, અને યથાવકાશ કવચિત તીવ્ર-કવચિત મંદ વેગે અખંડ પ્રયાણ કરતાં આ વિવેચનાદિ કાર્યની પૂર્ણાહુતિ મેં ૧૯૪૫ ના અંતભાગમાં કરી. તેના ફલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વિવેકી તત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં મૂકતાં મને આનંદ થાય છે. આત્માથે કરવામાં આવેલા આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદેષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની પુરુષોના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના હારે આ પ્રયત્ન “પ્રાંસુલભ્ય’ ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યા હોત! આ ગ્રંથના હાથલખાણની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં તે હારા પરમાર્થ – સ્નેહી તત્વરસિક શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા (નેપ્યુન ઈસ્યુરન્સવાળા ) જિજ્ઞાસાવૃત્તિથી આ હાથલખાણ લઈ જતા, અને અપૂર્વ રસથી તે અવગાહી જતા એથી * શાતે નિર્વાઇતરડમસમોન તરણતઃક્ષાવતાં તો વિવાઃ ૩uતે ય, દાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 866