________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાયો ભટકાવે સંસારમાં
પ
પચીસ વર્ષનાં એ ફૂટડો જવાન, સુખભોગની વાસનાના પાર્પ શૂળી પર મરાયો... મરીને પહેલી નરકમાં ગયો.... કહ્યું, આવા લોભને એક ક્ષણ પણ જીવનમાં સ્થાન આપી શકાય? આવા કરપીણ લોભને જીવનમાં સ્થાન આપીને સુખ મેળવી શકાય?
અજ્ઞાની જીવ સુખ મેળવવા માટે લોભનો આશરો લે છે! જીવવા માટે ઝેર પીએ છે! પ્રાણ બચાવવા સિંહની ગુફામાં ઘૂસે છે! શીતળતા મેળવવા અગ્નિની જ્વાળામાં કૂદે છે! કોણ સમજાવે એને? વિનાશકારીને એ હિતકારી માને છે! દગાખોરને વિશ્વાસપાત્ર માને છે! કોણ બચાવે અને?
લોભ સર્વ પાપોનો બાપ છે! લોભી ક્યું પાપ ન આચરે? એ કોઈ પણ પાપ આચરવા તૈયાર! એને પાપ દેખાતું નથી, એને તો ઇન્દ્રિયોનાં વિષયસુખ જ દેખાય છે... પરંતુ એ સુખ ભોગવ્યાં, ન ભોગવ્યાં, દુ:ખોના ભયંકર દાવાનળમાં ઝીંકાઈ જાય છે... દુર્ગતિઓનાં ભીષણ દુઃખો એને પીંખી નાંખે છે, એને ચૂંથી નાંખે છે.
ધ્યાન રાખો, સુખ મેળવવા લોભ પાસે ન જાઓ; દૂરથી ભલે તમને ત્યાં સુખ દેખાય, પરંતુ તે માત્ર તમારો ભ્રમ છે.... સુખના પડદા પાછળ તમે કલ્પી ન શકો તેવાં ભયંકર દુઃખ છુપાયેલાં ઊભાં છે!
કાર્યો ભટકાવે સંસારમાં
एवं क्रोधो मानो माया लोभश्च दुःखहेतुत्वात् । सत्त्वानां भवसंसारदुर्गमार्गप्रणेतारः ।। ३० ।।
અર્થ : આ રીતે ક્રોધ, માન, માયા અને લોભ, જીવો માટે દુઃખના હેતુ હોવાથી, નરકાદિ-સંસારના ભયંકર માર્ગનું પ્રવર્તન કરનારા છે.
વિવેચન : ભીષણ સંસારનો ભીષણ માર્ગ!
નરકગતિ અને તિર્યંચગતિ સંસારની ભયાનક ગતિઓ છે. ન૨ફ ગતિ આપણા માટે પરોક્ષ છે, તિર્યંચગતિ પ્રત્યક્ષ છે. પશુ-પક્ષી અને કીડાઓનાં જીવન આપણી સામે જ છે.... શું એ જીવોનાં જીવનમાં તમને ભયાનક દુઃખો નથી દેખાતાં? કતલખાનાંઓમાં ક્રૂરતાથી કતલ કરાતાં એ પશુઓની હૃદય કંપાવનારી ચીસો નથી સાંભળી? શિકારીની આગ ઓકતી બંદૂકની ગોળીથી વીંધાઈ ગયેલા.... જમીન પર તરફડતા કોઈક પંખીની અપાર વેદના નથી જોઈ? કોઈ નદીના.... સરોવરના કે ખાબોચિયાના કિનારે બેસી માછલીઓ
For Private And Personal Use Only