Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 145
________________ ૧૨૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨પ પ્રધાનપણું છે, કે જે ક્ષયોપશમભાવમાં વીતરાગના ગુણોમાં ચિત્ત ઉપયુક્ત હોય છે, અને તે ઉપયોગકાળમાં કોઈ સંજ્ઞાનો પ્રવેશ નથી અને કોઈ ફલની અભિસંધિ નથી. આશય એ છે કે અપ્રમત્તમુનિ પણ બે પ્રકારના છે : એક વીતરાગ થઈ ચૂકેલા અગિયારમા અને બારમા ગુણસ્થાનકમાં રહેલા, અને બીજા અપ્રમત્ત તિઓ ૭મા આદિ ગુણસ્થાનકમાં છે. ૭મા આદિ ગુણસ્થાનકમાં રાગાદિનો સર્વથા ઉચ્છેદ નથીતેથી તે સર્વ યતિઓ સરાગ યતિ છે, તોપણ તેઓ અપ્રમત્તદશામાં વર્તે છે ત્યારે, તેઓનો ઉપયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં લેશ પણ પ્રતિબંધવાળો નથી. તેથી સરાગદશામાં હોવા છતાં તેનો ઉપયોગ રાગાદિના સ્પર્શ વગરનો વર્તે છે. તે રીતે યોગની પહેલી દૃષ્ટિવાળા જીવો પણ યોગી પાસેથી વીતરાગનું સ્વરૂપ સાંભળીને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવવાળા થયેલા હોય અને વીતરાગને નમસ્કારાદિ ક્રિયા કરતા હોય, તે વખતે પોતાના બોધને અનુસાર વીતરાગના ગુણોમાં ઉપયોગ વર્તતો હોય, તે ઉપયોગ સહવર્તી કોઈ સંજ્ઞા પ્રવર્તતી ન હોય, કે કોઈ ફલની અભિસંધિ ન હોય, ત્યારે તેમનું ચિત્ત વીતરાગભાવમાં જ ઉપયુક્ત છે અર્થાત્ રાગાદિ ન સ્પર્શે તે રીતે વીતરાગના ગુણોમાં ઉપયુક્ત છે. તેથી જેમ સરાગ એવા અપ્રમત્તયતિ વીતરાગભાવના ઉપયોગવાળા છે, તેમ પહેલી દૃષ્ટિવાળા પણ આ રીતે વીતરાગભાવના ઉપયોગવાળા છે. ફક્ત આદ્ય ભૂમિકાવાળું, રાગાદિના સ્પર્શ વગરનું વીતરાગભાવ તરફ જતું પહેલી દૃષ્ટિવાળા યોગીનું ચિત્ત છે, અને ઉપરની ભૂમિકાવાળું વીતરાગભાવ તરફ જતું સરાગ એવા અપ્રમત્તયતિનું ચિત્ત અપ્રમત્તદશાકાળમાં છે. પહેલી યોગદૃષ્ટિવાળાને યોગબીજ કાળમાં વીતરાગભાવકલ્પ ચિત્ત છે, તે બતાવવા માટે સાક્ષીપાઠ આપે છે. તેનો ભાવ આ પ્રમાણે છે : યોગબીજચિત્ત :૧. ભવસમુદ્રમાં ડૂબેલા એવા જીવને ઈષત્ ઉન્મજ્જનના યત્નરૂપ યોગબીજચિત્ત છે. આશય એ છે કે આ જીવ અત્યાર સુધી સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલો હતો, અને સંસારસમુદ્રમાંથી લેશ પણ બહાર નીકળે તેવું તેનું ચિત્ત ન હતું, પરંતુ જીવને યોગની પહેલી દૃષ્ટિ આવે છે ત્યારે વીતરાગને કંઈક વીતરાગરૂપે ઓળખે છે, તે અવસ્થા તેને સારભૂત લાગે છે, અને તેને કારણે વીતરાગની ભક્તિમાં ઉપયોગવાળો હોય છે ત્યારે સંજ્ઞાના વિધ્વંભણથી અન્વિત અને ફલઅભિસંધિથી રહિત એવું તેનું ચિત્ત વીતરાગભાવમાં પ્રવર્તે છે. તે ચિત્ત યોગના બીજને ગ્રહણ કરનારું છે, અને આ ચિત્ત સંસારસમુદ્રમાંથી કંઈક બહાર નીકળવાના યત્ન સ્વરૂપ છે. ૨. વળી આ યોગબીજચિત્ત જીવની અનાદિકાળથી વધતી ભવપરંપરાને ચલાવનાર જે શક્તિ છે, તેને અતિશય શિથિલ કરનાર છે. આશય એ છે કે અનાદિકાળથી જીવનો જ્ઞાનનો ઉપયોગ અને વીર્યનું પ્રવર્તન સંસારના પ્રવાહને જિવાડે તે રીતે વર્તતાં હતાં. હવે જિનમાં કુશલચિત્ત થાય છે ત્યારે, સંસારના પ્રવાહને ચલાવે તેવી જ્ઞાનશક્તિ અને

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218