Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 567
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯.પાંચ મહાલતોની પચીસ ભાવના મહાવ્રતોના પાલનમાં આત્મભાવ સુદઢ થાય તે માટે મહાવ્રતધારી શ્રમણ અને શ્રમણીએ દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ ભાવવી જોઈએ, ભાવનાઓના અભ્યાસ વિના મહાવ્રતો મલિન થઈ જાય. મહાવ્રતોના પાલનમાં શિથિલતા આવી જાય. ‘પ્રવચનસદ્ધર' ગ્રન્થના આધારે એ પચીસ ભાવનાઓ અહીં બતાવવામાં આવે છે. પહેલા મહાવ્રતની ભાવનાઓ : ૧. હું ઉપયોગપૂર્વક ગમનાગમન કરીશ, ઉપયોગ વિના ગમનાગમન કરવાથી જીવહિંસા થાય. ૨. ઉપયોગપૂર્વક અવલોકન કરીને ભિક્ષા ગ્રહણ કરીશ. ઉપાશ્રયમાં આવીને પ્રકાશમાં ઊભા રહીને ભિક્ષા જઈશ અને પછી વાપરીશ. જોયા વિના ભિક્ષા વાપરવાથી જીવહિંસા થવાની સંભાવના રહે છે. ૩. આગમોત પદ્ધતિ મુજબ હું મારાં ઉપકરણો લઈશ અને મૂકીશ. ૪. હું મારા મનનું સમાધાન કરતો રહીશ અને મનને વિશુદ્ધ રાખીશ. કાયિક સંયમ હોવા છતાં દુષ્ટ મન પાપકર્મ બંધાવે છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિને કાયિક્ર સંયમ હતું છતાં માનસિક હિંસાની વિરતિ ન રહેવાથી, સાતમી નરકે જવાનાં કર્મ ઉપાર્જ લીધાં હતાં; માટે હું માનસિક રીતે પણ હિંસાનો વિચાર નહીં કરું. ૫. હું મારી વાણીને સાવઘવચનમાં નહીં પ્રવર્તાવું. હમેશાં નિરવઘવચન જ બોલીશ. સાવઘવચન ક્યારેક હિંસાનું નિમિત્ત બની જાય. બીજા મહાવ્રતની ભાવનાઓ : ૧. હું હસવાનું બંધ કરીશ. હસવામાં ક્યારેક અસત્ય બોલાઈ જાય છે. હસવામાં અસત્ય ન બોલાઈ જાય, તે માટે જાગ્રત રહીશ. ૨. હું વિચારીને બોલીશ. જ્ઞાનપૂર્વક વિચાર્યા વિના બોલવાથી કદાચ અસત્ય પણ બોલાઈ જાય; તેથી વેર બંધાય. બીજા જીવોના પ્રાણ જાય...માટે હું વિચારીને બોલીશ. ૧૯૯, શ્લોક : ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610