________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરણસપ્તતિ
પપપ એ ત્રણ પ્રકારની વસતિ (સ્થાન) માં વાસ કરે, બીજે નહીં. ૧. સર્વસાધારણ ધર્મશાળામાં. ૨. ભીંતો વિનાના અને છાપરા વિનાના ખંડિયેરમાં ૩, વૃક્ષની નીચે
આ મકાનમાં આગ લાગી હોય તો પણ તેઓ સ્વેચ્છાથી બહાર ન નીકળે. કોઈ પકડીને બહાર કાઢે તો નીકળી જાય. પગમાં કાંટો વગેરે વાગ્યું હોય તો કાઢે નહીં. આંખમાં તૃણ, રેતી વગેરે પડયું હોય તો ન કાઢે, હાથ-પગ વગેરે ધૂએ નહીં.
એકાકી વિહાર કરે, (૧) જ્યારે એક મહિનાની આ પ્રતિમા' પૂર્ણ થાય ત્યારે તે મહાત્મા પોતાના આચાર્યની પાસે જાય, ગચ્છમાં જાય. આચાર્ય, રાજા વગેરેને પ્રેરણા કરીને, તપશ્ચર્યાના બહુમાન માટે એ મહાત્માનું ભવ્ય સ્વાગત કરાવે.
(૨ થી ૭) બીજી ‘પ્રતિમામાં ભિક્ષાની બે દત્તિ અને પાણીની બે દત્તિ હોય છે. એિક ધારાએ ભિક્ષાપાત્રમાં આવે, તે એક “દત્તિ' કહેવાય. ત્રીજી “પ્રતિમામાં ત્રણ-ત્રણ દત્તિ, ચોથીમાં ચાર-ચાર...સાતમીમાં સાત-સાત દત્તિ ગ્રહણ કરે. બાકી બધા જ નિયમો પહેલી પ્રતિમાની જેમ જ હોય.
(૮) એક દિવસ ઉપવાસ, એક દિવસ આયંબિલ...આ રીતે મહિના સુધી કરે. આયંબિલમાં “દત્તિનો નિયમ ન હોય.
ગામની બહાર રાત્રી પસાર કરે. કાં ચત્તા સૂવાનું, કાં પડખે સૂવાનું, કાં સુખાસને બેસવાનું.
એ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકિત ઘોર ઉપસર્ગો સહન કરે. છે તન-મનથી અવિચલ રહે. બાકી બધા નિયમાં પહેલી પ્રતિમાની જેમ પાળે. (૯) તપશ્ચર્યા આઠમી પ્રતિમાની જેમ ગામ બહાર રહે. ઉત્કટુક આસને બેસે અથવા માથું અને પાંસળીઓ જ જમીનને સ્પર્શે એ રીતે સુવે અથવા માત્ર પીઠ જ જમીનને સ્પર્શે એ રીતે સૂવે અથવા પગ લાંબા કરીને સૂવે.
(૧૦) તપશ્ચર્યા ૮-૯ પ્રતિમાની જેમ. ગામની બહાર રહે. “ગોદોહિકા' આસને બેસે. અથવા “વીરાસન થી બેસે અથવા આમ્રવૃક્ષની જેમ વક્ર-આકારે બેસે.
(૧૧) આ પ્રતિમા ત્રણ દિવસની હોય છે. પહેલા દિવસે એકાસન કરે પછી બે દિવસ છઠ્ઠનો તપ કરે. પાણી પણ ન લે. ગામની બહાર કાયોત્સર્ગમાં જ રહે.
For Private And Personal Use Only