________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણગારની નિઃસંગતા
૪૪૧ છે. સ્વયંભૂ લબ્ધિઓ પણ પ્રગટે! તેઓ આકાશમાર્ગે ગમન કરી શકે, તેઓ ઇચ્છે તેવાં રૂપ ધારણ કરી શકે...વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
૧૭. અને તેઓ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે પહોંચી જાય છે! અપૂર્વકરણ'ની આભ્યન્તર આધ્યાત્મિક પ્રક્રિયાથી તેઓ ઘાતકર્મોનો વિપુલ માત્રામાં ક્ષય કરતા હોય છે.
છઠ્ઠા “પ્રમત્ત સંય” ગુણસ્થાનકથી આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનકે પહોંચવાનો આ આધ્યાત્મિક માર્ગ છે. આંતરિક સાધનાનો ક્રમ છે, આન્તરસુખની અનુભૂતિ કરવાની પ્રક્રિયાઓ છે.
આઠમા ગુણસ્થાનકેથી ઉપરના ગુણસ્થાનકોએ ચઢતા મહાત્માની કેવી આત્મદશા હોય છે, તેનું વર્ણન હવે ગ્રન્થકાર મહર્ષિ કરે છે :
આણગારની નિઃસંગતા सातर्हिरसेष्वगुरूः सम्प्राप्य विभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ।।२५६ ।। અર્થ : સાતા, ઋદ્ધિ અને રસમાં પ્રેમ નહીં રાખનાર અને પ્રશમરતિના સુખમાં આસક્ત મુનિ, બીજાથી અપ્રાપ્ય એવી વિભૂતિ (લબ્ધિ મેળવીને એમાં મમત્વ નથી કરતો.
વિઘન : પ્રિય ભોજનમાં આસક્ત મનુષ્યનું મન જેમ ભોજનમાં જ રમતું રહે છે, પ્રિય વ્યક્તિના પ્રેમમાં આસક્ત મનુષ્યનું મન જેમ પ્રિયજનમાં રમતું રહે છે, પ્રિય રમતમાં આસક્ત મનુષ્યનું મન જેમ રમતમાં જ રમતું રહે છે...તેમ પ્રશમરતિના સુખમાં આસક્ત મુનિનું મન પ્રશમરસમાં જ ઝીલતું રહે છે! આત્માનન્દની અનુભૂતિમાં ડૂબેલું રહે છે.
આવા મહામુનિના જીવનમાં સુખશીલતા ન હોય, આરામપ્રિયતા ન હોય. એ તો અપ્રમત્તભાવે વર્ષોનાં વર્ષો આત્મધ્યાનમાં વિતાવતા હોય છે. શારીરિક સુખ-સુવિધાઓનો વિચાર પણ એમના મનમાં પ્રવેશતો નથી. એવી રીતે તેને વૈભવશાળી જીવનનો પણ મોહ હોતો નથી. જનસંપર્કથી સદા દૂર રહેનારા એ મહામુનિને, દુનિયાને પોતાના તરફ આકર્ષિત કરવાનો કે લોકોની આંખોમાં વસી જવાનો કોઈ ધખારો હોય જ શી રીતે? દુનિયાનાં માનસન્માનનું મૂલ્ય એમને મન ધૂળ બરાબર હોય છે, નથી હોતી એમના મનમાં દુનિયાને ખુશ કરવાની સૂક્ષ્મ પણ ઇચ્છા કે નથી હોતી એમના મનમાં દુનિયાની
For Private And Personal Use Only