________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પ્રશમરતિ સમજાવનાર સ્વયં તીર્થંકર પરમાત્મા હોય! પરમાત્મા મહાવીરસ્વામી ગોશાલકને ન સમાવી શક્યા, જમાલીને ન સમજાવી શક્યા; અનેક પાખંડીઓને ન સમજાવી શક્યા, તે શું તેઓની અપૂર્ણતા હતી? ના, પરમાત્માની જ્ઞાનશક્તિ તો પરિપૂર્ણ જ હતી, પરંતુ સામેના જીવાત્મા પાસે એ જ્ઞાનસન્માર્ગદર્શ દૃષ્ટિ ન હતી. તેઓ પરમાત્માની દિવ્ય પ્રેરણા ઝીલી ન શક્યા; ગ્રહણ ન કરી શક્યા.
ગ્રન્થકાર મહાપુરુષે આપણને પ્રત્યક્ષ દુનિયાનાં પ્રત્યક્ષ પ્રમાણ આપીને એ સમજાવ્યું કે એક-એક ઇન્દ્રિયની પણ પરવશતા જીવોને દુઃખના દાવાનળમાં કેવા હોમી દે છે, પશુસૃષ્ટિમાંથી એક-એક ઉદાહરણ લઈને, કેવી અદ્દભુત શૈલીમાં તેઓએ નિરૂપણ કર્યું છે? મનુષ્યોને કેવી લાલબત્તી ધરી છે? તેઓ કહે છે :
આ મેં પ્રત્યક્ષ જે દૃષ્ટાન્તો આપ્યાં ઇન્દ્રિયપરવશ જીવોનાં, તે જીવોનાં દુઃખ તો અલ્પકાલીન છે, પરંતુ જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં લોપી અને આસક્ત જીવ નરક ગતિમાં જાય છે; તિર્યંચ યોનિમાં જાય છે, ત્યાં એને જે દીર્ઘકાલીન દુઃખો સહેવાં પડે છે.....એ તરફ દૃષ્ટિ કરો. ભલે એ નરકગતિ પરોક્ષ છે, તમારી આંખોથી તે જોઈ શકાતી નથી. મનુષ્યની આંખો એવી શક્તિવાળી નથી કે એ લાખો-કરોડો માઈલોથી પણ વધુ દૂરનાં દશ્ય જોઈ શકે. દિવ્યદૃષ્ટા કેવળજ્ઞાની પરમપુરુષોએ પોતાના આત્મપ્રકાશમાં એ બધું જ જોયેલું છે ને વિશ્વને બતાવેલું છે.... એ નરકગતિમાં જીવો જે ભયંકર યાતનાઓ સહે છે એ જોઈને કરુણાવંત પુરુષોનાં હૃદય રડી પડે છે. દુર્ગતિમાં બીજા જીવો ન ચાલ્યા જાય તે માટે તેઓ બૂમો પાડે છે. ક્યારેક સ્નેહથી, ક્યારેક રોપથી પણ, રોકવા પ્રયત્ન કરે છે.
‘તમે ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપ ન બનશો. એ વિષયોનો ઉપભોગ કરવો જેટલો અનિવાર્ય હોય તેટલો જ કરજો. તેમાં પણ એટલી સાવધાની રાખજો કે તમારો મનોયોગ એમાં ન જોડાઈ જાય. મનોયોગ વિના પણ, મનના ઉપયોગ વિના પણ વિષયોપભોગ થઈ શકે. માનો કે મન એમાં ભળે છે, રોકી નથી શકતા તો મનને રાગમાં વધુ સમય રાચવા ન દેશો, આસક્તિમાં બંધાવા ન દેશ.”
આ બધી વાતો કોણ સમજે !! જે જીવોની સન્માર્ગદર્શી જ્ઞાનષ્ટિ ખૂલી નથી, જે જીવો સન્માર્ગે ચાલવા તત્પર પણ નથી, જેઓ પોતાની ઇન્દ્રિયોને એના શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષયોમાં જતી રોકી શકતા નથી... ઇન્દ્રિયો સ્વચ૭ન્દી બનીને ઇષ્ટ અને પ્રિય વિષયોમાં મ્હાલે છે; એ જીવોને આ
For Private And Personal Use Only