________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૮.
પ્રશમરતિ સાચી પણ વાત જ બીજાને અપ્રિય લાગે એમ હોય તો તે સત્યવચન ન કહેવાય. જેમ ચોરને કહે : “તું ચોર છે.” વ્યભિચારીને કહે : “તું વ્યભિચારી છે.' તો આ વચન સત્ય-વચન ન કહેવાય.
સાચી પણ વાત જો પરિણામે અહિતકારી હોય તો તે સત્ય ન કહેવાય. જેમ માર્ગે જતા માણસને શિકારી પાછળથી આવીને પૂછે : “તમે આ રસ્તે હરણને જતું જોયું છે” માણસે જોયું હોય અને સાચું બોલી દે કે, “હા, આ રસ્તે હરણ ગયું છે.' તો આ વચન સત્યવચન ન કહેવાય. કેમકે આવું સત્ય બોલવાથી પેલા હરણની હિંસા થઈ જાય. જીવઘાતમાં નિમિત્ત બને એવું સાચું પણ વચન સાચું નથી, અસત્ય છે.
બીજા મહાવ્રતને ધારણ કરનારા મુનિ આ વિવેકપૂર્વક પ્રિય, પથ્ય અને તથ્ય વચનો બોલે. મન-વચન-કાયાથી તે મૃાવાદ બોલે નહીં, બોલાવે નહીં કે અનુમોદે નહીં.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રમણ મૃષા ન બોલે.”ક્રોધથી, લોભથી, ભયથી શ્રમણ મૃષા ન બોલે, ન બોલાવે, બોલતાની અનુમોદના ન કરે.
અદત્તાદાન વિરમણ મહાવત :
અદત્ત=માલિકે નહીં આપેલું. આદાન ગ્રહણ કરવું. માલિકે નહીં આપેલું ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેવાય. તેનાથી અટકવું, તે ત્રીજું મહાવ્રત છે. અદત્તના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. સ્વામી-અદત્ત ૨, જીવ-અદત્ત ૩. તીર્થંકર-અદત્ત ૪. ગુરુ-અંદર સ્વામી-અદત્ત : જે વસ્તુનો જે માલિક હોય એણે ન આપ્યું હોય.
* જીવ-અદત્ત : માલિકે પોતાના માણસને આપ્યો હોય, પરંતુ માણસની પોતાની ઇચ્છા ન १७७. से कोहा या लोहा वा भया वा हासा वा नेव सयं मुसं वएज्जा. नेवन्नेहिं मुसं
વાયાવિઝા મુરાં વચેર્લ મન્ન ન રમપુનrif... - પીરસૂત્રે १७८ . जावादत्तं-यत्स्यामिना दत्तमपि जीवेनादत्तं, यथा प्रव्रज्यापरिणामरहितो मातापितृभ्यां
पुत्रादिर्गुरुभ्यो दीयते सचित्तपृथ्वीकायादि । - प्रवचनसारोद्धारे
For Private And Personal Use Only