Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 605
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૪ પ્રશમરતિ દેવો મનથી શુભ પુગલોનું ચિંતન કરે ત્યારે સમગ્ર શરીરથી તે પુદ્ગલો આહારરૂપે પરિણમે છે. આ શુભ પુદ્ગલો હોય છે. નારકો અશુભ પગલોનું ચિંતન કરે ત્યારે સમગ્ર શરીરથી અશુભ યુગલો આહારરૂપે પરિણમે છે. દારિક શરીરી એવા બેઇન્દ્રિયાદિ તિર્યંચોને તથા મનુષ્યોને પ્રક્ષેપાહાર હોય. ૨૨૯ કેટલાક આચાર્યોનો મત જુદો છે : તેઓ કહે છે : જિલ્વેન્દ્રિયથી સ્થૂળ શરીરમાં જે આહારનો પ્રક્ષેપ થાય તે પ્રક્ષેપાહાર. ધ્રાણેન્દ્રિયથી, ચક્ષુરિન્દ્રિયથી અને શ્રવણેન્દ્રિયથી જે આહાર ગ્રહણ થાય અને ધાતુરૂપે પરિણત થાય તે ઓજાહાર. - જે આહાર સ્પર્શનેન્દ્રિયથી ગ્રહણ થાય અને ધાતુરૂપે પરિણત થાય તે લૌમાહાર. આહારક-અનાહારક : “विग्गहगइमावन्ना केवलिणो समोहया अयोगीया। सिद्धा य अणाहार सेसा आहारगा जीवा ।।' વક્રગતિમાં રહેલા જીવો, કેવળજ્ઞાની સિમુદ્ધાતમાં, અયોગી શૈિલેશીઅવસ્થામાં અને સિદ્ધો અનાહારક હોય છે. આ સિવાયના જીવો આહારક હોય છે. [વિગ્રહ ગતિમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, સમુદ્દઘાતમાં કેવળી ત્રણ સમય, શૈલેશી અવસ્થામાં અન્તર્મુહૂર્ત અને સિદ્ધ સાદિ-અનંતકાળ અનાહારક હોય છે.! એક જીવમાં ત્રણેય આહારની ઘટના : ઉત્પત્તિમાં પ્રથમ સમયે જ જે આહાર ગ્રહણ કરે તે ઓજાહાર હોય. શરીરરચના, ઇન્દ્રિય રચના...વગેરે કરીને ગર્ભમાં રહે ત્યાં સુધી લોમાકાર હોય. જ જન્મ થયા પછી મુખમાં આહારનો પ્રક્ષેપ કરે તે કવલાહાર-પ્રક્ષેપાહાર. २२९. सूत्रकृतांगसूत्र - श्रुतस्कंध-२, २. अध्ययन-३ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610