________________
નું ચારિત્ર્યની પ્રતિભા
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન વેતામ્બર મૂર્તિ પૂજક . સમાજના એક પ્રખર આચાર્ય હતા. આજથી ૬૦-૬૫ વર્ષ પહેલાં તેમણે તેમના જ્ઞાનઅભ્યાસ, અને ચારિત્ર્યથી જે પ્રતિભા ઊભી કરી હતી, તે પ્રતિભા આજ સુધી બીજા કેઈ આચાર્ય મહારાજ ઊભી કરી શકયા નથી એમ કહીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. આ
તેઓ તેમના સમુદાયના સાધુ મહારાજને ભણાવી તૈયાર કરવામાં ઘણું જ ઉત્સુક છે રહેતા. સાથે સાથે સાધુ મહારાજનું ચારિત્ર્ય ઊંચા પ્રકારનું રહે તે સારૂ સતત જાગૃત રહેતા.
તેમની જ્ઞાનપિપાસા અને મરણ શક્તિ અજોડ હતાં. તેમના નિષ્કલંક ચારિત્ર્ય છે અને અદભુત વકતૃત્વની શિષ્યવૃંદ તથા શ્રોતાજને ઉપર જાદુઈ અસર પડતી.
સંવત ૧૯૮૩ના જળપ્રલય સમયે તેમણે લોકો માટે શરૂ કરાવેલાં રાહત કેન્દ્રો છે તેમજ તેમના ઉપદેશથી બંધાયેલી પાંજરાપોળો. તેમનું જીવન જીવમાત્ર તરફ અનુકંપાથી આ સભર હતું તેનો દાર્શનિક પુરાવો છે.
તીર્થોના વિવાદાસ્પદ પ્રશ્નો ઉકેલવામાં તેઓશ્રી હંમેશાં સહાયભૂત રહેતા. મંદિરના ગર જીર્ણોદ્ધારના કાર્યમાં તેઓની પ્રેરણા તથા માર્ગદર્શન મળતાં. આવા એક પ્રખર વિદ્વાન આચાર્ય મહારાજની જન્મજયંતિ વખતે મારી તેમને હજારો વંદના.
કસ્તૂરભાઈ લાલભાઈ
(અડદજી કલ્યાણક પટીના પ્રમુખ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org