Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાસપ્તતિ
પપ૭ ૨. પોરિસી સમયની પ્રતિલેખના: મુહપત્તિનું પડિલેહણ કરી, સાત ઉપકરણોનું પડિલેહણ કરવાનું. ૧. ગુચ્છા ૨. પડલાં ૩. પાત્રકેસરિકા ૪. પાત્રબંધ ૫. પાત્રક ૬. રસ્ત્રાણ, અને ૭..પાત્રસ્થાપના.
૩. સાંજની પ્રતિલેખના દિવસના ત્રણ પ્રહર વીત્યા પછી ચૌદ ઉપકરણોની પ્રતિલેખના કરવાની હોય છે. ૧. મુહપત્તિ, ૨. ચોલપટ્ટો ૩. ગુચ્છા, ૪. પાત્રપ્રતિલેખનિકા ૫, પાત્રબંધ ૬, ૫ડલાં ૭. રજસ્ત્રાણ ૮. પાત્રસ્થાપના ૯. માત્રક ૧૦, પાત્રક ૧૧, રજોહરણ ૧૨-૧૩-૧૪. ત્રણ કપડાં.
વસતિ-પ્રમાર્જન : જે મકાનમાં સાધુ રહ્યા હોય તે મકાનમાંથી શિયાળામાં અને ઉનાળામાં રોજ બે વાર કાજો લે. ચોમાસામાં ત્રણ વાર કાજો લે.
ગુપ્તિ : મન, વચન અને કાયાના અશુભ વ્યાપારોનું વર્જન અને શુભમાં પ્રવર્તન, તે ગુપ્તિ' કહેવાય, તેના ત્રણ પ્રકારો છે. ૧. માનગુપ્તિ : ૧. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય, તેવી કલ્પનાઓનો ત્યાગ. ૨. શાસ્ત્રાનુસારી, પરલોકહિતકારી એવું ધર્મધ્યાન વધે, તેવી મનની તટસ્થ વૃત્તિ.
૩. શુભ અને અશુભ મનની વૃત્તિને રોકવાપૂર્વક “યોગનિરોધ 'ના સમયે અનુભવાતી આત્મરમણતા.
૨. વચનગુપ્તિ ઃ ૧. મુખ-નેત્ર અને ભ્રકુટીના વિકાર કરવા, આંગળીઓ હલાવવી, ખાંસી ખાવી, “હું...હું..' એવો અવાજ કરવો, પથ્થર ફેંકવા વગેરે અર્થસૂચક ચેષ્ટાઓથી ત્યાગપૂર્વક મૌન રહેવું જોઈએ.
૨. “મુહપત્તિથી જયણા રાખી, વાચના આપતાં, સૂત્રાર્થમાં પોતાનો કે બીજાનો સંદેહ નિવારતાં, લોક-અવિરુદ્ધ અને આગમ-અવિરુદ્ધ ઉપદેશ આપતાં.
૩. કાયગુપ્તિ : ૧. આગમાનુસારી પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિઓનો ત્યાગ. ઉપસર્ગ અને પરીષહ વખતે “કાયોત્સર્ગ, માંથી વિચલિત ન થાય. “યોગનિરોધના સમયે સર્વથા કાયવ્યાપારનો ત્યાગ.
૨. સંદેહ પડતાં જયણાપૂર્વક અને વિનયપૂર્વક ગુરુને પૂછવા જવું. ઉપયોગપૂર્વક ભૂમિ અને સંથારાની પ્રતિલેખના કરવી, આગમને અનુસરીને ક્રિયાઓ કરવી. આ બધામાં ઇચ્છાનુસાર ક્રિયાનો ત્યાગ હોવાથી અને આગમાનુસારિતા હોવાથી “ગુપ્તિ” કહેવાય.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610