________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
પ્રશમરતિ
મળી ગયા તો એના પર એને ગાઢ મમતા બંધાવાની. ‘માહનીય કર્મ'ની વિશાળ સેના વચ્ચે એ ઘેરાઈ જવાનો. અસારને સાર માનવાનો! અનિત્યનું નિત્ય માનવાનો ! એ માન્યતાની પાછળ ક્રોધ-માન-માયા અને મૂર્છા કરવાનો. ક્યારેક રાજી થવાનાં, ક્યારેક નારાજ થવાનો. ક્યારેક ખુશખુશાલ થઈને નાચવાનો, તો ક્યારેક પોક મૂકીને રડવાનો. ક્યારેક ઉદ્ધત બનીને જીવોને ધિક્કારવાનો, તો ક્યારેક ભીષણ ભયના ભણકારા સાંભળીને થર થર ધ્રૂજવાનો. ક્યારેક મોહોન્મત્ત બનીને વિકારો અને વિલાસોમાં આળોટવાનો, તો ક્યારેક નિર્વીર્ય બની કરપીણ ફામપીડાથી ટળવળવાનો!
આ બધાથી નિરંતર અનન્ત અનન્ત કર્મોનો બંધ! જ્યારે એ કર્મો ઉદયમાં આવે ત્યારે નરક-તિર્યંચ ગતિનું પરિભ્રમણ અને સુદીર્ઘકાલીન દુઃખોની પરંપરા દુઃખોના દ્વેષની અને સુખોના રાગની આ કરુણકથની છે. એક-એક વિષય ...... ઇન્દ્રિયના વિષયના રાગ..... એક-એક વિષયનાં દ્વેષ જીવોને કેવી રીતે મૃત્યુ સુધીની પીડાઓ આપે છે, તેનાં દૃષ્ટાંતો ગ્રન્થકાર પોતે આપે છે, ધ્યાનથી વાંચજો.
ઇન્દ્રિયપવાતા વેરે છે વિનાશ
कलरिभितमधुरगान्धर्वतुर्यत्योषिद्विर्वभूषणरवाद्यः । श्रोत्राववद्धहृदयो हरिण इव विनाशमुपयाति ।। ४१ ।।
અર્થ : કલાયુક્ત (માત્રાયુક્ત) રિભિત (બોલાયેલાં) અને મધુર (એવાં) ગંધર્વનાં વાજિંત્રોનો ધ્વનિ અને સ્ત્રીઓનાં વિભૂષણોમાંથી ઉત્પન્ન થતાં ધ્વનિ-આદિ આવા મનોહર શબ્દોથી જેનું શ્રોત્રન્દ્રિયપરવશ હૃદય છે તેવા હરણની જેમ (પ્રમાદી) વિનાશ પાર્મે છે,
વિવેષન : આજે તો આપણા દેશમાં લગભગ હરણનો શિકાર બંધ થઈ ગર્યા છે અને કદાચ કોઈ ખૂણે-ખાંચરે શિકાર થતો હોય તો તે આમજનતા જોઈ શકતી નથી.
એ કાળ હતો રાજાશાહીનો અને રાજાઓ મોટે ભાગે હતા શિકારના રસિયા! એમાં ય હરણનો શિકાર કરનાર તો બહાદુર કહેવાતાં! કારણ કે ભલે હરણનાં ટોળાં જંગલોમાં નાચે, કૂદે અને મસ્તીથી દોડે, પરંતુ એ માણસોથી ખૂબ સાવધાન રહે, એમની ચકોર દૃષ્ટિ માણસને ઓળખી લે. શિકારીને જોતાં જ એ ચારે પગે કૂદીને જંગલમાં અદૃશ્ય થઈ જાય!
શ્રમણ ભગવાન મહાવીરના ચરણે તો મગધસમ્રાટ શ્રેણિક પછી આવ્યો.
For Private And Personal Use Only