________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજું-થોથું શુક્લધ્યાન : सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपगतो ध्यानः । विगतक्रियमनिवर्तित्वमुत्तरं ध्यायति परेण ।।२८१ ।। અર્થ : કાયયોગનો નિરોધ કરતાં આત્મા સુમ ક્રિયા-અપ્રતિપાતી ત્રીજું શુક્લધ્યાન બાવીને પછી વિગતક્રિયા-અનિવતી ચોથું શુક્લધ્યાન ધ્યાવે છે.
વિવેવન : કાયયોગનો નિરોધ કરતા કેવળજ્ઞાની ભગવંતને ત્રીજું શુક્લધ્યાન હોય છે. અર્થાત્ તેઓ “સૂક્ષ્મ ક્રિયા-અપ્રતિપાતી' નામના ધ્યાનમાં “કાયયોગથી મુક્ત થાય છે. પરન્તુ, કેવળજ્ઞાનીનું આ ધ્યાન કાયાની સ્થિરતારૂપ જ હોય છે, છદ્મસ્થ જીવનું ધ્યાન મનના ધૈર્યરૂપ હોય છે.
જ્યારે કાયયોગના નિરોધની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે આત્મસ્પદાત્મિકા સૂક્ષ્મ ક્રિયા હોય છે, તે ક્રિયા અનિવૃત્ત (અપ્રતિપાતી હોય છે, માટે આ ધ્યાનનું નામ સૂક્ષ્મક્રિયા-પ્રતિપાત છે.
તેરમા “સયોગી કેવળી' ગુણસ્થાનકના ચરમ સમયે નિમ્ન દર્શિત સાત પદાર્થો નાશ પામે છે; એક સાથે નાશ પામે છે :
૧. ત્રીજું શુક્લધ્યાન, ૨. સર્વકીટ્ટી ત્રિણ યોગોને ઘટાડવાની સૂક્ષ્મ પ્રક્રિયા ૩. શાતા-વેદનીય કર્મનો બંધ, ૪. નામકર્મ અને ગત્રકર્મની ઉદીરણ ૫. શુક્લ લંડ્યા ૬. સ્થિતિઘાત-રસઘાત, ૭. ત્રણ યોગ .
તે પછી આત્મા, ચોદમાં “અયોગી કેવળી' ગુણસ્થાનકે પહોંચે છે. આ ગુણસ્થાનકે સૂક્ષ્મ-બાદર કોઈ જ યોગ હોતો નથી. શેષ કમનો ક્ષય કરવા આત્મા અહીં ‘વિગતક્રિયા-અનિવર્તીિ' નામના ચોથા શુક્લધ્યાનમાં પ્રવેશે છે.
સ્થિતિઘાત વગેરે કોઈ પણ પ્રયત્ન વિના, કેવળજ્ઞાની મહાત્મા શેપ કમને ભોગવીને નાશ કરે છે. જે કર્મો સત્તામાં હોય, ઉદયમાં ન હોય, તે કર્મોન વિદ્યમાન કર્મોમાં સંકમાવીને નાશ કરે.
મુક્તિ પામવાની પૂર્વ ક્ષણોમાં કેવળજ્ઞાનીનું શરીર કેવું બને છે, તેનું નિરૂપણ કરે છે :
For Private And Personal Use Only