Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 576
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરણસપ્તતિ પપપ એ ત્રણ પ્રકારની વસતિ (સ્થાન) માં વાસ કરે, બીજે નહીં. ૧. સર્વસાધારણ ધર્મશાળામાં. ૨. ભીંતો વિનાના અને છાપરા વિનાના ખંડિયેરમાં ૩, વૃક્ષની નીચે આ મકાનમાં આગ લાગી હોય તો પણ તેઓ સ્વેચ્છાથી બહાર ન નીકળે. કોઈ પકડીને બહાર કાઢે તો નીકળી જાય. પગમાં કાંટો વગેરે વાગ્યું હોય તો કાઢે નહીં. આંખમાં તૃણ, રેતી વગેરે પડયું હોય તો ન કાઢે, હાથ-પગ વગેરે ધૂએ નહીં. એકાકી વિહાર કરે, (૧) જ્યારે એક મહિનાની આ પ્રતિમા' પૂર્ણ થાય ત્યારે તે મહાત્મા પોતાના આચાર્યની પાસે જાય, ગચ્છમાં જાય. આચાર્ય, રાજા વગેરેને પ્રેરણા કરીને, તપશ્ચર્યાના બહુમાન માટે એ મહાત્માનું ભવ્ય સ્વાગત કરાવે. (૨ થી ૭) બીજી ‘પ્રતિમામાં ભિક્ષાની બે દત્તિ અને પાણીની બે દત્તિ હોય છે. એિક ધારાએ ભિક્ષાપાત્રમાં આવે, તે એક “દત્તિ' કહેવાય. ત્રીજી “પ્રતિમામાં ત્રણ-ત્રણ દત્તિ, ચોથીમાં ચાર-ચાર...સાતમીમાં સાત-સાત દત્તિ ગ્રહણ કરે. બાકી બધા જ નિયમો પહેલી પ્રતિમાની જેમ જ હોય. (૮) એક દિવસ ઉપવાસ, એક દિવસ આયંબિલ...આ રીતે મહિના સુધી કરે. આયંબિલમાં “દત્તિનો નિયમ ન હોય. ગામની બહાર રાત્રી પસાર કરે. કાં ચત્તા સૂવાનું, કાં પડખે સૂવાનું, કાં સુખાસને બેસવાનું. એ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકિત ઘોર ઉપસર્ગો સહન કરે. છે તન-મનથી અવિચલ રહે. બાકી બધા નિયમાં પહેલી પ્રતિમાની જેમ પાળે. (૯) તપશ્ચર્યા આઠમી પ્રતિમાની જેમ ગામ બહાર રહે. ઉત્કટુક આસને બેસે અથવા માથું અને પાંસળીઓ જ જમીનને સ્પર્શે એ રીતે સુવે અથવા માત્ર પીઠ જ જમીનને સ્પર્શે એ રીતે સૂવે અથવા પગ લાંબા કરીને સૂવે. (૧૦) તપશ્ચર્યા ૮-૯ પ્રતિમાની જેમ. ગામની બહાર રહે. “ગોદોહિકા' આસને બેસે. અથવા “વીરાસન થી બેસે અથવા આમ્રવૃક્ષની જેમ વક્ર-આકારે બેસે. (૧૧) આ પ્રતિમા ત્રણ દિવસની હોય છે. પહેલા દિવસે એકાસન કરે પછી બે દિવસ છઠ્ઠનો તપ કરે. પાણી પણ ન લે. ગામની બહાર કાયોત્સર્ગમાં જ રહે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610