Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ .
પ્રશમરતિ બીજી રીતે સત્તર પ્રકારનું સંયમ :
૯ જીવસંયમ : પૃથ્વીકાયાદિ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયો) ૯ પ્રકારનું જીવોના મન-વચન-કાયાથી કારણ-કરાવણ અને અનુમોદન દ્વારા સંરંભ, સમારંભ અને આરંભનો ત્યાગ.
૧. અજીવસંયમ : પ્રમાદાદિ દોષયુક્ત અને આયુષ્ય, બુદ્ધિ, શ્રદ્ધા, સંવેગ અને બળથી હીન એવા વર્તમાનકાલીન સાધુગણના ઉપકાર માટે પુસ્તકાદિને પ્રતિલેખના-પ્રમાર્જનાદિ દ્વારા જણાપૂર્વક રાખવાં.
૧ પ્રેક્ષ્યસંયમ : આંખોથી જોઈને બીજ-લીલી વનસ્પતિ, જીવજંતુ વગેરેથી રહિત ભૂમિ ઉપર બેસવું, ચાલવું, શયન કરવું.
૧ ઉપેક્ષા સંયમ પાસસ્થાકશીલ વગેરે નિમ્ન સ્તરના સાધુઓની દયાહીન કઠોર પાપપ્રવૃત્તિની ઉપેક્ષા કરવી. બીજા સ્થળે ઉપેક્ષા સંયમના બદલે “પ્રેક્ષાસંયમ' કહેલું છે. તેનો અર્થ સંયમમાં ઢીલા પડેલા સાધુઓને પ્રેરણા આપી સંયમમાં સ્થિર કરવા, એ થાય છે.)
૧ પ્રમાર્જના સંયમ : વસ્ત્ર-પાત્ર વગેરે લેતાં-મૂકતાં પ્રમાર્જન કરવું. ગામમાં પ્રવેશતાં, નીકળતાં પગનું પ્રમાર્જન કરવું.
૧ પારિષ્ઠાપના સંયમ : ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરેનો ત્યાગ જંતુરહિત ભૂમિમાં કરવો જોઈએ. “પારિષ્ઠાપનિકા-નિર્યુક્તિ” માં બતાવેલી વિધિ મુજબ પરઠવું જોઈએ. ગીતાર્થ સાધુ આ વિધિ કરે.]
૧ મનઃસંયમ : દ્રોહ, ઈર્ષા, અભિમાનાદિકથી નિવૃત્તિ અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ.
૧ વચનસંયમ : હિંસક અને પુરુષ (કઠોર) ભાષાથી નિવૃત્તિ, શુભ ભાષામાં પ્રવૃત્તિ કરે.
૧ કાયસંયમ : જવા-આવવા વગેરે ક્રિયાઓમાં ઉપયોગ રાખે. દસ પ્રકારનું વૈયાવૃત્ય : સેવાઓ ૧. આચાર્યની સેવા. ૨. ઉપાધ્યાયની સેવા. ૩. તપસ્વીની સેવા. ૪. નૂતન દીક્ષિત મુનિની સેવા. પ. બીમાર, રોગીની સેવા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610