________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૧
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ * કોઈ પણ જીવને તેના ઇષ્ટ સ્થળમાં જતાં અટકાવવો કે બાંધી રાખવો નહીં. પરોણાથી કે ચાબૂકથી ફટકા મારવા નહીં. કાન, નાક, ચામડી વગેરે અવયવો ભેદવા કે છંદવા નહીં. પશુ ઉપર કે મનુષ્ય ઉપર, તેના ગજા બહારનો ભાર લાદવો નહીં. છે કોઈના ખાનપાનમાં અંતરાય કરવો નહીં. ગૃહસ્થ-જીવનની કોઈ ફરજથી કદાચ આનું પાલન ન થઈ શકે, તો પણ હૃદયની કોમળતા ઘવાય નહીં અને સામેના જીવનું મોત ન થઈ જાય, એટલી કાળજી તો રાખવી જોઈએ.
૨. સ્થૂલ મૃષાવાદ (અમૃત) થી વિરતિઃ મૃષાવાદ એટલે અસત્ય "પ્રમાદથી ઇરાદાપૂર્વક અસત્ કથન કરવું, તેનું નામ અસત્ય. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેનો નિષેધ કરવો અથવા જે વસ્તુ જે રૂપે હોય તે કરતાં જુદા રૂપમાં કહેવી-તેનું નામ અસત્ કથન, વાત સત્ય હોવા છતાં પરને પીડા કરે તેવી હોય, તેને પણ અસદુ કથન કહેવામાં આવ્યું છે. સ્થૂલ મૃષાવાદનો અર્થ છે – ઇરાદાપૂર્વક (દુષ્ટ) અસત્ કથન કરવું. તેના ત્યાગરૂપ આ બીજું વ્રત છે. સ્થૂલ અસત્યના ત્યાગનું વ્રત લેનાર ગૃહસ્થ નીચેની પાંચ સાવધાની રાખવી જોઈએ. સાચું-ખોટું સમજાવીને કોઈને આડે રસ્તે દોરવા નહીં.
રાગ-દ્વેષથી પ્રેરાઈને, પતિ-પત્ની, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર વગેરેને છૂટાં પાડવાં નહીં. એમની સાચી પણ ગુપ્ત વાતો પ્રગટ કરવી નહીં. ખોટા આરોપ મૂકવા નહીં.
ખોટી મહોર છાપીને, ખોટા હસ્તાક્ષર કરીને...ખોટા દસ્તાવેજ કરવા નહીં. બનાવટી નોટો છાપવી નહીં. બનાવટી સિક્કા ચલાવવા નહીં.
કોઈએ મૂક્કી થાપણને પચાવી પાડવી નહીં, થોડી પણ થાપણ ઓળવવી નહીં.
અંદરોઅંદર પ્રીતિ તૂટે તે આશયથી એક-બીજાની ચાડી ખાવી નહીં. કોઈની વાત પ્રગટ કરીને હલકા પાડવા નહીં. ૩. સ્થૂલ અદત્તાદાનથી વિરતિ : અદત્તાદાન એટલે ચોરી.
અદત્તાદાનને “સ્તેય' પણ કહેવામાં આવે છે. અણદીધું લેવું તેનું નામ ચોરી. જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય તે વસ્તુ ભલે તણખલા જેવી
૧૨. ઉમિયાનનૃતI - તા. ૭/૨ १७०. अदत्तादानं स्तेयम् । - तत्त्वार्थे ७१०
For Private And Personal Use Only