________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરોગિતાનો ઉપાય
૨૩૫ ૬. એક ધર્મશાળામાં મેનેજર એટલા માટે ખુબ ગુસ્સે થયો હતો કારણ કે યાત્રિકો ઘર્મશાળાના બ્લોકોને ગંદા કરીને ચાલ્યા ગયા હતા, ખુલ્લા મૂકીને મેનેજરને કહ્યા વિના ચાલ્યા ગયા હતા, અને બ્લોકમાંથી ચોરી થઈ હતી. મેનેજરના ગુસ્સાનું કારણ સમજાઈ ગયું. અને મેનેજરને કહ્યું : “અમને રહેવા માટે તમે જે ખંડ આપશો તે જરાય ગંદો નહીં થાય. અમે જઈશું ત્યારે તમને કહીને જઈશું. ખંડમાં રહેલા તમારા સામાનને અમે સ્પર્શ પણ નહીં કરીએ....આ તો અમારા સાધુધર્મની મર્યાદા છે.' એણે અમને ખંડ ખોલી આપ્યો.
સર્વ સંયમી સાધુ-સાધ્વીના આધારભૂત જનસમાજને અપ્રિય હોય એવી દરેક પ્રવૃત્તિનો સાધુ-સાધ્વીએ ત્યાગ કરવો જ જોઈએ. જો એ ત્યાગ ન કરે તો ક્યારેક રોષે ભરાયેલા લોકો સાધુ-સાધ્વીને નુકસાન પણ પહોંચાડે. સાધુસાધ્વીની સંયમ-આરાધનામાં અંતરાય ઊભા થાય. ક્યારેક ગૃહસ્થવર્ગની અપ્રિયતા, દુર્ભાવ દૂર કરવા સાધુને અપવાદમાર્ગનું અવલંબન લેવું પડે તો લે, પરંતુ ગૃહસ્થોને અપ્રિય એવું તો કંઈ જ ન કરે.
સંપૂર્ણ જાગૃતિ સાથે સાધુ-સાધ્વીએ જીવવાનું છે. જરાય પ્રમાદ કરે ન ચાલે. એટલી સૂઝ અને સમજ સાધુ-સાધ્વીને હોવી જ જોઈએ. એવી સૂઝ અને સમજ ન હોય તો એવા સાધુ-સાધ્વીએ ગીતાર્થપ્રજ્ઞાવંત સાધુપુરુષની નિશ્રામાં રહેવું જોઈએ અને એમની આજ્ઞા મુજબ જીવવું જોઈએ.
પ્રમાદ અને મૂર્ખતા સાધુ જીવનમાં ન જ ચાલે. એક સાધુ કે એક સાધ્વીનો પ્રમાદ સમગ્ર સાધુસંઘને અસર કરે છે, માટે પ્રમાદને દૂર કરી સતત જાગ્રત રહી સાધુજીવન જીવવાનું છે,
નિરોગીતાનો ઉપાય पिण्डैपणानिस्क्तः कल्प्याकल्प्यस्य यो विधिः सूत्रे ।
ग्रहणोपभोगनियतस्य तेन नैवामयभयं स्यात् ।।१३४ ।। અર્થ : આગમમાં, ‘પિંપરા' નામના અધ્યયનમાં કચ્છ-અકલ્પ જે વિધિ બતાવી છે તે વિધિથી પરિમિત ગ્રહણ કરનાર અને પરિમિત ઉપભોગ કરનારને રોગનો ભય ન જ રહે.
વિવેચન : સાધુ શારીરિક રોગોથી પણ નિર્ભય હોય. સાધુનું શરીર પ્રાય: નિરોગી રહે, કારણ કે એ પોતાના આહારમાં નિયમિત હોય છે.
આચારાંગ' સુત્રના પિડેષણ' અધ્યયનમાં સાધના માટે આહાર ગ્રહણ
For Private And Personal Use Only