Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 551
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૦. પ્રશમરતિ આ નય પોતાના મંતવ્યને પુષ્ટ કરતાં કહે છે : 'यद्यथाऽवभासते तत्तथाऽभ्युपगन्तव्यम् यथा नीलं नीलतया' જે જેવું દેખાય તેને તેવું માનવું જોઈએ-નીલને નીલ તરીકે અને પતિને પતિ તરીકે. ધમ અને ધર્મને એકાત્તતઃ ભિન્ન માને ત્યારે આ નય મિથ્યાષ્ટિ છે, અર્થાત્ “નંગમાભાસ' છે. નૈયાયિકદર્શન અને વૈશેષિક દર્શન ધર્મ-ધર્મને એકાન્ત ભિન્ન માને છે. સંદ : સામાન્ય પ્રતિપાવનપુર: સંઘનયા આ નય કહે છે : “સામાન્ય જ એક તાત્ત્વિક છે, વિશેષ નહીં.” અશેષ વિશેષનો અપલાપ કરવાપૂર્વક સામાન્ય રૂપે જ સમસ્ત વિશ્વને આ નય માને છે. એકાન્તતઃ સત્તા-અદ્વૈતને સ્વીકારી, સકલ વિશેષનું નિરસન કરનાર સંગ્રહાભાસ છે, એમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. સર્વે અદ્વૈતવાદી દર્શનો અને સાંખ્ય દર્શન સત્તા-અદ્યતને જ માને છે. व्यवहार : विशेषप्रतिपादनपरो व्यवहारनयः। -શ્રીમદ્ મનરિ સામાન્યનો નિરાસ કરવાપૂર્વક વિશેષને જ આ નય માને છે. સામાન્ય, અર્થક્રિયાના સામર્થ્યથી રહિત હોવાથી સકલ લોકવ્યવહારના માર્ગે આવી શકતું નથી. વ્યવહાર નય કહે છે : યવાર્થવિિિર તવ પરમાર્થરત- તે જ પરમાર્થ દૃષ્ટિએ સતુ છે, કે જે અર્થ-ક્રિયાકારી છે. સામાન્ય અર્થક્રિયાકારી નથી, માટે તે સત્ નથી. આ નય લોક-વ્યવહારને અનુસરે છે. જે લોક માને તે આ નય માને. જેમ લોકો ભ્રમરને કાળો કહે છે. વાસ્તવમાં ભ્રમર પાંચ વર્ણવાળો હોય છે, છતાં કૃષ્ણવ સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે તેથી લોકો ભ્રમરને કાળો કહે છે, વ્યવહારનય પણ ભ્રમરને કાળો કહે છે! સ્થૂલ-લોક-વ્યવહારનું અનુસરણ કરનાર આ નય દ્રવ્ય-પર્યાયના વિભાગને અપારમાર્થિક માને છે ત્યારે તે વ્યવહારાભાસ કહેવાય છે. ચાર્વાકદર્શન આ વ્યવહારાભાસમાંથી જન્મેલું છે. १९०. सत्ताऽद्वैतं स्पीकुपि रामक विजानिराशाः । - जैनतर्कभाप For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610