________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસ્વરૂપ-ભાવના.
૨૮૫ | સર્વપ્રથમ જ્યારે “બૃહતુસંગ્રહણી ગ્રન્થમાં આ વિરાટ વિશ્વનું શાસ્ત્રદૃષ્ટિથી દર્શન કર્યું, ત્યારે આશ્ચર્યથી અને કુતૂહલથી મારી આંખો પહોળી થઈ ગઈ હતી! અધાં લોકમાં આવેલી સાત ના૨ કી જોઈ...એ નારકીઓની.. નારકાવાસોની રચના જોઈ..ગજબ છે એ રચના! એમાં રહેલા અસંખ્ય જીવોને જોયા. તેઓને ત્યાં જે કષ્ટ સહવા પડે છે, જે દારુણ વેદનાઓ સહવી પડે છે એ જોયું. હૃદય દયાથી-કરણાથી ભીનું ભીનું થઈ ગયું.. મારું ચાલે તો એ નરકાવાસો તોડી નાંખી એ બધા જીવોને મુક્ત કર...દુઃખ-ત્રાસ અને વેદનાઓથી બચાવી લઉં...” પરંતુ મેં જાણ્યું કે તે જીવોને પોતાનાં ઘોર પાપોનું ફળ ત્યાં ભોગવવું જ પડે છે.
સાત નરકોની ઉપર વ્યંતરદેવ અને વાણવ્યંતરદેવોનાં વિશાળ નગરો આવેલાં જોયાં. અતિ રંગરાગ અને ભરપૂર સુખભોગમાં હજારો, લાખો અને ફરડો વર્ષનાં આયુષ્ય વિતાવી દેનારા એ દેવોને-દેવીઓને જોયાં અને મધ્યલોકમાં આવેલા અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્ર તરફ દષ્ટિ ગઈ. પહેલો દ્વિીપ જોયો જંબુદ્વીપ અને છેલ્લો જોયો સ્વયંભૂરમણ સમુદ્ર!
મધ્યલોકમાં તીર્થકર ભગવંતોને સદેહે વિચરતા જોયા! ચક્રવર્તીઓ અને વાસુદેવોને પણ જોયા! રોગ-શોક અને દારિદ્રવ્યથી રીબાતા જીવોને જોયા અને સુખભવાંમાં મહાલતા જીવોને પણ જોયા. મરીન નરકમાં જતા જીવો જોયા અને નિર્વાણ પામી મોક્ષમાં જતા જીવોને પણ જોયાઘણું ઘણું જોયું. અને ઉપર જતાં, સૂર્ય, ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા જોયા! સમગ્ર જ્યોતિષ દેવલોકમાં પરિભ્રમણ કર્યું. આ દેવોની દુનિયા નિરાળી છે.
ઊર્ધ્વલોકના બાર દેવલોક, નવ રૈવયક દેવલોક અને પાંચ અનુત્તર દેવલોકની દિવ્ય સુષ્ટિની તો વાત જ શી કરવી! કેટલી વાતો કરે? શ્રેષ્ઠ ભૌતિક સુખોની એ દુનિયા છે.
પરન્તુ મેં એ પણ જાણ્યું કે આ ત્રણેય લોકમાં સર્વત્ર જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે! શારીરિક અને માનસિક વ્યથા-વેદનાઓ નિશ્ચિત છે ! દેવલોકમાં જે મજા માણે છે તે નરકમાં ધોર સજા ભોગવે છે!
ગ્રંથકાર શ્રી ઉમાતિજીએ બતાવ્યું કે “આ ચૌદ રાજલોકના વિરાટ વિશ્વમાં તું સર્વત્ર જન્મ્યો છે અને મર્યો છે! એક બિંદુ જેટલી પણ જગા એવી નથી કે જ્યાં તું જમ્યો ન હોય, જ્યાં તું મર્યો ન હોય!” આ જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. નીચેની સાતમી નરકથી માંડી ઉપર સિદ્ધશિલા સુધી
For Private And Personal Use Only