________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
પર
આઠ પ્રકારનાં કર્મોને બાંધે છે. આઠ પ્રકારનાં કર્મોથી આત્મા બંધાય છે.
(૧) જ્ઞાનાવરણ : આ કર્મ આત્માના જ્ઞાનગુણને આવરે છે; ક્ષાયિક જ્ઞાનને અને ક્ષાયોપશમિક જ્ઞાનને, બંનેને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ-બંને જ્ઞાનને આવરે છે. તેથી આત્મામાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા આદિ દેખાય છે.
(૨) દર્શનાવરણ : ચક્ષુદર્શન આદિ આત્માની દર્શન-શક્તિને આવરે છે. આત્માના દર્શનગુણને આવરે છે. પાંચ પ્રકારની નિદ્રાઓનો પણ આમાં જ સમાવેશ થાય છે. કારણ કે નિદ્રા પણ દર્શન-શક્તિને આવરે જ છે!
(૩) વેદનીય : સુખાનુભવ અને દુ:ખાનુભવ-આ કર્મનાં બે કામ છે. આત્માના સહજ-સ્વાભાવિક સુખનો અનુભવ, આ કર્મ કરવા દેતું નથી.
(૪) મોહનીય : જેનાથી જીવ મોહિત થાય તે મોહનીય! ઊંધી સમજ અને ક્રોધ-માન-માયા-લોભ, આ કર્મની દેન છે! હાસ્યાદિ ‘નો-કપાયો' ની વિકૃતિ પણ આ જ કર્મની ભેટ છે! આઠેય કર્મોમાં આ કર્મની જાલિમતા-પ્રબળતા ગજબ જ હોય છે.
(૫) આયુષ્ય : આ કર્મની કૃપાથી તો જીવ જીવે છે! પ્રાણ ધારણ કરે છે! જન્મ અને મૃત્યુ આ કર્મની કૃપાનું ફળ છે...
B
(૬) નામ : જીવને ગતિ (યોનિ) આપવી, જાતિ (એકેન્દ્રિયાદિ) આપવી, સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, રૂપ-૨સાદિ વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીરરચના આ કર્મને આભારી છે. આત્માના અરૂપીપણાને આ કર્મ આવરે છે.
(૭) ગોત્ર : ઉત્તમ કુળની પ્રાપ્તિ, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય આ કર્મ આપે છે, તેવી જ રીતે નીચ કુળ-જાતિ વગેરે પણ આ જ કર્મ આપે છે! આત્માના ‘અગુરુલધુ' ગુણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા-આ કર્મના અનુસારે પ્રાપ્ત થાય છે.
(૮) અન્તરાય : આ કર્મ, સામે પાત્ર હોય અને આપવાની વસ્તુ પાસે હોય, છતાં આપવાનો ભાવ જાગવા ન દે! તેવી જ રીતે ઇચ્છિત સુખોની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલાં સુખો ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મે જ તો આવરી છે!
આ રીતે જીવ, મિથ્યાત્વાદિ સહિત રાગ-દ્વેષથી મૌલિક કર્મબંધ કરે છે, એ કરેલા કર્મબંધ અનુસાર કર્મો ઉદયમાં આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. ચારગતિમાં પરિભ્રમણ કરતા જીવોનું આંતર-બાહ્ય સમગ્ર વ્યક્તિત્વ, આ આઠ કર્મોનો પ્રભાવ જ છે. આત્માનું મૌલિક સ્વરૂપ જે અનંતજ્ઞાન, અનંતદર્શન,
For Private And Personal Use Only