Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 575
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૫૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરત પ્રતિમા : ‘પ્રતિમા’ એટલે પ્રતિજ્ઞા અથવા નિયમ, સાધુજીવનમાં વિશિષ્ટ કોટિના નિયમો સ્વીકારીને, અપ્રમત્ત જીવન જીવવાનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રાચીન સમયમાં શ્રેષ્ઠ કોટિના સાધુપુરુષો આ બાર પ્રકારની ‘પ્રતિમા’નો ક્રમશઃ અભ્યાસ કરતા હતા. વર્તમાનકાળે આ 'પ્રતિમા' ધારણ કરનારા મુનિઓ જોવામાં આવતા નથી. (૧) પહેલી ‘પ્રતિમા’ નો સમય એક મહિનાનો હોય છે. રોજ એક સમય જ ભિક્ષા ગ્રહણ કરે. એક જ વાર, એક જ ધારાએ પાત્રમાં દાતા નાંખે તેટલું ગ્રહણ કરે. એવી રીતે પાણી પણ એક જ ધારાએ પાત્રમાં દાતા નાંખે તેટલું ગ્રહણ કરે. આ રીતે ભિક્ષા અને પાણી ગ્રહણ કરે, તે પણ નીચેના પાંચ પ્રકારના અભિગ્રહમાંથી ગમે તે બે અભિગ્રહ ધારણ કરીને! ૨. ૧. અતિ કંજૂસ માણસ પણ જે ભિક્ષા પસંદ ન કરે, તેવી ભિક્ષા મળશે તો લઈશ. જે ઘરમાં એક જ માલિક હોય, તેવા ધ૨માંથી ભિક્ષા ગ્રહણ કરીશ. ૩-૪. અગર્ભિણી અને બાળક વિનાની સ્ત્રી અથવા બાળકને સ્તનપાન ન કરાવતી હોય, તેવી સ્ત્રી ભિક્ષા આપશે તો જ ગ્રહણ કરીશ. ૫. એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હોય અને ભિક્ષા આપે, તો ગ્રહણ કરીશ. * આ ‘પ્રતિમા’ ધારણ કરનારા મહાત્માઓ જલ હોય, ભૂમિ હોય કે અટવી હોય, સૂર્યાસ્ત થઈ ગયો કે તે જ સ્થાને રોકાઈ જાય. એક પગલું પણ આગળ વધે નહીં, સૂર્યોદય સુધી ત્યાં જ રહે. * ગામમાં કે નગરમાં લોકો જાણી જાય કે ‘આ મહાત્મા પ્રતિમાધારી છે.’ તો એ ગામમાં એક રાતથી વધુ ન રોકાય. અજ્ઞાત ગામમાં બે રાત્રિ રહી શકે. * જે માર્ગે જતા હોય, તે માર્ગ ઉપર સામેથી કે પાછળથી હિંસક પશુ આવે, તો પણ આ મુનિ પોતાનો માર્ગ ન છોડે. પશુ હિંસક ન હોય તો માર્ગ છોડી શકે. For Private And Personal Use Only * તડકામાંથી છાંયડામાં ન જાય. છાંયડામાંથી તડકે ન જાય. * એક મહિના સુધી અખંડિતપણે ગામેગામ વિચરતા રહે. * મોટા ભાગે મૌન રહે. ઉપાશ્રય, ઘાસ, આદિની અનુજ્ઞા લેવા પૂરતું જ બોલે. (શય્યાતરની અનુજ્ઞા લેવી પડે.)


Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610