Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પ્રકરણ ૨ જુ સાધુસંમેલન ભરવાનાં તાત્કાલિક કારણે
દરેક સમાજમાં મુખ્યત્વે બે પ્રકારની મનોવૃત્તિ દૃષ્ટિગોચર થાય છે. એક પ્રકારની મનોવૃત્તિને પ્રાચીન તેટલું જ હિતકર જણાય છે ને તેથી કોઈ પણ ભોગે તેનું સંરક્ષણ કરવા આગ્રહ સેવે છે, જ્યારે બીજા પ્રકારની મનોવૃત્તિને દેશકાળ અનુસાર વર્તવું હિતકાર જણાય છે. અને તેથી હંમેશાં પરિસ્થિતિનું અવલોકન કરી જ્યાં જ્યાં નવીન તો દાખલ કરવાનું યોગ્ય લાગે ત્યાં તે દાખલ કરવા હિતાવહ સમજે છે. આ બે વૃત્તિઓનું સંધર્ષણ ઓછાવત્તા પ્રમાણમાં સદાકાળ ચાલતું આવે છે; છતાં કઈ કઈ વાર તે સંઘર્ષણ ખૂબજ જોરમાં ચાલે છે અને ત્યાર પછી મોટા પરિવર્તનને જન્મ થાય છે.
જૈન સમાજમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આ જાતનાં સંધર્ષણે ચાલ્યાં ક્યાં છે. એક બાજુ કેળવાયેલા વર્ગે જૈન સમાજને લગતા દરેક જાતના પ્રશ્નોની વિચારણું કરવા અર્થે જૈન વે. કેન્ફરન્સની સ્થાપના કરી અને કેળવણી તથા સાહિત્યપ્રચારને ખૂબ વેગ આપવા માંડ્યું ત્યારે બીજી બાજુ જુનાં વિચારના સાધુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org