Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ હવાને કારણે ધીમે ધીમે પ્રબળ શિષ્યમેહ જાગે છે. અને તેના અંગે કેટલાક અનિષ્ટ તત્વેનો આશ્રય લેવાનું શરુ થાય છે. અગ્રણીઓ પરિસ્થિતિ પર વિચાર કરે છે પણ સાધુઓની સંખ્યા વધતી જતી જોઈ તેઓ માની લે છે કે આથી જૈન ધર્મને લાભ જ થશે. પરિણામે તેઓ એ વસ્તુને ગુપ્ત ઉત્તેજન આપે છે યા તેની ઉપેક્ષા કરે છે. સામાન્ય લોકસમૂહના મનમાં સાધુ સંસ્થા વિષે જે આદર બંધાયો હેય છે તે મેળો પડે છે. કેટલાક વિચક્ષણ પુરુષે એ જોઈ શકે છે ને વડોદરા મુકામે પિતાના સમુદાયના સાધુઓને એકઠા કરી કેટલાક નિયમો રચે છે ! પણ અંતરની શુદ્ધિને અભાવ હેય ત્યાં જડ નિયમો શું કરી શકે ?
બીજી બાજુ પશ્ચિમની હવા જોરથી ચાલી આવે છે. જગતનાં નવા બળાનાં આંચકા ભારતની સમસ્ત પ્રજાને લાગે છે અને જેનો પણ તેમાંના જ એક હેઈને તેમાંથી બચી શકતા નથી. એટલે દરેક બાબતને વિચાર તે નવીન દષ્ટિએ કરવા લાગે છે. તેમનાં પ્રબળ પ્રચારસાધનોને વિસ્તરતા જુએ છે, તેમનું સુંદર સંગઠન જુએ છે અને પિતાના ધર્મગુરુઓની સાથે તુલના કરે છે. એ તુલનામાંથી અસતિષ જન્મે છે પણ દઈ કાળનાં શ્રદ્ધાના સંસ્કારે તેમને વિનય અને વિવેકની મર્યાદાથી બહાર જ્વા દેતાં નથી. એટલે સાધુ સંસ્થાને વિઝસિઓ શરૂ થાય છે. પરિસ્થિતિ સુધારવા માટેની આજીજી થાય છે ને વિવિધ ઉપાયો કામે લગાડવામાં આવે છે. પણ ધર્મના નામે ગમે તેમ કરી શકાય છે તેવા વિક્ત સિદ્ધાંત પર જીવનનાવ ચાલી રહ્યું હોય અને તેને શાસનસેવા ગણવામાં આવતી હોય ત્યાં એવી વિનતિઓ અને આજીજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org