Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦.
પ્રશમરતિ કૃષ્ણલેશ્યા : પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિથી અગુપ્ત, છ કાયની હિંસાથી અવિરત, તીવ્ર આરંભમાં પરિણત, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, નૃશંસ અને અજિતેન્દ્રિય જીવ કૃષ્ણ-લેશ્યાવાળો જાણવો.
નીલલેશ્યા : ઈર્ષાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વિષયી, હેપી, રસલોલુપ, આરંભી, અવિરત, ક્ષુદ્ર અને સાહસિક જીવ નીલલેશ્યાવાળો જાણવો.
કાપોતલેશ્યા : વક્ર વચનવાળો, વિષમ આચારવાળો, કપટી, ગૂઢ, પોતાના દોષ છુપાવનારો. પરિગ્રહી, મિથ્યાષ્ટિ, : અનાર્ય, મર્મભેદી, દુષ્ટ વચન બોલનાર, ચોર, મત્સર-સ્વભાવવાળો જીવ કાપૌતલેશ્યાવાળો જાણવો.
તેજલેશ્યા નમ્ર, ચંચળતારહિત, નિષ્કપટ, કુતૂહલરહિત, વિનીત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સ્વાધ્યાયશીલ, તપસ્વી, પ્રિયધર્મા, દઢધર્મા, પાપભીરૂ, હિનૈવી જીવ તેજોવેશ્યાવાળો જાણવો.
પલેક્ષા : જેનામાં ક્રોધ, માન, માયા અને લોભ અલ્પ હોય, જેનું ચિત્ત પ્રશાન્ત હોય, જે મનને વશ રાખતાં હોય, જે યોગ અને ઉપધાનવાળો હોય, અતિ અલ્પભાપી હોય, ઉપશાન્ત હોય અને જિતેન્દ્રિય હોય તે જીવને પદ્મવેશ્યા વાળો જાણવો.
શુક્લલેશ્યા : આધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને જે ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઘરાવતો હોય, જેનું ચિત્ત શાન્ત હોય, જેને આત્મા વશમાં હોય, જે સમિતિ અને ગુપ્તિવાળો હોય, જે સરાગ કે વીતરાગ હોય, જે ઉપશાન્ત અને જિતેન્દ્રિય હોય તેને શુક્લલેશ્યાવાળો જાણવો.
લેશ્યા અને જીવો ? (૧) એક લેક્ષાવાળા જીવો :
કૃષ્ણલેશ્યાવાળા જીવો : તમઃપ્રભા નારકી, તમ તમ પ્રભા નારકી - નીલલેશ્યાવાળા જીવો : પંકપ્રભા નારકી * કાપોતલેશ્યાવાળા જીવો : રત્નપ્રભા નારકી, શર્કરામભા નારકી
આ તેજલેશ્યાવાળા જીવો : જ્યોતિષી દેવ, સૌધર્મ દેવ, ઈશાન દેવ, પ્રથમ કિબીપી-વગેરે.
પાલેશ્યાવાળા જીવો ઃ સનત્કુમાર દેવ, મહેન્દ્ર દેવ, બ્રહ્મદેવ, બીજો કિબીપી દેવ.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610