________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ એક જ શોખ એ હરણાંને-સંગીતની સુરાવલી શ્રવણ કરવાનાં. એક જ ઇન્દ્રિયની પરવશતા! પણ એ પરવશતા એના કરુણ મોતનું કારણ બને છે. શું ઇન્દ્રિયપરવશતા માત્ર હરણના માટે મોતનો હેતુ બને છે? બીજા જીવો માટે નહીં? આ એક પ્રસિદ્ધ ઉદાહરણ આપીને ગ્રન્થકાર મહર્ષિ માનવોને ગંભીર વાત કહી રહ્યા છે. “રે માનવ! એક ઇન્દ્રિયની પરવશતા જ મોતના ઘાટે ઉતારી શકે તો પછી તારું શું થશે? તું તો પાંચેય ઇન્દ્રિયોને પરવશ પડેલો છે.”
गतिविभ्रमेगिताकारहास्यलीलाकटाक्षविक्षिप्तः ।
रूपावेशितचक्षुः शलभ इव विपद्यते विवशः ।।४।। શર્થ : સવિકાર ગતિ, સ્નિગ્ધ દૃષ્ટિ, મુખ-છાતી આદિ આકાર, સવિલાસ હાસ્ય અને કટાક્ષથી વિક્ષિપ્ત (મનુષ્ય, સ્ત્રીના રૂપમાં જેણે પતાની દૃષ્ટિ સ્થાપી છે અને વિવશ બન્યો છે, તેવા એ પતંગિયાની જેમ નાશ પામે છે.
વિવેવન : પાગલ પતંગિયાને જોયું છે? વીજળીના દીવાઓના ઝગમગાટમાં કદાચ તમે પતંગિયું નહીં જોયું હોય, પરંતુ કોઈ ગ્રામ્ય પ્રદેશમાં જ્યારે જાઓ, રાત્રિના સમયે ઘીના કે તેલના દીવાઓ સળગતા હોય તે દીવાઓ પાસે બેસજો..... એ દીપક જ્યોતિની આસપાસ કોઈ એક-બે દીવાનાં પતંગિયાં આવીને ચક્કર મારવા લાગશે.
એ દીપકની જ્યોતિમાં આપણે રૂપનું દર્શન ન કર્યું હોય, પતંગિયાએ એમાં અદ્ભુત રૂપદર્શન કરેલું છે! એને દીપજ્યોતિનું રૂપ ખૂબ ગમે છે..... એ
જ્યોતિની આસપાસ ઘૂમે છે ને એ પ્યારી દીપજ્યોતિને આલિંગન આપવા ધસી જાય છે દિપજ્યોતિનું રૂપ અને આકર્ષે છે પણ જ્યાં એ દીપજ્યોતિને સ્પર્શે છે ત્યાંજ દીપજ્યોતિ એને બાળીને ભસ્મ કરી દે છે!
એ ભોળાં પતંગિયાંને ક્યાં સમજ હોય કે દીપજ્યોતિનું ૫ જેટલું આસ્લાદક છે, સ્પર્શ એટલો જ ખતરનાક છે. જેનું રૂપ સારું હોય એનો સ્પર્શ પણ સુખદાયી જ હોય એવો નિયમ નથી. અજ્ઞાની અને ભોળાં પતંગિયાંને આ નિયમનું જ્ઞાન ન હોય, એ વાત આપણે સ્વીકારીએ, પરંતુ જ્ઞાની અને ચબરાક કહેવાતો માનવી પણ આ સિદ્ધાંતને ન સમજી શકે, એ વાત કેવી રીતે માનવી?
જ્યારે પુરુષ કોઈ રૂપવતી નારીની લટકાળી ચાલ જુએ છે ત્યારે એનું મન ચિંચળ થઈ જાય છે; એ લાવણ્યમયી લલનાનાં મદઘેલાં લોચનમાં સ્નેહની સ્નિગ્ધતા અને આદરપૂર્વક આવકાર જુએ છે ને એનું ચિત્ત હલી જાય છે, એ
For Private And Personal Use Only