SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપક પ્રશમરતિ (૧૨) ચોવિહાર અઠમ કરે, ગામની બહાર નદીના કિનારે રહે. આંખના પલકારા પણ ન થાય, નિર્નિમેષ દૃષ્ટિ રાખે. કાયોત્સર્ગમાં ઊભા રહે, એક વસ્તુ ઉપર જ દૃષ્ટિ સ્થિર રાખે. ચાર દિવસની આ પ્રતિમા હોય છે. પહેલા દિવસે એકાસણું કરે. આ બાર પ્રતિમાઓ વહન કરનાર મહાત્માઓને લબ્ધિઓ પ્રગટે છે, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન થાય છે. જો ભૂલો કરે, વિરાધના કરે તો ગાંડી થઈ જાય, રોગી બની જાય કે શ્રદ્ધાભ્રષ્ટ થઈ જાય. ઇન્દ્રિયનિરોધ : ઇષ્ટ-અનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષનો અભાવ. ઇન્દ્રિય વિષય ૧. સ્પર્શેન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિયોની પોતપોતાના ૨. રસનેન્દ્રિય રસ વિષયમાં આસક્તિનો ત્યાગ ૩. ધ્રાણેન્દ્રિય ગન્ધ કરવો, તેનું નામ ઇન્દ્રિયનિરોધ, વિષયાસક્તિથી તો જીવાત્મા ૪. ચક્ષુરિન્દ્રિય વ ક્લેશ જ અનુભવે છે અને ૫. શ્રોત્રન્દ્રિય શબ્દ વિનાશ પામે છે. પ્રતિલેખના વિધિપૂર્વક ચોલપટ્ટાદિ ઉપકરણોનું નિરીક્ષણ કરવું. આ પ્રતિલેખના [પડિલેહણા ત્રણ સમયે કરવાની હોય છે. ૧. પ્રભાતમાં ૨, પોરિસી-સમયે અને ૩. સાંજે, ૧. પ્રાભાતિક પ્રતિલેખના : સવારે દસ ઉપકરણોની પ્રતિલેખના કરવાની હોય છે. ૧. મુહપત્તિ ૨, રજોહરણ ૩-૪. નિશથિયાં ૫. ચોલપટ્ટો ૬-૭-૮. ત્રણ કપડાં (એક ઊનનું અને બે સુતરાઉ) ૯. સંથારો, અને ૧૦. ઉત્તરપટ્ટ. નિશીથ-ચૂર્ણ’ અને ‘કલ્પચૂર્ણા'ના મતે અગિયારમું ઉપકરણ દાંડો છે. પ્રતિલેખનાના ક્રમ : રાપર્વ પ્રથમ મુહપત્તિ, પછી રજોહરણ બહારનું નિશૈથિયું, અંદરનું નિશથિયું, ચલપટ્ટો (સાદનીના માટે સાડો) તે પછી ત્રણ કપડાં ઉત્તરપટ્ટો, સંથારો અને દાંડો. સર્વપ્રથમ આચાર્યાદિ વડીલોનાં ઉપકરણની પ્રતિબંખના કરવી જોઈએ. તે પછી અનશન સ્વીકારેલા સાધુની, તે પછી ગ્લાનની, નૂતન દીક્ષિતની અને પછી પોતાની. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy