________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની રક્ષા કરો
૧૮૯ અપ્રિયની કલ્પનામાં જીવાત્મા પ્રગાઢ રાગ-દેપ કરીને જે અસંખ્ય... અનંત પાપકર્મ બાંધે છે એ પાપ કમ એ જીવાત્માને ભીષણ ભવસાગરમાં ફેંકી દે છે. કરોડા દુર્ગતિઓમાં અપાર વેદનાઓ સહન કરતા જીવાત્મા દીન-હીન અને જડવત્ બની જાય છે. - જો એ ઈષ્ટ્ર-અનિષ્ટની, પ્રિય-અપ્રિયની, કલ્પનાઓથી મુક્ત થાય, રાગઢેબની પ્રચુરતાથી મુક્ત થાય, તો પાપકર્મોનાં બંધનથી છૂટી જાય. જીવનમાં નવાં પાપકર્મ બંધાતાં અટકી જાય, ઓછાં થઈ જાય, એ નાનોસૂનો લાભ નથી, મહાત્ લાભ છે.
આ વાત માત્ર સાંભળવાની કે વાંચવાની જ નથી, આ વાત ઉપર મનુષ્ય ગંભીર ચિંતન કરવાનું છે. ગહન અનુપ્રેક્ષા કરવાની છે. ગ્રંથકાર મહર્ષિ આ વાતને ગંભીરતાથી વિચારવાની પ્રેરણા આપે છે.
૧. વિષયોની અવસ્થાઓ સ્થાયી નથી, પરિવર્તનશીલ છે. ૨. વિપયવિરાગથી પાપકર્મો બંધાતાં નથી. ૩. ‘પાપરહિતતા' મોટો લાભ છે!
આ ત્રણ વાતો ઉપર ગંભીર ચિંતન કરવું જોઈએ. જો આપણે ખરેખર આત્મશાન્તિ ચાહતા હોઈએ, જે આપણે દુઃખ-ત્રાસ અને વેદનામાંથી મુક્તિ ઇચ્છતા હોઈએ તો આપણે મનના છીછરા કુવાને ખોદીને ઊંડો કરવો પડશે! મનના કુવામાંથી અસત્ વિચારોના કીચડને બહાર ફેંકી દઈ એમાં સ્વચ્છ પાણીનો પ્રવાહ વહેતો કરવો પડશે..તો જ મન તત્ત્વચિંતન કરી શકશે. તસ્વાનુપ્રેક્ષા કરી શકશે. જીવાત્મા વિષય-રાગથી વિરામ પામે તો જ એ પાપકમાંના બંધથી બચે અને તો જ દુ:-ત્રાસ અને વેદનાઓ એનાથી અળગી રહે,
આભારી રક્ષા કરી इति गुणदोपविपर्यासदर्शनाद्विषयमूर्छितो ह्यात्मा ।
भवपरिवर्तनभीरूभिराचारमवेक्ष्य परिरक्ष्या ।।११२।। અર્થ : આ પ્રમાણે ગુણ અને દાંપમાં વિપરીત દર્શન કરવાથી આત્મા વિષયોમાં આસક્ત બનેલા છે. સંસારપરિભ્રમણાથી ડરતા જીવોએ, “આચારાંગનું અનુશીલન કરીને એની આત્માની રક્ષા કરવી જોઈએ.
For Private And Personal Use Only