Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 41
________________ જગતમાં કેણ છેતરાતું નથી હોતું? (66). અરે, તેને છેતરવાનું વિચારતા હતા ત્યાં તો ઊલટા આપણે જ છેતરાયા. - દુઃખી થયેલા તે યોગીઓ આમ વિચારતાં વન વન ભટક્યા, ને ગામેગામ ભિક્ષા માગવા લાગ્યા. આવી રીતે તેઓએ આ લોકમાં પરહત્યાનો વિચાર કર્યો તેનું ફળ મેળવ્યું. ખરે, કર્મની ગતિ વિષમ છે. કહ્યું છે કે, कृतकर्मक्षयो नास्ति / कल्पकोटिशतैरपि // अवश्यमेव भोक्तव्यं / कृतं कर्म शुभाशुभं // 67|| ' અર્થાતુ-અસંખ્ય ક૫ વીતે છતાં કરેલાં કમને નાશ થતો નથી. જે શુભ કે અશુભ કામ કરેલું હોય તે અવશ્ય જોગવવું પડે છે. (7) આમ તે યોગીઓને લાંબા વખતનું પિતાનું વડલાનું નિવાસસ્થાન કર્મસંગે છોડવું પડ્યું. આ બાજુ રૂપસેન કુમાર પુણ્યને ઉદય થવાથી કનકપુરની સીમમાં એક સુકાઈ ગયેલી વાડીમાં આવી પહોંચ્યા.. ત્યાં એક ચંપાના વૃક્ષની નીચે બેસી તે વિચારવા લાગ્યઃ આ પાદુકાની પરીક્ષા થઈ, હવે દંડની પરીક્ષા કરવી, જોઈએ. એમ કહીને તેણે ચંપાના એક ઝાડને દંડથી: ત્રણ વાર માર્યું તે તરત જ તે નવપલ્લવિત થઈ ગયું. આથી આનંદિત થઈને તેણે તે દંડથી દરેક સૂકા વૃક્ષને ત્રણ વાર ઠબકારી આખી વાડી સજીવન કરી. : તે રસ્તેથી જતા લોકો તે શુષ્ક વાડીને થોડા જ વખતમાં પ્રફુલ્લિત થયેલી જોઈને વિસ્મય પામ્યા, અને P.P. Ac. Gunratchals Lliud Saradhak Trust

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120