________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬.
પ્રશમરતિ જુદા જુદા દેહે, જુદા જુદા નામે, જુદા જુદા રૂપે હું જન્મેલો છું અને મરેલો છું.
અનન્તકાળના ભૂતકાળમાં મેં આ વિશ્વમાં બધું જ જોયું છે! એટલું જ નહીં, આ વિશ્વના તમામ રૂપી પુદ્ગલોના જુદા જુદા રૂપે ઉપભોગ કરેલો છે! પરમાણુથી માંડી અનન્તાનન્ત પુગલસ્કંધ સુધીના રૂપી દ્રવ્યો મેં ભોગવ્યા છે! મન-વચન અને કાયા રૂપે, આહાર અને શ્વાસોચ્છવાસ રૂપે! બધું જ ભોગવ્યું છે...છતાં હું કાયમ માટે ધરાયો નથી! તૃપ્તિ મને થઈ નથી,
પૌગલિક.ભીતિક ઉત્કૃષ્ટ સુખોને ભોગવવા છતાં મને ક્યારેય તૃપ્તિ નથી થઈ, આજે પણ અતૃપ્ત જ છું, ભૂખ્યો અને તરસ્યો છું. ક્ષણિક તૃપ્તિમાં સંતોષ માનીને વારંવાર વૈષયિક સુખો ભોગવું છું...રાગ-દ્વેષ કરું છું અને પાપકર્મોને બાંધે છે. ઘણી વાર હું મારા આત્માને કહું છું :
હે આત્મનું, આ વિરાટ દુનિયામાં, અનન્તકાળથી પરિભ્રમણ કરતાં તે શું નથી ખાધું? શું નથી પીધું? શું નથી ભોગવ્યું? પાંચ ઇન્દ્રિયોનાં બધાં જ વૈષયિક સુખો તેં ભોગવ્યાં છે...છતાં તને તૃપ્તિ થઈ? નથી થઈ ને? તો પછી, હવે શા માટે મનુષ્યલોકનાં નિકૃષ્ટ, ગંદાં અને તુચ્છ સુખોમાં લલચાય છે? શા માટે આકર્ષાય છે? શા માટે એ સુખોમાં આસક્તિ રાખે છે? કરી દે ત્યાગ એ સુખોપભાંગનો! ત્યાગથી સાચી તૃપ્તિ મળશે. ભોગથી તો વાસના પ્રબળ બનતી જશે. મનથી પણ વિષયક સુખની તું કામના ન કર. અનન્તકાળમાં, અનન્ત જનોમાં દિવ્ય સુખો ભરપૂર ભોગવવા છતાં પરમ તૃપ્તિ નથી થઈ...તો પાંચ-પચાસ વર્ષના જીવનમાં તુચ્છ સુખોના ઉપભોગથી શું તને તૃપ્તિ થશે? નહીં જ થાય...માટે ભૂલ ન કર. ત્યાગ, તપ અને તિતિક્ષા દ્વારા શુદ્ધ આત્માને પામવાનો પ્રયત્ન કરે.’
મારા આત્માને આમ રોજ સમજાવું છું. એક દિવસ તો એ જરૂર સાંભળશે, સમજશે અને પરમ તૃપ્તિને પામશે!
ઘચિંતન-ભાવના धर्मोऽयं स्वाख्यतो जगद्धितार्थं जिनैर्जितारिगणे ।
येऽत्र रतास्ते संसारसागरं लीलयोत्तीर्णाः ।।१६१ ।। અર્થ : શત્રુગણ રિાગ-દ્રપ-મહાદિ ના વિજેતા જિનાએ, જગતના હિત માટે આ ધર્મનું નિર્દોષ કથન કરેલું છે. જેઓ (જીવ) આ ધર્મમાં અનુરક્ત થયા, તેઓ સંસારસાગરને અનાયાસે તરી ગયા!
For Private And Personal Use Only