________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
પ્રશમરતિ પ્રકારનાં કર્મ-પુદ્ગલો આત્મામાં આવ્યાં સમજો! એ કર્મ-પુગલોના સારાનરસા પ્રભાવોનો અનુભવ કષાય” ના માધ્યમથી થાય છે.
ક્રોધ-માન-માયા-લોભ, આ ચાર મુખ્ય કપાયો છે. આત્મપ્રદેશમાં રહેલાં કર્મપુદ્ગલોનું સુખાત્મક અને દુઃખાત્મક સંવેદન, આ કષાયો વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલાં કર્મયુગલોની સ્થિતિનો નિર્ણય કરાયો કરતા નથી, તે કામ “લેશ્યાઓનું છે. (૧) મન-વચન કાયાના યોગથી પ્રદેશબંધ. (૨) ક્રોધાદિ કષાયોથી પ્રદેશબદ્ધ કર્મોનો અનુભવ. (૩) વેશ્યાઓથી ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય સ્થિતિનું નિર્માણ. મુખ્ય આ ત્રણ વાતો છે. શા માટે મનને પાપવિચારોથી મુક્ત કરવાનો અને શુભ-શુદ્ધ વિચારથી મનને નિર્મળ કરવાનો ઉપદેશ તીર્થકર ભગવંતે આપ્યો, તે સમજાયું ને? શા માટે પાપવાણી નહીં બોલવાનો અને હિત-મિત-પ્રિય અને પથ્ય વાણી બોલવાનો જ આગ્રહ જ્ઞાની પુરુષો કરે છે, આ વાત ગળે ઊતરે છે ને? શા માટે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ઇન્દ્રિસંયમ કેળવવાનો ઉપદેશ ગુરુજના આપે છે, તેનું રહસ્ય સમજાયું ને?
શુભ વિચાર, વાણી અને વર્તનથી આત્મપ્રદેશે સાથે શુભ કર્મો બંધાય, અશુભથી અશુભ બંધાય. સુખ-દુઃખનો અનુભવ કષાય કરાવે છે. કષાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મપુદ્ગલો આત્મામાં સુખ-દુઃખની લાગણીઓ પ્રગટાવી શકે નહીં અને પ્રશસ્ત લેશ્યાઓમાં રમતા રહેવાથી એ પ્રદેશબદ્ધ કર્મોની સ્થિતિ પણ સારી બંધાય છે.
આ રીતે કર્મોનો પ્રદેશબંધ, તેનો અનુભવ અને એની સ્થિતિના નિર્માણનું વિજ્ઞાન સમજાવીને હવે “લેશ્યાઓને સમજાવવા ગ્રંથકાર આગળ વધે છે.
લેવાઓના છ પ્રકાર ताः कृणनीलकापोततैजसीपद्मशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य कर्मवन्धस्थितवधात्र्यः ।।३८ ।। અર્થ : તે લગ્યાઓ) ફણ, નીલ, કાપાત, તેજસ, પદ્મ અને શુક્લ નામની લેશ્યાઓ કર્મબંધમાં સ્થિતિનું નિર્માણ કરનારી છે, જેવી રીતે રંગોના બંધમાં વાંદર!
ક, જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only