Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 12
________________ પયુષણ અષ્ટાદ્ધિક વ્યાખ્યાન મારે વિગેરે હિંસકે પણ આશ્ચર્યકારી દયાને પામી ગયા. અર્થાત એમણે જીવહિંસાને ધધો છોડી દીધો. રાજાની આજ્ઞાથી લેકે ગાય, ઘોડાઓ, બકરાઓ વિગેરે પશુઓને પણ ગાળેલું પાણી પીવરાવવા લાગ્યા. એટલે નગરની બહાર પણ તળાવ, કૂવાઓ, સરવરે વિગેરે પાણીના સ્થળોએ ગાળેલા પાણી મળી રહે એવી વ્યવસ્થા કરાવી હતી. તેથી લોકો પશુઓને પણ ગાળેલું પાણી પીવરાવતા હતા. પછી કુમારપાલ મહારાજાએ પિતાના દેશમાં પિતાના આશાવતી રાજાઓના | દેશમાં. અને બીજા રાજાઓના દેશમાં પણ પોતાના આપ્ત (હિતકારી) માણસોને મોકલી કયાંક ભક્તિ બતાવીને અને કયાંક ધન વિગેરેદ અને અમારિ–અહિંસાની ઉદ્દઘોષણા કરાવી, મારિ-હિંસાને નિવારી દીધી તથા મહારાજા કુમારપાલે પિતાના દેશમાંથી જુગાર, માંસ, સુરા (દારૂ) વેશ્યા, શિકાર, ચેરી, પરસ્ત્રીગમન એ સાત વ્યસને હિંસા કરાવનાર છે એમ માનીને માટીના પુરૂષોની આકૃતિવાળ સાત વ્યસનના સાત પુતળા બનાવી તે પુતળાઓના મેઢાઓ મણીથી કાળા બનાવી એ સાતેને સાત ગધેડાઓ ઉપર બેસાડી, આ સાત વ્યસનને મહારાજા કુમારપાલ દેશનિકાલ કરે છે, તેથી કેઇપણ આ સાતે વ્યસનને કંઇપણ રીતે આશરે આપશે નહિ, કેઈપણ સેવશે નહી, એવી ઉદઘોષણા કરાવવા પૂર્વક દરેક માર્ગોમાં ફેરવી લાકડી વિગેરેથી પીટતા કરી પિતાના દેશમાંથી કાઢી મૂક્યા. in Education a l For Personal Private Use Only www.inebrar og

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 132