Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 593
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ર પ્રશમરતિ આ રીતે કેવળજ્ઞાનને “સાદિ-અનન્ત' કહેવામાં આવ્યું છે. આત્માની સત્તામાં રહેલા કેવળજ્ઞાનને જીવની જેમ “અનાદિ-અનન્ત' પણ કહી શકાય. કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક કેવી રીતે? કેવળજ્ઞાન દ્રવ્ય નથી. અદ્રવ્ય છે. આનો અર્થ ‘કેવળજ્ઞાન નથી' એમ ન કરવાનો, પરન્તુ કેવળજ્ઞાન દ્રવ્યાશ્રિત ગુણ છે,’ એવા કરવાનો છે. કેવળજ્ઞાન આત્મગુણરૂપ છે, માટે તે આત્મસ્થ જ હોય છે. પ્રશ્ન : ધર્માસ્તિકાયાદિની સહાયથી આત્મા લોકાન્ત સુધી તો જઈ શકે છે તેથી આત્મા લોકવ્યાપી તો માની શકાય અને કેવળજ્ઞાનને લોકપ્રકાશક પણ માની શકાય. પરંતુ આત્મા અલોકમાં તો જતો નથી, તો આત્મામાં રહેલું કેવળજ્ઞાન “અલોક-પ્રકાશક' ન બની શકે. માટે આત્માને સર્વવ્યાપી-વિભુ માનવો જોઈએ તો જ આત્મસ્થ કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક બની શકે. ઉત્તર : ના, ચૈતન્યની ઉપલબ્ધિ શરીરમાં જ થાય છે અને તેથી આત્માની અવગાહના શરીરપ્રમાણ જ છે. શરીરપ્રમાણ અવગાહનાવાળો આત્મા છે, તે આત્મામાં રહેલું કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક છે. કેવળજ્ઞાનની ગતિ-આગતિ નથી હોતી. આત્માથી ભિન્ન કેવળજ્ઞાન ન હોઈ શકે. લોકમાં કે લોકાન્ત રહેલા આત્માનું કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક બની શકે છે. + આત્મા સર્વવ્યાપી નથી દ્રિવ્ય-અપેક્ષાએ પરંતુ એનો ગુણ કેવળજ્ઞાન સર્વવ્યાપી છે. * એક અપેક્ષાએ જ્ઞાન અને જ્ઞાની અભિન્ન છે, આ અપેક્ષાએ આત્માને પણ સર્વવ્યાપી કહી શકાય. * જ્ઞાન એ આત્માનો પર્યાય છે. એ પર્યાયની અપેક્ષાએ આત્માને સર્વવ્યાપી કહી શકાય, કેવળજ્ઞાનીની દેશના : કેવળજ્ઞાન પ્રગટ થયા પછી, જો તે આત્મા તીર્થંકર હોય અથવા તીર્થંકર ન પણ હોય, તો તે સકલ જીવસૃષ્ટિના અનુગ્રહ માટે દેશના આપે છે, જેમ સૂર્ય પ્રકાશ આપે છે તેમ. તે દેશનાનો ધ્વનિ દ્રવ્યતરૂપ હોય છે અને દ્રવ્યશ્રત ભાવશ્રુત વિના ન હોઈ શકે! તો શું કેવળજ્ઞાનીને શ્રુતજ્ઞાન હોઈ શકે? કેવળજ્ઞાન પ્રકટ થયા પછી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નથી હોતાં' આ સિદ્ધાન્તને આંખ સામે રાખીને, ઉપરની શંકા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610