Book Title: Raj Hriday Part 12
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 362
________________ ૩૪૫ પત્રાંક-૬૨૧ ચિત્ત રહ્યા કરે છે;” બીજાના પરિચયમાં અને સમાગમમાં જ આવવું નહિને. એનાથી દૂર જ રહેવું. સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમ જપત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. એને પત્ર લખવાની પણ ઇચ્છા થતી નથી. એને એમ થાય કે પત્ર આવે એને જવાબ દેવો એવું કાંઈ નહિ. આપણે અંદરથી આપણું કામ કરવામાં સમય વ્યતીત કરો. આમાં શું છે કે એક ડોક્ટર હોય અને બહારમાં રોગ ફાટી નીકળ્યો હોય. દવા લેવા માટે ટોળાં બહાર બેઠા હોય. ડૉક્ટરની શું દશા થાય? માંદો પડે. શું થાય? કેમકે એને સતત એક પછી એક, એક પછી એક. કોઈ ખૂટતા જ નથી. એમ એ જોવે છે કે જગતની અંદર આત્માના રોગી કેટલા?આખું જગત રોગી છે. તો મારે કેટલાને સમજાવવા છે? કે તારે તો હજી અહીં બાકી છે એ પૂરું કરવાનું છે. હું સમજ્યો. સમજીને તારે તારું આગળ પૂરું કરવાનું બાકી છે કે તારે હજી લોકોને સમજાવવાનું બાકી છે ? કરવું છે પહેલાં? એ વિષયનો ઉદય હોય તોપણ જ્ઞાની મર્યાદા રાખે છે, એને Break મારતા જાય છે અને પ્રવૃત્તિ અને પરિણામમાં એને સંકોચ થતો જાય છે. એ એની અંદરની બહુ નિર્ણય કરેલી પરિસ્થિતિ હોય છે. એ વિષયમાં પણ એમણે નિર્ણય કરી નાખ્યો હોય છે. એટલે કહે છે કે બહુવિચારથી. એમ. બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. તમે પણ મારો વિચાર કરજો. થોડોક મારો વિચાર કરજો. અને મારા ઉપર થોડો કૃપાભાવ રાખજો, એમ કહે છે. ક્યાંક ક્યાંક લખે છેને? કૃપા રાખજો. પ્રશ્ન-સમાધાનાદિલખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. એ પણ વિકલ્પ બહુ ઓછો આવે છે એટલે એ ઉદય પણ ઓછો છે એમ અમે સમજીએ છીએ. ઉદીરણ કરીને પ્રવૃત્તિ કરવાની ઇચ્છા નથી એટલે એ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે; વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી એટલે એમાં વિશેષ જાગૃતિ રાખ્યાથી. વેપાર-ધંધો વિશેષ લક્ષથી કરવો એમ નહિ પણ વ્યાપારાદિઉદયમાં વેચવામાં એટલે અનુભવ કરવામાં વિશેષ લક્ષ રાખવાથી. એટલે અંતરનું લક્ષ વિશેષ લક્ષ રાખવાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે. બીજી પ્રવૃત્તિ જે બહારની શુભ પ્રવૃત્તિ છે તે સહેજે ઘટી શકે છે. એમ વિચારથી

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450