________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
કરણસપ્તતિ
ભાવના : ૧. અનિત્ય ભાવના : પ્રિયજનોનો સંયોગ, ઋદ્ધિ, વિષયસુખો, સંપત્તિ આરોગ્ય, યૌવન, શરીર અને જીવન અનિત્ય છે.
૨. અશરણ ભાવના : જન્મ, જરા અને મૃત્યુથી ત્રસ્ત, વ્યાધિ અને વેદનાઓથી ભરપૂર આ સંસારમાં જિનવચન સિવાય કોઈ શરણ નથી.
૩. એકત્વ ભાવના : જીવ એકલો જન્મે છે અને એકલો મરે છે. એકલો જ વેદનાઓ સહે છે, તો આત્મહિત પણ એકલાએ સાધી લેવું.
૪. અન્યત્વ ભાવનાઃ “હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું.” આવી નિશ્ચિત ધારણાવાળાને શાક થતો નથી.
૫. અશુચિ ભાવના : શરીરની અપવિત્રતાનો વિચાર કરવો. શરીરમાં બધું જ બીભત્સ અને ગંદું ભરેલું છે.
૬. સંસાર ભાવના : માતા મરીને પુત્રી, બહેન અને પત્ની બને છે. પુત્ર મરીને પિતા અને પિતા મરીને શત્રુ બને! સંસારના સંબંધોની વિચિત્રતાનો વિચાર કરવો.
૭. આશ્રવ ભાવના : મિથ્યાત્વ, અવિરતિ, કપાય, યોગ અને પ્રમાદ-આ આશ્રવ-દારો છે. તેમાંથી આત્મામાં કર્મો વહી આવે છે. એ આશ્રવ-હારોને બંધ કરવાનો પ્રયત્ન કરવો.
૮. સંવર ભાવના : શુભ આશ્રવ પણ ન જોઈએ અને અશુભ આશ્રવ પણ ન જોઈએ. સમ્યગદર્શનાદિ દ્વારા આથવાનાં કાર બંધ કરવા તે સંવર કહેવાય.
૯. નિર્જરા ભાવના : બાહ્ય-અત્યંતર તપથી આત્મામાં રહેલાં કર્મોનો નાશ કરવો.
૧૦. લોકસ્વરૂપ ભાવના ચૌદ રાજલોકનું ચિંતન કરવું. ઊર્ધ્વલોકઅધોલોક અને મધ્યલોકનું ચિંતન કરવું.
૧૧. ધર્મસ્વાખ્યાત ભાવના ધર્મનો પ્રકાશ આપનારા અરિહંત પરમાત્માનું ચિંતન, ધર્મના પ્રભાવ અને ધર્મસ્વરૂપનું ચિંતન.
૧૨. બોધિદુર્લભ ભાવના : બોધિ એટલે સમ્યગુદર્શન. સમ્યગદર્શનની દુર્લભતાનું ચિંતન. સમ્યગદર્શન વિના મોક્ષ નહીં.
આ બાર ભાવનાઓ રોજ ભાવવાની હોય છે. એથી આત્મભાવ વિશુદ્ધ બને છે, વૈરાગ્ય પુષ્ટ થાય છે, વિવેક જાગ્રત રહે છે.
For Private And Personal Use Only