________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
પ્રશમરતિ યોપશમનિમિત્તક લાભ-આ રીતે લાભ અને અલાભને અનિત્ય માનીને અલાભમાં દીનતા ન કરવી અને લાભમાં ગર્વ ન કરવો.
બીજાની (દાતાની) શક્તિરૂપ અને અભિપ્રસાદરૂપ કંઈક ઉપભોગ યોગ્યન (પદ્યર્થોનો) ઘણો પણ લાભ થવા છતાં શ્રેષ્ઠ સાધુઓ મદ નથી કરતા.
વિવેવન : લાભાન્તરાય ફર્મ! પ્રાપ્તિમાં વિઘ્ન કરનારું કર્મ! “પાંચ પ્રકારના “અંતરાય કર્મ'નો આ એક પ્રકાર છે. તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે કે તમારે એક વસ્તુની જરૂર હતી, તમારા ફોઈ પરિચિત મનુષ્ય પાસે એ વસ્તુ હતી પણ ખરી, એ આપે એવો પણ હતો, તમે એ વસ્તુ માગી, છતાં એણે ના આપી! ત્યારે તમને લાગ્યું હશે કે “આવા ઉદાર માણસે, એની પાસે મારી જરૂરિયાતની વસ્તુ હોવા છતાં મને કેમ ન આપી?' તમે કોઈ બીજી કલ્પનાઓ પણ એ માણસ માટે કરી હશે. એના પ્રત્યે અણગમો પણ થયો હશે! એની કદાચ નિંદા પણ કરી હશે! ના, એમાં એ ગૃહસ્થનો દોષ નથી. જો તમે કર્મ-તત્ત્વજ્ઞાન પામેલા છો તો તમે સાચું સમાધાન કરી શકશો. “મારા લાભાન્તરાય કર્મનો અત્યારે ઉદય હોવા જોઈએ, માટે એણે મને મારે જોઈતી વસ્તુ ન આપી, મારા લાભારાય કર્મો એને દાન દેતાં રોકી દીધો! મારું આ કર્મ ઉદયમાં આવે એટલે દાનેશ્વરીના હૃદયમાં મને દાન આપવાનો ભાવ જાગવા ન દે. જે માણસને આ લાભાન્તરાય કર્મનો ઉદય ન હોય તે માગવા જાય તો તરત જ એને પ્રાપ્તિ થઈ જાય! મને ન આપનાર દાતા, એને આપી દે!”
એટલું જ નહીં, દાન આપવાનું મન પણ ત્યારે થાય કે “દાનાત્તરાય” કર્મનો ક્ષયોપશમ હોય. દાતાનું ચિત્ત પ્રસન્ન હોય, તમારો લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય અને દાતાનાં દાનાન્તરાય કર્મનો ક્ષયોપશમ હય, બંનેનો સુમેળ થાય ત્યારે તમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય. તમારો લાભાન્તરાય ફર્મનો ઉદય હોય અને દાતાનો દાનાન્તરય કર્મનો ક્ષયોપશમ પણ હોય, છતાં તમને પ્રાપ્તિ ન થાય! એવા દાતા પાસેથી એને જ લાભ થાય જેનો લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય! એવી રીતે, તમારો લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય, પરંતુ દાતાનો દાનાન્તરાય કર્મના ઉદય હોય તો તમને એની પાસેથી પ્રાપ્તિ નહીં થાય. તાત્પર્ય એ છે કે પ્રિય પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ૧૪, જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only