________________ કોના ચાર? * જન સંવત જેણન 2 રામાણાર ઉપાધ્યાયજીના 169 સુરત (ગુજ.) 2 स्याद्वादरहस्यलघुवृत्ति 1701 અતરેલી (') 3 नयचक्र 1710 પાટણ (') 4 श्रद्धानजल्पपट्टक 1738 1 તમારા ત્યવિજયજીના 1665 દ શાશ્વતપ્રતિમામાન સ્તોત્ર , 1668 7 न्यायरत्नप्रकरण 1701 વિદ્યાપુર (ગુરુ) આ પ્રમાણે અહિં પ્રતિઓની વિસ્તૃત માહિતી પૂરી થાય છે. શાસનદીપક ઉપાધ્યાયજી એક ત્યાગી જૈન સાધુ હતા. જૈન સાધુ એટલે જ્ઞાનોપાસના જેટલું જ ક્રિયાકાષ્ઠની સાધનાને મહત્વ આપનાર. એથી જેમને પ્રભાતકાળથી લઈને રાતના શયન-સમય સુધી નિશ્ચિત સમયે અનેક પ્રકારની દૈનિક-રાત્રિક ક્રિયાઓ માટે સમય ફરજિયાત આપવાનું હોય, વળી સામાજિક કે સાધિક જવાબદારીઓ અદા કરવાની હોય અને એ સાથે સાથે સંખ્યાબંધ ગ્રન્થનું વાંચન કરવાનું હોય. અને તે ય માત્ર સામાન્ય કોટિના જ નહિ, પણ ઉચ્ચ-ઉચ્ચતર–ઉચ્ચતમ કોટિના પણ હોય કે જેમાં આગમિક, તાર્કિક, અને દાર્શનિક પ્રકારોને ગણાવી શકાય; એટલે કે જે વિષયો, 0 પ્રજ્ઞા અને પ્રતિભાને થકાવી દે. સાદા કહેવાતા શબ્દોમાં કહીએ તે ભેજાનું પૂરેપૂરું દહીં કરી નાંખે તેવા. પુનઃ અતિ શુષ્ક ગણાતા તક, ન્યાય અને દર્શન-આમિકવાદોનાં વાચન બાદ તે તે શાસ્ત્રસિદ્ધાંતનું ચિંતન મનન અને પછી મંથન કરવાનું હોય, પછી જૈન દર્શનના સનાતન સિદ્ધતિ સાથે બુદ્ધિતુલાથી સંતુલન કરવાનું હોય, જ્યાં જ્યાં સંતુલનને મેળ ન લાગે ત્યાં ત્યાં પાછું તક, દલીલથી સચોટ નિરસન કરવાનું હોય, આટલું જ કરી બેસી રહીને તેઓશ્રીને માત્ર સ્વ આનંદને જ લૂંટવાને ન હતો, પણ પિતાના આનંદમાં અન્યને પણ સહભાગી બનાવવાને ઉદાત્ત ભાવ પણ બેઠા હતા. એટલે સત્યનું જે નવનીત તારવ્યું, તેને પિતાની વિશિષ્ટકટિની બૌદ્ધિક પ્રતિભા અને સાર્વજનિક પ્રક્રિયાથી સુત્રા અને સુપાચ્ય બનાવીને, પુન: ગ્રન્થ સ્વરૂપે સર્જન કરીને, સ્વયં લખીને પીરસવાનું હતું અને તે ય ભાષાની સંપૂર્ણ શુદ્ધતા જાળવીને. ત્યારે તે મનમાં એક જ તરંગ વારંવાર ઉલ્યા કરે કે આવી રિસ્થિતિ વચ્ચે તેઓશ્રીએ શી રીતે સમય કાઢયો હશે ? આપણે તે અને બીજો કોઈ જવાબ ન આપી શકીએ ! જવાબ એક જ હોઈ શકે કે મુખ્યત્વે તેઓશ્રીનો અસાધારણ કટિને કામમાં જ આમાં કારણ હતું. એમાં પણ જ્યારે પૂ. શ્રી મદ્ભવાદિજીના નયા ગ્રન્થ ઉપરથી નકલ કરવાને તેઓશ્રીને અદમ્ય ઉત્સાહ અને અવિરત પ્રયત્ન જોઈએ છીએ, ત્યારે તે તેઓશ્રીની સર્વોત્તમ કોટિની મૃતભક્તિ આગળ સહસા મસ્તક ઝૂકી પડે છે અને વૈખરી ધન્ય ધન્ય બેલી ઉઠે છે. નયચકગ્રન્થ એટલે દાર્શનિકવાદને સાગર. ભારતીય દાર્શનિક વાડમય અને જૈન સાહિત્ય-સંસ્કૃતિના મુગટમણિ જેવા 18 હજાર શ્લેકમાન જેવડા, આ મહાકાય શાસ્ત્રગ્રંથની નકલ, સાત જૈન મુનિઓએ એક સાથે બેસીને “વસેળ પૂરિતો ઘરથઃ” આ પંક્તિના સ્વત ઉલેખથી પંદર દિવસમાં જ પૂરી કરી અને એ આદર્શની સંપૂર્ણ નકલ 308 પાનામાં પૂર્ણ થવા પામી. એમાં ઉપાધ્યાયાજી ભગવંતના